Categories
Entertainment

યુ ટ્યુબ પર ધુમ મચાવનાર શીતલ ઠાકોરનુ મુળ ગામ આ છે ! આવી રીતે ગાયકી ની શરુવાત કરી આજે આવુ જીવન…

આજે અમે એક એવી સિંગર વિશે જણાવીશું જેના સ્વર થકી અનેક લોકોનું દિલ જીત્યું છે. કિંજલ દવે અને ગીતા રબારી વિશે તો આપણે વાત કરીશું શીતલ ઠાકોર વિશે જેને આજે સંગીતની દુનિયામાં ખૂબ જ નામના મેળવી છે. તેમના અંગત જીવન વિશે જાણીએ તો શીતલ ઠાકોરનો જન્મ ગુજરાતના પાટણ શહેરની નજીક આવેલ ભાટસર ગામમાં ૨૧ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ થયો છે. શીતલ ઠાકોરનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો.

ગુજરાતનું પાટણ શહેર પણ ઘણું સારું અને વ્યવસ્થિત શહેર છે. શીતલ ઠાકોરના પરિવારમાં પિતા વિક્રમભાઈ ઠાકોર છે, ભાઈ અંકિત ઠાકોર અને મામા પ્રહલાદ ઠાકોર છે. શીતલ ઠાકોર હાલમાં અમદાવાદમાં પોતાના પરિવારની સાથે રહે છે.શીતલ ઠાકોરને તેના પરિવારના બધા જ સભ્યો પ્રત્યે અતિ લગાવ છે, શીતલ ઠાકોરને નાનપણથી જ ગાવાનો શોખ ધરાવે છે. અને ત્યાર પછી શીતલએ ધીરે ધીરે ગાયિકી ક્ષેત્રમાં પોતાના ડગ માંડવાના શરુ કરી દીધા હતા.

શીતલ ઠાકોર લોક ગાયિકા હોવાની સાથે જ એક અભિનેત્રી તરીકે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અત્યારે શીતલ ઠાકોરના ગીતો સાંભળવા માટે ઘણા બધા ફેંસ તૈયાર રહેતા હોય છે.શીતલ ઠાકોર વિષે હજી વધુ જણાવીએ કે, શીતલ ઠાકોરે ખુબ જ નાની ઉમરમાં જ ગુજરાતી ગાયિકા તરીકે લોકપ્રિય બની ગયા છે. ઉપરાંત અત્યારે શીતલ ઠાકોર એટલી બધી આગળ આવી ગયા છે કેટલાક પ્રખ્યાત કલાકારો સાથે ગીત ગાવાનો અવસર મળ્યો છે.શીતલ ઠાકોર દ્વારા ગાવામાં આવેલ પ્રથમ આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ ના એક ગીતમાં શીતલ ઠાકોર પોતાનો પરિચય આપ્યો છે. શીતલ ઠાકોરને તેના પહેલા ગીતની મદદથી ખુબ જ લોકપ્રિયતા મેળવી છે.

શીતલ ઠાકોરનો જન્મ થયો ત્યારે ઠાકોર પરિવાર ખુબ જ ગરીબ પરિસ્થિતિમાં હતા, પરતું હવે શીતલ ઠાકોર પોતાના પરિવારની પરિસ્થિતિથી ખુબ જ ખુશ જોવા મળે છે. શીતલ ઠાકોરને તેમના પરિવારના સભ્યો ખુબ જ પ્રેમ કરે છે. શીતલ ઠાકોરને નાનપણમાં ઘરે કેટલીક તકલીફો આવવાથી તેઓ પોતાના મામા પ્રહલાદ ઠાકોરના ઘરે ચાલ્યા ગયા હતા. પ્રહલાદ ઠાકોર ગીતકાર છે અને તેઓ ગીતો લખે પણ છે.

શીતલ ઠાકોરને નાનપણથી જ ગાવાનો શોખ છે અને તેઓ મામા પ્રહલાદ ઠાકોરના ઘરે ગયા પછી પોતાના સંગીત પ્રેમને આગળ વધારતા રહ્યા અને વર્ષ ૨૦૧૧માં શીતલ ઠાકોરે સંગીત ક્ષેત્રમાં કરિયર બનાવવાનું શરુ કરી દીધું હતું. શીતલ ઠાકોરએ પોતાના કરિયરની શરુઆતથી જ ઘણા બધા સુપરહિટ ગીતો આપ્યા છે જેના કારણે શીતલના સુરીલા સ્વરોના ફેંસ અત્યાર સુધીમાં ખુબ જ વધવા લાગ્યા અને હવે શીતલ ઠાકોરના ફેંસની સંખ્યા કરોડો સુધી પહોચી ગઈ છે.

શીતલ ઠાકોરનું પ્રાથમિક શિક્ષણ માદરે વતન પાટણના ભાટસર ગામમાં જ પૂર્ણ કર્યું છે. ત્યાર પછી શીતલ ઠાકોર પોતાના પરિવારની સાથે અમદાવાદમાં રહેવા માટે આવી ગયા છે. ત્યાર બાદ શીતલ ઠાકોરએ પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ અમદાવાદની ગુજરાત યુનીવર્સીટી માંથી પૂર્ણ કર્યો છે. આમ તો શીતલ ઠાકોરના સિંગિંગ કરિયરની શરુઆત વર્ષ ૨૦૧૧માં જ કરી દીધી હતી પરંતુ જયારે શીતલ ઠાકોરનું પોતાનું પહેલું આલ્બમ ‘ઠાકોર કુળની દીકરી’ પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારે શીતલ ઠાકોરના ‘ઠાકોર કુળની દીકરી’ને સફળતા મળ્યા પછી શીતલ ઠાકોરને સફળતા મળવા લાગી છે.

 

Categories
Entertainment

એન્ટીલીયા જેવું આલીશાન ઘર છોડીને વારંવાર અંબાણી પરિવાર જામનગરમાં જે ઘરમાં રહેવા આવે છે, એ ક્યાં આવેલું છે જાણો…

આપણે જાણીએ છે કે, અંબાણી પરિવાર મૂળ સૌરાષ્ટ્રનાં ચોરવાડ ગામમાં છે. રિલાયન્સ કંપનીની સ્થાપના ધીરુભાઇ અંબાણી અને ચંપકલાલ દામાણી દ્વારા 1960માં રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન તરીકે કરવામાં આવી હતી. 1965 માં, ભાગીદારી સમાપ્ત થઈ અને ધીરુભાઈએ પેઢીનો પોલિસ્ટર વ્યવસાય ચાલુ રાખ્યો.1966માં, રિલાયન્સ ટેક્સટાઇલ એન્જિનિયર્સ પ્રા. લિમિટેડ મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવી હતી આજે જામનગરમ આવેલ ટાઉનશીપ અંબાણી પરિવારની ઓળખ છે. આ ટાઉનશીપમાં અવારનવાર અંબાણી પરિવાર રહેવા માટે આવે છે, ત્યારે ચાલો અમે આપને આ ટાઉનશીપ વિશે જણાવીએ.

રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા TMC બંગલોઝની બાજુમાં અંબાણી પરિવારનું ભવ્ય નિવાસસ્થાન છે. અંબાણી પરિવાર અનેક વખત તેમનાં પરીવાર સાથે અહીં નિવાસ કરવા આવે છે.

ટાઉનશીપ એક શહેર સમાન છે, જ્યાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તમામ કર્મચારીઓને અહીં રહેવાની સુવિધાઓની સાથે તમામ જીવન જરૂરિયાત અને મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ છે.

જામનગર અને રિલાયન્સ રિફાઈનરીથી આજે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિફાઈનરીની ટાઉનશીપ ભાગ્યે જ કોઈ જોઈ હશે.ખાસ કરીને ટાઉનશીપમાં આવેલ અંબાણી નો બંગલો અતિ આલીશાન છે. હાલમાં જ અંબાણી પૌત્રનો જન્મદિવસ અહીં ઉજવેલ તેમજ કોરોનાકાળમાં અહીં રહેતા અને એક વખત તેમનાં પર હુમલો થતા અહીં આવી ગયા હતા.

હજુ સુધી રિયાલન્સ તરફથી આ અંગે કોઈ સમર્થન મળ્યું નથી. મહત્વની વાત એ છે કે, આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને રિલાયન્સ ટાઉનશીપમાં રહેવા આવતાં સમગ્ર જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો હતોરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી થોડે દૂર મોટી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં કર્મચારીઓ માટે રહેવા સહિતની અનેક હાઈટેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશે તો સૌ કોઈ જાણે છે પણ ત્યાં કામ કરતા લોકો કેવી જગ્યામાં રહે છે.

રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ગ્રીન્સ ટાઉનશિપમાં વિદ્યાવિહાર, ઓવલ પાર્ક, નર્સરી સ્કૂલ, ગેસ્ટ હાઉસ, ઓલ્ડ સિવિક સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, સિનેમા, ટેમ્પલ સહિત અનેક વિભાગો આવેલા છે. આ તસવીરો જોઈને તમારું મન મોહી જશે એ નક્કી છે.ખરેખર એન્ટીલિયા ની જેમ ટાઉનશીપમાં તેમનું ઘર તમામ સુવિધાઓથી સજ્જ છે અને ખાસ તો રીલાયન્સમાં આંબાવાડી આવેલ છે. હવે ટુંક સમયમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય બનશે.

 

Categories
Viral video

1900 ની સાલ મા આવી હતી નવરાત્રી! એવી દેશી ગરબા ની રમઝટ બોલતી કે વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો…. જુઓ વિડીઓ

આપણા ગુજરાતીઓની ખરી ઓળખ એટલે ગરબા છે કારણ કે ગરબા તો ગુજરાતીઓનું હૃદય છે અને કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે દરેક લોકો ગરબા અવશ્યપણે હોય છે.આજાન સમયમાં ગરબાનુ રૂપ ભલે બદલાય ગયું પરંતુ આજે પણ લોકો ગરબા સાથે એટલા જ ભાવથી જોડાયેલ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વર્ષ 1900 ની નવરાત્રીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ દેશી ગરબા ની રમઝટ બોલતી કે વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો….

આપણી આજની યુવા પેઢી જ્યારે મોર્ડન ગરબા રમતા થઈ ગયા છે, ત્યારે આ ગરબા નો વિડીયો દરેક યુવા પેઢીઓને ફરીથી એ આપણા પરંપરાગત ગરબાઓ રમવા તરફ દોરી જશે. ખરેખર પહેલા ભલે ન તો કોઈ ડીજે હતા કે ના તો રોશનીની ઝગમગતાં પરંતુ પહેલાના સમયમાં દરેક વ્યક્તિઓ ઉત્સાહ, ઉમંગની સાથે આરાધના હતી.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે શેરી ગરબામાં લોકો રાહડા રમી રહ્યા છે. તમે જોઈ શકશો કે એકદમ સાદગી રીતે સૌ કોઈ ગરબા રમી રહયા છે. તમે પહેરવેશ પણ જઈ શકો છો કે દરેક લોકોએ માત્ર સામાન્ય કપડા જ પહેર્યા છે છતાં પણ દરેક લોકોની અંદર ઉત્સાહ એવો જ છે જેઓ આજના યુવા પેઢીમાં ગરબા રમતી વખતે હોય છે.

માત્ર પહેરવેશ અને ગરબાના તાલ બદલાયા છે પરંતુ દરેક ભક્તજનોની અને શ્રદ્ધા તો આજે પણ એવી ને એવી જ છે.ગરબાની કોઈપણ વ્યાખ્યા ના કરી શકાય કારણ કે ગરબા એ આપણી સાથે જોડાયેલી આસ્થા અને એક માની આરાધના નું એક માર્ગ છે. દિવસ સૌ કોઈ લોકો તન મન અને ધનથી માની આરાધના કરે છે અને સાથે સાથ ગરબા જુએ છે અને આ ગરબામાં નવે નવ જોગણીઓ કોઈના કોઈ સ્વરૂપે આપણી સાથે પણ ગરબા આશિક પણે રમે છે.

સોશિયલ મીડિયામાં જ્યારે આ જુનો ગરબાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમારા જુના દિવસોને ફરી યાદ કરજો અને આ વિડીયો તમારા મિત્ર સાથે પણ જરૂરથી શેર કરજો. આ ગરબા જે રીતે ગવાઈ રહ્યાં છે, તે તમને કાન ગોપીની યાદ અપાવશે કારણ કે આ વિડીયોમાં બાપા જે રીતે ગરબા ગાઈ રહ્યા છે, એ જોઈને તમે પણ ગરબા રમવા આતુર બની જશો.

Categories
Gujarat

ગુજરાત નો આ પટેલ પરીવાર અમેરીકા મા જીવે છે રાજા મહારાજા જેવુ જીવન ! અને પોતાના મુળ વતન માટે…

કહેવાય છે ને કે, જગતમાં ગુજરાતીઓ નો જેટલો દબદબો છે એટલો બીજા કોઈનો નથી! આજે આપણે એક એવા દંપતીની વાત કરીશું જેઓ અમેરિકા ફ્લોરીડામાં રાજાશૈલી જીવન જીવે છે. આમ પણ ગુજરાતીઓનાં રગે રંગમાં ધંધાદારી વસેલી છે. આ દંપતી ભલે ડોકટર હતા પરતું તેમણે પોતાના કોઠા સૂઝ થી આજે અમેરિકા સૌથી મોટું ઘર બનાવ્યું છે અને આ ઘર મુકેશ અંબાણીનાં ઘર કરતા વિશેષ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો જન્મ આફ્રિકા ઝાબિયા ખાતે થયેલ હતો છતાં પણ તેઓ પોતાને આપમેળે જીવનમાં અથાગ પરિશ્રમ થકી સફળતા મેળવી છે. આપણે વાત કરીએ છે કે, ડો.કિરણ પટેલ અને ડૉ.પલ્લવી પટેલ ની જેઓ આજે અમેરિકા વસવાટ કરે છે અને બંને ભારતમાં રહેતા ન હોવા છતાં આજે તેઓ ભારતના અબજો રૂપીયાનું દાન કરેલ છે. આ દંપતી ખૂબ જ ખાસ છે, કારણ કે બંને પોતાની આપમેળે અને અથાગ મહેનત થકી તેઓ ધનવાન બન્યા છે.

કેરોલવૂડ વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટ્રાઉટ લેકની નજીક 17 એકર જમીન પર પટેલ પરિવારનું ઘર તૈયાર કરવામાં આ આવેલું છે. અંદાજે 35000 સ્ક્વેયર ફૂટમાં પથરાયેલ આલિશાન મકાનની ડિઝાઇન ભારતના કેટલાંક મહેલો પરથી ઇન્સ્પાયર્ડ છે. ડો. પટેલનું આ ઘર હિલ્સબરો કાઉન્ટીમાં સૌથી વિશાળ છે. અમેરિકા તેમનું વિશાળ આલીશાન બંગલો છે, જેમાં મુખ્ય બિલ્ડિંગમાં 8400 ફૂટના બે વિશાળ વિંગ છે. જેમાં એક તરફ ડો. પટેલ અને તેમનાં પત્ની રહે છે.

જ્યારે બીજા વિંગમાં તેમનો દીકરો પોતાના પરિવાર સાથે રહેછે તે સિવાય તે જ કમ્પાઉન્ડમાં તેમની બે દીકરીઓ માટે 7000 સ્ક્વેયર ફૂટના ઘર તૈયાર કરવામાં આવેલ છે તે સિવાય અહીંયા મંદિર, મિનિ થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કાર માટેનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનેન્સ બિલ્ડિંગ પણ તૈયાર કરવાનાં આવેલું છે.

હાલમાં ડો.કિરણ અને ડૉ.પલ્લવી બંને હાલમાં નિવૃત જીવન પસાર કરે છે, પરતું બને એક સમયે સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બંને પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પ્રેમ લગ્ન કર્યા અને આજે તેઓ બધા 15 સભ્યોના સંયુક્ત કુટુંબમાં એક જ ઘરમાં રહે છે જેમાં ઘર બધાનાં અલગ અલગ છે, છતાં પણ તેઓ એક જ રસોડે જમેં છે. ખરેખર આને કહેવાય સાચા ગુજરાતી જેમને અમેરિકામાં રહીને પણ પોતાના વતન માટે ઘણું કર્યું છે.

તેઓ આજે હોટેલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલ છે. જેમનાં થકી તેઓ ધનવાન બન્યા છે, જેમાં તેમને વધાર સફળતા ઇન્સ્યોર્સ કંપની ડૂબતી બચાવી અને 6000 કરોડ રૂપિયા ટર્ન ઓવર કરી દીધું અને ત્યારબાદ એજ કંપની 1300 કરોડમાં વેચી નાખી અને બસ પછી તેમણે હોટેલના બિઝનેસમાં આગળ વધ્યા અને એનું પરિણામ આજે આપણી સૌ સમક્ષ છે.ખરેખર ગુજરાતી હોવું એ ગર્વ ની વાત છે અને એમાં પણ કિરણ પટેલ પોતાની સામાન્ય પરિસ્થિતિઓમાં પોતાની જાત મહેનત થકી અથાગ પરીશ્રમ કરીને શ્રીમંત બન્યા અને એક મહાન દાનવીર બન્યા છે. તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.

Categories
Gujarat

સુરત મા 500 રુપીઆ લઈને આવેલા જયેશભાઈએ આવી રીતે કરોડો નુ સામ્રાજ્ય ઉભુ કર્યુ ! કુલ 30 થીયેટરો ના માલીક અને….

નસીબની રેખાઓ આપણા હાથમાં જન્મથી નથી હોતી પરંતુ સમય સાથે આપણે આપણું ભાગ્ય જાતે લખવાનું હોય છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની સંઘર્ષથી સફળતાની કહાની જણાવીશું જે તમને જીવનમાં એક સારો ઉપદેશ તો આપશે પરંતુ સાથોસાથ આત્મવિશ્વાસની એક જ્યોત પ્રગટ કરશે. દ્રઢમનો બળ સાથે તમે જીવમના કંઈ પણ કરી શકો.

રાજહંસ ગ્રુપની આજે બોલબાલા છે, ગુજરાતભરમાં તેમના કુલ 30 થિયેટર છે, તમને જણાવી દઈએ કે આ કંપનીના માલિક એટલે ભાવનગરના જયેશ દેસાઈ. જેમણે માત્ર 500 રૂપિયા લઈને કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું. ચાલો અમે આપને જણાવીએ કે કઈ રીતે 500 રૂપિયામાંથી 3000 કરોડો રૂપિયાની કંપનીનું નિર્માણ કર્યું. કહેવાય છે ને કે, જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે આકરી મહેનત કરવી પડે છે, જયેશ દેસાઈ એ પણ પોતાના જીવમમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આજે એ મુકામ પર પહોંચ્યા છે કે, જ્યાં સુધી પહોંચવું એ સામાન્ય વ્યક્તિ માટે સરળ નથી.

તમારો જન્મ ભલે ગરીબ પરિવારમાં થાય એ તમારું ભાગ્ય નથી પરંતુ તમે એ પરિસ્થિતિને બદલી શકો એ તમારું સદભાગ્ય જરૂર બની શકે. જયેશ દેસાઈનો જન્મ ભાવનગરના ગામમાં એક સામાન્ય પરિવારમાં થયેલો અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી છતાં પણ તેમણે જીવનની પરિસ્થિતિનો સ્વીકાર કરીને આત્મવિશ્વાસ સાથે જીવનમાં એવા સાહસ કર્યા કે જે તેમના માટે અતુલ્ય તક લઈને આવી.

ધંધાદારી તો જયેશ દેસાઈના લોહીમાં જ હતી કારણ કે તેમના પિતાને કરિયાણાની દુકાન હતી. જયેશના પરિવારમાં માતા-પિતા સિવાય 5 બાળકો હતા. આ કારણે જયેશ દેસાઈ એ શરૂઆતમાં જ પરિવારને ટેકો આપવા માટે ઓઇલ મિલમાંથી લોન પર તેલ લીધું અને તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું. જ્યારે જયેશના પિતાને આ કામની જાણ થઈ તો તેમણે જાતે જ તેને તેલ મોકલવાનું શરૂ કર્યું.

આ કામ સારી રીતે ચાલવા લાગ્યું અને પહેલા જ મહિનામાં જયેશને ₹10000 નો નફો થયો. થોડા દિવસો પછી જયેશે રાજહંસ ગ્રુપની સ્થાપના કરી. પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધરતી ન હોવાનું જોઈને જયેશે ફરી એકવાર બહાર જઈને ક્યાંક કામ કરવાનો પ્રયાસ કર્યો. માત્ર રૂ 500 લઈને સુરત તરફ પ્રયાણ કર્યું. તેણે તેના મિત્ર દ્વારા ભલામણ કરેલ હીરાના વેપારી પાસે થોડા દિવસ કામ કર્યું.

પછી તેને તેલ વેચવાનો વિચાર આવ્યો. એક મિત્રની મદદથી જયેશે ભાડે દુકાન લીધી અને તેલનો ધંધો શરૂ કર્યો. ત્યારે તેના વિસ્તારના અન્ય લોકોની જેમ જયેશ પણ કમાવા માટે મુંબઈ જવા માંગતો હતો. જયેશને મુંબઈના નાગદેવમાં નારાયણ ધ્રુવ સ્ટ્રીટમાં મહિને ₹300માં નોકરી મળી. અન્ય છ લોકો સાથે ભાડાના મકાનમાં રહેતા જયેશે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 1989માં જયેશ તેના પિતાની દુકાનમાં કામ કરવા પરત ફર્યો હતો. જયેશના આ વ્યવસાયે સારો દેખાવ કર્યો અને પ્રથમ વર્ષમાં દેશને ₹5,00,000 નો નફો થયો. આ પછી, તેણે નાના સેટમાં 2 ટેન્ક સાથે તેની બ્રાન્ડ રાજહંસ ઓઈલનો પાયો નાખ્યો. જયેશ કહે છે કે શરૂઆતમાં તે ફિલ્ટર કરેલ મગફળી અને કપાસના તેલનો ઉપયોગ કરતો હતો. પછી ધીમે ધીમે તેઓએ તેમનો કાર્યક્ષેત્ર ઘણા વિસ્તારોમાં વિસ્તાર્યો. જયેશ દેસાઈનું રાજહંસ ગ્રુપ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે. એક ઓઇલ કંપનીમાંથી આજે રાજહંસ ગ્રુપ કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.

રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રૂપ એક સફળ સફરનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે જેણે બિઝનેસ જગતમાં પોતાની ઓળખ બનાવી છે. 1996માં ખાદ્યતેલની નાની ફેક્ટરીથી શરૂ થયેલું, આજે રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રૂપ એ રિયલ્ટી, કન્ફેક્શનરી, એન્ટરટેઈનમેન્ટ, ઈ-કોમર્સ, ટેક્સટાઈલ અને હોસ્પિટાલિટીમાં કાર્યરત સૌથી ઝડપથી વિકસતા બિઝનેસ હાઉસમાંનું એક છે.

આજે રાજહંસ સિનેમા પાસે કુલ 30 મલ્ટિપ્લેક્સમાં 120 સ્ક્રીન છે જે હાઇટેક 3D, ડોલ્બી એટમોસ સરાઉન્ડ સાઉન્ડ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી મોટી સ્ક્રીન સાથે સૌથી અદ્યતન 2K પ્રોજેક્શનથી સજ્જ છે.વિવિધ વર્ટિકલ્સમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કામ કરતા 5500 થી વધુ કર્મચારીઓની તાકાત સાથે, રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપ ભારતમાં અગ્રણી સમૂહમાંનું એક મોખરે નામ છે.

Categories
bollywood

બૉલીવુડ જગત તથા ટીવી જગતના દરેક કલાકારોની આંખોમાં આંસુ આવી ગયા હતા જયારે આ કલાકારનું નિધન થયું ! 40 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા.

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં અનેક એવા મોટા કલાકારો ગાયક કલાકારો તથા એક્ટિંગ જગતના દિગ્ગ્જો હવે આ દુનિયામાં નથી રહ્યા, અમુક કલાકારો હાર્ટઅટેકને લીધે તો અમુક બીજી કોઈ તકલીફને કારણે મૌતને ભેટી ગયા છે. તમને ખબર જ હશે કે દિગ્ગ્જ કલાકાર એટલે કે શ્રીદેવી, ઋષિ કપૂર તથા સતીશ કૌશિક જેવા અનેક મોટા મોટા કલાકરો હવે આ દુનિયામાં નથી રહ્યા પણ તેમ છતાં આજે પણ તેમને યાદ કરવામાં આવે છે.

આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ કલાકાર વિશે જણાવાના છીએ જેણે સાવ નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ કલાકાર બીજું કોઈ નહીં પરંતુ સિદ્ધાર્થ શુક્લા છે. સિદ્ધાર્થ શુક્લાને તો તમે ઓળખતા જ હશો કે તેઓ બિગ બોસ વિનર રહી ચુક્યા છે તેમ જ અનેક ટીવી સિરિયલ તથા ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલ છે, પોતાની એક્ટિંગથી ટીવી જગતમાં લોહો બંધાનાર સિદ્ધાર્થ શુકલા હવે તો આ દુનિયામાં નથી રહ્યા.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બર 2021 ના રોજ તેમનું નિધન થયું હતું, ફક્ત 40 વર્ષની યંગ વયમાં જ તેમનો જીવ જતા પરિવારમાં તો શોકનું મોજું ફરી વળ્યું હતું પણ સાથો સાથ તેમના ફેન્સ પણ દુઃખના આંસુએ રડી પડ્યા હતા, ખબર અનુસાર સામે આવ્યું હતું કે તેમના મૃત્યુનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ હાર્ટઅટેક હોવાનું સામે આવ્યું હતું.

રોજ જિમ જવું તથા પોતાની બોડિફિટનેસ પર આટલું બધું ધ્યાન આપનાર સિદ્ધાર્થ શુકલાનું આટલી નાની વયની અંદર જ મૃત્યુ થઇ જતા સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું. સિધાર્થ શુકલાનું નિધન થાય તેની પેહલા તેઓએ પોતાની માં પાસેથી પાણી માંગ્યું હતું અને તબિયત સારી ન હોવાનું કહ્યું હતું જે બાદ તેઓ સુઈ ગયા હતા જે બાદ સવારે 8 વાગે તેઓ ન ઉઠતા તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ બજાવતા તબીબોએ તેઓને મૃત ઘોષિત કરતા સૌ કોઈ શોકમાં ગરકવાવ થયું હતું

સિદ્ધાર્થ શુકલા બિગ બોસ વિનર તો હતા જ તે પરંતુ સાથો સાથ તેઓએ”બાલિકા વધુ”,”સીઆઈડી”,”અજનબી” જેવી અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું તેમ જ બૉલીવુડની “હમ્પટી શર્મા કી દુલ્હનિયા” માં પણ પોતાનું કિરદાર નિભાવ્યું હતું.

Categories
Gujarat

યુવકના ખાતામાં અચાનક જ જમા થઈ ગયા 100 કરોડ રૂપિયા, હકીકત સામે અવી તો પગ તળેથી જમીન જ ખસકી ગઈ.. જાણો પૂરો મામલો

તમે સવારે ઉઠોને તમારા ખાતામાં અચાનકથી કરોડ રૂપિયા જમા થઈ જાય તો તમને કેવું લાગે? ખરેખર કોઈપણ વ્યક્તિ માટે આ તો જગતભરનું સુખ મળ્યાના સમાચાર છે, હાલમાં જ આમલામાં રહેતા એક યુવકના બેંક ખાતામાં અચાનક થોડા નહીં પરંતુ આખા 100 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો.

આવો મેસેજ યુવાનને મોબાઈલ ફોન પર આવતાં જ તેના હોશ ઉડી ગયા હતા. આ સમાચાર આખા અમલા નગરમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. ચાલો જાણીએ કે આખરે આટલા પૈસા સહાય માટે જમા થયા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સક્રિય થઈ ગઈ, કારણ કે ચૂંટણીના માહોલ વચ્ચે આવી ઘટના પ્રકાશમાં આવે તે પણ પોલીસ માટે તાત્કાલિક તપાસનો વિષય બની જાય છે.

યુવકે જાણ કરતાં જ પોલીસે બેંક ખોલીને ઉક્ત યુવાનનું ખાતું ચેક કર્યું ત્યારે પહાડ ખોદતા ઉંદરની કહેવત સાચી પડી. આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, આમલાનો એક યુવક કોઈ કામ માટે બેતુલ આવ્યો હતો, અચાનક તેના મોબાઈલ પર પંજાબ નેશનલ બેંકનો મેસેજ આવ્યો જેમાં તેના ખાતામાં 100 કરોડ રૂપિયા આવવાની માહિતી દેખાઈ.

હાલ ચૂંટણી આચારસંહિતા અમલમાં છે. એવી અટકળો પણ થઈ હતી કે શું આ નાણાં ચૂંટણીમાં વાપરવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ મામલાને ગંભીરતાથી લેતા એસપી સિદ્ધાર્થ ચૌધરીએ અમલા પોલીસને તપાસનો નિર્દેશ આપ્યો છે.

રવિવારની રજા હોવાના કારણે બેંક ખોલવામાં આવી હતી.જ્યારે યુવકના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર પરિસ્થિતિ પાણી જેવી સ્પષ્ટ થઈ ગઈ હતી, યુવાનોના ખાતામાં હતા માત્ર 700 રૂપિયા જ જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સોફ્ટવેરની સમસ્યાના કારણે આ મેસેજ અકસ્માતે યુવકના મોબાઈલ પર પહોંચી ગયો હતો.

જો ખરેખર 100 કરોડ રૂપિયા યુવકના ખાતામાં ક્યાંકથી ટ્રાન્સફર થયા હોત તો તેના ખાતામાં પણ આ રકમ દેખાઈ હોત. ગમે તે હોય, આ સમાચાર ચૂંટણીની મોસમમાં જાહેર થતાંની સાથે જ હલચલ મચાવી દે છેઆ અંગે તપાસ કરવામાં આવી છે. યુવકના ખાતામાં કોઈ રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યું નથી. સોફ્ટવેરમાં ટેકનિકલ સમસ્યાઓ આનું કારણ હોઈ શકે છે.

Categories
Gujarat

પિતાએ દીકરીના આવા અનોખા લગ્ન કરી પોતાનું સપનું પૂર્ણ કર્યું ! પ્રાઇવેટ જેટમાં કરાવ્યા દીકરીના લગ્ન,300 મેહમાન અને…જુઓ લગ્નની તસવીરો

મિત્રો હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે એવામાં રોજબરોજના એવા અનેક અનોખા લગ્નના કિસ્સાઓ તથા પ્રિવેડિંગ ફોટોશૂટના કિસ્સાઓ સામે આવતા જ રહેતા હોય છે,જેના વિષે જાણ્યા બાદ કોઈપણ હેરાન જ થઇ જતું હોય છે, તમને ખબર જ હશે કે બિઝનેસમેનો તથા મોટા મોટા સુપરસ્ટાર લોકો મોટા વિલા અથવા તો હોટેલમાં લગ્નનું આયોજન કરતા હોય છે પરંતુ શું તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ વ્યક્તિ પોતાની દીકરીના લગ્ન હવામાં કરે? ના નહિ જોયું હોય તો ચાલો અમે આ અનોખા લગ્ન વિશે જણાવીએ.


તમને જણાવી દઈએ કે UAE માંસ્થિત ભારતીય બિઝનેસમેન એવા દિલીપ પોપલે નામના મોટા બિઝનેસમેને પોતાની દીકરીના લગ્ન હવામાં કરાવ્યા હતા, એટલે કે તેઓએ પોતાની દીકરીના લગ્ન પ્રાઇવેટ જેટની અંદર કરાવ્યા હતા, આ લગ્નમાં 300 જેટલા મેહમાનોએ હાજરી આપી હતી અને આવા અનોખા લગ્ન પણ દુબઇ ખાતે જ યોજાયા હતા. આવા અનોખા લગ્નના હાલ અનેક એવા વિડીયો તથા સોશિયલ મીડિયા પર અનેક એવી તસવીરો વાયરલ થઇ રહી છે.

હાલ આ લગ્નની ચર્ચા તો પુરી દુનિયામાં થઇ રહી છે કારણ કે રિસોર્ટ તથા વિલાઓમાં તમે અનેક લગ્ન જોયા હશે પરંતુ આવા પ્રાઇવેટ જેટની અંદર લગ્ન કરવા તે ખુબ અનોખી વાત કહી શકાય. જાણવા મળ્યું છે કે દિલીપ પોપલે જવેલરીનો બિઝનેસ કરે છે જેણે 300 મેહમાન સાથે આસમાની ઉડાન ભરી હતી અને પોતાના દીકરીના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.

હાલ આ લગ્નની અનેક એવી તસવીરો તથા વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહયા છે, અમુક વીડિયોમાં જોઈ શકાય છે કે મેહમાનો વિમાનની અંદર જ ડાંસ કરતા જોવા મળી રહ્યા છે અને દરેક લોકો ખુબ જ સારી રીતે આ લગ્નને એન્જોય કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે વર-કન્યાએ મેહમાનો સાથે જ દુબઇથી લઈને ઓમાન સુધીની વિમાની સફર કરી હતી જેમાં 3 કલાક જેટલો સમય લાગ્યો હતો અને આ સમય દરમિયાન જ વર-કન્યાના લગ્ન કરવામાં આવ્યા હતા,દિલીપભાઈએ આ લગ્ન વિશે જણાવતા કહ્યું હતું કે હંમેશા મારું સપનું રહ્યું હતું કે હું મારી દીકરી માટે હંમેશા આવું જ કાંઈક કરવાનું સપનું જોયું હતું.

Categories
bollywood

ઈશા અંબાણીના જોડિયા બાળકોની બર્થ ડે પાર્ટીમાં બોલીવુડ સ્ટારનો જમાવડો! જુઓ આ ખાસ તસવીરો આવી સામે….

ભારતના સૌથી ધનિક પરિવારોમાંના એક, અંબાણી પરિવારે, તેમની પૌત્રી અને પૌત્રી કૃષ્ણા અને આદિયાના પ્રથમ જન્મદિવસ માટે એક ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું. 19 નવેમ્બર 2023 ના રોજ જન્મદિવસ પહેલાં, પરિવારે મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયામાં બાળકો માટે એક મેળાનું થીમ વાળો બર્થડેનું આયોજન કરેલ.

પાર્ટીમાં એક સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટ હતી, જેમાં શાહરૂખ ખાન, કેટરીના કૈફ, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, કિયારા અડવાણી, કરણ જોહર અને અન્ય સહિત હતા. મહેમાનોએ બાળકો સાથે રમીને અને તેમની સાથે સમય પસાર કર્યો.

બર્થ ડે પાર્ટીની ઘણી તસવીરો અને વિડિઓઝ સોશિયલ મીડિયા પર સામે આવી છે. એક તસવીરમાં, કૃષ્ણા અને આદિયા એક રંગીન મેળાનું દ્રશ્ય સામે ઉભા છે. બીજી તસવીરમાં, તેઓ તેમના માતા-પિતા, ઈશા અને આનંદ સાથે સ્મિત કરતી જોવા મળે છે.

બાળકોના જન્મદિવસ માટે અંબાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલો ઉત્સવ તેમની ભવ્ય જીવનશૈલીનું એક વધુ ઉદાહરણ છે. તે એ પણ સૂચવે છે કે તેઓ તેમના બાળકો માટે એક સુખી અને યાદગાર બાળપણ બનાવવા માટે સમર્પિત છે.

ખાસ કરીને કૃષ્ણા અને આદિયાની પ્રથમ તસવીર છે. તસવીરમાં, તેઓ એક સફેદ રંગની પોશાક પહેરે છે અને એકબીજાને જોઈને સ્મિત કરી રહ્યા છે. તસવીરમાં તેમના માતા-પિતા પણ દેખાઈ રહ્યા છે.

કૃષ્ણા અને આદિયાની આ તસવીર તેમના પરિવાર અને મિત્રો માટે એક ખાસ ભેટ છે. તે એ પણ સૂચવે છે કે તેઓ તેમના જીવનના પ્રથમ વર્ષમાં સારી રીતે વિકસી રહ્યા છે.

કૃષ્ણા અને આદિયાના જન્મદિવસનો ઉત્સવ તેમના માતા-પિતા અને પરિવાર માટે એક વિશેષ પ્રસંગ હતો. હાલમાં ચારો તરફ માત્ર એમની જ ચર્ચાઓ થઈ રહી છે, ખરેખર અંબાણી પરિવાર હમેશાં ચર્ચામાં રહે છે.

Categories
Gujarat

આદસંગી હનુમાનજીએ ખજૂરભાઈની આ ખાસ માનતાને કરી પૂર્ણ!! ખુદ ખજૂરભાઈએ જણાવી આ વાત, શું માનતા હતી?? જુઓ વિડીયો

આ જગતમાં દરેક માનવી ભગવાન પર ભરોસો રાખે છે, કારણ કે ભગવાન આજ નહી તો કાલ પણ સૌની મનોકાનાઓ પૂર્ણ કરે છે. આપણે જાણીએ છે કે લોકો ભગવાન પાસે માનતા રાખે છે. માનતા એ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને તેમને પોતાની લાગણી ની ભેટ આપવાની એક કેડી છે. હાલમાં જ ગૂજરાતના લોકપ્રિય કલાકાર ખજૂર ભાઈએ પણ પોતાની માનતા વિશે જણાવ્યું.

ખજૂર ભાઈનોમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ખજૂર્ભાઈ આદસંગી હનુમાનજીના મંદિરમાં બેઠા છે, અને તેઓ પોતાના મનની વાત જણાવતા કહે છે કે, તમને જો વિઝા ન મળે તો મારું નામ બદલી નાખજો.

હું મારા ભાઈ તનું જાની એટલે લાલાભાઇની વાત કરું તો તેમના અમેરિકાના વિઝા કેન્સલ થયેલા અને લોકોનુ ક છે કે અમેરિકાના એકવાર વિઝા કેન્સલ થાય તો બીજીવાર નથી મળતા એટલે હું અહીંયા દાદાના દરબારમાં આવ્યો અને દાદાને દિલથી પ્રાર્થના કરી કે મારા ભાઈ ને મહેશ દાદાને વિઝા મળી જાય તો હું ગામને જમાડી અને મંદિરમાં હવન કરીશ.

દાદા મારી પ્રાથના સાંભળી અને બનેને વિઝા મળી ગયા, તમને પણ વિઝા ન મળતા હોય તો સાવરકુંડલા પાસે આવેલ આદસંગ ગામમાં આવેલ હનુમાનજીના દર્શન કરજો દાદા તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. ખરેખર હનુમાનજી તો હાજરા હજૂર છે અને સૌ કોઈના કામ પલભરમાં પૂરા કરે છે.

દાદા મારી પ્રાથના સાંભળી અને બનેને વિઝા મળી ગયા, તમને પણ વિઝા ન મળતા હોય તો સાવરકુંડલા પાસે આવેલ આદસંગ ગામમાં આવેલ હનુમાનજીના દર્શન કરજો દાદા તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. ખરેખર હનુમાનજી તો હાજરા હજૂર છે અને સૌ કોઈના કામ પલભરમાં પૂરા કરે છે.