Categories
Entertainment National

ખજુરભાઈ ને કઈ વાત નો ગુસ્સો આવ્યો? જાણો ગુજરાતી ઓ ને શુ અપીલ કરી..

ગુજરાતના યુટયુબર અને કોમેડી કલાકાર ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની છેલ્લા બે મહીના થી ગુજરાત અને ખાસ કરી ના સૌરાષ્ટ્ર ના અલગ અલગ ગામડા ઓ મા ખુબ સેવા કરી રહ્યા છે અને તાઉ’તે વાવાઝોડા બાદ છે લોકો ના ઘર પડી ગયા હોય તેવો ને તે ઘર બનાવી ની આપી રહ્યા છે અનેક ગરીબોને તેવો એ ઘર બનાવી આપ્યા છે.

ખજુરભાઈ એ છેલ્લા બે મહીના મા એક કરોડ થી વધુ ની રકમ તેવો એ ગરીબો ને મકાન બનાવવા મા વાપરી છે અને સૌરાષ્ટ્ર મા સેવા કરી રહયા છે ત્યારે તાજેતર મા રાજુલા મા નીરાધાર લોકો ને મદદ કરી રહ્યા છે. તેવો એક દિવસ અગાવ વિડીઓ શેર કરી ને જણાવ્યું હતુ કે પાંચ દિવસ અગાવ જ એક 95 વર્ષ ના દાદા નુ મકાન ઘણુ નબળી હાલત મા ધ્યાન મા આવતા તેવો એ તેમના દીકરા ઓ સાથે વાત કરી હતી. અને તેમના દીકરા ઓ સાથે ઘણી ચર્ચાઓ કરી ને અંતે તેમના શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ દીકરાઓ ના સહયોગ થી મકાન બનાવ્યું.

જેમનુ મકાન બનાવ્યું તવો કાનજીદાદા 95 વર્ષ છે અને એક ગાંધીવાદી અને પ્રમુખ સ્વામી સાથે પણ રહેલા છે. 4-5 દિવસ સતત મહેનત કરી ખજુરભાઈ ની ટીમ દાદા ના દિકરા અને ગામ લોકો ની મદદ થી દાદા નુ ઘર તૈયાર કરી ને દાદા નુ ઘરમા સ્વાગત કરાયુ હતુ. ત્યાર બાદ આજે ફરી ખજુરભાઈ એ વિડીઓ શેર કરી ને કીધું હતુ કે આપણા ગુજરાત મા મોટા ભાગ ના વડીલો ની હાલત સલામત નથી , કાનજી ભાઈ ના બે દીકરા છે શ્યામભાઈ અને ઘનશ્યામ ભાઈ રાજુલા મા રહે છે અને તેના બાપા ને સાચવતા નથી. અમે કાલે એમને ઘર બનાવી ને આપ્યુ અને આજે બાપા ની હાલત જોવો તમે.જેમાં 95 વર્ષ ના દાદા નો વિડીઓ ખુજરભાઈ એ શેર કર્યો હતો અને વિડીઓ વધુ ને વધુ શેર કરવાની અપીલ કરી હતી.

Categories
National

તમારી પાસે પણ આ 1 રૂપિયાની નોટ છે, તો તમને 7 લાખ રૂપિયા મળશે, જાણો કેવી રીતે?

ઓનલાઈન  વેબસાઇટ પર જૂની નોટો પર બોલી લગાવીને તમે સારા પૈસા કમાવી શકો છો. તેમાંથી એક નોટ પર 7 લાખ રૂપિયા સુધીની બોલી લગાવાઈ છે. ચાલો તમને આ નોટની વિશેષતા વિશે જણાવીએ નવી દિલ્હી: આજકાલ ઘણા લોકોને જૂની નોટો અને સિક્કા એકઠા કરવાનો શોખ છે. જો તમે જૂની નોટો અને સિક્કા પણ એકત્રિત કરો છો, તો હવે તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.

26 વર્ષ પહેલાં ભારત સરકારે એક રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી, પરંતુ તેનું છાપકામ જાન્યુઆરી 2015 માં ફરી શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ નોટ એક નવા અવતારમાં બજારમાં આવી, પરંતુ આજે અમે તમને એક રૂપિયાની નોટ આઝાદી પૂર્વે પણ જણાવીશું, જેના દ્વારા તમે 7 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો.ચાલો આપણે તમને જણાવી દઈએ કે તમે આ નોંધો માટે ઓનલાઈન વેબસાઇટ પર બોલી લગાવી શકો છો. તેમાંથી એક નોટ પર 7 લાખ રૂપિયા સુધીની બોલી લગાવાઈ છે.ચાલો તમને આ નોટની વિશેષતા વિશે જણાવીએ-

આ નોંધની વિશેષતા શું છે? 7 લાખ રૂપિયામાં વેચાયેલી આ નોટની વિશેષતા એ છે કે આઝાદી પહેલાની આ એકમાત્ર નોંધ છે, જેના પર તત્કાલિન રાજ્યપાલ જેડબ્લ્યુ કેલી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.80 વર્ષ જૂની આ નોટ બ્રિટિશ ભારત દ્વારા 1935 માં જારી કરવામાં આવી હતી. એવું નથી કે ઇબે પરની દરેક નોંધ એટલી ખર્ચાળ છે, કેટલીક નોંધો પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. 1966 ની એક રૂપિયાની નોટ 45 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે.

આવી જ રીતે 1957 ની નોટ 57 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમે નોંધોના બંડલથી પણ કમાણી કરી શકો છો, આ સિવાય તમે નોટ્સના બંડલને પણ વેચી શકો છો. તમે આ બંડલ્સને ઇબે પર વેચી શકો છો. 1949, 1957 અને 1964 ના વર્ષના 59 નોટોના બંડલના બદલામાં, તમે 34,999 રૂપિયાની કમાણી કરી શકો છો. તે જ સમયે, તમે 1957 ની એક રૂપિયાની નોટના બંડલથી 15 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.1968 ના એક રૂપિયાના બંડલની કિંમત 5,500 રૂપિયા છે, ખાસ વાત એ છે કે તેમાં એક નોંધ નંબર 786 પણ છે. મોટાભાગના નોટ ઓર્ડર માટે શિપિંગ મફત છે, જ્યારે કેટલાકને 90 રૂપિયા સુધીના શિપિંગ ચાર્જ લાગે છે.

ચુકવણી ફક્ત ઓનલાઈન કરવી પડશે, ત્યાં કોઈ વિતરણ વિકલ્પ નથી. ચાલો આપણે તમને જણાવી દઈએ કે આ સમયે આવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાં જૂની નોટો અને સિક્કા ખરીદી અને વેચવામાં આવી રહ્યાં છે, જો તમારી જૂની નોટો અને સિક્કાઓ નિર્ધારિત શરતો અનુસાર છે તો તમને ખૂબ સારા પૈસા મળી શકે છે.

Categories
Gujarat

જાણો ચોટીલા વાળા માતા ચામુંડાના મંદિરનો રસપ્રદ ઈતિહાસ, અને આ મંદિર સાથે જોડાયેલ દંતકથા

ચોટીલામાં ચંદુ વિવાદો છે. તે સૌરાષ્ટ્રની મુખ્ય પ્રવેશદ્વાર ગણિત છે. આજુબાજુ પ્રદેશની રજવીની પુત્રીનો વિસ્તાર ચોપડીનો પિરનો વિસ્તાર છે. કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં હતો, ચોટીલાના ડુંગર પર મારા ચોથા બિરાજમાન છે. લોકો માતાપિતાનું પ્રદર્શન ચોટીલા માટે છે. ચોટીલા પંથકિની જન્મજાત મુલાકાત, મેમાનગતિ, જીવનશૈલી, જલેરી, બહાદુરી, સત્ય, અને સત્ય ભક્તિ રાવડી ગાથા સાથે જોડાયેલ છે.

ત્રિજા પંથક ચોટીલા ડુંગર પર ચુંદાદા માતાનું સ્થાન-વિદ્યા પુસ્તક ભક્તો સાથે વિતાવે છે. ૧૪૦ વર્ષ ડુંગર પર ચુંદા માતાજીની સેવા-પૂજા ગોસાઇનો જન્મ થયો છે. ચોટીલા ડુંગર પહેલા 3 નવરાત્રી મહા ચૈત્રિસો એસો પિતૃપતિ ડુંગર પર સંદેશ સંદેશ છે. હાઇવે પર ધાર્મિક કેન્દ્રીય કુંભમેળો ભૈર્યો તે દ્રશ્ય દૃશ્ય સંગ્રહ છે. ખાસ કરીને ડુંગર ચાઇ જય માતાજી કૃપા કરો.

ભ ૨ ભક્તો ખુલ્લું પાગલ લક્ષણો કુલ ૨ થ પગથિયા ચડે છે. તે દૃશ્ય દૃશ્ય ભાલભાલા પણ આ પ્રદર્શન જાદુ છે. ડુંગરની તડપૈન ભરાયાનો દર બર્પોજ લાપસી-દલભાત-શેકોનો પ્રસ્તાવ બધા ભક્તોને થાય છે.

લોકોનું નામ વહેંચવું તે પહેલા ડુંગર પર ભૃગુષિનો આક્રમક છે. ચોટીલાના પવિત્ર અક્ષરો મનાતા કાઠી દરબાર સ્વ. સોમલાબાપુ ખાચર જ્યારે બહારની બાજુઓ સાથે ભલુન્થ સાથે બાપામાં ચુંદાની ચતુર્થીએ દુર્ઘટનાનો સામનો કર્યો. ચોટીલામાં ડુંગરની ત્રિષ્ણામાં કેસોટો-પ્રસાદ-છકડી-માજીની છાત્રા-માનવીય ભાગનો ભાગ ચોટીલા ચુંદા માના પ્રદર્શન માટે ભાવિકો ઉમટી પ્રદર્શન છે.

Categories
Entertainment Gujarat

ગુજરાત માં નહી પણ સમગ્ર વિશ્વમાં સૌથી લોક પ્રિય નામના ધરાવનાર એવા ઉત્તર ગુજરાત ના લોક ગાયિકા: દિવ્યા ચૌધરી

દિવ્યા ચૌધરી ખુબ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળીને રેવું એવી ઓળખ ઉભી કરી છે  સિંગર દિવ્યા ચૌધરી એક સિંગર ની સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે રહે છે એક લોક પ્રિય વ્યક્તિ હોવા છતાં એક દમ સરળ રીતે વ્યક્તિત્વ ધરાવે છે દિવ્યા ચૌધરી મહેસાણા જિલ્લાના ખેરાલું નજીકના ગામડા મંડાલી ના વતની છે દિવ્યા ચૌધરી નો સુરીલો કંઠ સમગ્ર વિશ્વમાં માં છવાયો છે દિવ્યા ચૌધરી નાન પણ થી ભણતર ની સાથે સંગીત કલા જગત માં ખુબ રૂચિ ધરાવે છે

દિવ્યા ચૌધરી મિકેનિકલ એન્જીનીયરિંગ ની ડિગ્રી ધરાવે છે અને પરીવાર દ્વારા તેમને ખુબ સાથ અને સહકાર મળ્યો છે દિવ્યા ચૌધરી પોતે ઘણા ગુજરાતી ગીતોને પોતાના સુરીલા આવજ દ્વારા સુપર હિટ બનાવ્યા છે. જેમાં અફસોસ,ગોગા નો પાવર, ચૌધરી ની એન્ટ્રી, “ભગવાન પણ ભૂલો પડ્યો”, દેશી પતંગીયું, ફિકુ પડે બોલિવુડ,મને સાંભળે માખણ ચોર, આંખલડી, છોડી દે મારો છેડો, રાહ જોવે છે રાધા, બોલિવુડ મેસ્પ,પ્રેમ તો અધુરો રહ્યો,હાલ ને કાના રમવા, ધોતિયા વાળો ગમતો નથી,

મને ગર્વ છે ગોગા નો,મારા રામ ક્યાં રહી ગયા, દ્વારિકા કો નાથ મારો ભગવાન, બાય બાય ગુજરાતી ગીત, માણસ બોલી ફરી જાય પણ માતા નો ફરે,મારા વાલા, બાજે ડમરું, રૂપાળા રાધા રોાણી, ઉડે રે ગુલાલ, ઘણા બધા ગીતો માં પોતાનો સુરીલો કંઠ આપ્યો છે અને તેમની યુ ટ્યુબ માં પોતાની ચેનલ D C Digital માં પણ તમે ગીતો નિહાળી શકો છો અને યુ ટ્યુબ માં દિવ્યા ચૌધરી સર્ચ કરી પણ નિહાળી શકો છો

તેમના ઘણા બધા ગીતો મિલિયન માં લોકો એ પોચાડી દિવ્યા ચૌધરી ને પ્રેમ લાગણી અને સાથ સહકાર આપ્યો છે આવનારા દિવસોમાં માં તેમના ચાહકો માટે નવા આલ્બમ ગીતો લાવી રહ્યા છે દિવ્યા ચૌધરી નું કેવું મારા ચાહકો નો મને ખુબ પ્રેમ અને લાગણી મળી છે આજે હું જે પણ છું મારા ઈષ્ટ દેવ મારા કુળદેવી અને માતા પિતા ના આશીર્વાદ થી અને મારા ચાહકો ના સાથ સહકાર થી છું મારો બધો શ્રેય આ બધા ને છે

દિવ્યા ચૌધરી એ કોરોના લોક ડાઉન માં ઉત્તર ગુજરાત માંથી તેમની પરમેનન્ટ રિધમ ટીમ ને અને તેમની સાથે સંકળાયેલા જરૂિયાતમંદ કલાકારો ને જીવન જરૂયાત ની કીટ આપી એક પરીવાર ના સભ્ય તરીકે ની જવાબદારી નિભાવી દિવ્યા ચૌધરી નું કેવું છે આપડા ભેગા કોઈ પણ વ્યક્તિ કામ કરે નાનો હોઈ કે મોટો બધા ને એક સરખા માને છે

દિવ્યા ચૌધરી સિંગર સાથે એક શ્રેષ્ઠ ગૃહિણી પણ છે તે પોતે પોતના ફાર્મ હાઉસ માં દેશી ચુલા પર રસોઈ બનાવી જમાડવાના શોખીન છે અને સારું જમવાનું બનાવી જમાડી ખુબ આનંદ અનુભવ કરે છે તેમનું કહેવું છે આપડા આંગળે કોઈ પણ આવે જમીને જવું જોઈએ.

દિવ્યા ચૌધરી એક શ્રેષ્ઠ ગાયિકા તરીકે પોતાના અવાજ ની મીઠાશ લોકો સુધી પહોંચાડે છે. લગ્ન પ્રસંગ માં દાંડિયારાસ, સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ તેમજ ડી.જે સહિત અનેક જગ્યાએ પોતાના સુરીલા અવાજ થી લોકોને સંગીત નું રસપાન કરાવે છે.હાલ માં  દિવ્યા ચૌધરી નવરાશ નો સમય પોતા વ્હાલા પુત્ર શ્લોક ચૌધરી સાથે પોતાના ફાર્મ હાઉસ પર પસાર કરેછે. શાંત તેમજ કુદરતી વાતાવરણ માં રહેવાનું દિવ્યા વધારે પસંદ કરે છે

સિંગર દિવ્યા ચૌધરી ની આપ સોસિયલ મીડિયા મારફત ફોલો કરીશકો છે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિત ના સોસિયલ મીડિયા એપ પર દિવ્યા ને આપ ફોલો કરી શકો છો દિવ્યા ચૌધરી એ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ માં પોતાના જીવન શૈલી વિશે વાત કરી હતી તેમનું આ સ્પેશીયલ ઇન્ટરવ્યુ જી એક્સ્પ્રેસ ન્યુઝ પેપર અને ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બિનલબા હેમરાજસિંહ વાળા અને જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેનલ હેડ જાકિર મિર તેમજ યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ, પાટણ જિલ્લાના ના જી એક્સ્પ્રેસ ના રિપોર્ટર દિનેશ ચૌધરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે

Categories
Gujarat National

યુનુસભાઈ પાડોશી ધર્મ નિભાવવા હિન્દૂ યુવતીને પોતાની દીકરી બનાવીને તેના લગ્ન કરાવ્યાં.

ખરેખર માનવતાથી મોટો ધર્મ કોઈ નથી! હિન્દૂ હોય કે મુસ્લિમ દરેક વ્યક્તિ જાતિ થી ભલે અલગ હોય પરતું આપણે સૌ લાગણીઓનાં તાંતણે બંધાયેલા હોય છે. આપણે અવારનવાર કોઈક હિન્દૂ અને મુસ્લિમની અનેક કરુણદાયક કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ છે. આપણાં હિન્દૂ ધર્મમાં કન્યાદાન એ સૌથી મોટું પુણ્ય છે, જ્યારે એક દીકરીનું કન્યાદાન કરવામાં આવે છે, ત્યારે એ સૌથી યાદગાર ક્ષણ હોય છે, અને એમા પણ આ અવસર દરેક લોકોને નથી મળતો જે ભાગ્યવાન હોય એમને જ મળે છે.

આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે પોતાની દીકરી ન હોવા છતાં પણ પોતાની દિકરી કરતા વધુ વ્હાલ વરસાવીને તેને સાસરે વડાવી હતી. અત્યાર સુધી આપણે પાલક માતાપિતાની અનેક સરહાનીય ઘટના સાંભળી જ હશે કારણ કે આજે દુનિયામાં માનવતા સૌથી ધર્મ બની ગયો છે જ્યાં પારકા લોકોને પોતાના સમજીને તેમને પ્રેમ અને લાગણીઓ આપવામાં આવે છે. Aવાત છે, સૌરાષ્ટ્રનાં અમરેલીની જ્યાં  બાબરા ગામના યુનુસભાઈ પોતાનાં હિન્દૂ પાડોશીની મદદને વારે આવ્યા અને તેમણે એવું કાર્ય કરી બતાવ્યું કે સૌ કોઈ તેમની વાહ વાહ કરી રહ્યા છે અને એટલા જ પ્રેરણાદાયી બન્યા છે.

યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહ્યું કે આ દીકરીને આપણે પાલક માં-બાપ બનીને તેમના હિન્દુ સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવીને વિદાઈ કરી હતી.અન્યથા જો કોઈ ઉચનીચ જેવી ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે તેમજ આપણે આપણી પોતાની જાતને જીવન ભર માફ નહિ કરી શકીએ. પોતાની ઘરવાળી ના આવા ઉમદા અને સારા વિચારથી યુનુસભાઈ ચુડેસરામાં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયો હતો. અને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવાનુ મન બનાવી લીધું અને ભાવનગરમાં દીકરીનું ઘર સંસાર માંળ્યું અને તેમને કહ્યું કે આ દીકરી મારી જ છે અને જીવનનાં અંત સુધી હું તેની દેખ રેખ રાખીશ અને આ વાત થી છોકરાવાળા. એ ઉદારતા દાખવી અને યુવતીને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારી.

Categories
Entertainment Gujarat

આ સંત 545 વર્ષ થી કરી રહ્યા છે તપસ્યા, વધે છે નખ અને વાળ

આપણુ સૌરાષ્ટ્ર એટલે સંતો અને સુરાઓ ની ભૂમી અહી અનેક સંતો થય ગયા જે વિશ્વ નાખ્યાત છે એવી જ રીતે પુરી દુનિયા મા આવા ઘણા સંતો થય ગયા.

જુની પૌરાણીક કથા ઓ અને વાર્તા ઓ મા આપણને સંતો ના એવા દાખલાઓ મળે છે કે આપણે એને ચમત્કાર માનવો જ પડે છે અને પૌરાણીક કથાઓ મા પણ રુષીમુનીઓ અનેક પ્રકાર ના તપ કદી દેવી દેવતા ઓ ને રીઝવવા જોવા મળે છે. અને વર્ષો સુધી અલગ અલગ પ્રકાર ની તપસ્યા કરે છે અને તપસ્યા મા બેઠે ત્યારે આજુબાજુ શુ થય રહ્યુ છે તેની તેવો પર કાઈ અસર થતી નથી હોતી આવી જ એક વાત આજે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહયા છીએ.

વાત છે તીબત થી બે કીલોમીટર નજીક આવેલા ગામ ગીયુ નામ ના ગામ ની તે ગામ મા એક એવુ પરીક્ષીત શરીર (mummy) મળ્યુ છે જે 545 વર્ષ જુનુ છે. અને આ શરીર ના નખ અને વાળ આજે પણ વધી રહ્યા છે. ગામ વાળા નુ કહેવુ છે કે આ મમ્મી એક ઓરડા મા હતી. અજીબ વાત તો તે હતી કે આ શરીર ને આટલા વર્ષો પછી પણ ખરાબ થયુ ના હતુ. અને ગામ વાળા નુ કહેવુ છે કે આ એક સંત હતા જેમણે એટલા માટે તપસ્યા કરી હતી કેમકે ગામ મા વિછી નો પ્રકોપ હતો અને ગામ ના લોકો ને તેનાથી બચાવવા માટે તેવો ધ્યાન મા બેઠા હતા અને વિછીઓ નો પ્રકોપ ઓછો થયો હતો .

ઘણા લોકો તો એવુ પણ કહે છે કે આ મમ્મી બૌધ ભીક્ષુક ની છે અને આટલું જ નહી ગામ ના લોકો એ પણ કહે છે કે એક વાર ખોદકામ વખતે આ મમ્મી ના માથા પર ઘા વાગ્યો હતો અને તેનાથી લોહી નીકળ્યું હતુ. અને ફોટો મા એ ચોખ્ખુ દેખાય રહ્યુ છે. હાલ આ મમ્મી એક કાચ ની પેટી મા રાખવામા આવી છે અને લોકો તેને આસ્થા સાથે માને છે.

Categories
Entertainment

તમારે કેટલા ફેવરિટ સ્ટાર્સ છે શું તમને ખબર છે કે કેટલું ભણ્યા છે તમારા આ ફેવરિટ સ્ટાર્સ, કોઈએ કર્યું MBA તો કોઈએ કર્યો હોટલ મેનેજમેન્ટનો કોર્સ તે જાણો

મુંબઈઃ સ્મોલ સ્ક્રીન પરના સ્ટાર્સ રોજ દર્શકોનું મનોરંજન કરે છે. ટીવી સ્ટાર્સ માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ ડાન્સ પણ કરતા હોય છે. આ સાથે જ ટીવી સ્ટાર્સ સારું એવું ભણ્યા પણ હોય છે. આજે આપણે ટીવીના સૌથી એજ્યુકેટેડ સ્ટાર્સ અંગે વાત કરીશું.

દિવ્યાંકા ત્રિપાઠીઃ ટીવી સ્ક્રીનની સૌથી જાણીતી વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ નેહરુ ઈન્સ્ટીટ્યૂટમાંથી અભ્યાસ કર્યો છે. તેણે માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો છે. આટલું જ નહીં તે રાઈફલ શૂટિંગ પણ કરે છે. દિવ્યાંકાને ‘બનૂ મેં તેરી દુલ્હન’થી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તે ‘યે હૈ મહોબ્બતે’માં ઈશિતા ભલ્લાનો રોલ પ્લે કર્યો હતો.

કરણ સિંહ ગ્રોવરઃ ટીવી તથા બોલિવૂડમાં કામ કરનાર કરણ સિંહ ગ્રોવરે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેણે ‘કસૌટી જિંદગી કી’માં વિલનની ભૂમિકા ભજવી હતી. તે ટીવી શો ‘દિલ મિલ ગયે’માં જોવા મળ્યો હતો. કરણે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ સાથે લગ્ન કર્યાં છે.

રામ કપૂરઃ રામ કપૂર માત્ર ટીવી જ નહીં, બોલિવૂડમાં પણ એટલો જ જાણીતો છે. રામ કપૂરે લોસ એન્જલસમાંથી એક્ટિંગમાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે. તેણે ‘કસમ સે’, ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’, ‘મેરે ડેડ કી મારુતિ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.રૂપાલી ગાંગુલીઃ ‘અનુપમા’ શોથી લોકપ્રિય થનાર રૂપાલી ગાંગુલીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’, ‘પરવરિશ’ જેવા શોમાં જોવા મળી હતી.

મોહસિન ખાનઃ ટીવીના હેન્ડસમ હંક મોહસિન ખાને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આટલું જ નહીં તેણે મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. મોહસીને અનેક ટીવી શોમાં કામ કર્યું છે. જોકે, તેને ખરી લોકપ્રિયતા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી મળી છે. આ સિરિયલમાં તે કાર્તિકનો રોલ પ્લે કર્યો છે.દીપિકા સિંહઃ ‘દીયા ઔર બાતી હમ’થી ઘેરઘેર લોકપ્રિય થનાર દીપિકા સિંહે પંજાબમાંથી અભ્યાસ કર્યો છે. તેણે પંજાબની ટેક્નિકલ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.

Categories
Gujarat National

સલામ ! પટેલ દિકરી કામીની બહેન ના લીધે સાત લોકો ને નવુ જવન મળશે, બ્રેન ડેડ થતા અંગો નુ દાન કરાયુ

આજ ના સમય મા અનેક લોકો ને કોઈને કોઈ ખોડ ખાપણ હોય છે અને તેના લીધે જીવન મા ઘણી મુશ્કેલી ઓ નો સામનો પણ કરતા હોય છે ત્યારે દુનિયા મા એવા લોકો ની પણ કમી નથી કે જે અંગદાન કરી બીજા લોકો માટે ભગવાન નુ રુપ બનતા હોય છે. આવી જ એક ઘટના સુરત મા બની છે. જેના લીધે 7 લોકો ને નવુ જીવન મળશે.

ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતીવ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.૧૭ મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. અને વધુ સારવાર માટે સુરત ની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા. જયા તેમને ડોક્ટર ની ટીમ દ્વારા 5 જુન ના રોજ કામીની બહેન ને બ્રેન ડેડ જાહેર કરાયા હતા.

ડૉક્ટરે તેમને અંગદાન નુ મહત્વ સમજાવ્યું હતુ. અને કામિની બેન ના પરીવાર જનો દ્વારા આ માનવતા ભર્યો નિર્ણય લેવાયો હતો. કામિની પટેલના પતિ ભરતભાઈ અમેરિકાના ટાઇની સ્માઇલિંગ ફેસિસ ગ્રુપ સહિતની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેવો એ જણાવ્યું હતુ કે. “મારી પત્ની બ્રેઇન-ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તેનાં અંગોના દાન થકી ઑર્ગનની જરૂરિયાતવાળા દરદીઓને નવજીવન અપાશે. કામીની બહેન ના પાંચ મુખ્ય અંગ હદય,ફેફસાં,કિડની,લીવર અને ચક્ષુ દાન થી કોઈ ને નવુ જીવન મળશે અને આ તમામ અંગો થી કોઈ ના ચહેરા પર મુસ્કાન આવશે.

Categories
National

જીવનમાં કરવો પડશે ખુબજ મુશ્કેલીઓનો સામનો ઘરમાં ભૂલથી પણ ના લગાવો આ સ્થાન પર ઘડિયાળ

ઘડિયાળ નું કામ હોય છે યોગ્ય સમય બતાવવાનું. પરંતુ એ જ ઘડિયાળ જો ખોટી જગ્યા પર લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા દરેક ના ઘરમાં ઘડિયાળ હોય છે. પરંતુ લોકો લગભગ ઘડિયાળ ને ઘર ના કોઈ પણ દીવાલ પર લગાવી દે છે, પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ ઘડિયાળ ને વાસ્તુ ના હિસાબે જ લગાવવી જોઈએ. આજે અમે તમને જણાવી દઈએ વાસ્તુ ના હિસાબે ઘડિયાળ લગાવવા માટેની યોગ્ય રીત.

પેંડુલમ વાળી ઘડિયાળ લગાવવી : જો તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમ માં પેંડુલમ વાળી ઘડિયાળ લગાવવામાં આવે તો આ વાસ્તુ અનુસાર શુભ ગણાય છે. પેંડુલમ વાળી ઘડિયાળ દરેક કલાકે ટન ટન નો અવાજ કરે છે અને તમને સમય નો આભાસ કરાવે છે. આવી ઘડિયાળ લગાવવાથી ઘર માં બરકત બની રહેશે.

બંધ ઘડિયાળ ન રાખવી : ક્યારેય પણ બંધ ઘડિયાળ ને ઘર માં ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ ને રીપેર કરાવી લેવી અથવા તો બહાર ફેકી દેવી. કોઈ પણ બંધ ઘડિયાળ ને ઘર માં રાખવી એ અશુભ ગણાય છે. વાસ્તુ માં કહેવામાં આવ્યું છે કે રોકાઈ ગયેલો સમય તમારા જીવન ને પણ રોકી દે છે અને બધા કામ માં રુકાવટ ઉભી કરે છે. એટલા માટે તમારા ઘર માં પણ જો કોઈ બંધ ઘડિયાળ હોય તો તરત રીપેર કરાવી લેવી અથવા ફેકી દેવી.

દક્ષિણ દિશા માં ન લગાવવી જોઈએ ઘડિયાળ : દક્ષિણ દિશા માં ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ, કારણકે શાસ્ત્રો અનુસાર ઘર ના દક્ષિણ માં કાળ નો વાસ હોય છે. વાસ્તુ નું માનવામાં આવે તો દક્ષિણ દિશા માં ઘડિયાળ લગાવવી અશુભ ગણાય છે, કારણકે દિશા માં મૃત પરીજનની ની તસ્વીર લગાવવામાં આવે છે.વાસ્તુ અનુસાર ઘડિયાળ લગાવવાથી યોગ્ય સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે એ ત્રણેય દિશા પોજીટીવ એનર્જી વાળી હોય છે.

ઘર ના દરવાજા પર ન લગાવવી ઘડિયાળ : વાસ્તુ અનુસાર ઘડિયાળ ને ઘરના કોઈ પણ દરવાજા પર ન લગાવવી જોઈએ એને અશુભ માને છે. દરવાજા પર ઘડિયાળ લગાવવા નો મતલબ ઘર માં તનાવ ને આમંત્રણ આપવો થાય છે. એનાથી ઘર માં ટેન્શન નો માહોલ બની રહેશે. એવું એટલા માટે થાય છે કારણકે દરવાજા થી પસાર થતા સમયે નકારાત્મક એનર્જી નો પ્રવાહ થાય છે.

ઘડિયાળ નો આકાર : વાસ્તુમાં ઘડિયાળ નો આકાર પણ ખુબ જ ધ્યાનમાં રખાય છે. જો તમારા ઘર માં ગોળ, ચોરસ, અંડાકાર, ૮ અથવા ૬ ભુજા ની આકાર વાળી ઘડિયાળ હોય તો શુભ માનવામાં આવે છે. ઘર માં ત્રિકોણ આકાર ની ઘડિયાળ ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર આ પ્રકાર ની ઘડિયાળ અશુભ ગણાય છે.

Categories
Gujarat

રાજપરા વાળા ખોડીયાર માતાજી ના મંદીર ની આ બાબત તમે ચોક્કસ નહી જાણતા હોય

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ મા ખોડિયારના રોચક તથ્ય વિશે. મિત્રો તમને જણાવી દઇએ કે શુરા, ભક્ત, સંત, સાધુ અને સતીઓને જન્મ દેનાર સૌંજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પંથકમાં રોહિશાળા ગામમાં માદા શાખાના ચારણો રહેતા હતાં.

માદા ચારણો માં મામૈયા નામે અતિ ભક્તિનિષ્ઠ ચારણ રહેતો હતો. જે મામડિયા ભક્તના નામથી આખા પંથકમાં જાણીતો હતો. તેને ઘેર દેવળબાઇ નામે ગુણિયલ સ્ત્રી હતી. દેવળબાઇ પતિ મામડિયાની ભક્તિમાં સોગોપાગ સાથ દઈ રહી હતી. આ ભક્તિ પરાયણ ચારણદંપતી સાદાઇથી સેવા પરાયણ જીવન જીવી રહ્યા હતા.

દેવળબાઇનું પિયર વલ્લભીપુર ગામે હતું. એમનાં માતા-પિતા શિવભક્ત હતાં. તેથી એમના ભક્તિભાવ સંસ્કાર દેવળબાઇમાં ઉતર્યા હતા. એટલે મામડિયા ભક્તની શિવ ભક્તિમાં દેવળબાઇએ પતિની સાથોસાથ ભક્તિમાં મન પરોવી દીધું હતું તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી.

મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં.

તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા.

રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો.

આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેમને ત્યાં ભગવાન શિવનાં કહેવા મુજબ સાત દીકરીઓ અને એક દીકરો અવતર્યો, આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું હતું.

લમા ખોડિયારના પ્રાગટ્ય સમય અંગે જુદા-જુદા વિદ્વાનોના અલગ અલગ મત જોવા મળે છે જે નીચે મુજબ છે. રાજસ્થાનમાં ચારણો તેમનો જન્મ ચારણોનીં સઊવા શાખામાં રાજસ્થાનનાં ચાળક નેશમાં થયો છે તેમ કહે છે. તેમના કહેવા પ્રમાણે રાજસ્થાનમાં તોમડા ડુંગર ઉપર આઈ ખોડિયાર તથા તેમના બહેનોની ખાંભીઓ હાલમાં છે તેમ તેઓ કહે છે.

તેમનું કહેવું છે કે પછી કદાચ પરિસ્પિતિવશાત તેઓ બધા રોહીશાળામાં આવ્યા હશે પણ મામડીયા ચારણ તથા ૭ બહેનોનું મુળ વતન રાજસ્થાનમાં આવેલ ચાળક નેસ છે.
રાજસ્થાનમાં આઈ આવડ તથા આઈ ખોડિયારનાં મંદિરો પણ છે. રાજસ્થાનમાં આઈ ખોડિથારને ખોડલજી કહેવામાં આવે છે. પણ આ બાબતે તેઓ કોઈ આધારભુત પુરાવા આપતા નથી. ચારણી સાહિત્યની દંત કથાઓને આધારે તેવો ઉપર મુજબની માન્યતા ધરાવે છે ગુજરાતનાં મોટાભાગનાં વિદ્વાન ચારણો મામડીયા ચારણનું તથા તેમની પુત્રીઓનું જન્મ સ્થાન તથા રહેણાંક વળા પાસેનું રોહીંશાળા કહે છે.ખોડિયાર ગીતા પુસ્તકનાં લેખ બળદેવપ્રસાદ પનારા આઈ ખોડિયારનું મુળ વતન રાજસ્થાનમાં આવેલ ચાળક નેસ માને છે.

તથા માનુ સમાધી સ્થળ લોધીકા તાલુકાનું સાંગણવા ગામ છે. જયાં આઈ ખોડિયારનો પાળીયો છે. જેના ઉપર નાની ડેરી બનેલી છે. પણ કોઈ આધાર આપતા નથી મહાદેવી ખોડિયાર’ ના લેખક હરીલાલ ઉપાધ્યાય પણ ઉપર પ્રમાણે જન્મ સ્થળ ચાળકનેસ તથા સમાધી સાંગણવા કહે છે.સૂર્યવંશ-વાળા રાજપુતવંશ ના લેખક સહદૈવ સિંહ વાળા ખોડિયારનો જન્મ ઈ.સ. ૮૮૮ આસપાસ કહે છે ઉત્તર ગુજરાતમાં જોટાણા ગામ છે. ત્યાં આઈ ખોડિયાર મંદિર છે. આ મંદિરનાં સેવક તથા રામકથાકાર શ્રી મહેશ ચારણ આઈ ખોડિયારનું જન્મ સ્થળ રાજસ્થાનનોં ચાળકનેસ કહે છે.

પંછી ત્યાંથી સૌરાટ્રમાં રોહીશાળા આવ્યા અને આઈ ખોડિયારનો જન્મ સમય મહા સુદ -8 ને વિ.સ. ૮૦૮ કહે છે.વિદ્વાન ચારણ શ્રી પાતાભાઈ રતનું છઠ્ઠા સૈકામાં જનમ્યાનું કહે છે,
પીંગળશીભાઈ પાયક વિ.સ. ૯00 આસપાસ એટલે કે ઈ.સન 843 આસપાસ આઈ ખોડિયાર જનમ્યાનું કહે છે. ખોડિયાર ગીતા  પુસ્તકનાં લેખ બળદેવપ્રસાદ પનારા આઈ ખોડિયારની કથાનો સમય વિ. સં. ૮૩૫ આસપાસનો કહે છે.શ્રી અંબાદાન રોહડીયા ચારણ સાહિત્યના દુહાઓને આધારે માં આવડનોં જન્મ વિ. સ. ૮૮૮ અથવા વિ. સ. ૮૩૮ માં થયો હોવાનું મંતવ્ય ધરાવે છે.

રાજકોટનાં કનુભાઈ ગઢવી દુહાને આધારે વી.સ. ૭૮૨ કહે છે.પિંગળશીભાઈ પાયક ચૈત્ર સુદ ૯ વિ. સં. ૮૮૮ મા આઈ આવડના જન્મનું કહે છે શ્રી જયમલ પરમાર ખોડિયારનોં જન્મ ૮ થી ૧૦ મા સૈકામા થયો હોવાનું કહે છે શ્રી રતુદાન રોહડીયા આવડનો જન્મ વિ. સં. ૮૮૮માં થયો હોવાનું કહે છે.માટેલ મંદિરના મહંત બાપુનું કહેવુ છે કે આઈ ખોડિયાર સદેહે અહીં દેખાણા પછી ક્યાંય ફરી સદેહે દેખાયા નથી. આથી અહી માટેલીયા ધરામાં માએ જળસમાધિ લીધી છે

તેથી આઈ ખોડિયારનું સમાધિ સ્થળ માટેલીયો ધરો છે.ગળધરાના મહંત બાપુનું ક્હેવુ છેકે ભગવાન શીવ મામડીયાને નાગલોકમાં આ ગળધરેથી લઈ ગયા હતા. અને આ ગળધરેથી જ નાગકન્યા તથા ૧ નાગ( ભાઈ ) મામડીયા ચારણને ત્ચાં સંતાનરૂપે લીલા કરવા ગયા. લીલાકાર્ય પુર્ણ થતા મામડીયા ગઢવી બધાને અહીં પાછા ગળધરા મુકી ગયા. આથી આઈ ખોડિયારનું પ્રાગટ્ય (જન્મ) સ્થળ તથા દેહવિલય બન્નેંનું સ્થળ ગળધરો છે.