લગ્નને હજી 9 માસ થયા ત્યાં જ પતિએ કંટાળીને પોતાની જિંદગીનો અંત આણી નાખ્યો ! કારણ જાણી તમે દંગ જ રહી જશો…જાણો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ આત્મહત્યાના અનેક બનાવો જોવા મળે છે જેમાં લોકો ને થોડી પણ જો જીવનમાં મુશ્કેલી પડી જાય તો તેઓ તે રસ્તા ને પાર કરવાના બદલે હાર માનીને તેઓ જીવનથી દૂર જવાનું પગલું ભરી બેસતા હોય છે .
ત્યારે હાલમાં એક યુવાને પણ પોતાના પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધીનો બનાવ સામે આવી રહ્યો છે. પલવલ શહેરના કલ્યાણ એંકલેવ માં એક યુવક એ આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવી રહ્યો છે જાણકારી મળ્યા અનુસાર પત્ની ના ત્રાસ થી ત્રાહિમામ થઈને યુવકે મોતને ગળે લગાવી લીધી. મૃતકનું નામ સુરેન્દ્ર જણાવામાં આવી રહ્યું છે. સુરેન્દ્ર ના લગ્ન 9 મહિના પહેલા જ થયા હતા. આ ઘટનામાં મૃતકના પિતા એ ફરિયાદ કર્યાના આધારે કેંપ થાણા પોલીસ એ સુરેન્દ્ર ની પત્ની ની વિરુધ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો મામલો દર્જ કરવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરતાં મૃતક સુરેન્દ્ર ના પિતા દેવી પ્રસાદ એ જણાવ્યુ કે ગયા વર્ષ ડિસેમ્બર મહિનામાં તેમણે પોતાના પુત્ર સુરેન્દ્ર ના લગ્ન ફરિદાબાદ ની રહેવાસી શાલિની સાથે કરાવ્યા હતા. પરંતુ શાલિની તેના દીકરા સુરેન્દ્ર ની સાથે ઝગડો કરીને લગભગ 5 મહિના પહેલા જ બધા ઘરેણાં લઈને પોતાના પિયર ચાલી ગઈ હતી. ગયા 25 જુલાઇના રોજ તેમનો દીકરો સુરેન્દ્ર શાલિની ને પરત લાવવા માટે પણ ગયો હતો, પરંતુ તે આવી નહીં.
શાલિની તથા તેના પરિવારના લોકોએ તેમના દીકરા સુરેન્દ્ર સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો અને તેને ત્યાથી ભાગાવી દીધો હતો. શાલિની એ સુરેન્દ્ર ને કહ્યું કે જે ઘર વેચતા રૂપિયા આવ્યા છે તે પહેલા તેને આપો અને પછી જ તે તેની સાથે ચાલસે. શાલિની એ કહ્યું કે જો રૂપિયા નહીં આપ્યા તો સાસરિયા વાળા ને ખોટા કેસમાં ફસાવી દઇશ. આનાથી સૂરેન્દ્ર પરેશાન રહેવા લાગ્યો.
જેના પછી 12 ઓગસ્ટ ના રોજ તેમનો દીકરો સુરેન્દ્ર જમ્યા પછી સુવા માટે ઉપર ના રૂમમાં ગયો હતો, સવારે સુરેન્દ્ર જ્યારે સૂઈને ઊઠયો નહીં તો તેઓ સુરેન્દ્ર્ને જગાડવા માટે ગયા ત્યારે તેમણે જોયું કે સુરેન્દ્ર એ પંખામાં સદી બાંધીને ફાંસી લગાવીને આત્મહત્યા કરવી લીધી હતી. આ ઘટનામાં ફેંપ થાણા ના પોલીસ પ્રભારી સત્યનારાયણ નું કહેવું છે કે શાલિની ની વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.