મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવએ કુદરત ની ઘણી અણમોલ રચના છે. કુદરત દ્વારા મળેલ માનવ જીવન એ ઘણું અમૂલ્ય છે. અને તેની કદર કરવી જોઈએ. જો કે દરેક વ્યક્તિ માનવ જીવનના આ મહત્વને સમજી શકતા નથી. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવીનું જીવન ઘણું સંઘર્ષ ભરેલું છે. તેના જીવનમાં અનેક પ્રકારના ઉતાર ચડાવ આવે છે. જેના કારણે માનવી ઘણી વખત હતાશ પણ થઇ જાય છે. ત્યારે આવા સમયે હતાશ થવાના બદલે જીવનમાં આવી પડેલ મુશ્કેલીઓ નો હિંમત પૂર્વક સામનો કરવો જોઈએ અને કુદરત તરફથી મળેલી જિંદગીનો ભરપૂર આનંદ માનવો જોઈએ.
પરંતુ ઘણા વ્યક્તિઓ ના જીવનમાં એટલી હદે સમસ્યાઓ વધી જાય છે કે તેઓ જીવનમાં હતાશ થઇ જાય છે અને તેમને કોઈ રસ્તો સુજતો નથી. તેવામાં આવી વ્યક્તિ આત્મ હત્યા જેવું નકારાત્મક પગલું પણ ઉપાડી લ છે. ઘણી વખત આવી વ્યક્તિઓ પર આવેલ મુશ્કેલીઓ ના કારણે તેમને જીવન કરતા મરણ વધુ શાંતિ આપે છે. જોકે જીવનમાં આવેલ મુશ્કેલીઓ થી ડરવું નહિ પરંતુ તેમનો સામનો કરવો જોઈએ.
જો કે હાલમાં પુણાથી ઘણો દુઃખદ બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક મહિલાએ હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મ હત્યા કરી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા નું કારણ ઘર કંકાસ ને માનવામાં આવે છે જો આ બનાવ અંગે વિગતે વાત કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહતી અનુસાર આ બનાવ પુણેના સિંહ ગઢ રોડ પાસે આવેલ હવેલી તાલુકાના ગોરહે બુદ્રુક ની એક હોટલ નો છે. અહીં હોટલના રૂમમાં એક મહિલાએ પોતાની ઓઢણી વડે પંખા સાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
જો વાત મૃત્યુ પામેલી આ મહિલા અંગે કરીએ તો તેમનું નામ રંગોલી ભાસ્કર વડાવરાવ છે તેમની ઉમર 31 વર્ષ હતી અને તેઓ ધોનારી પુણેના રહેવાસી માનવામાં આવે છે. આ ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમના જણાવ્યા અનુસાર આ મહિલા બપોરના બે વાગ્યા આસપાસ હોટલમાં એક દિવસ માટે રહેવા આવ્યા હતા. તેવામાં સાંજના સમયે જયારે હોટલના વેઈટરે તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે કોઈ જવાબ ના મળતા તેમણે હોટલ સંચાલક અને પોલીસ ને આ બાબત અંગે જાણ કરી હતી.
જણાવી દઈએ એ રંગોલીએ હજી બે મહિના પહેલાજ બીજા લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન તૂટી ગયા હતા અને તેમને પહેલા લગ્નથી એક સાત વર્ષનો બાળક પણ છે. તેવામાં તેમની આવી રીતે કરેલ આત્મ હત્યા થી પરિવાર માં શોક છે. જો કે હજુ સુધી તેમની આત્મ હત્યા અંગેના કારણ વિશે માહિતી મળી નથી. પ્રાથમિક તાપસ માં આ આત્મ હત્યા નું કારણ ઘર કંકાસ ને માનવામાં આવે છે.