અત્યાર ના ભારત મા હજુ ઘણા એવા લોકો છે કે જૂની પરંપરાઓ ને વળગી ને જીવન જીવે છે. અને અમુક ખોટી માન્યતાઓ સાથે જીવન જીવતા નજરે ચડે છે. અમુક વર્ગ એવો છે કે જે શિક્ષિત હોવા છતાં આવા અમુક રૂઢિચુસ્ત ખ્યાલો સાથે જીવન જીવી રહ્યો છે. અને આજના ભારત મા એવા અમુક કિસ્સાઓ સામે આવતા જ હોય છે. એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશ જિલ્લા નો સામે આવ્યો છે.
ઉત્તરપ્રદેશ ના બાંદા જિલ્લામાં રહેવાવાળી ભાજપની જિલ્લા પંચાયત સભ્ય શ્વેતા સિંહ ગૌર. શ્વેતા સિંહ ગૌર ને ત્રણ પુત્રીઓ છે તેના પતિ નું નામ દીપક સિંહ ગૌર અને સસરા આરબી સિંહ કે જે રિટાયર્ડ ડીઆઈજી છે. આ ઘટના મા સ્વેતા સિંહ ગૌર ને ત્રણ દીકરીઓ હોય તેના પતિ તેના સસરા ને દીકરો જોતો હોય અને તેને આ બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું. અને સ્વેતા સિંહે આખરે ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હતો.
સ્વેતા સિંહ ની ત્રણ દીકરીઓ ના નિવેદન મા જાણવા મળ્યું કે, તેના પિતા તેના દાદા તેની માતા ને દરરોજ મેણાં ટોણા મારતા હતા અને કહેતા હતા કે આને છૂટાછેડા આપી દો. અને તેના પુત્ર ને બીજા લગ્ન જરવા કહ્યું હતું. બાદ માં સ્વૈતા સિંહ આ વાત થી કંટાળી ગયા હોય તેને આ પગલું ભર્યું હતું. સ્વેતા સિંહે આ બાબતે પોતાની માતા ને ન્યાય મળે તે માટે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ ને અરજીઓ કરી હતી. ગુરુવારે સવારે, શ્વેતાના પરિવારના સભ્યોએ તેના પતિ સહિત તમામ આરોપીઓની ધરપકડની માંગ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો.
દરમિયાન મા ધારાસભ્ય પ્રકાશ દ્વિવેદી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્યની હાજરીમાં બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી. શ્વેતાના મામાના સંબંધીઓ આ શરતે અંતિમ સંસ્કાર કરવા માટે સંમત થયા જ્યારે શ્વેતાના સસરા, નિવૃત્ત ડીઆઈજી આરબી સિંહે દીપકને ખાતરી આપી કે અડધી મિલકત ત્રણેય પુત્રીઓના નામે રહેશે. આ પછી શ્વેતાના હરદૌલી ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ફોર્સ પણ હાજર હતો.
શ્વેતા સિંહ પિતા ધરમવીર સિંહે કોતવાલી પોલીસમાં ફરિયાદ કરી છે. તેના આધારે પોલીસે શ્વેતાના પતિ દીપક સિંહ ગૌર અને સસરા રિટાયર્ડ ડીઆઈજી આરબી સિંહ સહિત સાસુ અને વહુ વિરુદ્ધ હત્યા અને દહેજ એક્ટની કલમો હેઠળ રિપોર્ટ નોંધ્યો છે. 498A IPC અને 3/4 દહેજ ધારાની કલમ 302 સહિત આરોપીઓ સામે નોંધવામાં આવી છે. અને પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.