Gujarat

અમદાવાદની નજીક આવેલી આ ઐતિહાસિક જગ્યાઓની એક વખત ખાસ મુલાકાત લ્યો ! પ્રાચીન કલાકૃતિ જોઈ તાજ મહેલ પણ ફિકો લાગશે…જુઓ

Spread the love

મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના લોકો ખાણી પીણીથી લઈને હરવા ફરવાના ખુબજ શોખીન હોઈ છે તેમજ નવી નવી અને ઐઇતિહાસિક જગ્યાઓની મુલાકાત લેવાનું ખુબ પસંદ કરતા હોઈ છે. તેવામાં આજે તમને તેવાજ અમુક ખાસ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવીશું જેની પ્રાચીન કલાકૃતિ જોઈ તાજ મહેલ પણ ભૂલી જશો આવો તમને આ સ્થળો વિષે વિગતે જણાવીએ.

ગુજરાતની હેરિટેજ સાઈટમાંસૌથી લોકપ્રિય ગણાતી પાટણની પ્રસિદ્ધ અને વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવમાં પણ પર્યટકો 10 દિવસ માટે કોઈ પ્રવેશ ફી વિના એન્ટ્રી મેળવી શકે છે. અમદાવાદથી 125 કિલોમીટર દૂર પાટણ શહેર આવે છે જ્યાં આ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ આવેલ છે. રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે એટલા માટે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં મુલાકાતે આવે છે. વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી હતી.

સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી તેનો પુત્ર ભીમદેવ પહેલો ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણકી વાવ અથવા રાણી ની વાવ તરીકે જાણીતી થઈ હતી.

ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 1968માં પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં આ રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કાઢી હતી.  રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. આવા ઇતિહાસ માટે જ રાણકી વાવપ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *