India

વફાદારી માં આ વાંદરા એ મનુષ્યો ને છોડ્યા પાછળ વાંદરા ના પ્રિય વ્યક્તિ નું મૃત્યુ થતા તે પાર્થિવ શરીર પાસે આવ્યો અને, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ પ્રાણીઓ ના વિડિયો, પશુઓના વિડીયો સામે આવતા હોય છે. આપણે જાણીએ છીએ તેમ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે એક ગાઢ સંબંધ રહેલો છે અને આ ગાઢ સંબંધ મિત્રતામાં પણ બંધાઈ જતો હોય છે. આપણે ઘણા બધા પ્રાણીઓને ઘરમાં પાલતુ પ્રાણી તરીકે રાખતા હોઈએ છીએ. એવો જ એક વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો શ્રીલંકા દેશ થી સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે પીતાંબરમ રાજન નામના વ્યક્તિ એક વાંદરાને રોજ ખાવાનું ખવડાવતા હતા અને બંને વાંદરા અને પીતાંબરમ રાજન વચ્ચે ગાઢસબંધ હતો. જ્યારે પીતાંબર રાજનનું 56 વર્ષની વયે મૃત્યુ થયું ત્યારે તેનું પાર્થિવ શરીર તેના ઘરની બહાર રાખવામાં આવ્યું હતું. એ સમયે તેના પરિવારના સભ્યો પણ તેને શ્રદ્ધાંજલિ આપતા હતા એ સમયે વાંદરો ત્યાં આવી જાય છે.

અને પીતાંબરમ રાજન નું પાર્થિવ શરીર જ્યાં હોય છે ત્યાં તે આવી ચડે છે અને તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતો હોય છે. વાંદરો ઘડીક શ્વાસ પણ ચેક કરવા લાગે છે. કારણકે વાંદરાને વિશ્વાસ આવતો હોતો નથી કે તે મૃત્યુ પામ્યા છે આથી તેને જગાડવાનો પણ પ્રયત્ન કરતો હોય છે. આ વિડીયો સામે આવતા જોવા વિડિયો જોવા વાળા પણ લોકો ભાવુક થઈ ગયા છે અને આવા પ્રાણી અને મનુષ્ય વચ્ચે નો ગાઢ પ્રેમ જોઈને લોકો પણ શોકમાં આવી ગયા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને વાંદરા પ્રત્યે ખૂબ જ સંવેદના દર્શાવતા જોવા મળે છે. વાંદરો ઘણા સમય સુધી ત્યાં પાર્થિવ શરીરની પાસે બેસ્યો રહે છે અને લોકો તેને જવા કહે છે તો પણ તે જતો હોતો નથી અને લોકો આ ભાવુંક દ્રશ્ય જોઈને ભાવુક થઈ રહ્યા હતા. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *