Gujarat

બનાસકાંઠા: બાળકનો જન્મદિવસ જ બન્યો મરણદિવસ ! દાડમના એક દાણાએ લીધો જીવ…પુરી ઘટના જાણી તમે પણ ભાવુક થઇ જશો

Spread the love

મિત્રો આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત ગોઝારું અકસ્માત, તો વળી કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે તેવામાં હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક નાના બાળકનું મૃત્યુ થયું છે આ મૃત્યુ પાછળનું કારણ ફક્ત ને ફક્ત એક દાડમનો દાણો છે ચાલો તમને આ સમાચાર વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો મૃત્યુની આ ઘટના બનાસકાંઠાના દિયોદર ગામ માંથી સામે આવી રહી છે. જ્યાં ગોકુળનાગર વિસ્તારમાં રમતા રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફંસાઈ ગયો હતો અને એજ ક્ષણે બાળક નો શ્વાસ રૂંધાઇ ગયો હતો. જે બાદ તેને તરતજ નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યો પરંતુ ડોકટરે તપાસ કરતા તેમણે બાળકને મૃત જાહેર કર્યો હતો.

બાળકના મૃત્યુ થી સમગ્ર કુટુંબમાં ગમગીની ફેલાઈ ગઈ છે. આમ આ સાથે મળતી માહિતી પ્રમાણે બાળકના જન્મદિવસે જ આ દુઃખદ ઘટના બની હતી. જન્મદિવસની ઉજવણીને લઈને ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ દુઃખદ ઘટના બનતા બાળકનું મૃત્યુ થયું છે. આમ આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવેલા છે. જેની પાછળ પરિવાર અને માં બાપની બેદરકરી પણ જોવા મળતી હોઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *