Categories
Helth

શું તમે પણ છો પાતળા અને મહેનત કરવા છતાં પણ નથી વધતો વજન તો સાવધાન ! છોડી આટલી વસ્તુ નહીતો……

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીર ના યોગ્ય વિકાસ અને તેને પૂરતું પોષણ મળવું જરૂરી છે. જો શરીર ને પૂરતા પોશાક તત્વ ના મળે તો શરીર તંદુરસ્ત રહેતું નથી અને તેના કારણે અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. જો કે તંદુરસ્ત રહેવા માટે તમારે વધુ કંઈ કરવાની જરૂર નથી ફક્ત પૌષ્ટિક આહાર અને યોગ્ય જીવનશૈલી ઉપરાંત થોડી કસરત કરવાની જરૂર છે. આ માટે આપણે ઘણા ઘરેલુ ઉપાય કરીને અને પોતાની જાતને સંતુલિત કરવાની જરૂર હોઈ છે. જો કે ઘણી વ્યક્તિઓ તમામ પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખતી હોઈ છતાં પણ તેને કોઈ ફાયદો થતો નથી.

જેમકે જો વાત દુબળા વ્યક્તિઓ અંગે કરીએ તો તેઓ પોતાનું શરીર સ્વસ્થ રાખવા અને વજન વધારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરતા હોઈ છે છતાં પણ તેમનું વજન વધતું નથી. જેની પાછળનું કારણ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અમુક પ્રકારની ભૂલો અને અમુક ખરાબ આદતો જવાબદાર છે. જેના કારણે વ્યક્તિ ઘણીજ મહેનત કરે છતાં પણ તે વજન વધારી શક્તિ નથી. જો તમે પણ છો આ સમસ્યાથી પરેશાન અને લોકો તમારો મજાક તમારા ઓછા વજન ના કારણે ઉડાવે છે. અને જો તમારી ઈચ્છા આવા લોકોના મજાક નો જવાબ વજન વધારીને દેવો હોઈ તો આ લેખ તમારા માટે છે આજે આપણે અહીં એવી અમુક બાબતો અંગે વાત કરવાની છે કે જે ભૂલ લોકો કરે છે અને તેમનું વજન વધતું નથી, જો તમારી ઈચ્છા વજન વધારવાની હોઈ તો કરો માત્ર આટલું કામ…

જો તમારે વજન વધારવું હોઈ તો સૌથી પહેલા તણાવ હળવો કરવો પડશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય મોર્ડન અને આધુનિક સમય છે હાલના સમયમાં લોકો પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને તેમને પોતાના કામ ઉપરાંત અનેક પ્રકારની અન્ય સમસ્યાઓ પણ જોવા મળે છે. આવી સમસ્યાઓ ના કારણે વ્યક્તિ સતત તણાવ ગ્રસ્ત જીવન જીવે છે, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તણાવ એ શરીર ને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જેના કારણે વ્યક્તિ ગમ્મે તેટલું પૌષ્ટિક ખોરાક લે છતાં પણ તેની અસર તેના પર થતી નથી. માટે જ જીવન માં તણાવ દૂર કરી અને હસતા રહેવું અને પ્રફુલિત રહેવું શરીર માટે ફાયદા કારક ગણાય છે.

વજન ના વધવાનું બીજું અગત્યનું કારણ પૌષ્ટિક ખોરાક શરીર ને ના મળવાને ગણી શકાય છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવને ને જીવવા અને ટકાવી રાખવા માટે ખોરાક કેટલો જરૂરી છે. શરીર માટે પોષણ ક્ષમ વસ્તુઓ અને પોષ્ટિકતા મેળવવા માટે સૌથી વધુ મહત્વનું જો કોઈ પાસું હોઈ તો તે ખોરાક હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે ખોરાકમાં ઘણા પોષક તત્વો હોઈ છે. પરંતુ આજના સમય માં લોકોને ઘરના પૌષ્ટિક આહાર કરતા બહારનો જંકફૂડ ઘણું પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે બહારનો ખોરાક ઘરના ખોરાક કરતા ઓછો પૌષ્ટિક હોઈ છે. જેના કારણે વ્યક્તિ જયારે આવો સંતુલિત અને પૌષ્ટિક ખોરાક લેતો નથી ત્યારે તેની તબિયત બગડે છે. માટે જ શરીર ને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે.

આ ઉપરાંત વ્યક્તિને જીવનમાં ખુશ રહેવું જરૂરી છે. જયારે વ્યક્તિ પોતે ખુશ હોઈ ત્યારે કોઈ પણ ખરાબ બાબતો તેના પર હાવી થતી નથી અને તે તણાવ અને ડિપ્રેસન જેવી ગંભીર બીમારીઓ અને અન્ય બીમારીઓથી પણ દૂર રહી શકે છે. આ ઉપરાંત અપને સૌ જાણીએ છીએ કે હસવું માનવી માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે જેના કારણે શરીર માં લોહીનો પ્રવાહ સારી રીતે થઇ શકે છે. અને મોઢા પર ચમક આવે છે. શરીર માં લોહીનો પ્રવાહ સારો રહેતા શરીર તંદુરસ્ત રહે છે.

આ ઉપરાંત અમુક વ્યક્તિઓ અમુક પ્રકારની વસ્તુઓના સેવનથી પરહેજ કરે છે. જે પૈકી ફેટ વળી વસ્તુઓનું સેવન એક છે લોકોના કહેવા અનુસાર ફેટ વળી વસ્તુઓનું સેવન શરીર માટે ઘાતક છે પરંતુ જણાવી દઈએ કે શરીર માં થોડા પ્રમાણમાં ફેટ હોવું જરૂરી છે. જેના કારણે શરીર માં સંતુલન જળવાઈ રહે. તેવી જ રીતે ગળી વસ્તુઓ નું સેવન પણ શરીર માટે જરૂરી છેજો તમે શરીર નો વજન વધારવો હોઈ તો ગળી વસ્તુઓ ખાવી જરૂરી છે જેના કારણે શરીર માં વજન વધવામા મદદ મળે છે પરંતુ અમુક લોકો આ બંને વસ્તુઓ ખાતા નથી પરિણામે તેમનું વજન પણ વધતું નથી.

Categories
Helth

જો તમે પણ પીડાઇ રહ્યા છો આ બીમારી થી તો રહેજો ખજૂરથી દૂર નહીંતો થશે આટલા નુક્સાન…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવ શરીર એ કુદરત ની ઘણી જટિલ રચના છે. કુદરત દ્વારા બક્ષવામા આવેલ આ અમૂલ્ય શરીર ઘણી વખત બીમારી ઓ નો પણ ભોગ બને છે વળી આવી બીમારી ઓ થી સ્વસ્થ રહેવા માટે આપણા શસ્ત્રો મા અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને ખોરાક ના યોગ્ય સેવન વડે આપણે કઈ રીતે સ્વસ્થ થઈ શકીએ તે પણ દર્શાવવામાં આવ્યું છે.

આપણે સૌ જાણીએ છિએ કે આપણે જે પણ ખોરાક ખાઈએ છિએ તેમાં અલગ અલગ અનેક ગુણો હોઈ છે જે શરીર માટે ઘણા ફાયદા કારક ગણાય છે જોકે આવા ખોરાક નું યોગ્ય માત્રા માં જ સેવન કરવું જોઈએ નહીંતો તેના પણ ગેર લાભ જોવા મળે છે આપણે અહીં એક એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જેના સેવન ના ઘણા ફાયદા તો છે પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન નુકસાન કારક પણ સાબિત થાય છે.

આપણે અહીં ખજૂર વિશે વાત કરવાની છે તમને જણાવી દઈએ કે નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 થી વધુ ખજૂર ન ખાવા જોઈએ આપણે સૌ જાણીએ છિએ કે ખજૂરમાં ડાયેટરી ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન અને વિટામિન બી6 અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

આ ઉપરાંત ખજૂર નું દૂધ સાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે તેમજ તેમાં રહેલ ફાઈબરની ભરપૂર માત્રા મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ દિવસમાં 5 થી વધુ ખજૂર ખાવાથી તમને નુકસાન થશે નીચેની બિમારી ઓ માં ખજૂર નું સેવન કરવું હિતાવહ નથી.

હાયપરક્લેમિયા તમને જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ ની માત્રા વધુ પ્રમાણમાં હોઈ છે માટે જ ખજૂર ના વધુ સેવનથી શરીરમાં પોટેશિયમનું સ્તર વધુ જાય છે આ સ્થિતિને હાયપરક્લેમિયા કહેવામાં આવે છે જેના કારણે શરીર માં ઉબકા અને મૂર્છા ઉપરાંત સ્નાયુઓની નબળાઈ કળતર અને આંચકી જોવા મળે છે.

અસ્થમામા ઘણા લોકો ને ખજૂર ના સેવનથી એલર્જીનું કારણ બને છે તેવામાં જો કોઈ વ્યક્તિ અસ્થમાની સમસ્યાથી પીડાઇ રહી હોઈ તો તેવા વ્યક્તિઓ ને ખજૂર ખાવાથી તે વધી શકે છે જે બાબત અંગે અસ્થમાના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું ડાયાબિટીસ ઉપરાંત બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે આપણે સૌ જાણીએ છિએ કે ખજૂર માં પુસ્કળ પ્રમાણમાં પ્રાકૃતિક મીઠીશ હોય છે જેના કારણે ખજૂર ના વધુ સેવનથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધવાનું જોખમ રહેલું છે.

Categories
Helth

પનીર ખાનાર લોકો નહીં જાણતા હોઈ તેના ફાયદા ! આવી રીતે કરેલ પનીર નું સેવન અનેક સમસ્યાઓ માંથી અપાવે છે મુક્તિ અને જોવા મળશે યુવાની નો…………..

મિત્રો આપણે સૌ અલગ અલગ વસ્તુઓ ખાવાના શોખીન હોઈએ છીએ અને અવનવા સ્વાદ ની વસ્તુઓ ખાવી આપણને પસંદ હોઈ છે. વળી તમને જણાવી દઈએ કે આપણા શરીર માટે અમુક વસ્તુઓ નું સેવન ઘણું જ ફાયદા કારક ગણાય છે. એટલે કે તમારે તંદુરસ્ત રહેવા માટે વધુ કઈ નહીં પરંતુ ખોરાક ખાવાનો છે. પરંતુ શરીરની તંદુરસ્તી તમે શું ખાવ છો ? અને કેવી રીતે ખાવ છો ? તેના પર નિર્ભર કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે માનવ શરીર ને જીવન જીવવા માટે ખોરાક અને પાણી અનિવાર્ય છે. ખોરાક માં રહેલા અનેક ગુણો ના કારણે માનવ શરીર તંદુરસ્ત રહે છે. આપણે આજે એક એવી વસ્તુ કે જેવા સેવન ના કારણે શરીર ને અનેક ફાયદા થાઈ છે તેના વિશે વાત કરવાની છે. આપણે અહીં પનીર અને તેનું સેવન કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મોટા ભાગના લોકોને પનીર ખાવુ ઘણું જ પસંદ હોય છે. તેના સ્વાદને કારણે પનીરનો ઉપયોગ અનેક વાનગીઓમાં થાય છે. પણ શું તમે જાણો છો કે પનીર ખાવાથી વૃદ્ધત્વની અસર ઓછી થઈ શકે છે ? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પનીર નું યોગ્ય રીતે સેવન કરવાથી ત્વચા કુદરતી રીતે સુંદર અને ગ્લોઈંગ રહે છે. તો ચાલો પનીર ના ફાયદા અને તેને કઇ રીતે સેવન કરવું તેના વિશે વાત કરીએ.

તેલ અને મસાલા ઉપરાંત મીઠા વગર કરો સેવન:- આયુર્વેદમા જણાવ્યા મુજબ જો તમારે પનીર ના ગુણો મેળવવા હોઈ તો તેને મીઠા વગર ખાવું જોઈએ. આપણે સૌ જાણીએ છિએ કે હાલ લોકો તેને શાહી પનીર, કઢાઈ પનીર, જેવી અલગ અલગ વાનગીઓ ખાવી પસંદ પડે છે, પણ આ વાનગીઓ ખાવાથી પનીરનો પૂરો ફાયદો મળતો નથી. તમને જણાવી દઈએ કે પનીરને તેલ ઉપરાંત મસાલા અને મીઠા સાથે ખાવાથી તેના ગુણો ઘટે છે.

કાચું પનીર ખાવું ઉપયોગી:- નિષ્ણાતોના મતે દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. વળી કાચું પનીર ખાવું શરીર માટે ગુણકારી મનાય છે. તમે આ કાચા પનીર માં કાળા મરી અને ધાણા પાવડર અથવા ચાટ મસાલો ઉમેરીને સ્વાદ માટે ખાઈ શકો છો.

જો વાત પનીર ના ફાયદાઓ વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે પનીરમાં લેક્ટિક એસિડ હોય છે આ એસિડ ચામડીના કોષોને અંદરથી સાજા કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પનીર માં રહેલા પ્રોટીન ચામડી માં નવા કોષો બનાવવામાં મદદરૂપ થાય છે. જેની મદદથી ત્વચા પર ચમક આવે છે.

આટલું જ નહીં પરંતુ પનીર ના સેવનથી ચરબી વધતી નથી. ઉપરાંત તે ચામડી ને કોમળ રહે છે. પનીર ની મદદથી મસાજ પણ કરી શકાય છે. પનીર શરીર માં કુદરતી લુબ્રિકન્ટ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે.

Categories
Helth

આ છોકરી ને એવી વિચિત્ર બીમારી થઈ કે શરીર વૃક્ષ જેવું બનવા લાગ્યું….

આ ઘટના એ બાંગ્લાદેશના એક નાના ગામ ની છે, જ્યાં મજુરી કરી ને ગુજારો કરવા વાળું મોહમ્મદ શાહજહાની છોકરીને એક વિચિત્ર બીમારીનો શિકાર બની જેના વિશે તમે જાણીને આશ્ચર્યચકિત થય જશો. મોહમ્મદ શાહજાહની છોકરી જેનું નામ સુહાના ખાતુન હતું એ એક એવી બીમારીનો શિકાર થય જેનાથી એ વૃક્ષમાં પરિવર્તિત થય રહી હતી.આ છોકરીના મોઢા પર અને શરીર પર ઘણા બધા મસ્સા ઉભરી રહ્યા હતા જેમાં તમને વૃક્ષના મૂળ જોવા મળશે.

આશ્ચર્યચકિત કરી દે એવી આ બીમારી નું નામ એપીડમોડીસ્પ્લાસીયા વેરુસીફોર્મીસ છે. અને તમને જણાવી દઈએ કે આ બીમારી ની શિકાર બની હોય તેવી આ સુહાના ખાતુન એ પેહલી વ્યક્તિ નથી.દુનિયામાં ૬ કે ૭ લોકો એ આ બીમારી ના શિકાર બની ગયેલા છે. પરંતુ હાલમાં સુહાના ખાતુન એ પેહલી બાંગ્લાદેશી વ્યક્તિ હશે જે આ બીમારીનો શિકાર બની હોય. સુહાના ખાતુનની માતા નથી એનું મૃત્યુ ત્યારે જ થયું હતું જયારે સુહાના એ ૬ વર્ષની હતી.

આજથી ચાર વર્ષ પેહલા તેના મોઢા પર મસ્સા આવવાની શરુઆત થય ગઈ હતી.તે સમયે તેના પિતાએ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ને ગ્રામીણ ઉપચાર માં ભરતી કરી.પણ તેન થોડી પણ અસર એ તેના પર જોવા મળી નોતી.ગ્રામીણઓ એ ખુદ પોતે ચિંતા જતાવી હતી. એક વર્ષ બાદ મસ્સાએ ઝડપથી વધવા લાગ્યા ,તે ધીરે ધીરે ચેહરાથી લઇ ને પુરા શરીર પર થવા લાગ્યા.

મસ્સા એટલા બધા ભયાનક હતા કે ગામ વાળાએ પણ મોહમ્મદ શાહજહાં અને તેની છોકરીનો સાથ છોડી દિધો અને તેને ભલું બુરું કેહવાનું શરુ કરી દીધું.જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ મસ્સામાં ઝાડના મૂળ અને ડાળખીઓની ઝલક સાફ સાફ દેખાવા લાગી. આવા હાલાતથી લાચાર પિતા પુત્રી કેટલી મેહનત કર્યાં બાદ થોડાક પૈસા ભેગા કર્યાં અને ઢાકા ઈલાજમાટે લઇ ગયા. હજી સુધી ઈલાજ શરુ જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Helth

જો તમે પણ ચા રોજ પિવો છો તો આ ખાસ વાંચો નકર પડશો મોટી મુશ્કેલી મા…

અત્યારે વધુ પડતા લોકો એ દિવસની શરુઆત એ ચા કે કોફીથી કરતા હોય છે.તો આપણે તેના ફાયદા અને ગેરફાયદા જાણવા જરૂરી છે.ઘણા લોકને ચા કે કોફી ની લત લાગી હોય છે ને તે દિવસમાં ઘણી વાર ચા નું કે કોફી નું સેવન કરે છે.શિયાળાની ઋતુમાં તો લોકો એ ગરમી માટે ઘણીવાર ચા પીવે છે.પણ તમને ખબર હોવી જોવે કે વધુ ચા એ સેહત મતે ખુબ હાનીકારક છે.વધુ ચાનું સેવન કરવાથી તમારા શરીર ને ઘણું નુકસાન થાય છે.તો ચાલો તમને જણાવીએ કે વધુ ચાનું સેવન કરવાથી કેવું નુકશાન થાય..

વધારે ચાનું સેવન કરવાથી શરીર ને નુકશાન તો થાય જ છે,સાથે સાથે થોડા ઓછા પ્રમાણમાં ચા નું સેવન કરવાથી શરીર તરોતાજા રહે છે.તેવીજ રીતે તેનું વિરુધ્ધ ચાનું વધુ પડતું સેવન સેહત માટે નુકશાનકારક છે.તમને જણાવી દઈએ કે એક ચાના કપમાં ૨૦ થી ૬૦ મીલીગ્રામ કેફીન હોય છે.એવામાં જો તમે એક દિવસમાં ૩ કપથી વધુ ચાનું સેવન કરો તો તમારા શરીર ને નુકશાન કરી શકે છે.તો ચાલો જાણીએ કે વધુ ચાનું સેવન કરવાથી શરીર ને કેવી કેવી અસર થાય છે…

અમુક લોકોને સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવની આદત હોય છે,પણ આવું કરવાથી છાતીમાં બળવું,પેટ માં ગેસ થવો અને અપચા જેવી સમસ્યા ઈ શકે છે.જો એવા માં તમારે સવારે ચા પીવાની આદત છે તો ચા પીધા પેલા કઇક ખાય લેવું.

ચામાં કેફીનની માત્રા વધારે હોય છે,એવામાં ચાનું વધુ સેવન કરવાથી ચક્કર અને નબળાય આવી શકે છે. આ સમસ્યા ત્યારે થાય છે જયારે તમે ૪૦૦-૫૦૦ મિલીગ્રામ થી વધારે કેફીનનું સેવન કરતા હોય.આની સિવાય જો તમે તણાવમાં રેહતા હોય તો તમારે ચાનું સેવન ઓછું કરવું પડે,નકર તમને ચક્કર આવી શકે છ.

જો તમે દિવસમાં ૨ કે ૩ કપથી વધારે ચાનું સેવન કર્યું તો તમે ઇન્સોમીયા ના શિકાર બની શકો છો,જેના થી તમારી રાત્રે સુવામાં તકલીફ થય શકે છે.અમુક લોકો એ રાત્રે જમીને તરત જ ચા પીય લેતા હોય છે જે ખોટી વાત કેહવાય છે,આવું કરવાથી આપણા શરીર ને જ નુકશાન થાય છે.જે લોકો આવું કરે છે તેવોનું માનસિક સંતુલન સ્થિર રેહેતુ નથી.

વધુ પડતું ચાનું સેવન કરવથી આપણી કીડનીને ખુબ નુકશાન પોહાચે છે,જેનાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાય શકો છો.ખાસ કરી ને એ લોકો ને ઓછું ચાનું સેવન કરવું જોવે જે ડાયાબીટીસના શિકાર હોય તેની શર્કરાનું પ્રમાણ જાળવવું પડે છે.એટલું જ નહી ડાયાબીટીસના દરદિને વધુ ગરમ ચાનું પણ સેવન ન કરવું જોઈએ,ગરમ ચાની અસર અ સીધી કીડની પર પડે છે.

ઘણા લોકોને ચાની એવી લત હોય છે કે તેવો ને દિવસમાં ચા નો મળેતો તેવો ખુબ નબળાય અને થકાન અનુભવે છે.જો તેણે ચા ન મળે તો તે વ્યક્તિ ચીડચીડા સ્વભાવ નો થય જાય છે.આથી આપણે જેમ બને તેમ ઓછી ચાનું સેવન કરવું જોઈએ. ગર્ભાવસ્થામાં પણ માતા દ્વારા ચાનું વધારે સેવન ન કરવું જોઈએ,તેનાથી ઘણું બધું નુકશાન થાય છે.જ્યારે ગર્ભવતી મહિલા એ વધુ પડતું ચાનું સેવન કરે તો તેના બાળકને જન્મ સમયે વજન ઓછો રેહવાનો ભય રહે છે.

Categories
Helth

સવારના સમયે ગરમ પાણી પીવાના આ છે ચમત્કારિક ફાયદા તમે પણ કદાચ નહિ જાણતા હોવ….

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં તંદુરસ્ત શરીર જ બધું છે તેમાં પણ ગુજરાતીમાં કહેવત છેકે પહેલું સુખ તે જાતે નર્યા. શારીરક સ્વસ્થતા એ કોઈ ખજાનાથી ઓછી નથી. સ્વસ્થ શરીર એ દરેક વ્યક્તિ નું ઘરેણું છે. તેમાં પણ જ્યારથી કોરોના એ આપણા જીવનમાં દસ્તક દીધી છે ત્યારથી દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈને સતત ચિંતિત રહે છે. તેવામાં આપણા જુના પુરાણો અને શાસ્ત્રોમાં તંદુરસ્ત જીવન મેળવવા માટે ઘણાજ ઉપાયો દર્શવવામાં આવ્યા છે આ ઉપાયો તમારા શરીર માંથી બીમારીતો ભગાડેજ છે પરંતુ સાથો સાથ તમારા શરીર ને નિરોગી રાખવાનું કામ પણ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય એ મોર્ડન અને ફાસ્ટ યુગ છે હાલ લોકોને જીવન માં કામનું એટલું ભારણ હોઈ છેકે તેઓ યોગ્ય સમયે ખોરાક પણ નથી લઇ સકતા તેવામાં લોકો ઘર કરતા બહાર નું ખોરાક આરોગવો વધુ પસંદ કરે છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ બહારના ખોરાક કરતા ઘર નો ખોરાક ઘણોજ પૌષ્ટિક હોઈ છે. દરેક વ્યક્તિ ને જીવન માં સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાક અને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર પાણી એ માનવ માટે અમૃત સમાન છે. તેમાં આજે આપણે શરીર માટે ગરમ પાણીના ફાયદા વિશે માહિતી મેળવશું. મિત્રો જો તમે રોજ સવાર ના નરણા કોઠે એટલેકે સવારે કંઈપણ ખાધા પીધા વગર જો ગરમ પાણી ના એક ગ્લાસ નું સેવન કરશો તો તમને આટલા ફાયદા થશે. તો ચાલો જાણીએ આ અંગે વધુ માહિતી.

વજન ને લગતી સમસ્યા દૂર કરે છે :- મિત્રો આજ કાલ લોકો ને બહાર નું જમવાનું ઘરના જમવા કરતા વધુ પસંદ હોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે બહાર નું જમવાનું એ કેવું હોઈ છે વળી ઘણી વખત લોકો ની પાચન ક્રિયા મંદ પડી જાય છે જેના કારણે લોકો ને જાડા પણા અંગે ફરિયાદ રહે છે. જો તમે પણ તમારા શરીરના વધુ વજનને કારણે તકલીફ અનુભવી રહ્યા છો તો તમારે દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ જેને કારણે તમારું વજન વધતું નથી અને નિયંત્રિત રહે છે.

શરદી અને કફમાં ઉપયોગી :- મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં દરેક ઋતુઓ અનિશ્ચિત છે વારંવાર બદલાતા હવામાનની માઠી અસર લોકોના સ્વસ્થ પર પડે છે. જેને કારણે લોકો ને શરદી અને કફ જેવી સમસ્યાઓ રહે છે આવી મામૂલી સમસ્યાઓ ને દૂર કરવામાં ગરમ પાણી ઘણું ઉપયોગી બને છે ગરમ પાણીના સેવન માત્રથી તમને તરતજ રાહત થઇ જશે અને દિવસમાં એક થી વધુ વાર આ પાણીનું સેવન એ તમને ફાયદા કારક છે.

પિરિયડ ના દુઃખવા માં રાહત :- દરેક મહિલાઓને માસિક સ્ત્રાવ થતો હોઈ છે આવી ઘટના દર મહિને થાઈ છે અને તેમાં સતત પેટના ભાગમાં અસહય દુઃખાવો થતો રહે છે. પણ જો તમે ગરમ પાણી નું સેવન કરો તો તમને આવા દુઃખાવા માંથી ઘણીજ રાહત મળે છે.

કબજિયાત દૂર કરવા માટે :- મિત્રો આજ કાલ કબજિયાત નો પ્રશ્ન ઘણોજ મામૂલી થઈ ગયો છે લગભગ દરેક વ્યક્તિ આવી સમસ્યાથી પીડાઈ છે જેની પાછળનું કારણ પાણી નો અભાવ કે એવી અમુક પ્રકારની વસ્તુઓ કે જે શરીર માં કબજિયાત ને વધારે છે તે હોઈ શકે પરંતુ જો તમે નિયમિત રીતે સવારે ગરમ પાણીનું સેવન કરો તો તમારી કબજિતની સમસ્યા દૂર થાઈ છે અને નિયમિત ગરમ પાણીના સેવનથી શરીર ની અંદર ના ઝેરી તત્વો દૂર થાય છે અને મોઢું પણ ચમકે છે.

સાંધાના દુઃખાવ:- મિત્રો આજ કાલ સાંધા અને પગ ના દુખાવા નો સમસ્યા ઘણોજ મામૂલી બની ગઈ છે આવી સમસ્યા લોકો માં નાની ઉંમરથી થતી જોવા મળે છે પરંતુ આવી તમામ સમસ્યાઓ નો ઈલાજ એ ગરમ પાણી છે. જો તમે સવારના સમયમાં કઈ પણ ખાધા પીધા વગર એક ગ્લાસ ગરમ પાણી પીવો છો તો તેમને માંસપેશીઓ અને સાંધાને લગતા દુખવા ના પ્રશ્નો થી રાહત મળે છે.

Categories
Helth

શું તમારે પણ આંખ ના નંબર ઉતારવા છે કે આંખ ને લાગતી સમસ્યા દૂર કરવી છે તો માત્ર કરો આટલું અને તરતજ……

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ નો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો સમય છે આજના સમયને મોર્ડેન યુગ પણ ગણવામાં આવે છે. આવા મોર્ડેન યુગમાં બધા કામો ઓનલાઈન અને ડિજીટલ રીતે થવા લાગ્યા છે.

જેને કારણે દરેક વ્યક્તિ નો સતત મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધ્યો છે. જે ઘણી વાર આંખને નુક્શાન પણ પહોચાડે છે. વળી આજ ના આધુનિક યુગમાં પૂરતા આરામ અને પોસ્ટિક ખોરાક નો પણ ઘણો પ્રસન્ન રહેલો છે. જેને કારણે શરીર માં ઘણી બીમારી ઓ પણ જોવા મળે છે. તેમા પણ ફોન કે કોમ્પુટર નો ઉપયોગ કરનાર લોકોને આંખ ની સમસ્યા રહે છે.

જેમાં આંખમાં દુખાવો, આખા માંથી પાણી નીકળવુ અને આંખમાં ચસમા ના નંબર અંગે લોકોને ઘણી જ ફરિયાદ રહે છે. પરંતુ આજે આપણે એક એવો દેશી નુસ્ખો જાણશું કે જેને કરવાથી લોકોને આંખને લાગતી તમામ બિમારી ઓ દૂર થઈ જશે ઉપરાંત જે તમારે આંખ નાં નંબર હોઈ તો તે પણ ધીરે ધીરે દૂર થશે તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

આ નુસ્ખા માટે તમારે સૌપ્રથમ 50 ગ્રામ બદામ લેવા ની અને તેની સાથે ૫૦ ગ્રામ વરિયાળી ઉપરાંત તેટલી જ સાકર લેવી ત્યાર બાદ ત્રણેય વસ્તુઓ નો પાવડર કરવો બનાવવો. ત્યાર બાદ આ પાઉડરને રોજ વહેલી સવારે દેશી ગાયના દૂધમાં સાથે આ પાવડર એક ચમચી લેવાથી તે આંખ માટે ઘણી જ ફાયદો સાબિત થઈ છે.

આ પાવડર ને ગાયના દૂધમાં નાખી વ્યસ્થિત રીતે ભેગુ કરીને સવારે બ્રશ કર્યા વગર લેવાનું. આ પાવડર નું સેવન રોજ સવાર – સાંજે દૂધ સાથે રહેશે. જે લોકોને નંબર છે તે લોકોને ધીમે ધીમે આંખ નાં નંબર ઓછા થઇ જશે. અને જે વ્યક્તિને આવી સમસ્યા નથી તેઓને ક્યારેય નંબર આવશે નહીં અને આખ હંમેશા માટે તંદુરસ્ત રહેશે.

તેની આ ઉપરાંત અન્ય ઘણા નુસ્ખા ઓ છે જે આંખની રોશની વધારવા માટે ઉપયોગી છે આ માટે સૌપ્રથમ તમારે સ્વચ્છ પાણીથી પગ ના તળિયા સાફ કરવા. તેના પછી પગ ના તળિયા માં સરસવ ના તેલ ની માલિશ કરવા. આવી માલિશ કરવાથી આંખની રોશની વધે છે. અને આંખો સ્વસ્થ રહે છે. આ તેલથી માથામાં પણ મસાજ કરી શકાય છે તેવું કરવાથી પણ આંખની રોશની વધે છે.

આ ઉપરાંત જો તમારે આંખ ની રોશની વધારવી હોઈ તો અડધી ચમચી માખણ માં પાંચ કાળા મરી નો પાવડર અને અડધી ચમચી સાકર ભેગી કરીને વહેલી સવારમાં ખાલી પેટે સેવન કરવું અને તેના પછી નાળિયરને ખૂબ ચાવીને ખાવું આવું કર્યા બાદ વરિયાળી ખાવી. જોકે તે પછી બે કલાક સુધી કોઈ પણ પ્રકાર નું લિકવીડનું સેવન કરવું નહી. આમ કરવાથી આંખની બળતરા અને આંખમાં દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.

Categories
Helth

જો તમે પણ ચા બનાવીને કરો છો આ ભૂલ તો સાવધાન ! થય શકે છે મોટું નુકસાન….

મિત્રો આપણે સૌ ચા વિશે જાણીએ છીએ. દરેક વ્યક્તિ ચા ની શોખીન હોઈ છે. તેમાં પણ જો વાત ભારત ના લોકો અંગે કરીએ તો અહીંના લોકો માં પીણા તરીકે ચા ઘણું જ પસંદ કરવામાં આવે છે. ભારત માં લોકો ગમ્મે તે સિઝન માં ચા પીવાનો પહેલો આગ્રહ રાખતા હોઈ છે.

ચા એ મનને તરો તાજા કરે છે અને મનને એક નવી ઉર્જા પ્રદાન કરે છે. ઘણા લોકો ને તો ચા નો એટલી હદે બંધાણ હોઈ છેકે જો તેઓ ચા ન પીવે તો તેમને માથા ના દુખાવા અંગે નો પ્રશ્ન થઈ જાય છે. પરંતુ આજે આપણે ચા ને લઇને અમુક એવી માહિતી તમને આપસૂ કે કદાચ તમે નહીં જાણતા હોવ.

આપણે સૌ એવું માનિએ છીએ કે ચા બનાવ્યા બાદ તેના વધેલા કુચા નો કોઈ ઉપયોગ રહેતો નથી પરંતુ તેવું નથી આ કુચા ઘણા ફાયદા કારક છે તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ. ચાના આવા વધેલા કુચા ઘણી જગ્યાએ ઉપયોગ માં લઈ શકાય છે આ માટે આવા વધેલા કુચાને તેવી રીતે સાફ કરવા કે જેથી કરીને તેમાંથી ખાંડ ની ગળપણ જતી રહે. જો વાત તેના ઉપયોગ અંગે કરીએ તો.

1) કુદરતી કંડિશનર :- તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ ચાના આવા કુચા નો ઉપ્યોગ કન્ડિશનર તરીકે પણ કરી શકાય છો જે માટે પ્રથમ તમારે ચાના પાનને ફરી એક વાર પાણીમાં ઉકાળવા ના અને આ ઉકાળેલા પાણીથી જો તમે તમારા વાળ ધોઈ લો તો તે ફાયદાકારક છે.

2) સફાઈ માટે :- વાસણો પણ થાઈ છે સાફ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જો તમે વાસણ આવા ચાના કુચા અને પાવડરન મિશ્રિત કરી ને વાસણ ધોશો તો વાસણો ચમકવા લાગશે અને સ્વચ્છ પણ થઈ જશે.

3) ખાતર તરીકે ઉપયોગી :- ચાના વધેલા કુચા નો ઉપયોગ ખાતર તરીકે પણ થાઈ છે. જોકે તે વનસ્પતિ માટે ઘણી જ ઉપયોગી ગણાય છે આવા ચાના કુચા નું ખાતર એ ગુલાબના છોડ માટે પણ ખૂબજ ઉપયોગી મનાય છે.

4) ઈજા માં રાહત :- મિત્રો ચાના પાનમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જો તમને ઈજા પહોંચી હોય તો પ્રથમ તમારે આ ચાના કુચાને પાણી માં ઉકાળવા અને ત્યાર બાદ આ પાણીથી તમારા ઘા સાફ કરવા. આવું કરવાથી ઘા ઝડપથી મટી જાય છે.

5) ઘરની સફાઈ :- તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ચા ના કુચા નો ઉપયોગ ઘર ની સફાઈ માટે પણ કરી શકાય છે કે જે ઘરમાં ચોખ્ખું વાતાવરણ પૂરું પાડે છે. આ માતે તમારે ચાના કુચા ને ડોલ ની અંદર નાખી ત્યાર બાદ આ પાણી થી ઘરને સાફ કરો. તેનાથી માખીઓ ઘર થી દૂર ભાગશે.

Categories
Helth

જો તમને પણ છે ડાયાબિટસ તો રહેજો આટલી વસ્તુઓ થી દૂર નહીંતર તમને થઇ શકે છે આ ગંભીર…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય એ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ નો સમય છે હાલના સમય માં ઘણા લોકો એવા હોઈ છે કે જેમને પોતાના ઘર નો ખોરાક ખાવો ગમતો નથી પરંતુ બહાર નો ટેસ્ટી ખોરાક આરોગવો ઘણો પસંદ પડે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઘરનો ખોરાક બહાર ના ખોરાક કરતા ઘણો જ પૌષ્ટિક કોઈ છે વળી ઘણા લોકો તેવા પણ હોઈ છે કે જેઓ બહાર નો ખોરાક ખાતા જ તેમની તબિયત લથડી જાય છે.

બહાર નો ખોરાક ભલે સ્વાદ માં સારો લાગતો હોઈ પરંતુ તેમાં પૌષ્ટિક તત્વોની કમી હોઈ છે. તેમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસ પાસ અનેક પ્રકાર ના રોગોએ જાણે ભરડો લીધો હોઈ તેવું નજરે પડે છે તેવામાં શરીર ને તંદુરસ્ત રાખવું ઘણું જરૂરી છે જેના માટે પૌષ્ટિક આહાર જરૂરી છે પરંતુ ઘણા એવા પણ રોગો છે જેમાં અમુક વસ્તુઓ ભલેને પૌષ્ટિક કેમ ના હોઈ પણ તે ખાવાથી પણ શરીર ને સદતું નથી.

આપણે અહીં એક એવાજ રોગ વિષે વાત કરવાની છે. ડાયાબિટીસ સૌ જાણીએ છીએ તેમ આ રોગ હવે સામાન્ય થઇ ગયો છે ડાયાબિટીસ ના ઘણા દર્દીઓ છે પરંતુ આ સામાન્ય રોગ લોકો માટે ઘણો ઘાતક સાબિત થઇ શકે છે. શરીર માં ડાયાબિટીસ લોહીમાં સુગર ના પ્રમાણ ને આધારે નક્કી થાય છે. જેને કારણે આવા દર્દીઓ ને લોહીમાં સુગરના સ્તર ને નિયંત્રિત રાખવું જરૂરી છે. તે માટે ફાઈબર નું પ્રમાણ વધુ હોઈ તેવો ખોરાક અને પાણી નું વધારે સેવન કરવાનું હોઈ છે. આપણે અહીં એવા ફાળો વિશે માહિતી મેળવશું કે જેનું સેવન આવા દર્દીએ કરવું જોઈએ નહિ.

1 કેળા આપણે સૌ જાણીએ છીએ કે કેળા લોહીમાં સુગર ના સ્તર ને વધારે છે જેને કારણે જે વ્યક્તિઓ ને ડાયાબિટીસ ની બીમારી હોઈ તેવા વ્યક્તિ જો કેળા ખાઈ તો તેના શરીર માં સુગર નું સ્તર વધતા સુગર લેવલ નિયંત્રણ ની બહાર જાય છે જે આવા દર્દીઓ માટે ઘાતક સાબિત થાઈ છે.

2 દાડમ: મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દાડમ માં ખાંડી ની માત્રા વધુ હોઈ છે જેના સેવનથી શરીર માં સુગર લેવલ વધે છે. જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ અનિયંત્રિત બને છે જે તેમના માટે જોખમી ગણી શકાય.

3 તરબૂચ: તમને જણાવી દઈએ કે તરબૂચ માં સુગર હોઈ છે અને તેમાં ગ્લાયસેમીક ઈન્ડેક્સ 72 હોઈ છે જે ઘણો વધુ છે. ઘણા લોકો ને તેના સેવનથી હાઈ બ્લડ પ્રેસર ની સમસ્યા પણ થાઈ છે. જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ નિયંત્રણ ની બહાર વયું જાઈ છે જે તેમના માટે જોખમી ગણી શકાય.

4 કેરી: આપણે સૌ જાણીએ છીએ કે કેરીને ફળોમાં રાજા તરીકે નું સ્થાન આપવામાં આવ્યું છે કારણકે તેનું સેવન દરેક વ્યક્તિ કરે છે પરંતુ જો તમે ડાયાબિટીસ ના દર્દી છો તો તમારે તેનું સેવન બંધ કરવું પડશે. કારણકે કેરીમાં પુસ્કળ પ્રમાણ માં સુગર રહેલી છે જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ નિયંત્રણ ની બહાર વયું જાઈ છે જે તેમના માટે જોખમી ગણી શકાય.

5 ચીકુ: મિત્રો તમને જણાવી દઈએ કે ચીકુ માં ગ્લાયસેમીક એન્ડેક્સ વધુ હોઈ છે વળી તે ઘણું મીઠું પણ હોઈ છે જે શરીર માં સુગર ના સ્તર ને વધારે છે માટે જ જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ અનિયંત્રિત બને છે જે તેમના માટે ઘાતક સાબિત થાય છે.

Categories
Helth

જો તમારાં પગની આ આંગળી મોટી છે તો આ ખબર તમારાં માટે છે જાણો તેના ફાયદા અને ગેરફાયદા….

મિત્રો આપણું શરીર એ કુદરતની અણમોલ રચના જ આપણું શરીર એક રહસ્યથી ઓછું નથી. આપણા શરીરમાં અનેક એવા રહસ્યો છે કે જેના રહસ્યો આજના મોર્ડન વિજ્ઞાનને પણ ગોતવા ઘણ અઘરા પડે છે. પરંતુ આપણા જૂના પુરાણો અને શાસ્ત્રોમાં આપણા શરીર ને લઈને એવી ઘણી માહિતી આપવામાં આવી છે, કે જેના પરથી જેતે વ્યક્તિ ના ભવિષ્ય અંગે કે જે તે વ્યક્તિના વિચારો તેમની આવડત તેમની કુશળતા વગેરે અંગે જાણી શકાય છે.

આપણા શરીરમાં અનેક પ્રકારના ચિન્હો અને ઘણા જ અલગ અલગ પ્રકારની એવી વસ્તુઓ હોય છે જે આપણા વ્યક્તિત્વની ઓળખ આપે છે. આપણું ભવિષ્ય કેવું રહેશે કે આપણો સ્વભાવ, આપણી આસપાસના લોકો સાથેનો આપણો સંબંધ, આપણો ભુતકાળ વગેરે અનેક વસ્તુઓ અંગે નો ખ્યાલ આવા નાના-મોટા શારીરિક ચિન્હો પરથી આરામથી મેળવી શકાય છે.

આપણે અહીં એક જ વસ્તુ વિશે વાત કરવાની છે. જેમના પગના અંગુઠા ની બાજુની આંગળી એટલે કે બીજા નંબર ની આંગળી મોટી હોય છે તો તેવા લોકો બીજા લોકો કરતા અલગ હોય છે. તો ચાલો જાણએ આવ લોકો અંગેના ૪ લક્ષણો.

૧)તેઓ નો દેખાવ ઘણો સુંદર હોઈ છે:જે લોકો ના પગની બીજી આંગળી મોટી હોય છે તેઓ રૂપે થોડા કાળા હોય શકે પરંતુ આવી વ્યક્તિઓ દેખાવ માં ઘણી જ સુંદર હોય છે. તેમના રૂપ ને કારણે તેઓ ના પ્રત્યે અલગ જ આકર્ષણ જોવા મળે છે.

2)મહિલાઓ શરમાળ:જો વાત મહિલાઓ અંગે કરીએ તો જે મહિલાઓ ની પગની બીજી આંગળી તેમના પગના અંગુઠા કરતા મોટી હોય છે તેવી મહિલાઓ પોતાના જીવન સાથી ને ઘણો જ પ્રેમ કરે છે. પરંતુ તેઓ પોતાના જીવન સાથી સામે પોતાની લાગણીઓ જાહેર કરી શકતી નથી. જેને કારણે આવી મહિલાઓ સરમાળ અને સ્વભાવ ની સારી હોય છે.

૩)સ્વાભાવ ગુસ્સા વાળો પરંતુ ઘણા જ સારા સ્વાભાવ ના હોય છે:જે લોકો ના પગના અંગુઠા પછીની બીજી આંગળી લાંબી હોય તેઓ સ્વભાવે થોડા તીખા હોય છે પરંતુ તેઓના મનમાં કોઈ પ્રત્યે પાપ હોતું નથી તેઓ ઘણા સારા દિલના હોય છે.

૪)વધુ સફળ:જે લોકોના પગની બીજી આંગળી મોટી હોય તે લોકો ને તેમના જીવનની શરૂઆતના તબક્કામાં ઘણી જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. પણ તેઓ આવી મુશ્કેલીઓ નો સામનો કરતા ડરતા નથી અને તેનો નીડર પણે સામનો કરે છે તેમની આવીજ મહેનત ના કારણે તેઓને સફળતા જરૂર મળી જ જાય છે.