ભારત માં અને ગુજરાત માં ખાસ કરીને આપઘાત ના કિસ્સાઓ સામે આવતા હોય છે. લગ્નજીવન દરમિયાન આપઘાત ના કિસ્સાઓ માં ખુબ જ વધારો થવા પામ્યો છે. લગ્ન જીવન દરમિયાન કોઈ ને કોઈ કારણોસર ઝગડો થયા કરતો હોય છે અને અંતે તે આપઘાત માં પરિણમેં છે. એવી જ એક ઘટના ગયા વર્ષે ફેબ્રુઆરી માં અમદાવાદ ની સામે આવી હતી. જેમા એક આયશા નામની યુવતી એ લગ્ન જીવન થી કંટાળીને આખરે આપઘાત કરી લીધો હતો.
અમદાવાદ મા સાબરમતી રિવરફ્રન્ટ પર થી પડતું મુક્તી વેળાએ આયશા નામની યુવતી નો વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. તેને તેના પતિં થી કંટાળીને આખરે આ પગલું ભર્યું હતું. તેનો કેસ કોર્ટ મા ચાલી જતા આખરે તેના પતિ ને સજા ફટકારવામાં આવી છે. તેના પતિનું નામ આરીફ હતું. તેના પતિ આરીફ ને આખરે કોર્ટે દસ વર્ષ ની સજા ફટકારી છે. આવા આત્મહત્યા ના બનાવો ખુબજ સામે આવતા હોય આરોપીને સજા કરીને સમાજ માં આવા બનાવો ઘટે તેનો પ્રયત્ન છે.
સમગ્ર ઘટના મા આયશાએ જયારે છેલ્લો વિડીયો બનાવીયો હતો તે દરમિયાન તેને ઘણી બધી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરિફખાન. ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ. ઇસ મેં કિસિકા જોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ. ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ‘અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’
અને આખરે તેને આત્મહત્યા કરી લીધી હતી. બાદ માં પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો અને તેના પૂરવા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીના વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટને મહત્વનો પુરાવો કોર્ટે ગણ્યો છે. અને તેના આધારે આરોપી આરીફ ને સજા કરવામાં આવી હતી. કોર્ટે આવી બનતી ઘટના ને સમાજ માટે કલંક રૂપ ગણાવી હતી.