Categories
Gujarat

આલીશાન મહેલ થી વિષેશ ફાર્મ હાઉસ છે સર રવિન્દ્ર જાડેજા નુ ! જાણો કયા ગામ મા છે અને જુઓ જુઓ ખાસ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમમાં રવિન્દ્ર જાડેજાનું નામ ક્રિકેટ જગતમાં મોખરે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ જામનગર, ગુજરાત ખાતે થયો હતોરંતુ રવિન્દ્ર જાડેજા પહેલાથી ક્રિકેટર બનાવા માંગતો હતો. તે બાળપણથી જ પોતાના પિતાથી આ વાતને લઇને ખુબ ડરતો હતો. વર્ષ 2005માં દૂર્ઘટના ઘટી, રવિન્દ્ર જાડેજાની માંનુ નિધન થઇ ગયુ.

આ દૂર્ઘટનાથી રવિન્દ્ર જાડેજાને એટલો બધો આઘાત લાગ્યો કે તેને લગભગ ક્રિકેટ રમવાનુ છોડી દીધુ હતુ. પરંતુ બાદમાં તેને કૉચની મદદ મળી અને ફરીથી ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ. બાદમાં પોતાનો જલવો બતાવ્યો હતો. હાલમાં જ તેમના પત્ની જામનગર શહેરના ધારાસભ્ય બન્યા છે.

ખરેખર રવિન્દ્ર જાડેજાનું જીવન ખુબ જ વૈભવશાળી છે. આજે અમે આપને રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસ વિષે જણાવીશું. રવિન્દ્ર જાડેજાનું આલીશાન ઘર તો તમે જોઈ જ લીધું પણ આજે તમે તેમનું ફાર્મ હાઉસને નિહાળશો.રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઈલને કારણે લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે, પછી ભલે તે ક્રિકેટની અંદર રવીન્દ્ર જાડેજા બેટિંગ કરે કે બોલિંગ કરે, પરંતુ તે પોતાના શાહી શોખ અને વૈભવશાળી જીવનના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

લોકો રવિન્દ્ર જાડેજાની સ્ટાઈલ અને રોયલ સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો અનોખો શોખ છે. આજે અમે તમને રવીન્દ્ર જાડેજાના ખેતરના કેટલાક ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.રવિન્દ્ર જાડેજા પાસે ઘોડાઓ છે અને તેમના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. જ્યારે પણ રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે, ત્યારે તે ચોક્કસપણે તેના ફાર્મ હાઉસની મુલાકાત જાય છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણા ઘોડા અને ઘોડી છે.

એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેને બાળપણથી જ ઘોડા અને ઘોડી પ્રત્યે ખૂબ લગાવ છે. રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મુખ્ય ગેટની વાત કરીએ તો તેના પર આરજે એટલે કે રવિન્દ્ર જાડેજા લખેલું હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાની જાજરમાન સ્ટાઈલ અને સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજા પાસે ઘણી કાર છે, તે લક્ઝુરિયસ કારનો શોખીન છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં ગુજરાતના જામનગર શહેરમાં પોતાનું આલીશાન ઘર બનાવ્યું છે.

Categories
Gujarat

કોકિલાબેન અંબાણીના 90માં જન્મદિવસની આ જૂની તસવીરો આવી સામી ! કંઈક આ રીતે કરી હતી ભવ્ય ઉજવણી…જુઓ આ ખાસ તસવીરો

અંબાણી પરિવારના માતા-પિતા કોકિલાબેન અંબાણીએ 24 ફેબ્રુઆરી 2024ના રોજ તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસની ઉજવણી નાથદ્વારામાં કરવામાં આવી હતી, જેમાં તેમના બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, બંને પુત્રીઓ, પુત્રવધૂ અને પૌત્રો બધાએ હાજરી આપી હતી. હવે, આ ઉજવણીની કેટલીક આંતરિક ઝલક સામે આવી છે, જે તે ઉજવણીની ખાસ ક્ષણોને કેપ્ચર કરે છે.

તાજેતરમાં, અંબાણી પરિવારના એક ફેન પેજ પર કોકિલાબેન અંબાણીના 90માં જન્મદિવસની કેટલીક આંતરિક ઝલક શેર કરવામાં આવી છે. સામે આવેલી તસવીરોમાં આપણે નીતા અંબાણી જોઈ શકીએ છીએ, જેમણે લાલ રંગની પટોળા સાડી પહેરી હતી અને હંમેશની જેમ સુંદર લાગી રહી હતી. આગળનો ફોટો મુકેશ અંબાણીનો હતો, જેઓ આ સેલિબ્રેશનમાં સફેદ કુર્તા-પાયજામા અને મરૂન જેકેટમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં આપણે નીતાને તેની મોટી વહુ શ્લોકા મહેતા સાથે જોઈ શકીએ છીએ, જે ઓરેન્જ આઉટફિટમાં સારી લાગી રહી હતી.

ચિત્રોની આ શ્રેણીમાં આગળના ફોટામાં, આપણે જોઈ શકીએ છીએ કે જન્મદિવસની છોકરી કોકિલાબેન તેમના પુત્ર મુકેશ, પુત્રી અને પૌત્ર આકાશ સાથે વાત કરે છે. આ સેલિબ્રેશનમાં અનિલ અંબાણી પણ પિંક કુર્તામાં જોવા મળ્યા હતા. એક ફોટામાં અનિલ તેની માતા સાથે બેઠો હોય ત્યારે કેમેરા માટે પોઝ આપતા જોઈ શકાય છે. કોકિલાબેન અંબાણીએ તેમના જન્મદિવસ પર ગુલાબી સાડી પહેરી હતી અને ખૂબ જ સુંદર દેખાતી હતી.

તસવીરો સાથે, ઉજવણીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આપણે નાથદ્વારાની અંદરની ઝલક જોઈ શકીએ છીએ, જે દિલ જીતી લે તેવી હતી. આ સેલિબ્રેશનમાં ટીના અંબાણી પણ જોવા મળી હતી, જે પરંપરાગત સાડીમાં સારી લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે કોકિલાબેન અંબાણીનો 90મો જન્મદિવસ પરંપરાગત થીમ પર હતો, જે કેસરી અને ખુશીના રંગોથી ભરેલો હતો. વિડિયોમાં, અમે ફૂલોથી શણગારેલું આલીશાન સ્થળ જોઈ શકીએ છીએ, જ્યાં બધું ગુલાબી-લાલ અને સફેદ રંગોમાં સજાવવામાં આવ્યું હતું.

અમે તમને જણાવી દઈએ કે કોકિલાબેનના 90માં જન્મદિવસ માટે, તેમની પુત્રીઓ દીપ્તિ અને નીનાએ અદભૂત ગુલાબી થીમ આધારિત પ્રી-બર્થ ડે બેશનું આયોજન કર્યું હતું. એક ચાહક પૃષ્ઠે આનંદથી ભરપૂર ઉજવણીની ઝલક શેર કરી અને જ્યાં સુધી આંખ જોઈ શકે ત્યાં સુધી બધું રોઝી હતું. અંબાણી ફેન પેજ દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં આપણે કોકિલાબેનને તેમની સુંદર પુત્રીઓ સાથે જોઈ શકીએ છીએ. જોકે, તસવીર જૂની હતી, જેમાં કોકિલાબેન ઓરેન્જ કલરની સાડીમાં જોવા મળી રહ્યાં હતાં.

Categories
Gujarat

કોણે કીધુ ગામડાં મા રહી કરોડપતિ ના થવાય ? જુનાગઢ નો આ પરિવાર ખેતી આધારિત વસ્તુઓ ઓ બનાવી વર્ષે લાખો રુપીઆ કમાઈ છે જાણો કેવી રીતે

આજના સમયમાં શહેરી જીવન કરતાંય ગામડાનું જીવન વધારે સારું છે. આજમનાં સમયમાં એવા ઘણાય પરિવાર છે, જેઓ શહેરી જીવન છોડીને ગામડામાં સ્થાયી થયા છે. ત્યારે અમે આજે આપણે એક એવા પરિવારની વાત કરીશું જેમને ગામડા આવીને ખેતી કામ કરીને કરોડો રૂપીયાની સંપત્તિ કમાઈ લીધી છે.આ પરિવાર સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જીલ્લાનાં એક ગામમાં રહે છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે પરિવાર ખેતી આધારિત પ્રોડક્ટ બનાવીને દેશ વિદેશમાં મોકલાવી આટલી સફળતા મેળવી.

એક વાત તો સત્ય છે કે, આજના સમયમાં લોકોનો શહેર પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. લોકોની વિચારધારાઓને લીધે ગામડામાં રહીએ તો પ્રગતિ ન થાય પણ આ વાતને ખોટી પાડી છે. જૂનાગઢ જિલ્લાનો એક પરિવાર કે જે કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે. વાત જાણે એમ છે કે, માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરનાર પરષોતમ ભાઈ એ અને આજે તેમનો પરિવાત સંયુક્ત રહે છે અને ખૂબ જ સાદું જીવન જીવે છે.

ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરીને તેમને સાબિત કરી બતાવ્યું કે, યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે. કોઈપણ કાર્ય નાનું કે મોટું નથી હોતું કારણ કે, દરેક કાર્ય આત્મ વિશ્વાસ સાથે અથાગ પરિશ્રમ કરવામાં આવે તો સફળતા મળે છે.

જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદ્ધપરા પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે. ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે અને તેમના બંને દીકરાઓ કંપનીમાં જોડવાને બદલે પિતાની સાથે જ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો.તમને જાણીને નવાઈ લાગશે કે તેમની પાસ105 ગીર ગાય છે.

પોતાની પાસે રહેલી 12 એકર જમીન અને ભાડા પેટે રાખેલી બીજી 12 એકર જમીનમાં તેઓ માઇક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે. 105 ગાયો દ્વારા તેઓ લગભગ 250 લિટરથી વધારે દૂધ મેળવે છે. જેમાંથી માખણ, ઘી, પેંડા, માવો જેવી પ્રોડક્ટ બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર આ બધી પ્રોડક્ટની માંગ વિદેશમાં પણ છે. તેઓ અનાજ અને અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ્સ બનાવી વેચાણ કરે છે.ખરેખર આ વાત તો સત્ય છે કે, જો ખેતીનું સંપૂર્ણ જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સમજીને જમીનમાંથી સોનુ ઉત્પન્ન થઇ શકે. ખાસ એક પરિવારમાં સંપ છે અને સૌ એક વિચારધારા પર ચાલીને આ સફળતા મેળવી છે.

Categories
Gujarat

નાના એવા ગામથી શરૂ થયેલ અમૂલ ડેરી આ બે ગુજરાતીઓની ભેટ છે! જાણો કઈ રીતે અમુલ કંપની બની…

આજે આપણે અમૂલ કંપનીની સ્થાપના વિશે જાણીશું કે, કઈ કોણ એ બે મહાન વ્યક્તિ હતા જેમનાં લીધે આજે ભારતને અમૂલ કંપનીની ભેટ મળી. આ વાત છે આઝાદ ભારત પહેલાની જ્યારે વર્ષ ૧૯૪૫ ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂઘ કોન્ટ્રાક્ટરો દ્રારા એકત્ર કરી મુંબઇ દૂધ યોજનામાં મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધનાં ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો.

આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોની સભા ૪ જાન્યુઆરી ૧૯૪૬ ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખપદે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે વિચારણા થઈ. ત્રિભુવનદાસપટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્ન કર્યો, જેના પરિપાકરૂપે ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપનાની સાથે તારીખ ૧૪ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ “અમૂલ” નો જન્મ થયો.
હવે તમે વિચારશોકે ત્રિભુવનદાસ કોણ હતા?

અમે આપને જણાવીએ કે, ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં થયો હતો. અમદાવાદમાં ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં અભ્યાસ દરમિયાન ગાંધીજીના પ્રભાવમાં આવ્યા અને આજીવન ગાંધીવાદી રહ્યા. તેમણે સ્વતંત્રતાની લડાઈમાં ઝંપલાવ્યું અને ગાંધીજી સાથે અસહકારની લડત, ગ્રામીણ વિકાસ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવી રાષ્ટ્રીય અને સામાજિક ચળવળોમાં ભાગ લીધો હતો. વર્ષ 1948થી 1983 સુધી ‘હરિજન સેવક સંઘ’ના અધ્યક્ષ રહેલા ત્રિભુવનદાસ પટેલને 1930માં ગાંધીજી સાથે મીઠાના સત્યાગ્રહમાં સામેલ થવા બદલ જેલ થઈ. તેમની જ આદર્શ નિષ્ઠાથી આકર્ષાઈને કુરિયન ‘અમૂલ’માં જોડાયેલ.

ડૉ. કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921ના રોજ કાલિકટ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઇન્ડિયા (હવે કોઝિકોડ, કેરળ)માં એક સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.જ્યારે ડો. કુરિયન 13 મે 1949ના રોજ ભારત પરત ફર્યા ત્યારે સરકાર દ્વારા તેમની નિમણૂક પ્રાયોગિક ક્રીમરી, આણંદ, ગુજરાતમાં કરવામાં આવી હતી. ડો. કુરિયને આ નોકરી અધવચ્ચે જ છોડી દેવાનું મન બનાવી લીધું હતું, પરંતુ ત્રિભુવનદાસ પટેલે તેમને એમ કરતા અટકાવ્યા કારણ કે તેમણે ખેડાના તમામ ખેડૂતોને તેમના દૂધની પ્રક્રિયા કરવા અને વેચવા માટે સહકારી મંડળીમાં ભેગા કર્યા હતા.

ડો.કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો, અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો, અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો. આજે અમૂલ ડેરી વિશ્વ ફલકે પ્રસિદ્ધ થઈ છે.

Categories
Gujarat

હિન્દી સંગીત જગત મા અમર બની ગયેલા કલ્યાણજી અને આનંદજીનો જન્મ ગુજરાતના આ ગામ મા થયો હતો ! બોલીવુડ મા 250 થી વધુ ગીતો…

આપણા ગુજરાતીઓનો ડંકો સદાય વિશ્વ ફ્લકે વાગ્યો છે. ત્યારે આજે આપણે સંગીતની દુનિયામાં લોકપ્રિય બનેલ કલ્યાણજીના જીવન વિશે જાણીશું. આજનો દિવસ એટલા માટે ખાસ છે, કારણ કે આજના દિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી હતી.સંગીતની દુનિહમાં કલ્યાણ અને અનંદજીની બેલડી લોકપ્રિય હતી બંને ભાઈઓ સાથે મળી અનેક ગીતોની ભેટ આપી.

લોકોના હૈયામાં વસનાર આનંદજીનો સ્વભાવ હસમુખો અને કલ્યાણજી ગંભીર પ્રકૃતિના હતા અને તેમને આનંદજી સાતગે બંનેએ મળીને 250થી વધુ ગીતો આપ્યા છે, જે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમર બની ગયા છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, કલ્યાણજી ગુજરાતી પણ છે. ચાલો અમે આપને કલ્યાણજીના અને આનંદજી નાં જીવન વિશે એક ઓછેરી ઝલક જણાવીએ કે, આખરે બંને ભાઈઓનો જન્મ કયાં થયેલ.

ગુજરાતનું હદય સમાન કચ્છમાં કલ્યાણજીનો જન્મ થયો હતો. તેમને સંગીતનો વારસો બાળપણથી જ મળ્યો હતો કારણ કે, તેમના દાદા-દાદીની લોકસંગીત સાથે જીડાયેલ હતા. તેમની રગોમા સંગીત દોડતું હતું. અનેક મીડિયા રિપોર્ટસમાં તેની સંગીત શિક્ષાને લઈને અનેક કહાનીઓ છે. જેમાંથી એક છે કે,કલ્યાણજી-આનંદજીના પિતા વીરજી શાહ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા.

. બંને ભાઈઓ ત્યા મદદ કરતા હતા. આ દુકાન પર એક ઉસ્તાદ આવતા હતા, જેમને સંગીતની ખૂબ જ ઊંડી સમજ હતી.નઉસ્તાદ વીરજી શાહની દુકાનથી સામાન ઉધાર લઈ જતા હતા. આવી રીતે ઉધાર લેતા લેતા ઉસ્તાદજીની ઉધારી ખૂબ જ વધી ગઈ.આ કારણે પહેલા પૈસા ચૂકવો પછી સામાન લેજો એવું કહેલ.

જેથી તેમને કહેલું કે મારી પાસે પૈસા તો નથી પરંતુ સંગીત છે. ત્યારે વીરજીએ કહ્યું કે, આ મારા બંને દીકરા છે. તેમને લઈ જાઓ અને સંગીત શિખવો. અહીંથી તેમની સંગીતની શિક્ષા શરૂ થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે, આ કિસ્સા વિશે

કલ્યાણજી-આનંદજીએ ખોટો જણાવેલ કારણ કે તેમનું કહેવું હતું કે સંગીત કોઈ એવી વસ્તુ નથી જેને તમે પૈસા આપીને ખરીદી શકો. જો એવું હોય તો દરેક વ્યક્તિ સંગીકાર બની ગયો હોત. અમે એકવાર મજાકમાં આ વસ્તુ કોઈને કહી હતી. પરંતુ તેમાં સચ્ચાઈ નથી.

Categories
Gujarat

પાટણ ની ઓળખ છે સુખડીયા કાકા ના ગોટા ! પાટણ બાજુ જાવ તો એક વાર જરુર ટેસ્ટ કરજો આ જગ્યા પર આવેલી છે લારી..

મિત્રો વાત કરીએ તો ગુજરાત અને ગુજરાતના લોકોની વાતજ અલગ છે, ગુજરાતના મોટા ભાગના લોકો ખાવાપિવા, હરવા ફરવા તેમજ ખુબજ અલગ અલગ શોખ ધરાવે છે. તેમાં જો સૌથી વધુ શોખ હોઈ તો તે ખાવાપિવાનો ગુજરાતના બધાજ શહેરની એક અલગ ઓળખ છે તેમજ નવી નવી વાનગીઓથી પણ શહેર ખુબજ પ્રખ્યાત બની જતું હોઈ છે. વાત કરીએ તો પાટણના ફરાળી ગોટા પણ એટલા જ પ્રખ્યાત છે. નરમ છતાં તેલ ના પકડે અને આંબલીની ચટણી સાથે લોકો આંગળા ચાટી જાય એવા ગોટા બનાવે છે સુખડીયા હસમુખભાઈ. જેમના હાથના બનેલા ગોટા ખાવા દુર દુરથી લોકો આવે છે.

વાત કરીએ પાટણમાઁ આ ફરાળી ગોટાની લારી ત્રણ દરવાજા પાસે આવેલી છે જ્યાં છેલ્લા 15 વર્ષથી સુખડીયા હસમુખ ભાઈના ફરાળી ગોટા ખાવા માટે યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં શ્રાવણ માસ અને દર શનિવારે લાઈનો લગાવે છે. શ્રાવણ માસમાં દરરોજના 15થી 20 કિલો વેચાણ થાય છે અને મહિનામાં 600 કિલો વેચાણ થતું હોય છે. તેમજ ગોટા માટે ચોક્કસ તાપમાન પર તળવાની માસ્ટરી અહીંના કારીગરોને હોવાથી ફરાળી ગોટા આજે પાટણની ઓળખ જાળવી રાખી છે.

આમ હસમુખ ભાઈ સુખડીયાએ જણાવ્યું કે, જે દિવસે વરસાદ હોય ત્યારે વધુ ફરાળી ગોટાનું વેચાણ થાય છે. આ ફરાળી ગોટા 300 રૂપિયા કિલો ભાવે વેચાય છે. આ ફરાળી ગોટા ખાવા માટે દૂરદૂરથી લોકો માટે આવે છે. શ્રાવણ માસમાં ફરાળી ગોટા ખાવાની ભીડ હોય છે જેને લઈ મારા દીકરાઓ પણ મદદમાં આવે છે. આ ફરાળી ગોટા બનાવવા માટે રાજગારનો લોટ, સિગોડાનો લોટ, સીંગદાણા, તેલ, બટાકા,મીઠું અને મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમજ અહીં ગોટા ખાવા આવતાં બિપિન મોદી, જૈનિષ પટેલ અને વિશાલ પટેલે જણાવ્યું કે, આ સુખડીયા કાકાના હાથના ગોટાની ખાસિયત છે કે, આ ફરાળી ગોટા આંબલીની ચટણી, પાપૈયાનું કચુંબર અને મરચા સાથે આપવામાં આવે છે. આ ફરાળી ગોટા નરમ હોય છે પણ તેને ખાતી વખતે આંગળીઓમાં તેલ ચોંટતું નથી.

Categories
Gujarat

ફેવિકોલ કંપની આ ગુજરાતીની દેન છે ! સૌરાષ્ટ્ર નાના એવા ગામડા જન્મેલા બળવંતરાય પારેખે આવી રીતે ઉભી કરી કરોડો ની કંપની

આપણે ત્યાં અતુટ પ્રેમથી બનેલા સંબંધો તૂટી શકે છે પરંતુ ફેવિકોલ થી ચોંટેલ કોઈ વસ્તુઓ ક્યારે તૂટી નથી શકતી. એક ગમ બનાવનાર કંપની ફેવિકોલનું નામ આજે ભારતભરમાં લોકપ્રિય છે. આ કંપની સ્થાપક એક પટાવાળા તરીકે પોતાનું જીવન જીવ્યું હતું અને આજે અબજો રૂપિયાની કંપનીનાં તે માલિક છે. કહેવાય છે ને આજે ભારતમાં અને વિશ્વ ગુજરાતીઓ મોખરે છે. ધંધો કરવો ગુજરાતીનાં લોહીમાં છે અને ખરેખર  પારેખ સાહેબ કરી બતાવ્યું એ કામ આજે આપણે જાણીએ છે.

પારેખ સાહેબનું નામ ભારતના તે મોટા ઉદ્યોગકારોમાં સામેલ થાય છે, જેમણે તેમની મહેનતથી સફળતાનો ઇતિહાસ રચ્યો છે.અબજો રૂપિયાની કંપની બનાવનાર બળવંત પારેખનો જન્મ 1925માં ગુજરાતના મહુવા નામના ગામમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારના હતા. બળવંત રાયને એક વખત પટાવાળાની નોકરી કરી તે વખતે જર્મની જવાની તક મળી હતી. તે જ સમયે, તેમણે તેમના વ્યવસાયિક આઇડિયા પર કામ કરવાનું શરૂ કર્યું.

આ પછી તેણે પશ્ચિમના દેશોમાંથી કેટલીક ચીજોની આયાત કરવાનું શરૂ કર્યુ. આ રીતે, તેણે ધીરે ધીરે ધંધાને વેગ આપવાનું શરૂ કર્યુ. બીજી તરફ દેશ પણ સ્વતંત્ર બની ગયો હતો.પારેખનાં મનમાં ધંધો કરવાનું મન પહેલે થી હતો અને આજે આપણે જાણીએ છે કે એ સ્વપ્ન પૂર્ણ થયું. આજે ફેવિકોલની સ્થાપના કરવાનો વિચાર અનોખી રીતે આવ્યો.બળવંત પારેખ જ્યારે લાકડા વેપારી સાથે કામ કરતો હતો, ત્યારે તેણે જોયું કે સુથારને લાકડામાં જોડાવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

તે સમય દરમિયાન, લાકડામાં જોડાવા માટે ચરબીનો ઉપયોગ થતો હતો, જે કારીગરો માટે ખૂબ જ મુશ્કેલદાક હતો.હવે વેપારીઓને દેશી વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા. તેનો લાભ લઈને તેમણે 1959 માં ‘પીડિલાઇટ’ બ્રાન્ડનો પાયો નાખ્યો. આ સાથે, ફેવિકોલના રૂપમાં ઘન અને સુગંધિત ગમ દેશને આપવામાં આવ્યો હતો

Categories
Gujarat

ઉનાળામાં વેકેશનમાં ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, એવી મજા આવશે કે, વારંવાર જવાનું મન થશે…જુઓ ક્યાં આવેલા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમે ફરવા જવાનું વિચારી વિચારી રહ્યા છો તો તમારે ગુજરાતના સૌથી મોટા અને આનંદદાયક વોટરપાર્કની મુલાકાત અચુક પણે કરવી જોઈએ. આજે અમે આપને આ બ્લોગમાં જણાવ્યું હતું કે ગુજરાતના કયા કયા શહેરોમાં સૌથી આનંદદાયક અને વિશાળ વોટરપાર્ક આવેલ છે, ખરેખર જો તમે સમર વેકેશનને યાદગાર બનાવવા માંગો છો તો તમારે આ વોટરપાર્કની મુલાકાત કરવી જોઈએ.

જાણે છે કે ઉનાળામાં તો સૌ કોઈ લોકોને ઠંડક મળે તે જગ્યાએ વધારે ફરવા જવાનું પસંદ કરે છે ખાસ કરીને લોકો સ્વિમિંગ પૂલમાં અને વોટરપાર્કમાં સારો સમય વિતાઈ શકે છે અને આજે અમે આપને જે વોટરપાર્ક જણાવ્યું હતું તે વોટરપાર્કમાં તમે હરીફરી શકશો તેમ જ વોટર પાર્કમાં આવેલ અનેક રોમાંચક રાઇડની પણ સફર માણી શકશો સાથો – સાથ તમે સ્વીમીંગ પણ કરી શકશો

શંકુનો વોટર વર્લ્ડ રિસોર્ટ (અમદાવાદ-મહેસાણા હાઇવે): શંકુનું વોટર વર્લ્ડ રિસોર્ટ 75 એકરમાં ફેલાયેલા ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કમાંનું એક હોવાનું ગૌરવ ધરાવે છે. એડ્રેનાલિન-પમ્પિંગ વોટર સ્લાઇડ્સ, તાજગી આપતો વેવ પૂલ અને ઘણું બધું છે, તમારા માટે ખૂબ જ યાદગાર રહેશે.

2. સ્પ્લેશ ધ ફન વર્લ્ડ (અમદાવાદ)
જો તમે અમદાવાદમાં સ્પ્લેશ ધ ફન વર્લ્ડ તમારો જવાબ છે! આ વાઇબ્રન્ટ વોટર પાર્ક વિવિધ પ્રકારની વોટર સ્લાઇડ્સ, તમને ઠંડક રાખવા માટે વેવ પૂલ, અને રેઇન ડાન્સ ફ્લોરની પણ ખાસ સુવિધા છે, ખરેખર જો તમે તમારા વેકેશનને વધુ યાદગાર બનાવવા માંગો છો તો ફન વર્લ્ડની મુલાકાત અચૂકથી લેજો.

3. અમેઝિયા વોટર પાર્ક (સુરત)
સુરતમાં રહેતા લોકો માટે, અમેઝિયા વોટર પાર્ક ખૂબ જ સારું અને આનંદદાયક પાર્ક છે. આકર્ષક વોટર સ્લાઇડ્સ ગે મિંગ ઝોનમાં અવનવી એક્ટિવીટીઝનો આનંદ માણી શકશો તેમજ ફૂડ કોર્ટમાં પણ અવનવી વાનગીઓનો સ્વાદ માણી શકશો.

Categories
bollywood

મિથુન ચક્રવર્તીની પુત્રી કૅટરીના કૈફથી પણ છે વધારે સુંદર, કરે છે આ કામ જુઓ વાઇરલ તસવીરો….

બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીને કોઈ ઓળખની જરૂર નથી. આ અભિનેતાએ તેના અભિનય અને નૃત્ય કૌશલ્યથી ફિલ્મ ઉદ્યોગ પર દાયકાઓ સુધી રાજ કર્યું છે અને હજુ પણ અભિનય અને દર્શકોનું મનોરંજન કરવામાં સક્રિય છે. મિથુન એક એવો એક્ટર છે જે પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે.

મિથુનનો દીકરો મિમોહ અને તેની પત્ની મોનાલિસા પણ એક્ટિંગમાં સક્રિય છે, તેઓ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા છે, પરંતુ મિથુનની દીકરી દિશાની વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

દિશાનીએ હજી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત નથી કરી, પરંતુ તે સુંદરતામાં ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. આ દિવસોમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોઝમાં તેનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ સ્ટાઈલ ફેન્સના દિલના ધબકારા વધારવા માટે પૂરતો છે. તેનો ફોટો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે અને સતત સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.

દિશાના ફોટા પર, એક યુઝરે તેના વખાણ કર્યા અને લખ્યું, “વાહ શું શૈલી છે, તમે ચોક્કસપણે દરેકને સ્પર્ધા આપશો.” આ સિવાય અન્ય એક ફેને કોમેન્ટ કરીને લખ્યું કે, ‘તું તારા પિતાની જેમ મોટો સુપરસ્ટાર બનીશ.’

દિશાનીના કરિયરની વાત કરીએ તો તે કેલિફોર્નિયાના લોસ એન્જલસથી એક્ટિંગનો અભ્યાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અભિનેત્રી ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરતી જોવા મળી શકે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની લેટેસ્ટ પોસ્ટ્સને કારણે દરેકનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. જેના કારણે તે ખૂબ જ નાની ઉંમરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ બની ગયો છે.

Categories
Gujarat

ખુબ જ સુંદર છે રાજકોટ મા આવેલો આ પેલેસ! અંદર ની તસવીર જોઈ દીલ ખુશ થઇ જશે ! જાણો કયા…

રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હ્દય છે. એમા પણ આઝાદી પહેલા સૌરાષ્ટ્રની રાજધાની હતી. ખરેખર આજના સમયમાં પણ એ રાજાશાહીની વિરાસત અંકબંધ રાખી છે.ચાલો અમે આપને રાજકોટમાં આવેક રાજવી વિરાસતની હવેલી વિશે માહિતગાર કરીએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા અને તેમના બહેન અંબાલિકા દેવી વચ્ચે મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બંને વચ્ચે 1500 કરોડ રૂપિયાની મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

આ 1500 કરોડની મિલકતમાં 500 કરોડના રણજીત વિલાસ પેલેસ, 52.80 કરોડના જુના દરબાર ગઢ, 49.60 કરોડના રાજશ્રુંગી બિલ્ડીંગ, 200 કરોડના ગુરુવરદ 1, 3.23 કરોડના સરધાર દરબાદ ગઢ અને સુરાપુરા મંદિર, 36.42 કરોડની પીંજરાવાડી, 210 કરોડનું રાંદરડા લેક ફાર્મ,11.98 કરોડની દરડા લેક ફાર્મને લાગુ જમીન, 873 કરોડની માધાપર વાડી, 2.18 કરોડની કુવાડવા રોડ પરની જમીન અને 1.63 કરોડની સરધાર દરબારગઢને લાગુ જમીનનો સમાવેશ થાય છે.

આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે, ધનવાનોને સંતાનો નહીં પણ વારસદાર હોય છે. આ વાત સત્ય પણ છે. આજના સમયમાં એવા ઘણા રાજવી પરિવાર છે જેમનાં વચ્ચેના પોતાની મિલકતોને લઈને વિવાદ ચાલે છે. ત્યારેરાજકોટ રાજા રજવાડા વખતે પણ રાજ્યનો દરજ્જો ધરાવતું હતું. રાજકોટની મૂળ ગાદિ સરધાર હતી. ત્યારબાદ આ ગાદિ રાજકોટમાં સ્થાપવામાં આવી હતી.

રાજકોટના પેલેસ રોડ તરીકે જાનીમાં રસ્તા પર આશાપુરા માતાજીના મંદિરની સામે રણજીત વિલાસનું નિર્માણ કરવામાં આવ્યું. રણજીત વિલાસ ખૂબ જ ભવ્ય છે.રાજવી પરિવાર દ્વારા આ પેલેસમાં વિન્ટેજ કારનો કાફલો પણ રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ ચાંદીની બાગી પણ રાખવામાં આવી છે. રાજકોટનું રણજીત વિલાસ ખૂબ જ મનમોહક છે. તેમાં રાખવામાં આવેલા સોફા અને ખુરશીઓ પણ ખૂબ જ આરામ દાયક છે.