Categories
bollywood

શું તમે જાણો છો કે પેલા નવાઝુદ્દીનું જીવન કેવું હતું, અને આજે મન્નત જેવો આલીશાન બંગલામાં રહે છે….જુવો અંદરની તસ્વીર

પોતાના શ્રેષ્ઠ અભિનયથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ સુવર્ણ પડદા પર અમીટ છાપ છોડી છે. 19 મે, 1976ના રોજ મુઝફ્ફરમાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડની દુનિયામાં એક ખાસ ઓળખ ધરાવે છે અને આજે તેણે ઈન્ડસ્ટ્રીમાં એવું સ્થાન હાંસલ કર્યું છે, જેના કારણે તેનું નામ બોલિવૂડના ટોચના કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયું છે.

કહેવાય છે કે નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડની દુનિયામાં કામ કરતા પહેલા ચોકીદાર તરીકે કામ કરતો હતો, પરંતુ આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે અને તેની પાસે ફિલ્મોની ભરમાર છે. આ દિવસોમાં મુંબઈમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું ઘર ‘નવાબ’ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને દરેક લોકો આ ઘરની તુલના શાહરૂખ ખાનના બંગલા મન્નત સાથે કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં જ પોતાના નવા ઘરમાં એક પાર્ટી રાખી હતી, જેમાં બોલિવૂડ જગત સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકીના આ ઘરને બનાવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો. તેણે પોતાના ઘરનું નામ તેના પિતા નવાબના નામ પર રાખ્યું હતું. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. નવાઝનું આ નવું ઘર શહેરના પોશ વિસ્તાર વર્સોવામાં આવેલું છે.

મુંબઈના ઘરમાં તેનું મન લાગતું ન હતું. તેથી મારા મનમાં હંમેશા એવું હતું કે હું તેને એક દિવસ મુંબઈમાં કોઈ મોટી જગ્યાએ લઈ જઈશ, પરંતુ તે પહેલા જ તેનું અવસાન થયું. હું ઈચ્છું છું કે મારા પિતા આ બંગલો જોઈ શકે.” વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં નવાઝુદ્દીન સિદ્દીકી તેની આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રી કંગના રનૌત આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે અભિનેત્રી અવનીત કૌર લીડ રોલમાં જોવા મળશે.

આ સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી ફેમસ એક્ટર ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી-2’માં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી નેગેટિવ રોલમાં જોવા મળશે. આ સિવાય નવાઝુદ્દીન સિદ્દીકી પાસે ‘અફવા’ જેવી ફિલ્મો પણ છે જેમાં તે અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત આમિર ખાન સાથે ફિલ્મ ‘સરફરોશ’થી કરી હતી. આ ફિલ્મમાં નવાઝુદ્દીનના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને મોટી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. સરફરોશને જોયા બાદ અનુરાગ કશ્યપે તેને ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં કાસ્ટ કર્યો અને આ ફિલ્મ તેના કરિયરની હિટ સાબિત થઈ. આ પછી તેણે પોતાના કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી.

Categories
Viral video

કેનેડામાં બૈરું ગયું પિયર ગીત પર ગુજરાતી યુવાનોએ મચાવી દીધી ધમાલ! જુઓ વિડિયો હસીને લોટપોટ થઈ જશો….

ગુજરાતીઓ ખમીરવંતા અને લોકોના હૈયા જીતનાર છે, આપણે જાણીએ છે કે, ગુજરાતીઓ વિશ્વભરમાં વસવાટ કરે છે, પરંતુ તેઓ હંમેશા તેમનું ગુજરાતીપણું જાળવી રાખે છે.

તાજેતરમાં, કેનેડામાં ગુજરાતી યુવાનોએ એક વિડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં, યુવાનો બર્ફીલા વાતાવરણમાં હાથમાં વેફર અને કોલ્ડડ્રિંક લઈને ગુજરાતી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ વિડિયો જોઈને એ સાબિત થઈ જાય છે કે, ગુજરાતી દેશના કોઈપણ ખૂણે જઈને વસે તો પણ પોતાનું ગુજરાતીપણું ભૂલતા નથી.

આ વિડિયોમાં, યુવાનો “બૈરું ગયું પીયરને પેટમાં પડ્યું બિયર પર” ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ ગીત એક પ્રખ્યાત ગુજરાતી ગીત છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અનેક લોકો પોતાની પ્રતિક્રિયાઓ જણાવી રહ્યા છે.

ગુજરાતી જ્યાંજ્યાં વસે ત્યાં પોતાની અમી છાપ અંકિત કરી દે છે, હાલમાં તો સોશિયલ મીડિયા તો અનેક ગુજરાતીઓ પોતાની લાઈફ સ્ટાઈલ બતાવીને ફેમસ થઈ રહ્યા છે કારણ કે, ગુજરાતમાં વસતા લોકોને પણ ખબર પડે કે વિદેશમાં રહેવાથી શું ફેરફાર આવે છે.ગુજરાતીપણું જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. ગુજરાતીઓએ તેમના સંસ્કૃતિ અને ભાષાને જીવંત રાખવા માટે કામ કરવું જોઈએ.

આ વિડિયોને જોઈને, મને ખૂબ જ ગર્વ થયો. આ વિડિયોએ મને એ યાદ અપાવ્યું કે ગુજરાતીઓ એક મજબૂત અને સંગઠિત સમુદાય છે. હું આશા રાખું છું કે આ વિડિયો ગુજરાતીઓને એકબીજા સાથે જોડવામાં મદદ કરશે.

 

Categories
Gujarat

વડોદરામાં મુત્યુ પામનાર બાળકોનો દુર્ઘટના પહેલાનો વિડીયો આવ્યો સામે, વિડીયો જોઈને આંસુ સરી પડશે જુઓ….

વડોદરા શહેરનું હરણી તળાવ કુમળા ફૂલ જેવા બાળકોની આશ્રુ ધારાથી છલોછલ થઇ ગયું હશે કારણ કે એકી સાથે 12 બાળકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. આ દુઃખદ ઘટના અંગે જાણીએ તો વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો ને પ્રવાસ અર્થે મોટનાથ તળાવની મુલાકાત કરી હતી. જે બાળકો તળાવનો આનંદ માણવા આવ્યા હતા એ જ તળાવ બાળક માટે કાળ બન્યો.

આ દુઃખદ ઘટના પહેલા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે કે આ ફૂલ જેવા બાળકોનો જીવ કઈ રીતે જોખમમાં મૂકી દીધો હશે. આ દુઃખદ બનાવનું કારણ એ હતું કે બોટની કેપિસિટી માત્ર 14 લોકોની જોવા છતાં પણ બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં હોવાથી તળાવનો રાઉન્ડ મારતી વખતે અચાનક જ બોટ પલટી મારી ગઇ હતી.

આ દુઃખદ ઘટનાને પગલે બોટમાં બેઠેલા તા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુઃખદ ઘટનાં પહેલાનો વિડીયો સામે આવ્યો છે, આ વિડિયોમાં જોઈ શકશો કે સૌ બાળકો બેઠા છે, અને સૌના ચહેરા પર પ્રવાસના આનંદની ખુશીઓ પણ છલકાઈ છે.

આ બાળકોને ક્યાં ખબર હતી કે, જે તળાવમાં તે આનંદ માણવા જઈ રહ્યા છે, તે તળાવ તેમને ભરખી જશે. આ દુઃખદ ઘટના પહેલા નો વિડીયો જોઈને આપણું હદય પણ દ્રવી ઉઠે કે કુમણા ફૂલ જેવા બાળકોએ બેદરકારીના ભોગે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. આપણે ઈશ્વરને પાર્થના કરીએ મૃતક બાળકોની આત્માને શાંતિ મળે.

Categories
Gujarat

ગુજરાતી સંગીત જગત મા નામ બનાવનાર રાકેશ બારોટ નો જન્મ આ ગામ મા થયો હતો ! મણિરાજ બારોટ સાથે શુ સબંધ…

ગુજરાતી કલાકારોનો ખૂબ જ દબદબો છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. આજે આપણે એક એવા કલાકાર વિશે જાણીશું જેમને મણીરાજ બારોટ સાથે ખૂબ જ ખાસ સંબંધ હતો.આજે આપણે વાત કરીશું રાકેશ બારોટની સંગીતની સફર વિશે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે,

રાકેશ બારોટનો મણીરાજ બારોટ સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે. ચાલો ત્યારે અમે આપને તમામ વાતો થી રુબરુ કરાવીએ કે, આખરે કંઈ રીતે રાકેશ બારોટ ગુજરાત આ લોકપ્રિય ગાયક કલાકાર બન્યા.

ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર રાકેશ બારોટનો જન્મ પાટણ જિલ્લાના વરવાડા ગામમાં થયો હતો તેમજ રાકેશ બારોટ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી જ સંગીત પ્રત્યે રુચિ લાગવા લાગી

હતી. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી. જોકે, ત્યારબાદ વાત આગળ ન વધી અને મણિરાજ બારોટ દિવંગત થયા ત્યારપછી ફરી એક નવી શરૂઆત કરી.

તેમના જીવનમાં ત્યારે સફળતા મળી જ્યારે ગીત ‘સાજનને સંદેશો’ આવ્યું. આવ્યું તો ખરું જ પણ એવું છવાયું કે મામા મણિરાજ બારોટના ભાણેજ તરીકે અને એક ગાયક તરીકે રાકેશ બારોટનો ખુલ્લા મને સ્વીકાર કર્યો. જે પછી એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા ગયાં.

આપણે સારુ આપવામાં નિષ્ફળ ન નીવડીએ બસ એ મહત્વનું છે એવું રાકેશ બારોટનું માનવું છે. સૌથી મહત્વની વાત એ છે કે, મણીરાજ બારોટ રાકેશ બારોટના મામા છે, રાકેશ ક્યારેય મણીરાજ બારોટના નામે નહીં પણ પોતાની ગાયિકીની કળા થી આગળ આવ્યા.

જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી રાકેશ બારોટ કામ કરતા હતા.જે પછી વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને ટેક્નીક સાથે ગાવાની ઢબ અને લય પણ બદલ્યા. અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે.

આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા પણ છે.

સંગીતક્ષેત્રમાં દિગ્ગજ એવા મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે તો કુટુંબમાં ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે.

Categories
Gujarat

હજારો દિકરીઓ ના પાલક પિતા મહેશભાઈ સવાણી પોતાની પુત્રવધૂને પગે લાગીને જ ઘરની બહાર નીકળે છે, કારણ જાણીને વખાણ કરતા નહિ થાકો….

આજે આપણે સુરત શહેરના એક એવા પાલક પિતા એવા મહેશ સવાણી વિશે એક હદયસ્પર્શી વાત જાણીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહેશ સવાણીએ અત્યાર સુધીમાં અનેક દીકરીઓ પિતાની ફરજ બજાવી ચુક્યા છે. 
આજે પણ તેઓ દરેક દીકરીઓ સાથે અતૂટ લાગણીઓથી બંધાયેલા હોય છે. આજે અમે આપને મહેશ સવાણીના જીવન વિશે ની ખાસ વાત જાણીશું. તમને જાણીને નવાઈ લાગશે કે, મહેશ સવાણી રોજ પોતાની પુત્રવુધુને પગે લાગે છે ! આ વાત સાંભળીને આશ્ચય થશે પરંતુ ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.

મહેશભાઈએ ગુજરાતમાં પિતાની વિહોણી 4874 દીકરીઓને તેમણે અત્યાર સુધીમાં સાસરે વળાવી છે. એક પિતા તરીકે તેઓ લાડલી દીકરીની જે બધી બાબતોની સંભાળ રાખે એમ જ મહેશભાઈ રાખે છે. એકવાર મહેશ સવાણી કહ્યું કે અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવત. તેમને જે રીતે અનેક દીકરીઓના લગ્ન કરાવ્યા છે ત્યારે તેમની પુત્રવધુ ને એટલો જ પ્રેમ કરે છે.

મહેશભાઈ સવાણી માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું રૂપ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને નીકળે છે. પોતાના દીકરા મોહિતના લગ્નમાં પણ તેમણે બધા મહેમાનોની હાજરીમાં નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા. તેઓ પોતાની પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળે છે.


તેઓ બંને પુત્રવધુ ને જ ભગવાન માને છે, જગત જનની એ જ છે. તેઓ કહે છે કે, આ બંને વંશ પણ આગળ વધારવાની છે. એ બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ મારી સ્કૂલ સંભાળે છે. દીકરાઓ બિઝનેસમાં છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્યારે પણ જવાબદારી નિભાવતા હોય છે.


સમૂહલગ્નમાં જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારી પણ નિભાવે છે. મહેશભાઈ સવાણી તેમની પુત્રવધુઓને ખૂબ જ માન સન્માન આપે છે, આ કિસ્સો દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

Categories
Viral video

વટ છે ગીતાબેન રબારીનો ! ‘ગોગો ગોગો મારો’ ગીત ગાયું તો ફોરેનરો સ્ટેજ પર જ જુમી ઉઠ્યાં..જુઓ આ વિડીયો

ગુજરાતનો કયો એવો વ્યક્તિ હશે કે ગીતાબેન રબારીને નહીં ઓળખતુ હોય, કચ્છી કોયલના નામનીથી જાણીતા એવા ગીતાબેન રબારીએ પોતાની ગાયકીથી આખા ગુજરાતની અંદર પોતાનું સારું એવું નામ કમાય લીધું છે. હાલ તમે જોયું જ હશે કે ગીતાબેન ફક્ત પોતાના ભજનના પ્રોગ્રામો ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ કરી રહ્યા છે, આની પરથી જ કહી શકાય કે ગીતાબેન રબારીની ફેન ફોલોવિંગ કેટલી વધારે હશે.

ગીતાબેન રબારીના સંઘર્ષ વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ નાના ડાયરાથી શરૂઆત કરી હતી અને હાલ આવું વિશિષ્ટ મુકામ હાંસલ કરી લીધું છે, તેમના તમામ ગીતો લોકોને ખુબ વધારે ગમે છે, ગીતાબેન રબારીના ગીતો જેવા કે ‘શેરમાં શેરમાં’,’લેરી લા લા’ જેવા અનેક ગીતો લોકોને ખુબ પસંદ આવ્યા હતા, તમે જોયું જ હશે કે હાલના સમયમાં આવા તમામ ગીતો ડીજેમાં પણ વાગતા હોય છે જેના પર લોકો ડાંસની રંગત જમાવતા હોય છે.

એવામાં હાલના સમયમાં ગીતાબેનનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓની સાથે ફોરેનરો જોવા મળી રહયા છે. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ વિડીયો કોઈ પ્રોગ્રામનો છે જેમાં ફોરેનરોએ પોતાની હાજરી આપી હતી અને ડાયરાની મોજ માણી હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ત્રણ ફોરેનનના યુવકો સ્ટેજ પર ચડીને ગીતાબેનના ગીતો પર એકદમ જબરો ડાંસ કરી રહ્યા છે, આવું દ્રશ્ય જોઈને સૌ કોઈ મોજમાં જ આવી.આ ફોરેનર યુવકો સાથે ગીતાબેને પણ તાલ મેળવીને ડાંસ કર્યો હતો. ખરેખર ગુજરાતના લોકોમાં તો ગીતાબેનનો વટ પડે જ છે પરંતુ સાથો સાથ વિદેશમાં ગીતાબેન રબારીનો આટલો જ ક્રેઝ છે.

 

Categories
Gujarat

ગુજરાતના નાના એવા ગામ મા શરુ થયેલી દુકાન આજે ગુજરાત ની મોટી કંપની બની અને કરોડો નુ ટર્નઓવર કરે છે ! જાણો કોણ મૂળ માલીક છે શિતલ આઇસક્રીમ..

ધંધાની બાબત મા આપણા ગુજરતી ઓ સૌથી આગળ છે દેશ અને દુનિયા ને અત્યાર સુધી મા અનેક ઉદ્યોગપતિઓ ગુજરાતે આપ્યા છે જેમા હાલ નુ ભોટુ નામ એટલે અંબાણી અને અંદાણી જેવો એ આખી દુનીયા મા અનોખી છાપ છોડી છે ત્યારે હાલ પણ અનેક નાની નાની કંપનીઓ ધીમે ધીમે વિશ્વ મા નામ બનાવી રહી છે. ત્યારે ગુજરાત ના અમરેલી જીલ્લા ની એક કંપનીએ પણ દેશ અને દુનિયા મા મોટુ નામ બનાવ્યુ છે જેનુ નામ શિતલ આઇસક્રીમ….

તો આવો જાણીએ કેવી રીતે શુરુવાત થય હતી આ કંપનીની અને કેવી રીતે આજે તેવો ભારત સીવાય અન્ય દેશો મા પણ પોતાનો આઇસક્રીમ પહોંચાડે છે. વાત ની શરૂઆત 35 વર્ષ પહેલા થાય છે જેમા અમરેલી જીલ્લાના ભુવા પરિવાર મા ચાર ભાઈઓ માથી મોટા ભાઈ જગદીશભાઈ ભૂવાએ બસ સ્ટેન્ડ સામે શીતલ પાન પાર્લર અને સોડા શોપ નામથી દુકાન શરૂ કરી હતી આ જગ્યા પર તેવો જાતે બનાવેલ લસ્સી અને આઇસક્રીમ વેચતા હતા. 1997 મા જગદીશભાઈ નુ અવસાન થય ગયુ હતુ.
જગદીશભાઈ નુ ભલે અવસાન થય ગયુ પરંતુ વારસા મા એક અમુલ્ય આઇસક્રીમ ની રેસીપી આપતા ગયા હતા. નાના ભાઈ ભૂપતભાઈએ વર્ષ 2000માં કંપનીની બાગડોર સંભાળી હતી. અને એક નાનકડી દુકાન માથી ભુવા પરીવારે મહેનત કરી ને આજે 325 કરોડ નુ ટર્નઓવર કરતી કંપની બનાવી છે. ભુપતભાઈ આજે પણ એ સંઘર્ષ ના દીવસો યાદ કરે છે જયારે તેમની કંપની પાસે પુરતા પ્રમાણ મા સ્ટાફ ન હતો ત્યારે તેમના ભાઈઓ જ પ્રોડક્ટ્સ સાથે રિટેલ શોપમાં વેચાણ માટે જતા હતા.
માર્કેટ મા મોટી મોટી કંપનીઓ હોવા છતા ભુપતભાઈ એ પોતાની પ્રોડક્ટ એટલી મજબૂત બનાવી કે લોકો ને હંમેશા યાદ રહી જાય છે. શરુવાત ના દિવસો મા તેવો પાસે પોતાના વાહનો ન હોવાથી તેનો ને ટ્રાન્સપોર્ટ ખર્ચ હંમેશા વધી જતો જયારે હાલ આ કંપની એ એવુ મોટુ સ્વરુપ ધારણ કરી લીધુ છે કે હાથે મોટી મોટી વિદેશી કંપનીઓ ને પણ હંફાવી દે છે. તાજેતર મા શિતલ કંપની એ જમ્મુ કાશ્મીર મા પોતાનો આઇસક્રીમ પહોંચાડયો છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા , નેપાલ મા પણ તેવો એ પોતાની પ્રોડક્ટ પહોચતી કરી છે.
Categories
India

એક સમયે આ પરીવાર મુકેશ અંબાણી કરતા પણ વધારે પૈસાદાર હતો પરંતુ સમય એવો બદલાયો કે હાલ ની પરિસ્થીતી જોશો તો…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં પૈસા ઘણા જરૂરી છે નાની નાની જરૂરિયાત થી લઈને તમામ વસ્તુઓ માટે પૈસા ઘણા જરૂરી છે. આપણે સૌ વર્તમાન સમયમાં નાણાં ના મુલ્યને જાણીએ છિએ. જો કે એક સમય હતો કે જ્યારે ભારત વિશ્વ માં સોનાની ચકલી તરીકે ઓળખાતો કારણકે ભારત ના રાજાઓ પાસે પુષ્કળ પ્રમાણમાં ધન દોલત અને અન્ય કિંમતી જવેરાત હતા.

પરંતુ સમય સાથે વસ્તુઓ બદલવા લાગી કહેવાય છે કે પૈસા એ હાથ નો મેલ છે. જો પૈસા ને યોગ્ય રીતે સાચવ્વામા ના આવે તો વ્યક્તિને કંગાળ થતાં વાર લાગતી નથી. આપણે અહીં એક એવાજ પરિવાર વિશે વાત કરવાની છે કે જેઓ અપાર સંપતિ ના માલિક હતા અને હાલમાં દેશ ના અને એશિયા ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી કરતા પણ વધુ પૈસાદાર હતા પરંતુ આજે તેઓ ઘણી નબળી આર્થિક પરિસ્થિતિ માં છે.

આપણે અહીં હૈદરાબાદના છેલ્લા નિઝામ તેવા ઉસ્માન અલી ખાન વિશે વાત કરવાની છે. જો વાત નિઝામ ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ 6 એપ્રિલ, 1886 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ મહેબૂબ અલી ખાન હતું. જો વાત નિઝામ ઉસ્માન અલી ખાનની સંપતિ અંગે કરીએ તો જાણાવિ દઈએ કે 20 મી સદીમા તેમની પાસે આશરે 200 કરોડના સોના ચાંદા ના ઘરેણાં ઉપરાંત 400 કરોડની અન્ય ઝવેરાત પણ હતી.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ ની સૌથી મોંઘી અને સુરક્ષિત કાર પૈકી એક રોલ્સ રોયસ ની ઘણી કિંમત છે. હાલના સમયમાં પણ માત્ર અમુક લોકોજ આ મોંઘી ગાડી ખરીદી શકે છે જોકે જણાવી દઈએ કે નિઝામ ઉસ્માન અલી ખાન પાસે 1912 માં 50 જેટલી રોલ્સ રોયસ કાર હતી. તેમની પાસે રહેલ સંપતિ નો ખ્યાલ માત્ર એટલા ઉપરથી આવે છે કે તેમની પાસે રહેલ સંપતિ ભારતની કુલ અર્થવ્યવસ્થા કરતા બમણી જ્યારે જ્યારે અમેરિકા ની અર્થતંત્રના બે ટકા હતી.

એક અહેવાલ અનુસાર તેમની પાસે વર્ષ 1940મા 2.36 અબજ ડોલરની સંપત્તિ હતી. તેમના વિશે રસપ્રદ વાત એ છે કે નિઝામ પેપર વેઈટ તરીકે જ 1340 કરોડ નો હીરો રાખતા હતા. નિઝામ પોતાની સંપતિ ને કારણે આખા ભારત માં અલગ અલગ અનેક નામથી ઓળખાતા હતા. જેમકે રુસ્તમ -એ- દરમિયાન ઉપરાંત એરિસ્ટોટલ -એ- ઝમાન, મમલુક અને નિઝામ દૌલા, નવાબ મીર સર ઉસ્માન અલી ખાન બહાદુર વગેરે જેવા નામોથી ઓળખાતા હતા.

પરંતુ આજે તેમનો પરિવાર ઘણો કંગાળ થઈ ગયો છે અને તેમની પાસે પોતાના કેશ ને લડવા માટે પણ પૈસા નથી તો ચાલો આપણે જાણીએ કે એક સમયે ભારત ની અર્થતંત્ર કરતા પણ વધુ પૈસા ધરાવતા નિઝામ ના પરિવાર નો હાલ આમ બેહાલ કઈ રીતે થયો જણાવી દઈએ કે 29 ફેબ્રુઆરી, 1967 ના રોજ ઉસ્માન અલી ખાનનું મૃત્યુ થયું હતું. આ સમયે નિઝામે પોતાની વિશાળ સંપતિ ના વારિસ તરીકે પોતાના પુત્રો ના સ્થાને મુકરામ જહાંને પોતાનો વરસાદાર બનાવ્યો.

જો વાત કરીએ કે મુકરામ જહાંને કોણ છે તે અંગે તો જણાવી દઈએ કે મુરકમની મા તુર્કી હતી. જ્યારે મુરકમના લગ્ન પૂર્વ મિસ તુર્કી ની યુવતિ સાથે થયા હતા જણાવી દઈએ કે અગાઉ મુરકમ ઑસ્ટ્રેલિયામાં રહેતો હતો જ્યારે વર્તમાન માં તે ઈસ્તંબુલમાં રહે.

 

Categories
Gujarat

ગુજરાત ના આ નાના એવા ગામ ના છે વિજય સુવાળા ! જુવો પત્ની સાથે ની ખાસ તસ્વીરો અને હાલ…

ગુજરાતમાં અનેક એવા કલાકારો છે, જેમણે જીવનમાં સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. આજે અમે આપને એક એવા કલાકાર વિશે વાત કરીશું જેમને જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. આપણે વાત કરી રહ્યા છીએ વિજય સુવાળાની જેઓ આજે રાજકીય પાર્ટી ભાજપમાં જ હાલમાં જોડાયા છે, ત્યારે આજે અમે આપને તેમના જીવનની સૌથી યાદગાર પળ વિશે જણાવીશુ.

ગુજરાતમાં એવા ઘણા કલાકારો છે, જેઓ પોતાના જીવન સાથી સાથે સુખી સંસાર જીવી રહ્યા છે, આજે અમે આપના માટે વિજય સુંવાળાની આ યાદગાર તસ્વીરો લઈને આવ્યા છે. ભાગ્યે જ તમે વિજયને તેમની ધર્મપત્ની સાથે જોયા હશે. તેમના પત્ની સોશિયલ મીડિયાની લાઈફ થિ દૂર રહે છે. ભાગ્યે જ તેઓ લાઇમલાઈટ ની દુનિયામાં દેખાય છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેમના લગ્ન થઈ ગયા. આજે અમે તેમના પત્ની સાથેની યાદગાર તસવીરો લઈને આવ્યા છીએ, તેમજ આપણે વિજય ભાઈના જીવન વિશે જાણીએ.

વિજય સુંવાળા હાલ અમદાવાદ માં રહે છે અને નો જન્મ પણ અમદાવાદ માં જ થયો હતો.અને એમનું ગામ મહેસાણાના તાલુકાનું કડી જિલ્લાનું સુંવાળા. તેને એમના ગામ પરથી જ એમને પોતાની અટક રાખી દીધી હતી.ત્યારબાદ વાત કરીએ તેમના પ્રોફેશનની તો વિજય સુંવાળા છેલ્લા 4 વર્ષથી આ પ્રોફેશનમાં છે અને તેમને ઘણા કલાકારો સાથે પણ પોતાના પ્રોગ્રામો કર્યા છે તમને જણાવી દઈએ કે વિજય સુંવાળાની એક ખાસ વાત પણ છે કે તેમણે ગીતો ગાવા માટે કોઈ કલાસ કે કોઈ તાલીમ લીધી ન હતી. તેમણે મનિરાજ બારોટ,જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારોના ગીતો સાંભળીને પ્રેક્ટિસ ચાલુ કરી હતી.

આજે જીગર જાન બની ગયા છે તેમજ વિજય સુંવાળાને રેગડી ખૂબ જ પ્રિય છે અને તેઓ નાનપણથી જ રેગડી પણ ગાય છે અને રેગળીની કળા તેમણે તેમને દાદા અને તેમના પિતાજી પાસેથી શીખ્યા હતા.તેમજ સૌથી મોટી વાત એ છે કે વિજય સુંવાળા એ વિહત માતાજીના ભુવા છે

અને વિજય સુંવાળા વિહત માતાને ખૂબ જ માને છે અને વિહત માતા પર પણ તેમણે ઘણા સોંગ ગાયા છે તેમજ વિજય સુંવાળા ગરબા,ગુજરાતી સોંગ,લોકગીતો અને હાલમાં તેમણે હિન્દી ગીતો ગાવાનું પણ ચાલુ કર્યું છે અને જેમાં પણ તેમના મિત્રોએ તેમને ઘણો સપોર્ટ કર્યો છે તેમજ અંગત જીવનની આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તેઓ પરણીત છે.

વિજય સુંવાળાના પરિવારમાં તેમના મમ્મી,પપ્પા અને ત્રણ ભાઈ છે અને વિજય સુંવાળા આજે પણ તેમના પરિવાર સાથે હળી મળીને રહે છે તેમજ વિજય સુંવાળાના પપ્પા હાલમાં બિલ્ડર અને લોબીનું કામ કરે છે તેમજ વિજય સુંવાળાને ધાર્મિક સ્થળો પર ફરવાનું વધારે પસંદ છે અને અમુક સમય તે આવી રીતે ફરવા માટે જ કાઢે છે તેમજ તેઓ દ્વારકા,જૂનાગઢ જેવા મુખ્ય દ્વાર પર તે વધારે ફરવા માટે જાય છે.

Categories
India

2 મિત્રોએ 20 હજારથી શરૂ કરી નાની કંપની, આજે 88 હજાર કરોડનું સામ્રાજ્ય બનાવ્યું..

આજે આપણે વાત કરીશું એવા 2 મિત્રો વિશે જેમણે 20 હજારથી શરૂ કરી હતી નાની કંપની, આજે 88 હજાર કરોડનું સામ્રાજ્ય બનાવ્યું.. હવે વર્ષો પછી આ બંને બંને મિત્રો એકસાથે કંપનીની એક્ઝિક્યુટિવ ભૂમિકા પણ છોડવા જઈ રહ્યા છે. ચાલો ત્યારે અમે તેમની સફળતાની કહાની થી રુબરુ કરાવીએ.આ બંને મિત્રો વચ્ચે સામાન્ય વાત એ હતી કે તેમના નામ અને તેમની વિચારસરણી પણ સમાન હતી. હા, જેના કારણે આ બંને વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ નથી થયો અને ન તો તેઓ એકબીજા સાથે લડ્યા.

એવું કહેવાય છે કે પૈસા સારામાં બદલાવ લાવે છે, પરંતુ આ બંને વચ્ચે શરૂઆતથી અંત સુધી એવું કંઈ જોવા મળ્યું ન હતું અને હવે આ બંને કંપનીના મહત્વના પદ પરથી એકસાથે રાજીનામું આપી રહ્યા છે અને આ બંનેનું મ બીજું કોઈ નહીં પણ રાધેશ્યામ અગ્રવાલ છે. અને રાધેશ્યામ ગોએન્કા. એવું જાણવા મળે છે કે શાળા પૂર્ણ કર્યા પછી, આ બંને મિત્રો આખો સમય કોસ્મેટિક ફોર્મ્યુલા શીખવામાં વિતાવતા હતા અને તેની સાથે આ બંને મિત્રો સસ્તા ગુંદર અને કાર્ડબોર્ડથી રમતો બનાવતા હતા અને તેને કોલકાતાના બજારોમાં વેચતા હતા.

તમને જણાવી દઈએ કે આ બંને મિત્રો શાળાના દિવસોથી સામાન્ય મિત્રો જેવા નહોતા, પરંતુ થોડા અલગ હતા અને શરૂઆતથી જ બંને એકસાથે કમાણીનાં રસ્તા શોધતા હતા અને તેઓએ શરૂઆતમાં કાર્ડ બોર્ડનું કામ શરૂ કર્યું હતું. એ સિલસિલો લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. તે જ સમયે, તેમના સમર્પણ અને સખત મહેનતને જોઈને, ગોએન્કાના પિતાએ તેમને 20 હજાર રૂપિયા રોકડા આપ્યા અને પછી ગોએન્કાએ નક્કી કર્યું કે આ પૈસાથી કરવામાં આવતા વ્યવસાયમાં બંને ભાગ લેશે.

‘કેમકો કેમિકલ્સ’ નામની કંપની શરૂ કરી પરંતુ તેમનું કામ થઈ શક્યું નહીં. બીજી તરફ બંનેના લગ્ન પણ થઈ ગયા, જેના કારણે તેમની જવાબદારી પણ વધી ગઈ. આટલું બધું હોવા છતાં ન તો આ બંનેના આત્મા ડગ મગ્યા કે ન તો બંનેએ વિદાય લીધી. વ્યવસાયની નવી તકો શોધતી વખતે, તેમને બિરલા જૂથમાં નોકરી મળી અને નોકરી મળ્યા પછી, બંનેએ લગભગ પાંચ વર્ષ સુધી તે સંસ્થા સાથે કામ કર્યું. જે પછી તેણે ફરી એક કંપની ખોલી અને આ વખતે તેણે ઈમામી નામની વેનિશિંગ ક્રીમ લોન્ચ કરી. એ વાત જાણીતી છે કે આ વખતે બંનેનો બિઝનેસ પ્લાન અલગ-અલગ હતો, કારણ કે અગાઉ જે ટેલ્કમ પાઉડર આવતો હતો તે ટીનના બોક્સમાં આવતો હતો.

અને તે જોવામાં બહુ આકર્ષક ન હતો, પરંતુ તેણે બજારમાં પ્લાસ્ટિકના બોક્સ રજૂ કર્યા હતા. જે જોવામાં આકર્ષક અને ખૂબ જ પોશ હતા.આવી સ્થિતિમાં, આ વખતે તેમના બંને આગળ નીકળી ગયા અને પછી બંનેએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને આજે ઇમામી ગ્રુપનો બિઝનેસ 60 થી વધુ દેશોમાં ફેલાયેલો છે. તે જ સમયે, દર સેકન્ડે 130 થી વધુ ઇમામી ઉત્પાદનો વેચાય છે. તમને જણાવી દઈએ કે, ઇમામી લિમિટેડ, જે જૂથની મુખ્ય કંપની છે, તેણે નાણાકીય વર્ષ 2022-21માં 2881 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાવ્યું હતું. તે જ સમયે, BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 22,143.45 કરોડ છે.

અંતમાં તમને જણાવી દઈએ કે રાધે શ્યામ અગ્રવાલ અને રાધેશ્યામ ગોએન્કા એક વખત કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા, પરંતુ પછી એ રીતે મળ્યા હતા કે આજ સુધી કોઈને ફરી હસ્તક્ષેપ કરવાની જગ્યા મળી નથી અને હવે આ બંને જ મેનેજમેંટ છે. ઇમામી લિમિટેડ. નિયંત્રણો તેમની આગામી પેઢીને એકસાથે પસાર થવાના છે. હવે જોવાનું એ રહેશે કે આટલી મોટી બ્રાન્ડનું ભવિષ્ય કેવું હશે અને હવે આરએસ ગોએન્કાના મોટા પુત્ર મોહન ગોએન્કા અને આરએસ અગ્રવાલના નાના પુત્ર હર્ષ અગ્રવાલ વાઇસ ચેરમેન અને મેનેજિંગનું પદ સંભાળશે.