Categories
Viral video

રંગીલા રાજકોટવાસીએ જમાવટ બોલાવી દીધી! પ્લેનની અંદર કર્યો લોક ડાયરો, વિડીયો જોઇને તમે કહેસો કે અસલ કાઠીયાવાડી

સોશિયલ મીડિયામાં કોઈપણ ઘટના વાયરલ થતા માત્ર થોડો જ સમય લાગે છે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ વિડીયો આપણને સૌને એ શીખ આપે છે કે કાઠીયાવાડી એ દેશના કોઈ પણ ખૂણે જઈને પોતાની અમિછાપ છોડી શકે છે. આ વિડીયો પત્રકાર જીગ્નેશ ભટ્ટના instagram પર અપલોડ કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે કાઠીયાવાડી હોય એ પ્લેનમાં આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાનું માન વધાર્યું.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વખાણ પણ કરી રહ્યા છે કારણ કે સૌ ક કાઠીયાવાડીઓએ એવું કરી બતાવ્યું જે બીજું કોઈ પણ ના કરી શકે છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત બસ એવી જ રીતે એક કાઠીયાવાડી જ્યાં જ્યાં જાય ત્યાં આખું સૌરાષ્ટ્ર એ ધરા પર ઉતરી આવે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે રાજકોટ થી લોકો પ્લેન મારફતે ગોવા જઈ રહ્યા છે આ દરમિયાન સૌ મુસાફરો એ પ્લેનમાં ડાયરાની રમઝટ બોલાવી હતી આ વીડિયોમાં તમે જોઈ શકશો કે સૌ કોઈ લોકો દુહાની રમઝટ માણી રહ્યા છે ખરેખર આ વીડિયો જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતીઓ જ્યાં પણ જાય છે ત્યાં હંમેશા પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખે છે.

આ વિડીયો પણ આપણે લોક સંસ્કૃતિ અને લોકસાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડે છે ખરેખર અત્યાર સુધી આપણે બસ રીક્ષા કે ટ્રેનમાં આવી રીતે લોક ડાયરાની રમઝટ માણી હશે પરંતુ આ પહેલીવાર એવું છે કે ઉંચે ગગનમાં ઉડતા પ્લેનની અંદર લોકો ડાયરાની રમઝટ બોલાવી હોય ખરેખર આ વીડિયો જોઈને તમે પણ લોક ડાયરાની રમઝટમાં મંત્રમુગ્ધ થઈ જશો

Categories
Gujarat

લોકપ્રિય સિંગર ગીતાબેન રબારી અયોધ્યા બાદ આ દેશના પ્રવાસે જઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં શેર કરી આ ખાસ તસવીરો

ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી અયોધ્યાની યાત્રા બાદ પેરિસના પ્રવાસે જઈ રહ્યા છે. ગીતાબેનના ઓફિશિયલ એકાઉન્ટ પરથી જાણવા મળ્યું છે કે, પેરિસ ખાતે ભવ્ય ગરબાનું આયોજન થઇ રહ્યું છે, જેમાં ગીતાબેન રબારી પોતાની ટિમ સાથે સૌ કોઈને ગુજરાતી ગરબાના સુરે ઝુમાવશે. આ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી જાણીએ.

સૌથી ખાસ વાત એ છે કે, પેરિસમાં રહેતા ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે સારા સમાચાર છે! ભારતીય દૂતાવાસ, પેરિસ દ્વારા ” એક શામ ગરબા કે નામ ” નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગુજરાતના લોકપ્રિય નૃત્ય ગરબાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર ગરબાના સન્માનમાં જ નહીં પણ પેરિસમાં ભારતીય સંસ્કૃતિની ઉજવણી કરવાની પણ એક શ્રેષ્ઠ તક છે!

કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિ રહેશે. તેમજ ગરબા ક્વીન ગીતાબેન રબારી અને તેમની ટીમ તેમના અદભૂત પરફોર્મન્સથી સાંજે આકર્ષણ જમાવશે. દરૅક ગુજરાતીઓ આ ભવ્ય ગરબામાં ભાગ લઇને સાંસ્કૃતિક અને પરંપરાનું ગૌરવ વધારશે.

સૌથી ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં આયોજકો વતી આપને પરંપરાગત પોશાક પહેરીને આ કાર્યક્રમમાં પધારવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. ગરબા અને દાંડિયાની ધૂન પર નૃત્ય કરીને પેરિસમાં ભારતની સુગંધ ફેલાવવાની આ એક શ્રેષ્ઠ તક છે! સૌથી ખાસ વાત એ છે કે ગીતાબેન રબારી હાલમાં જ પેરિસ જવાની ખુશ ખબર પોતાના ચાહકોને અપાતા સૌ કોઈ આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Categories
Viral video

પૌત્રએ દાદીને પૂછ્યો એવો સવાલ કે દાદીનો જવાબ સાંભળી તમે પણ હસી હસી ને લોટ પોટ થઈ જશો…જુઓ વિડીયો

દાદા દાદી તેમના પૌત્રો સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. તેઓ એકબીજાને મળીને અને એકબીજાની કંપનીમાં ખૂબ આનંદ અનુભવે છે. કેટલાક પરિવારોમાં, આ બંધન માતાપિતા-બાળકના સંબંધો કરતાં પણ વધુ મજબૂત હોય છે. દાદા-દાદીનો તેમના બાળકો પ્રત્યેનો પ્રેમ અને લાગણી ખરેખર અજોડ છે.તે જ સમયે, દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓ સાથે સંબંધિત વિડિઓઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાંથી કેટલાક તેમને જોયા પછી લોકો ભાવુક થઈ જાય છે. સાથે જ કેટલાક એવા વીડિયો પણ છે જે દિલને સ્પર્શી જાય છે.આ દરમિયાન સોશિયલ મીડિયા પર દાદી-પૌત્રની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ભલે જૂનો છે પરંતુ આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાદી-પૌત્રની વાતચીતના વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે એક યુવક તેની દાદીને તેના દાદાને કિસ કરવાનું કહે છે તો દાદી એવી રીતે શરમાવા લાગે છે કે જોનાર જોતા જ રહી જાય. તેણીએ “અરે બાપ રે…” એવી રીતે જવાબ આપ્યો કે તમે પણ દાદાના ચાહક બની જશો. આ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે બંને ભોજપુરીમાં વાત કરતા જોવા મળી રહ્યા છે. આ જ કારણે તેની સ્ટાઈલ પણ ઈન્ટરનેટ પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જો તમે આ વીડિયો જોશો તો ચોક્કસ તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક તેની દાદીને કહે છે કે એક વાત પૂછો દાદી? આ પછી યુવકની દાદી કહે છે કે દીકરાને પૂછ. પછી પૌત્ર પૂછે છે, “દાદીમાના લગ્નને કેટલા વર્ષ થયા છે?” દાદીમા જવાબ આપે છે કે “મારી ઉંમર 75 વર્ષની છે, જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયાં.” આ પછી, પૌત્ર કહે છે કે તેણે ક્યારેય દાદાને ચુંબન કર્યું છે, જે પછી દાદી એવી રીતે “અરે બાપ રે…” કહીને શરમાવે છે કે વીડિયોએ ઈન્ટરનેટ લોકોના દિલ જીતી લીધા છે. દાદી અને પૌત્ર વચ્ચે શું વાતચીત થાય છે તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો જોયા બાદ લોકો ઉગ્રતાથી પોતપોતાની પ્રતિક્રિયા આમાં આવ્યો હતો. વીડિયો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, દાદી સાથે અજીબ વાતચીત. આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, આ વીડિયોને 2 લાખ 80 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને સેંકડો કોમેન્ટ્સ પણ આવી છે.કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવા છે જે આ વીડિયોને ક્યૂટ કહી રહ્યા પી રહ્યા છે.આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તરુણ_દાસિલ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો થોડા દિવસ પહેલા શેર કરવાછે જ્યારે કેટલાકે લખ્યું છે કે બિહારમાં અમારી દાદીમાઓ સૌથી વધુ શરમાળ છે. સાથે જ એક યુઝરે લખ્યું છે કે આ બિહારી સ્ટાઈલ આપણું દિલ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tarun K Dasil (@tarun_dasil)

Categories
Gujarat

એન્ટિલિયાની અંદરનો નજારો સ્વર્ગથી પણ વધુ સુંદર, દુનિયાની તમામ સુવિધાઓથી સજ્જ અને સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરની ન જોયેલી તસવીરો….

દેશનો સૌથી ધનિક પરિવાર, અંબાણી પરિવાર હંમેશા એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. અંબાણી પરિવાર હંમેશા મીડિયાની લાઇમલાઇટમાં રહે છે. મુકેશ અંબાણીથી લઈને તેમની પત્ની નીતા અંબાણી અને બંને પુત્રો અનંત અંબાણી અને આકાશ અંબાણી, દરેક વ્યક્તિ હંમેશા સમાચારનો ભાગ બને છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે મુકેશ અંબાણી આ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ દેશના અનેક વ્યવસાયોમાં ફેલાયેલા છે. દેશની દરેક નાની-મોટી બાબતોમાં મુકેશ અંબાણી કોઈને કોઈ રીતે સામેલ છે. આ સાથે તેમની પત્ની નીતા અંબાણી તેમની સુંદરતા અને ફિટનેસ માટે જ નહીં પરંતુ તેમના મેનેજમેન્ટ માટે પણ આખા દેશમાં જાણીતા છે.

નીતા અંબાણીની જીવનશૈલી વિશે વાત કરીએ તો, નીતા અંબાણીની સવારની શરૂઆત 3 લાખના કપમાંથી ચા પીવાથી થાય છે. નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ખૂબ જ કડક ડાયટ ફોલો કરે છે. નીતા અંબાણી પોતાની ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું સંચાલન સંભાળે છે. દરેક વ્યક્તિ તેના સંચાલનથી વાકેફ છે. એક જ અંબાણી પરિવારની વાત કરીએ તો આખો અંબાણી પરિવાર મુંબઈમાં તેમના એન્ટિલિયા હાઉસમાં રહે છે. એન્ટિલિયા ખૂબ જ વૈભવી અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે.

મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા તમને દેશના સૌથી વૈભવી ઘરોમાંથી એક જણાવશે. એન્ટિલિયામાં ત્રણ રુફટોપ હેલિપેડ અને 6 માળની કાર પાર્કિંગ છે જે એક સમયે 168 કાર પાર્ક કરી શકે છે. આ ઉપરાંત, એન્ટિલિયામાં 50 સીટનું મૂવી થિયેટર છે. એકવાર તમે અંદરથી ઇન્ટેલિયાને જોશો, તમારું મન ઉડી જશે. જો કે તમે એન્ટિલિયાની અંદર પ્રવેશ કરી શકશો નહીં. એટલા માટે અમે તમારા માટે એન્ટિલિયાની કેટલીક આકર્ષક તસવીરો લાવ્યા છીએ. જેને જોઈને તમારું મન ચોક્કસપણે વિચારવા મજબૂર થઈ જશે કે આટલું મોટું આલીશાન ઘર કેટલું બન્યું હશે.

આ ઘરમાં 50 સીટનું મૂવી થિયેટર, ત્રણ માળના હેંગિંગ ગાર્ડન, નવ લિફ્ટ, એક સ્વિમિંગ પૂલ, યોગ સ્ટુડિયો, ફિટનેસ સેન્ટર, બૉલરૂમ, સ્પા, વેલનેસ સેન્ટર, મંદિર, સ્નો રૂમ અને 600નો સમાવેશ થાય છે. કર્મચારીઓ જેઓ ઘરમાં રહે છે તેમના માટે આવાસ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના આ ડ્રીમ પેલેસ હાઉસને એવી રીતે બનાવવામાં આવ્યું છે અને ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ભવ્ય માળખું રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકે. મુકેશ અંબાણીએ 2002માં એક મુસ્લિમ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી 4.4 મિલિયન યુએસ ડોલરમાં એન્ટિલિયા બનાવવા માટે પ્લોટ ખરીદ્યો હતો.

મુકેશ અંબાણી વિશે વાત કરીએ તો, તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જે ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની છે અને બજાર મૂલ્ય દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. ફોર્બ્સ અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ફેબ્રુઆરી 2023 સુધીમાં અંબાણીની કુલ સંપત્તિ $83.6 બિલિયન હોવાનો અંદાજ છે, જે તેમને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે.

Categories
Gujarat

આ ગામ છે ગુજરાત નુ પાવરફુલ ગામ ! ઘરેઘરે આર્મી મેન અને માતા સુરજ દેવી કરે છે યુવાનો ની રક્ષા..જાણો કયા…

આપણે જાણીએ છે કે, આજે ભારતના દરેક યુવાનો દેશની રક્ષા માટે આર્મીમાં તૈનાત છે, આજે અમે આપને એકન એવા ગામ વિશે વાત કરીશું કે, જ્યાં ઘરે ઘરેથી બેક દીકરો આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે. આ ગામમાં સુરજ દેવીની અસીમ કૃપા છે. આ ગામના લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતા પહેલા જરૂર આ સુરજદેવી ના દર્શન કરીને જાય છે, જેથી સરહદ પર માતા તેમની રક્ષા કરે.

09 00 11 WhatsApp Image 2022 11 05 at 10.58.56 AM

આ ગામ વિશે જાણીએ તો બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર તાલુકાનું મોટા ગામ આ ગામમાં લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં માં ભારતની રક્ષા માટે 300 જેટલા આર્મીના જવાનો અને પોલીસ જવાનો આપ્યા છે.બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

09 00 13 WhatsApp Image 2022 11 05 at 10.58.55 AM 1

આ ગામમાં શહીદ બહાદુર સિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે જ્યાં ગરીબ લોકો પોતાનું ભણતર પૂરું કરી અને ભારત દેશની રક્ષા કરવા માટે તૈયાર થાય છે. આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ છે તે અંગે મનમાં મુંઝવણ જરૂર થાય. વર્ષ 1976ના વર્ષમાં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાયા હતા. અને બસ ત્યારબાદ આ ગામના લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવવા માંડ્યા હતા.

09 00 17 WhatsApp Image 2022 11 05 at 10.58.53 AM 1

ભૂપતસિંહ રાજપુત1990 માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્ધ માં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશ્મનો પર થ્રિ પીપલથી યુદ્ધમાં વિજેતા મેળવી હતી. જેમાં સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ છે.

09 00 02 WhatsApp Image 2022 11 05 at 10.58.56 AM 1

ગામના યુવકોની આ દેશદાઝથી પ્રભાવિત થયેલા ગામના આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃતિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી.

09 00 08 WhatsApp Image 2022 11 05 at 10.58.53 AM

અત્યાર સુધી આ ગામના ત્રણ યુવાનો માભોમની રક્ષા કરતા શહીદ થયા છે.આ ગામના ત્રણ યુવાનો શહીદ થયા છતાં પણ આ ગામના યુવાનોમાં એક દેશ પ્રત્યે એવું ઝનુન છે. આ ગામમાં શહીદ બહાદુર સિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે. મોટા ગામમાં માતા સુરજ દેવીનું ગામની વચોવચ વર્ષો જૂનું મંદિર આવેલુ છે. આ ગામના જે પણ જવાન દેશની રક્ષા કરવા માટે જવાનું વિચાર કરે છે.ત્યારે પહેલા આ માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ત્યાર બાદ જ સરહદ પર જવા માટે રવાના થાય છે.

Categories
India

પંચમહાલમાં પોપટે પોતાની મિત્રતા અંતિમયાત્રા સુધી નિભાવી !! પોપટને ઉડાડવાનો પ્રયાસ કર્યો તો પણ પોપટ ટ્સથી મસ ન થયો..જાણો પુરી વાત

મિત્રતા એક એવો સબંધ છે જે એક વખત કોઈ સાથે સારી રીતે બંધાય જાય તે બાદ તે સબંધ છૂટતી નથી, એવામાં હાલના સમયમાં અનેક એવા મિત્રતાના કિસ્સાઓ સામે આવતા જ હોય છે જેમાં કોઈ મિત્ર પોતાના મિત્ર માટે જીવની બાજી લાગાવી દેતો હોય છે તો અમુક વખત કોઈ મિત્ર પોતાના મિત્રની અનોખી રીતે મદદ કરતો હોય છે. પ્રાણી-પશુ તથા પક્ષીઓની પણ મનુષ્યો સાથે મિત્રતાના કિસ્સાઓ હાલ સામે આવી જ રહયા છે.

આજના આ લેખના માધ્યમથી પક્ષી તથા મનુષ્યની મિત્રતાનો સુંદર કિસ્સા વિષે જણાવાના છીએ જેના વિષે જાણ્યા બાદ તમે પણ વખાણ કરી કરીને થાકી જશો. આ કિસ્સો પંચમહાલ જિલ્લા માંથી સામે આવ્યો છે જેમાં અબોલ પોપટે પોતાના માનવ સાથેના સબંધ મરણ સુધી સાચવી રાખ્યા હતા ખરેખર આ વાત એ કેહવતને પરુવારઃ પાડે છે કે મિત્રો મુષ્યો કરતા પ્રાણીઓ તથા પક્ષીઓ વધુ વફાદાર હોય છે, હાલ આ અંગેના વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર ચારેયકોર ખુબ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો પંચમહાલ જિલ્લાના ધનેશ્વરના મુવાડી ગામ માંથી સામે આવ્યો છે જ્યા નરેશ પરમાર નામક યુવક મૃત્યુને પામતા તેની શોકમય રીતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં તેનો પાલતુ પોપટે જોડાઈને પણ પોતાની વફાદારીને અદા કરી હતી લોકો તો ત્યાં સુધી કહી રહયા છે કે માલિકને ગુમાવતા પોપટની આંખો પણ નમ થઇ ચુકી હતી અને તે અંતિમયાત્રાની છેલ્લે સુધીની વિધિમાં જોડાયો હતો.

માલિક મૃતક નરેશભાઈએ સાવ કુમળી વયે જ જીવ ગુમાવ્યો તેમ કહી શકાય કારણ કે zeenews.india ના લેખ દ્વારા જાણવા મળ્યું છે કે નરેશભાઈ પરમાર ફક્ત 17 વર્ષના હતા ત્યાં જ આકસ્મિક રીતે તેઓનું મૃત્યુ થયું હતું, આગળ એમ પણ જાણવા મળ્યું છે કે નરેશભાઈ પોતાના પિતા સાથે મંદિર બહાર પક્ષીઓને ખોરાક નાખવા જતો જેમાં આ પોપટ સાથે તેમનો ખુબ સારો એવો સબંધ બંધાયો હતો, એવામાં નરેશભાઈનું મૃત્યુ થતા પોપટ ઉદાસ થયો અને તેઓની અંતિમયાત્રામાં પણ જોડાયો હતો.

Categories
Viral video

ભગવાન આવા મિત્રો કૉઈ ને ના દે ! લગ્ન ના રિસેપ્શન મા એવી મજાક કરી છે વરરાજો જીવન મા ક્યારે નહી ભુલે…

સોશિયલ મીડિયામાં હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે ભગવાન આવા મિત્રો કૉઈ ને ના દે ! લગ્ન ના રિસેપ્શન દરમિયાન મિત્રોએ એવી મજાક કરી કે વરરાજો જીવન મા ક્યારે નહી ભુલે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે મિત્રોએ સાથે મળીને શું કર્યું. તમે સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના વિડીયો જોયા હશે જેમાં ભાઈબંધના લગ્ન દરમિયાન અનેક પ્રકારના પ્રાનક કરતા હોય છે.

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર રાજ ફોટોગ્રાફી નામના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકો છો કે સ્ટેજ પર વરરાજો ડ્રિન્ક પી રહ્યો છે, ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. ખરેખર આ વીડિયો એટલો રમુજી છે કે સૌ કોઈને પોતાના મિત્રો યાદ આવી જશે. આ વીડિયો જોઈને તમે પણ વિચારશો કે મારે પણ મારા મિત્રો સાથે આવવું જ કરવું છે કે મારા મિત્રો નક્કી આવો જ કોઈ કાંડ કરશે.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે રિસેપશન દરમિયાન વરરાજાના મિત્રો સોફ્ટ ડ્રિન્કમાં વાઈન મિસક કરીને પોતાના મિત્રને આપી દે છે. જ્યારે સ્ટેજ પર તે ડ્રિન્ક પીવે છે, ત્યારે તેને ખબર પડી જાય છે કે મારા મિત્રોએ ડ્રિન્કના બદલે વાઈન આપી છે.ખરેખર આ વીડિયો જોઈને તમે હસવું નહિ રોકી શકો કારણ કે આ વીડિયો તમને ભાઈબંધ સાથે કરેલ મહેફિલની યાદ અપાવશે. આ વીડિયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.

આવા તો અનેક પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં તમે જોયા હશે કે ભાઈબંધો લગ્ન દરમિયાન અવનવા ખેલ કરીને મિત્રની મજાક ઉડાવે છે. આમ પણ જીવનમાં ભાઈબંધ હોવા જરૂરી છે અને ભાઈબંધ જો મજાક ના કરે તો એ ભાઈબંધ ન કહેવાય. આ વીડિયોમાં જે વરરાજા સાથે ઘટના બની છે તે તો જીવનના અંત સુધી ક્યારેય નહિ ભૂલી શકે. આ વીડિયો જોઈને તમને પણ તમારા ભાઈબંધો અચૂકપણે યાદ આવી ગયા હશે એ વાત તો નક્કી છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Kumar∆ (@kanumooriravi)

Categories
India

પરિવાર હોય તો આવો !! આ પરિવારની છ પેઢી રહે છે એક જ છત નીચે, કુલ 185 સદસ્ય ! રોજ 13 ચૂલા સળગે છે તો મહીનાનનું રાશન 12 લાખ….

કળયુગ એ ચરણ સીમાએ પોહચી ગયું છે કે હાલ તો દીકરાઓ પોતાના માતા-પિતાઓને ઘરડા ઘર અથવા તો વૃદ્ધાઆશ્રમમાં રહેવા માટે મજબુર કરી રહ્યા છે એમાં આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ જ સુંદર પરિવાર વિષે જણાવાના છીએ જેના પરિવારના કુલ 185 સદસ્યો એક જ સાથે એક જ ઘરની છત પર રહે છે. ઘરમાં કોઈ અંદરો અંદર વિવાદ થાય તો તેને પણ બેઠીને સુલજાવી લેવામાં આવે છે તો રોજ કેટલાય કિલોનું શાક તથા જમવાનું બને છે તો ચાલો તમને આ પરિવાર વિશે જણાવીએ.

IMG 20240131 WA0014

આ ખાસ પરિવાર રાજસ્થાનના અજમેરના રામસર ગામની અંદર વસવાટ કરે છે અને આ પરિવારનું નામ “બાગડી માલી પરિવાર” નામથી હાલ આખા ગામમાં ઓળખાય છે. આ પરિવાર સંયુક્ત કુટુંબ પ્રથા તેમન જ સંયુક્ત એકતાનું ખુબ સારું એવું ઉદાહરણ આપે છે. આ પરિવારના મુખ્યા એટલે કે પરિવારના કરતા માળી હતા જેમને છદીકરાહતાતેમનુંનામમોહનલાલ,ભવરલાલ,છગનલાલ,છોટુલાલ,બિરદીચંદ તથા રામચંદ્ર એમ છ દીકરા છે.

IMG 20240131 WA0015

આ છ દીકરાઓ માંથી બે દીકરા ભંવરલાલ તથા રામચંદ્રનું તો મૃત્યુ થઇ ગયું છે, આ પરિવારની અંદર કુલ 65 પુરુષો,60 મહિલાઓ તથા 60 બાળકો એક સાથે રહે છે અને એટલું જ નહીં કુલ છ પેઢી એક જ છતની નીચે વસવાટ કરી રહી છે. આ પરિવારના બુઝુર્ગ એવા બિરદીચંદએ જણાવ્યું હતું કે તેમના પિતા સુલ્તાને હમેશા પરિવાર સાથે એકજુટ રહેવા માટે જણાવ્યું છે અને એકજુટ જ રાખ્યા છે આથી જ છેલ્લી છ પેઢી એક જ છત નીચે રહેતી આવી છે.

IMG 20240131 134920

તમામ સદસ્યો વચ્ચે ખુબ પ્રેમ તથા લાગણી પણ છે ક્યારેક થોડો વિવાદ થાય તો પણ તેને સુલજાવી લેવામાં આવે છે, પરિવારના કર્તાએ જણાવ્યું કે જયારે તેમના પિતા જીવતા હતા ત્યારે તેમનો મોટો ભાઈ શેઠને ત્યાં નોકરી કરતો હતો અને ત્યારે ફક્ત 4 વીઘા જમીન હતી પરંતુ હાલ પરિવારના તમામ સદસ્યોની મહેનતથી આ જમીન વધીને 600 વીઘા જેટલી થઇ ચુકી છે, જેમાં શાકભાજી જેવી ખેતી કરીને પરિવારના ખર્ચનો ભાર ઉઠાવામાં આવે છે.

એટલું જ નહીં અમુક સદસ્યો નોકરી કરે છે, અમુક પશુપાલન તો અમુક બિલ્ડીંગ મટિરીયલની દુકાન તો અમુક ધંધો તથા ખેતીવાડી કરીને આ પરિવારનો ખર્ચ ઉઠાવામાં આવે છે. અંદાજિત આ પરિવાર દ્વારા રેશન પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તથા રોજ સવારે પાંચ વાગે મહિલાઓ 13 ચૂલા જગાવીને તમામ સદસ્યો માટે જમવાનું બનાવા લાગે છે.

આ પરિવારમાં રોજ સવારે 25 કિલો શાક તથા 40 કિલો લોટની રોટલી બનવામાં આવે છે જયારે રાત્રે 25 કિલો શાક તથા 25 કિલો લોટની રોટલી બનાવામાં આવે છે. આ કામ આસાનીથી થઇ શકે તે માટે થઈને ઘરની તમામ મહિલાઓએ એકબીજા વચ્ચે તમામ કામને વહેંચી લીધા છે જેથી તમામ કાર્ય સરળતાથી થઇ જાય છે. આજે પણ આ આખો પરિવાર એક સાથે બેઠીને જ જમે છે, ખરેખર આ પરિવાર સંયુક્ત કુટુંબ પ્રથા જાળવી રાખી છે.

Categories
Gujarat

ઘર ઘરમાં જાણીતું વાડીલાલ આઈસ્ક્રીમની કંપની શરૂ કરનાર છે આ ગુજરાતી! એક સોડાની દુકાનમાંથી આ રીતે બનાવી અબજોની કંપની…

વાડીલાલ એ નામ આજે ભારતમાં કોઈને પણ નવું નથી. ૧૯૦૭માં શરૂ થયેલી આ ગુજરાતી કંપની આજે દેશની સૌથી મોટી અને સૌથી જૂની આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી, વાડીલાલનું જાદુ લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે.

આ બ્રાન્ડની કહાની કંપનીના સ્થાપક વાડીલાલ ગાંધી સાથે શરૂ થાય છે. હાથથી ચાલતી સ્વદેશી આઈસ્ક્રીમ મશીનથી શરૂ થયેલી આ કંપની આજે ૨૦૦થી પણ વધુ ફ્લેવરમાં આઈસ્ક્રીમ વેચે છે. ૪૯ દેશોમાં ફેલાયેલો આ બિઝનેસ ૧૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનો માર્કેટ કેપ ધરાવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે બન્યો આ બ્રાન્ડ આટલો મોટો…

મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા વાડીલાલ ગાંધીએ ૧૯૦૭માં ગુજરાતના અમદાવાદમાં એક નાની સોડા શોપ ખોલી હતી. આ દુકાનની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધવા લાગી. તેમણે ‘કોઠી’ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોડા વેચવા અને આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી. તે સમયે હાથથી ચાલતી મશીનનો ઉપયોગ કરીને બરફને મીઠું અને દૂધ સાથે ભેળવીને આઈસ્ક્રીમ બનાવવામાં આવતી હતી. વાડીલાલ થર્મોકોલના કન્ટેનરોમાં આઈસ્ક્રીમને બરફની સિલ્લીઓ વચ્ચે રાખીને હોમ ડિલિવરી પણ કરતા હતા.

વાડીલાલની આઈસ્ક્રીમ એટલી સ્વાદિષ્ટ હતી કે ઓછા સમયમાં જ તેની ખૂબ માંગ થવા લાગી. આ રીતે ઓછા સમયમાં જ તેમનો બિઝનેસ ખૂબ સફળ થઈ ગયો. આઈસ્ક્રીમ બનાવવાનો બિઝનેસ વાડીલાલ ગાંધીએ પોતાના પુત્ર રણછોડલાલ ગાંધીને સોંપ્યો.

રણછોડલાલ ગાંધીએ પોતાના પરિવારના બિઝનેસને આગળ ધપાવ્યો અને ૧૯૨૬માં જર્મનીથી આઈસ્ક્રીમ બનાવવાની એક મશીન મંગાવી. તે જ વર્ષે તેમણે દેશમાં પહેલું આઈસ્ક્રીમ આઉટલેટ ખોલ્યું. ૧૯૫૦માં, રણછોડલાલે કસાટા આઈસ્ક્રીમ લોન્ચ કરી જે ખૂબ જ લોકપ્રિય બની. આ સાથે જ વાડીલાલની બ્રાન્ડ મેકિંગની પણ શરૂઆત થઈ.૧૯૭૦માં, વાડીલાલે વિશાળ રેન્જ ઓફ આઈસ્ક્રીમ પાર્લર ખોલવાનું શરૂ કર્યું જે ગુજરાત અને ભારતના અન્ય ભાગોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા.

આજે, વાડીલાલ ભારતની સૌથી મોટી આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. તે ૨૦૦થી પણ વધુ ફ્લેવરમાં આઈસ્ક્રીમ વેચે છે અને ૪૯ દેશોમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. કંપનીનું ટર્નઓવર ૧૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને તેનો માર્કેટ કેપ ૧૭૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

Categories
Viral video

ઉંમર ભલે વધારે પણ જોશ જુવાની જેવો જ!! આ દાદાએ તો માઇકલ જેક્સનને ડાન્સમાં પાછા પાડ્યા હો બાકી… જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એ ખૂબ જ રમૂજી વિડીયો આવ્યો છે આ વિડીયો જોઈને યુવાનોને પણ શરમ આવશે કે આ ઉંમરે દાદા જો સારી રીતે ડાન્સ કરી રહ્યા હોય તો અમારા આના માટે આશ્ચયની વાત છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે અને સૌ કોઈ દાદાના વખાણ પણ કરી રહ્યા છે જો આ દાદા ડાન્સ ઇન્ડિયા ડાન્સ માં ઓડિશન આપવા જાય તોખરેખર આ દાદા નું સિલેક્શન થઈ જ જાય.

શોખની પુરા કરવાની કોઈ ઉંમર નથી હોતી! જીવનમાં નાકોઈપણ ઉંમરે તમે તમારા શોખ ને પૂરા કરી શકો છો. ડાન્સ કરતા જોઈને તમને એ તો ચોક્કસ સમજાય જશે કે આ દાદાને જુવાનીમાં ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હશે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની અંદર તેમણે આ દાદા નો વિડીયો ઉતાર્યો છે. પીવાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.

આ વિડીયોના કેપ્શન માં લખ્યું છે કે, મેડ માય ડે એટલે કે આ દાદા એ મારો દિવસ ખાસ બનાવી દીધો અને ખરેખર આ દાદા ને જોઈને તમારું મન ખુશ થઈ જ જશે.જે રીતે ડાન્સ કરી રહ્યા છે તે એકદમ માઈકલ જેકસન અને  પ્રભુદેવા જેવી જ છે. જેકસન હોત અને આ દાદાને ડાન્સ કરતા જોઈને ખુશ થઈ જાત દાદા ડાન્સ જેવી રીતે કરી રહ્યા છે કે કોઈપણ વ્યક્તિ આ દાદા ને પસંદ કરવા લાગે આ ઉંમરે આટલી સ્ટાઇલમાં ડાન્સ કરવો એ ખૂબ જ મોટી વાત છે.

આજના સમયમાં નાના બાળકો પણ ખૂબ જ સારી રીતે ડાન્સ કરતા હોય છે અને જે વ્યક્તિને ડાન્સનું શોખ હોય છે તે તેના જીવનના અંત સુધી શોખને જીવંત જ રાખવો જોઈએ  અને એક વાત જરૂર દરેકને યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ પોતાના શોખને મારવો ના જોઈએ જીવનમાં તમે કોઈપણ ઉંમરે પૂરો થઈ શકે છે.