ગુજરાત માં થશે ધડાકો ! 24-કલાક માં ગુજરાત ના આ વિસ્તારો માં થશે માવઠું ખેડૂતો માં ચિંતા નું મોજું આ વિસ્તારો ચપેટ માં,
ભારતમાં અને ગુજરાતમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. ગુજરાતમાં થોડા સમયથી ઠંડીનું જોર ખૂબ વધી ગયું હતું. પરંતુ અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે અને બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડી નું જોર ઘટી ગયું હોય તેવો અનુભવ થાય છે. એવામાં આગામી 24 કલાક સુધી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે.
તો સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટતા સૌરાષ્ટ્રનું ઠંડીનું જોર સુકુ થઈ ગયેલું જોવા મળે છે. વધુ વિગતે વાત કરીએ તો ઠંડીમાં લઘુતમ તાપમાન ઘટવાના બદલે સતત વધી રહ્યું છે. જેના કારણે ઠંડીનું જોર ઘટે છે અને ગરમી ની જોર વધે છે. આગામી 24 કલાકમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, નર્મદા વગેરે જિલ્લામાં માવઠા ની આગાહીઓ કરવામાં આવેલી છે.
તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત ઉપર 14.6 ડિગ્રી, કેશોદમાં 16 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 18 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો. તો બીજી તરફ જૂનાગઢમાં 19.3 ડીગ્રી, અમરેલીમાં 20 ડિગ્રી, ભાવનગરમાં 21 ડિગ્રી અને વેરાવળ, દીવ અને ઓખામાં 23 ડિગ્રીનો પારો નોંધાયો હતો. હજુ ત્રણ-ચાર દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટેલું જોવા મળશે. ઠંડીમાં પણ લોકોને ગરમી જેવો અનુભવ થઈ રહ્યો છે.
એક બાજુ ઠંડીનું જોર ઘટી રહ્યું છે તો બીજી બાજુ ખેડૂતોને પોતાના પાકની ચિંતા થઈ રહી છે. શિયાળુ પાકોની રાહ જોઈને બેસેલા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ચૂક્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બે દિવસથી લઘુતમ તાપમાન નો પારો 6.7 ડીગ્રી ઉંચકાયો છે. તો ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ તાપમાનમાં ઘટાડો થયેલો છે.
માઉન્ટ આબુમાં પણ હજુ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુ માં પણ ઠંડીનું જોર ઘટેલું જોવા મળે છે. વાદળછાયું વાતાવરણ બન્યું છે અને પવનની ગતિ પણ ઓછી થઈ છે. હવામાન વિભાગે જાણકારી આપે કે જ્યારે વાદળો વિખેરાશો ત્યારે ઠંડીનું જોર વધવા લાગશે. આમ હજુ ગુજરાતવાસીઓને ઠંડીનો અનુભવ લેવા માટે થોડી રાહ જોવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!