Gujarat

હજારો દિકરીઓ ના પાલક પિતા મહેશભાઈ સવાણી પોતાની પુત્રવધૂને પગે લાગીને જ ઘરની બહાર નીકળે છે, કારણ જાણીને વખાણ કરતા નહિ થાકો….

Spread the love

આજે આપણે સુરત શહેરના એક એવા પાલક પિતા એવા મહેશ સવાણી વિશે એક હદયસ્પર્શી વાત જાણીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહેશ સવાણીએ અત્યાર સુધીમાં અનેક દીકરીઓ પિતાની ફરજ બજાવી ચુક્યા છે. 
આજે પણ તેઓ દરેક દીકરીઓ સાથે અતૂટ લાગણીઓથી બંધાયેલા હોય છે. આજે અમે આપને મહેશ સવાણીના જીવન વિશે ની ખાસ વાત જાણીશું. તમને જાણીને નવાઈ લાગશે કે, મહેશ સવાણી રોજ પોતાની પુત્રવુધુને પગે લાગે છે ! આ વાત સાંભળીને આશ્ચય થશે પરંતુ ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.

મહેશભાઈએ ગુજરાતમાં પિતાની વિહોણી 4874 દીકરીઓને તેમણે અત્યાર સુધીમાં સાસરે વળાવી છે. એક પિતા તરીકે તેઓ લાડલી દીકરીની જે બધી બાબતોની સંભાળ રાખે એમ જ મહેશભાઈ રાખે છે. એકવાર મહેશ સવાણી કહ્યું કે અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવત. તેમને જે રીતે અનેક દીકરીઓના લગ્ન કરાવ્યા છે ત્યારે તેમની પુત્રવધુ ને એટલો જ પ્રેમ કરે છે.

મહેશભાઈ સવાણી માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું રૂપ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને નીકળે છે. પોતાના દીકરા મોહિતના લગ્નમાં પણ તેમણે બધા મહેમાનોની હાજરીમાં નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા. તેઓ પોતાની પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળે છે.


તેઓ બંને પુત્રવધુ ને જ ભગવાન માને છે, જગત જનની એ જ છે. તેઓ કહે છે કે, આ બંને વંશ પણ આગળ વધારવાની છે. એ બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ મારી સ્કૂલ સંભાળે છે. દીકરાઓ બિઝનેસમાં છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્યારે પણ જવાબદારી નિભાવતા હોય છે.


સમૂહલગ્નમાં જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારી પણ નિભાવે છે. મહેશભાઈ સવાણી તેમની પુત્રવધુઓને ખૂબ જ માન સન્માન આપે છે, આ કિસ્સો દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *