Categories
Helth

જો તમારાં હોઠ પણ પડે છે કાળા તો સાવધાન ! ઘર પર બનાવો આ ક્રીમ જેનાથી તમારાં હોઠ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી દ્વારા માનવીની રોજ સુંદર અને ઘણું જ આકર્ષક શરીર આપ્યું છે જોકે આ શરીરની સારી સંભાળ રાખવાની જવાબદારી આપણે પોતાની રહે છે આપણા શરીરના અલગ-અલગ ભાગો અલગ અલગ કાર્ય કરે છે આપણા શરીરના તમામ અંગો પૈકી આપણું મુખ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે કારણકે ગમે તે વ્યક્તિ સાથેની પ્રથમ મુલાકાત માં લોકો દ્વારા આપણા ચહેરા પ્રથમ નોટિસ કરવામાં આવે છે જેના કારણે ચહેરાનું આકર્ષણ વધારવું એ આપણી જવાબદારી છે આપણે અહીં એવી જ બાબત વિશે વાત કરવાની છે કે જેની મદદ વડે આપણા મુખને ફાયદો થઈ શકે છે.

મિત્રો આપણે અહીં એવા ક્રીમ વિશે વાત કરવાની છે કે જે પૈસાની બાબત માં તો હળવા છે જ એટલે કે તમે આ ક્રીમ તમારાં ઘરે પણ બનાવી શકો છે. કે જેની મદદથી હોઠ ની કાળાશ દૂર્ થઈ શકે મિત્રો હોઠ કાળા પડવાના અનેક કારણો હોઈ છે. જો કે આવા કાળા હોઠ લોકોની પર્સ્નલિટી માં પણ ઘટાડો કરે છે. તો ચાલો આપણે હોઠો ની કાળાશ દૂર કરવા અંગે ના ઉપાયો અંગે માહિતી મેળવીએ.

આ યાદી માં સૌથી પહેલું ક્રીમ ગુલાબ અને શિયા બટરથી લિપ લાઇટનિંગ ક્રીમ નું છે. આ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ 4 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી શિયા બટર ઉપરાંત 2 ચમચી મીણ અને 2 ગુલાબની પાંખડીઓને ક્રશ કરીને તૈયાર કરો. આટલું કર્યા બાદ આ વસ્તુ ને એક ડબલ બોઈલરમાં અથવા તો હીટપ્રૂફ બાઉલ ની અંદર નાળિયેરનું તેલ અને શિયા બટર ઉપરાંત મીણ નાંખો અને આ મિશ્રણ ને ગરમ થવા દો. આ મિશ્રણ ને ત્યાં સુધી ગરમ કરો કે જ્યાં સુધી માં તે સંપૂર્ણપણે ઓગળી ન જાય. મિશ્રણ ઓગળી ગયા બાદ તેને એક્ નાના ટીન અથવા હવાચુસ્ત પાત્રમાં ભરીલો પછી થોડા સમય માટે આ મિશ્રણ ને ઠંડુ થવા દો. જે બાદ તેને ઢાંકી દો. પછી આ ક્રીમ ને હોઠ પર લગાવવાથી કાળાશ દૂર થશે.

બીજી ક્રીમ ગ્લિસરીન અને લીંબુની ક્રીમ છે. આ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તમારે એક સૌપ્રથમ એક બંધ બોક્સ ની જરૂર પડશે આ બોક્સ મેળવ્યા પછી તેમાં ગ્લિસરીનને ભરી લો કે બાદ તેમાં બે થી ત્રણ ટીપાં લીંબુનો રસ ઉમેરો. માત્ર આટલું કરવાથી તમારા હોઠ ની કાળાશ દૂર થશે. આ ક્રીમ ને દરરોજ 2 થી 3 વખત લગાવો.

ત્રીજી ક્રીમ હળદર, લીંબુ અને એલોવેરા ની બનશે. જો વાત કરીએ કે આ ક્રીમ કઈ રીતે બનશે તે અંગે તો આ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ 1/2 ચમચી તાજા લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉપરાંત 1 ચમચી ગ્લિસરીન ની જરૂર પડશે આ ત્રણેય વસ્તુ ને બરાબર રીતે ભેગું કરીને પેસ્ટ તૈયાર કરો આટલું કરવાથી તમારી ક્રીમ તૈયાર થઈ જશે. હવે જો વાત આ ક્રીમ ના ઉપયોગ અંગે કરીએ તો તમારે રાત્રીના સમયે સૂતા પહેલા આ પેસ્ટ ને હોઠ પર ભીની આંગળીઓથી લગાવવાની રહેશે જે બાદ તેને હોઠ પર આશરે પાંચ મિનિટ સુધી રહેવા દો. પછી હોઠ ને ઠંડા પાણીથી હળવા હાથે ધોઈ લો. જે બાદ હોઠ પર મનપસંદ મોઈશ્ચરાઈઝર લગાવો. જો વાત આ ક્રીમ ના ફાયદા વિશે કરીએ તો જાણાવિ દઈએ કે લીંબુ અને હળદર મેલાનિનને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે એલોવેરા હોઠને મુલાયમ બનાવવામાં મદદ કરે રીતે

ચોથી ક્રીમ દાડમ અને એલોવેરાની બનશે. આ ક્રીમ બનાવવા માટે તમારે સૌ પ્રથમ 1 ચમચી દાડમના દાણા અને 1 ચમચી ગુલાબજળ ઉપરાંત 1 ચમચી તાજા દૂધની ક્રીમ ની જરૂર પડશે. આ તમામ વસ્તુ ને વ્યસ્થિત રીતે મિક્સ કરવાથી તમારું ક્રીમ બની જશે. જો વાત આ ક્રીમ ના ઉપયોગ અંગે કરીએ તો તમારે દરરોજ આ ક્રીમ ને હોઠ પર આશરે બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાની રહેશે, જે બાદ હોઠને ઠંડા પાણીથી ધોઈ લો. જો વાત આ ક્રીમ ના ફાયદા વિશે કરીએ તો જાણાવિ દઈએ દાડમ ચામડી ના હાયપરપીગ્મેન્ટેશનને હળવો કરી શકે છે. જ્યારે એલોવેરા જેલ હોઠને મોઇશ્ચરાઇઝ કરે છે.

Categories
Helth

શું તમે કોઈ વખત ચોખાના પરોઠા બનાવ્યા છે ? નહિ તો જાણો આ નવી રેસિપી જેને ખાવાથી તમને અલગ જ સ્વાદ નો આનંદ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના લોકો અલગ અલગ વસ્તુઓ ના સેવન ના ઘણા શોખીન છે આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અલગ અલગ રાજ્ય અને અલગ અલગ ભાષાઓ નો બનેલો દેશ છે. અને દરેક રાજને પોતાની કોઈ અનોખી વાનગી હોઈ છે કે જે જેતે રાજ્યોની વિશિષ્ટ ઓળખ બની જાય છે. આવી વાનગીનો ના કારણે કહી શકાય છે કે ભારત સ્વાદથી ભરપૂર દેશ છે, અને અહીં લોકો જમવા માં અલગ અલગ નવી વસ્તુઓ નું સેવન કરવા માટે ઘણા ઉત્સાહિત રહે છે.

આપણે અહીં એક એવી જ નવી વાનગી વિશે વાત કરવાની છે કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. મિત્રો આપણે અહીં ચોખાના પરોઠા વિશે વાત કરવાની છે, આ વાનગીનું નામ લગભગ કોઈએ નહિ સાંભળ્યું હોઈ પરંતુ આ ઘણી સ્વાદિષ્ટ વાનગી છે અને તે ઘણા જ પૌષ્ટિક એવા ચોખા માંથી બને છે. આપણે સૌ ચોખાં અને તેની સાથે અલગ અલગ વસ્તુઓ નું સેવન કરતા હોઈએ છીએ તેવામાં આપણે અહીં આ નવી વાનગી વિશે વાત કરવાની છે તો ચાલો આપણે અહીં નવી રેસિપી સખીએ,

ચોખાના પરોઠા બનાવવા માટે કપનો ચોથા ભાગનો પકવેલા ચોખા ઉપરાંત એક ઉપર ચોથા ભાગના કપ જેટલો લોટ અને સ્વાદ મુજબ મીઠું સાથો સાથ ડુંગળી ના જીણા ટુકડા અને 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લીલું મરચું સાથો સાથ 1 કપ ઘી આટલી વસ્તુઓ ની જરૂર પડશે જે બાદ આ વસ્તુઓ નો ઉપયોગ કરીને પરોઠા બનાવવામાં આવશે.

હવે જો વાત આ પરોઠા કઈ રીતે બનાવવા તે અંગે કરીએ તો સૌપ્રથમ પાકેલા (રાંધેલા) ભાત લો. જે બાદ આ ભાતમાં લીલું મરચું, ડુંગળી અને લીલા ધાણા ઉપરાંત મીઠું ઉમેરીને મિક્ષ કરો. આટલું કર્યા બાદ આ પરોઠા બનાવવા માટે તમે આ ચોખાના મિશ્રણને લોટમાં ઉમેરીને ભેળવી શકો છો અથવા તો તેને લોટમાં ભરીને પણ બનાવી શકો છો. આટલું કર્યા બાદ આ લોટને સારી રીતે મસળી લો અને 10 મિનિટ સુધી કપડાથી ઢાંકીને રાખો. 10 મિનિટ બાદ તેને નાના બોલ બનાવીને તૈયાર કરો. જે બાદ આ લોટમાં તૈયાર કરેલા ચોખા ભરી લો અને તેને બટેટાના પરાઠાની જેમ રોલ કરો. આટલું થઇ ગયા પછી આ મિશ્રણ ને એક નોન-સ્ટીક કડાઈ માં ગેસ પર ગરમ કરો. જે બાદ આ કડાઈ પર પરાઠા મૂકી બંને બાજુથી ઘી વડે શેકી લો. આમ માત્ર એટલું કરવાથી ચોખાના પરોઠા તૈયાર થઇ જશે.

Categories
Helth

હવે બનાવો ઈમ્યૂનિટી બુસ્ટર આમળા અને ગોળ ની ચટણી ઘરે જે તમને આપશે આટલા રોગ સામે રક્ષણ…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે શિયાળો શરુ થઇ ગયો છે. શિયાળાનો આ સમય સેહત બનાવવાનો અને ઈમ્યૂનિટી વધારવા માટે ઘણો ફાયદા કારક માનવામાં આવે છે. કારણ કે આ સમય માં એવી અનેક વસ્તુઓ આવે છે કેજે આપણા શરીર માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે. મિત્રો આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે. કે જેના સેવન માત્રથી આપણું શરીર સ્વસ્થ રહે છે. અને રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો કરવા માટે મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ઓછો અને કામ વધારે છે. પરિણામે લોકોને શરીર ને સ્વસ્થ રાખવા માટે કોઈ વિશેસ સમય મળતો નથી.

તેવામાં આપણે અહીં એવી વસ્તુ અંગે માહિતી આપવા જઈ રહ્યા છે કે જેના સેવન માત્રથી આપણું શરીર નિરોગી રહે છે. અને આપણા શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તો ચાલો આપણે આ વસ્તુ અંગે માહિતી મેળવીએ. આપણે અહીં આમળા અને ગોળ ની ચટણી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આમળા ઘણા ખાટ્ટા હોઈ છે. આ ફળનો સ્વાદ જેટલો ખાટ્ટો અને સ્વાદિષ્ટ છે તેટલો જ તેના ફાયદા પણ છે. ઉપરાંત આપણે સૌ ગોળ વિશે તો જાણીએ જ છીએ ગોળ માં અનેક પૌષ્ટિક તત્વો હોઈ કછે કેજે અનેક રીતે શરીર માટે ઉપયોગી છે.

આપણે સૌ ગોળ અને આમળા ના સેવન કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે એવી રેસિપી જાણીશું કે જ્યાં આમળા અને ગોળને ભેગું કરીને તેની ચટણી બનાવવા આવે છે. આ ચટણી શરીર માં રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે, સાથો સાથ અન્ય ઘણા ફાયદા પણ આપે છે. તો ચાલો આ ચટણી કઈ રીતે બનાવવી તે અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

સૌ પ્રથમ જો વાત ચટણી બનાવવા માટે જરુરુ વસ્તુઓ અંગે કરીએ તો તમારે 200 ગ્રામ આમળા અને ગોળ ઉપરાંત અડધી ચમચી મેથી અને કૌજી સાથો સાથ ખાંડેલું થોડું આદુ થોડી હિંગ અને મરચું ઉપરાંત અડધી ચમચી હળદર અને થોડી એટલે કે અડધી ચમચી કરતા પણ ઓછી ચમચી કાળા મારી પાઉડર અને અડધી ચમચી બાફેલા જેવું જીરું અને થોડું મીઠું અને થોડું તેલ આટલી વસ્તુઓ તૈયાર કરો.

ચટણી બનાવવા માટે સૌપ્રથમ આમળા ને ઉકાળી ને તેની અંદર ના ઠળિયા ને કાઢીને આમળાના કટકા કરો. જે બાદ તેને કડાઈ પર તેલમાં ગરમ કરો જે બાદ તેમાં મેથી અને કૌજી સાથો સાથ આદુ નાખી ફરી ગરમ થવો અને તેને બરોબર ભેળવો. જે બાદ તેમાં હિંગ અને આમળા ઉમેરો જેને ફ્રાઈ થવા દો આવું આશરે એકથી બે મિનિટ થવા દો જે બાદ તેમાં થોડો ગોળ ઉમેરો અને તેને ગોળ ઓગાળી જાય ત્યાં સુધી ગરમ કરતા રહો.

જયારે ગોળ ઓગાળી જાય તે બાદ તેમાં હળદર અને કાળા મરી પાઉડર ઉપરાંત લાલા મરચું અને જીરું ઉમેરું. જે બાદ સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરો આ પછી ગોળની ચટણી જાડી થાય ત્યાં સુધી ગેસ પર આ મિશ્રણ ને ગરમ થવા દો આમ માત્ર આટલી વસ્તુ કરવાથી તમારી ચટણી તૈયાર થઇ જશે આમ સ્વદિષ્ટ ખાતા રહો અને સ્વસ્થ સુધારતા રહો.

Categories
Helth

દૂધમાં આટલી વસ્તુઓ ઉમેરીને પીવાથી વધશે શક્તિ ઉપરાંત આટલી સમસ્યાઓ સામે મળશે રક્ષણ તમે પણ નહિ જાણતા હોવ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી માટે સ્વસ્થ શરીર કોઈ કિંમતી ખજાનાથી ઓછું નથી તેવામાં લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રકારની વસ્તુઓ કરતા હોઈ છે. જેમાં પૌષ્ટિક ખોરાક અને કસરત નો સમાવેશ થાય છે. આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓના સેવન વિશે માહિતી આપવામાં આવી છે કે જે શરીર ને ઘણું જ ફાયદો આપે છે. આપણે આ અહેવાલમાં એવી જ વસ્તુ વિશે માહિતી મેળવવાની છે કે જે શરીર માટે ફાયદા કારક છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણા શરીર માટે કેટલું ફાયદા કારક છે. દૂધમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા છે કે જે શરીર ને ઘણા ફાયદા કારક છે માટે જ લોકો દૂધ પીવાનો આગ્રહ રાખતા હોઈ છે. પરંતુ અમુક એવા પણ લોકો હોઈ છે કે જેમને દૂધ નો સ્વાદ પસંદ હોતો નથી માટે તેઓ દૂધ પીવાનું ટાળે છે. પરંતુ આપણે અહીં એવું વસ્તુઓ વિશે માહિતી મેળવશુ કે જેને દૂધમાં ઉમેરવાથી દૂધ સ્વાદિષ્ટ તો થશે જ સાથો સાથ તે શરીર ને પણ ફાયદો આપે છે. આપણે અહીં દૂધ અને સૂકી દ્રાક્ષ ઉપરાંત અંજીર અને બદામ ના મિશ્રણ ના સેવન થી શરીર ને થતા લાભો અંગે વાત કરીશું.

મિત્રો જો વાત બદામ માં રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે બદામ માં પ્રોટીન અને વિટામિન ઈ સાથો સાથ ફાયબર ઓમેગા 3 ફેટી એસિડ, પોટેશ્યમ ઉપરાંત આયર્ન અને મૅન્ગેનીસીયમ જેવા અનેક પોશાક તત્વ હોઈ છે. આ ઉપરાંત જો વાત સૂકી દ્રાક્ષ અંગે કરીએ તો તેમાં વિટામિન ઈ અને બીટા કેરોટીન ઉપરાંત કેલ્શ્યમ અને પોટેશ્યમ ઉપરાંત આયરન, ફાઈબર જેવા પોશાક તત્વ હોઈ છે. જયારે તેમાં એન્ટી ઓકસીડેંટ અને એન્ટી બેકટેરિયલ જેવા ગુણો પણ હોઈ છે.

જો વાત દૂધ ઉપરાંત સૂકી દ્રાક્ષ, બદામ અને અંજીર ના મિશ્રણ ના સેવન અંગે કરીએ તો તેની મદદથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. ઉપરાંત વિવિધ જોખમી વાયરસો સામે પણ રક્ષણ મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ના પ્રમાણમાં કામ ઘણું વધુ જોવા મળે છે ઉપરાંત લોકો ને ઘરના પૌષ્ટિક ખોરાક કરતા બહારનો ખોરાક ખાવો પસંદ પડે છે. જેના કારણે અનેક લોકો પેટને લગતી સમસ્યાઓથી પીડાય છે. ઉપરાંત હાલમાં ઘણા લોકોને કબજીયાત ની પણ સમસ્યા રહે છે. જેમાં પણ આ મિશ્રણ મદદ કરે છે. આ મિશ્રણ પાચન ક્રિયા સારી કરે છે. અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દૂધ અને સૂકી દ્રાક્ષ માં ઘણા પ્રમાણમાં કેલ્શ્યમ હોઈ છે માટે જો આ મિશ્રણને દૂધ સાથે પીવામાં આવે તો હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત હૃદય રોગના દર્દી માટે પણ આ મિશ્રણ વાળું દૂધ ઘણું ઉપયોગી છે. અંજીર માં રહેલ પોટેશ્યમ અને સૂકી દ્રાક્ષમાં રહેલ એન્ટી ઓકસીડન્ટ ના તત્વ ના કારણે તે હૃદય ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે.

આ ઉપરાંત જે લોકોને લોહીની ઉણપ હોઈ તેવા લોકો પણ જો આ દૂધ નું સેવન કરે તો તેમના માટે ફાયદા કારક સાબિત થશે. ઉપરાંત ત્વચા માટે પણ ફાયદા કારક છે. જો વાત આ મિશ્રણ ને કઇ રીતે બનાવવું તે અંગે કરીએ તો સૌ પ્રથમ બદામ, અંજીર અને સૂકી દ્રાક્ષને પલાળી રાખો અને તે બાદ તેને ખાંડી નાખો. જે બાદ એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં આ મિશ્રણ ઉમેરીને છ થી સાત મિનિટ સુધી દૂધ ગરમ થવાદો. જે બાદ દૂધ ગાળીને પીલો. આમ આ દૂધ શરીર ને અનેક રીતે મદદ કરે છે

Categories
Helth

કડવી દવા નહિ પરંતુ ખાવ ગળિયો ગોળ અને મેળવો આટલી બીમારી માંથી રાહત ગોળ સાથે……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે તેવામાં આ સમય આપણી શારીરિક ક્ષમતા વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. શિયાળાના આ સમય માં અલગ અલગ અનેક પૌષ્ટિક વસ્તુઓ આવે છે કે જેના સેવન થી આપણે તંદુરસ્ત રહી શકીયે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શરીર ની તંદુરસ્તી હાલના સમયમાં કેટલી જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે માનવીની સાચી સંપત્તિ તંદુરસ્ત શરીર ને જ માનવામાં આવે છે. તેવામાં વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક ઉપાયો કરે છે. તેમાં પણ જ્યારથી કોરોનાએ આપણા જીવનમાં દસ્તક દીધી છે. ત્યાર પછી લોકો પોતાના સ્વાથ્ય ને લઈને વધુ ચિંતા કરતા થઇ ગયા છે.

જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ વસ્તુઓ ના સેવન અંગે આપણા આયુર્વેદમાં પણ ઘણી જાણકારી આપવામાં આવી છે આજે આપણે એવી જ વસ્તુ વિશે વાત કરવાની છે કે જે શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા ઉપરાંત અન્ય ઘણી રીતે માનવ શરીર માટે ફાયદા કારક છે. જો કે આ કોઈ કડવી દવા નથી પરંતુ ગળિયો ગોળ છે. એટલે કે ગળિયું મોઢું કરીને સ્વસ્થ મેળવવા માટેની વાત આપણે અહીં કરવાની છે.

મિત્રો જણાવી દઈએ કે આપણે અહીં ગોળ અને દેશી ઘી ના સેવન થી થતા ફાયદા વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે આ મિશ્રણ માનવ શરીર માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે. જો વાત ગોળ અને ઘીમાં હાજર પૌષ્ટિક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે ગોળમાં અર્યાન અને કેલશ્યમ ઉપરાંત મેગ્નેશિયમ, પોટેશિયમ સાથો સાથ મૅન્ગેનીઝ અને ઝીંક જેવા અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જયારે વાત દેશી ઘી અંગે કરીએ તો આપણે સૌ ઘી ના ફાયદા થી તો માહિતગાર જ છીએ. જણાવી દઈએ કે દેશી ઘી માં વિટામિન એ અને વિટામિન ઈ ઉપરાંત વિટામિન ડી સાથો સાથ ફૈટી એસિડ જોવા મળે છે.

જો વાત કરીએ ગોળ અને ઘી ના મિશ્રણના સેવનથી થતા ફાયદા અંગે તો આપણે સૌ જાણીએ છીએ કે ગોળ અને ઘી હાડકાના વિકાસ અને હાડકાના મજબૂત કરવા માટે ઉપયોગી છે. જણાવી દઈએ કે ગોળ અને ઘી માં રહેલ કેલ્શિયમ અને વિટામિન હાડકાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત સાંધા ના દુઃખાવા માં પણ રાહત મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય કેટલો હરીફાઈ વાળો છે. તેવામાં લોકો પાસે કામ વધુ છે અને સમય ઓછો છે. આવા સમયે લોકો પાસે ભોજન માટે પણ સમય રહેતો નથી તેમાં હાલમાં લોકોને બહારનું ભોજન જમવાનું વધુ પસંદ કરે છે. આ તમામ બાબતને કારણે આપણે પેટને લગતી સમસ્યાઓ વિશે જોતા હોઈએ છીએ તેમાં પણ કબજિયાત નો પ્રસન્ન હાલ વધુ જોવા મળે છે. તેવામાં ગોળ અને દેશી ઘી નું સેવન કબજિત ઘટાડવા અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત મહિલાઓ ને થતા માસિક સ્ત્રાવ ના દુઃખાવામાં પણ રાહત મળે છે.

ગોળ અને ઘી લોહીના શુદ્ધિ કરણમાં પણ મદદ કરે છે. ઉપરાંત એનિમિયા નામની બીમારી સામે રક્ષણ મેળવવા પણ આ મિશ્રણ ફાયદા કારક છે. જણાવી દઈએ કે એનિમિયા એટલે શરીરમાં જોવા મળતી લોહીની ઉણપ. ગોળ માં રહેલા આયરન લોહીની કમીને દૂર કરે છે. ઉપરાંત લોહીને શુદ્ધ કરે છે જેના કારણે ત્વચા સુંદર બને છે. આ ઉપરાંત ગોળ અને ઘી ના મિશ્રણ નું સેવન કરવાથી ટેન્શન અને તણાવ માં રાહત રહે છે.

Categories
Helth

તમે પણ નહિ જાણતા હોવ લીલી બદામ ના આ ફાયદા લીલી બદામ નું સેવન કરે છે આટલી બીમારી દૂર કેન્સર…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમય માં કે જ્યાં લોકો માટે પોતાનું કામ વધુ મહત્વ ધરાવે છે તેવામાં વ્યક્તિ પાસે પોતાના સ્વાસ્થ્યને જાળવવાનો પણ સમય રહેતો નથી પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે સાચી સંપત્તિ તેનું તંદુરસ્ત શરીર છે. જેના કારણે લોકો પોતાના સ્વાસ્થને સારું રાખવા માટે અનેક યુકતિઓ કરતા હોઈ છે. તેમાં પણ જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો પોતાના સ્વાસ્થને લઈને વધુ ચિંતા કરતા થઇ ગયા છે.

જો કે જે લોકો પાસે કસરત કે અન્ય વસ્તુઓ કરવા માટે સમય નથી તેના માટે આપણા આયુર્વેદ માં અનેક એવી વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે કે જેના સેવન માત્રથી વ્યક્તિ અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે. આપણે અહીં એવી જ એક વસ્તુ વિશે વાત કરવાની છે કે જેનું સેવન માનવી માટે ઘણું ફાયદા કારક છે અને તેના દ્વારા માનવ શરીર ને અનેક પ્રકારના રોગો સામે લાડવા તાકાત મળે છે.

મિત્રો આપણે અહીં લીલી બદામ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ બદામ ખાઈએ છીએ તેની મદદથી માનસિક વિકાસમાં મદદ મળે છે તેવું માનવામાં આવે છે પરંતુ આપણે અહીં લીલી બદામ ના એવા ફાયદા વિશે વાત કરવાની છે કે જેના વિશે તમને માહિતી પણ નહિ હોઈ. મિત્રો સૌ પ્રથમ જણાવી દઈએ કે લીલી બદામ માં અનેક પોશાક તત્વો જેવાકે વિટામિન અને એન્ટીઓસિડેન્ટ ઉપરાંત ફ્લેવોનોડોઇશ જેવા અનેક પોશાક તત્વો હોઈ છે જે શરીર ને અનેક રીતે મદદ કરે છે.

લીલી બદામ હાડકા માટે ઘણી ફાયદા કારક છે. મિત્રો જણાવી દઈએ કે લીલી બદામ માં કેલ્શ્યમ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોઈ છે જેના કારણે લીલી બદામ ના સેવનથી હાડકા મજબૂત થાય છે અને તેના વિકાશ માટે મદદ મળે છે આ ઉપરાંત લીલી બદામ માં રહેલા વિટામિન ઈ ના કારણે બાળકોને અસ્થમા રોગ થતો નથી. આ ઉપરાંત હાડકાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે પણ લીલી બદામ મહત્વની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક વ્યક્તિ માટે આપણો ચહેરો અને આપણો લુક કેટલું મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિની પહેલી છાપ તેના દેખાવ પરથી જ પડતી હોઈ છે માટે જ દરેક વ્યક્તિ પોતાના લુક ને જાળવવા માટે અનેક ઉપાયો કરે છે. જો કે આ કામ માટે પણ લીલી બદામ ઉપયોગી છે. જે લોકોને વાળને લગતી સમસ્યા હોઈ એટલે કે વાળ ખારવા કે ખોડો જે વી સમસ્યા હોઈ ઉપરાંત જે લોકોને ચહેરો સુંદર રાખવો હોઈ અને ડાર્ક સર્કલ દૂર કરવા હોઈ તો વ્યક્તિ ને ફક્ત લીલી બદામ નું સેવન કરવાનું છે. જેમાં રહેલા વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ પદાર્થ મદદરૂપ સાબિત થાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકો પાસે કામ વધુ છે અને સમય ઓછો છે તેવામાં ઘણી વખત વ્યક્તિ કામમાં ને કામમાં ખોરાક યોગ્ય સમયે લેતો નથી વળી હાલ લોકોને ઘર કરતા બહારનો ખોરાક વધુ પસંદ આવે છે જેના કારણે હાલ કબજિયાત અને પેટને લગતી બીમારીઓ નું પ્રમાણ વધ્યું છે. આ તમે બીમારીઓ સામે લીલી બદામ રક્ષણ આપે છે. ઉપરાંત લોહી શુદ્ધ કરવા માટે પણ તે મદદરૂપ છે.

આપણે સૌ જાણીએ છીએ કે માનસિક શક્તિના વિકાસ માટે બદામ કેટલી ફાયદા કારક છે માટે આપણે સૌ સૂકી બદામ નું સેવન કરીએ છીએ તેના સ્થાને લીલી બદામનું સેવન માનસિક વિકાસ માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે આ ઉપરાંત લીલી બદામના તેલ વડે માલીસ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને લીલી બદામનું સેવન રોગપ્રતિકાર શક્તિ વધારે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમય માં રોગ પ્રતિકારક શક્તિ કેટલી જરૂરી છે. આમ લીલી બદામ માનવીને અનેક રીતે ઉપયોગી છે.

Categories
Helth

શિયાળાની ઋતુમાં લાડવા ખાવાથી થાય છે આ ફાયદા જેના વિશે તમે નહિ જાણતા હોવ, જાણો તેના દરેક ફાયદા

મિત્રો વર્તમાન સમયમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં આપણે આ ઋતુમાં આપણા સ્વાસ્થનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તમે જાણતા જ હશો કે શિયાળામાં શરદી,ઉધરસ,તાવ જેવી અનેક બીમારીઓ થતી હોય છે. એવામાં આપણે આપણા ખોરાકને લઈને કાળજી લેવી જોઈએ જેથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે.

એવામાં આજના આ લેખ દ્વારા તમને એક એવા ખોરાક વિશે માહિતી આપવા જઈએ છીએ જેના દ્વારા તમે શિયાળની ઋતુમાં પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો. મિત્રો તમે સૌ કોઈ લાડવા વિશે જાણતા જ હશો. લાડવાએ આપણા શરીર માટે ખુબ ઉપયોગી અને શક્તિનો એક મહત્વનો સ્ત્રોત માનવામ આવે છે. નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ વયની વ્યક્તિઓને લાડવાનો સ્વાદ પસંદ હોય છે.

આ લાડવામાં ઘણા પોષણશમ આહર માનવામાં આવે છે કારણ કે આમાં ઘી,કાજુ-કિશમિશ જેવી ફાયબર અને વિટામીન થી ભરેલ વસ્તુ નાખવામાં આવતી હોવાથી લાડુએ વધુ સ્વાદિષ્ટ અને પોષણશમ બને છે. આ લાડુ કેવી રીતે તૈયાર કરવા તેના વિશે અમે આજે તમને સંપૂર્ણ માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

આ લાડુ બનવા માટે સૌ પ્રથમ મેંદો અને રવાને ચારણી દ્વારા ચાળી લેવો અને તેને એક મોટા વાસણમાં ભરી લેવું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી ઘી અને થોડું પાણી નાખીને આ મિશ્રણને સારી રીતે ૧૦ મિનીટ ગુથી લેવું અને તેના નાના બોલ બનાવીને તેને તેલમાં તળી લેવા. આ પૂરી જ્યાં સુધી બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી તેને તળવી અને પછી તેને કાઢીને ઠંડી થવા માટે મુકવી. આ કરવામાં આવેલ બોલને મિક્સરમાં સપૂર્ણ રીતે પીસી લેવું અને આ પીસેલ મિશ્રણમાં ખાંડનું બુરું, ઇલાચી પાવડર અને નાના કાપેલ કાજુ-બદામ નાખીને થોડું ઘી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણ તૈયાર થયેલના નાના નાના લાડુ બનાવી લો. આ લાડુએ તમે ૧૫ દિવસ સુધી ખાય શકો છો.

Categories
Helth

આ આસન રીતે ઘરે જ ઉગાડો ટમેટા નો છોડ! અન્ય બકાલું ઘરે ઉગાડવા માટે…..

જો કે કોઈપણ પ્રકારના વૃક્ષના છોડને ઉગાડવા માટે માટી અને કુંડાની જરૂર પડે છે, પરંતુ આધુનિક યુગમાં ખેતીની પદ્ધતિઓ સતત બદલાતી રહે છે. શરૂઆતમાં, લોકો ખેતરોમાં ફળો અને શાકભાજી ઉગાડતા હતા.

આ રીતે, બદલાતા સમય સાથે, લોકોએ ખેતીની નવી પદ્ધતિઓ વિકસાવી છે, જેમાં માટીનો ઉપયોગ કર્યા વિના ટામેટાંની ખેતીનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે માટી વગર ઘરે ટામેટાંનો પાક કેવી રીતે તૈયાર લય શકાય. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઉગાડવામાં આવતી શાકભાજી આ ખાસ રીતે ફળો અથવા શાકભાજી ઉગાડવાની તકનીકને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ કહેવામાં આવે છે,

જેમાં છોડને ઉગાડવા અને ઉગાડવા માટે માટીની જરૂર નથી. આ ટેકનિકથી ઉગતા છોડને માટીને બદલે પાણીની જરૂર પડે છે, જેમાંથી તેઓ જરૂરી પોષક તત્વો મેળવી શકે છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ એવી જ એક પદ્ધતિ છે, જેનો ઉપયોગ કરીને તમે ઓછી જગ્યામાં સારી ગુણવત્તાવાળા શાકભાજી ઉગાડી શકો છો.

આ ટેક્નિકની મદદથી રોજબરોજના શાકભાજી જેમ કે ધાણા, ફુદીનો, પાલક અને ટામેટા સરળતાથી ખીલી શકે છે, તે માટે જરૂરી છે કે તમે નાની-નાની બાબતોનું ધ્યાન રાખો. ટામેટાની સરળ ખેતી ( માટી વગર ટામેટાં કેવી રીતે ઉગાડવું) હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરે ટામેટાં ઉગાડવા માટે, તમારે પહેલા એક મોટા કન્ટેનર અથવા જારની જરૂર પડશે, જેમાં તળિયે પુષ્કળ નાના છિદ્રો હોવા જોઈએ.

પછી તે કન્ટેનરમાં રેતી નાખો અને પોટને ઉપરથી સારી રીતે ભરો, તમે રેતીને બદલે કાંકરા અને કાચના ગોળાનો પણ ઉપયોગ કરી શકો છો. આ પછી, રેતીમાં નાના છિદ્રો કરો અને તેમાં ટામેટાના બીજ વાવો અથવા ટામેટાંનો છોડ વાવો અને તેના મૂળને સારી રીતે ઢાંકી દો. આ પછી, તે છોડમાં દરરોજ જરૂરિયાત મુજબ પાણી ઉમેરો અથવા પાણીનો છંટકાવ કરો.

આ તકનીકનો ઉપયોગ કરીને, ટામેટાના મૂળને તળિયે છિદ્રો સુધી પહોંચવામાં 7 થી 10 દિવસનો સમય લાગે છે, ત્યારબાદ ટામેટાના મૂળ પોટના નાના છિદ્રોમાંથી બહાર આવવા લાગે છે. વાસણમાંથી ટામેટાંના મૂળ બહાર આવવા લાગે કે તરત જ સમજી લો કે ટામેટાંનો છોડ ઉગવા માટે તૈયાર છે.

છોડની સંભાળ અને પર્યાપ્ત પાણી આપવું : હાઇડ્રોપોનિક્સ ટેકનિકથી ખેતી કરતી વખતે મોટાભાગની જવાબદારી છોડની હોય છે, તેથી આ કામ પૂર્ણ કરવા માટે સારી ગુણવત્તાનો છોડ ખરીદવો ખૂબ જ જરૂરી છે. ટામેટાના બી બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, જેને તમે વાસણમાં રોપી શકો છો. આ સિવાય ટામેટાના બીજ પણ કુંડામાં વાવી શકાય છે, પરંતુ તેને મૂળ

Categories
Helth

આજે જ ટ્રાય કરો મગ ડાળની આ ૫ વાનગીઓ, આ વાનગીઓ સ્વાદની સાથે સ્વાસ્થ માટે પણ છે ફાયદાકારક.

હાલના સમયમાંતો શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલા માટે આપણા આપણા સ્વાસ્થ અને ખાન-પાન પર ખુબ ધ્યાન આપવું જોઈએ. માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં ભુખ ખુબ જ લગતી હોય છે એટલા માટે જ આ પોસ્ટ દ્વારા અમે તમને એવી વાનગી વિશે જણાવા જઈ રહ્યા છીએ જે સ્વાસ્થની સાથો સાથ આપણને સારો સ્વાદ પણ આપશે.

મિત્રો આપણે જાણતા જ હોઈએ છીએ કે ઘણા બધા એવા લોકો હોય છે જેને મગની કોઈ પણ વાનગી પસંદ હોતી નથી અને ઘણા એવા પણ લોકો હોય છે જેને મગની વાનગી પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે મગમાં ફાયબર, કેલ્શ્યમ જેવા ઘણા બધા ગુણો હોય છે જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો મગ ડાળની આ વાનગીનો અવશ્ય સ્વાદ લેવો જોઈએ. શિયામાં ઘણીવાર આપણને તીખું, ચટપટુ ખાવાનું મન થતું હોય છે. મગ દાળમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે જેવી કે મગ દાળના ચિલ્લા, મગ ડાળનો હલવો, મગ દાળની ટીક્કી અને મગદાળનો ઢોસો, આ વી વાનગીઓને સવારે નાસ્તામાં લ્યોતો આપણે ને તે ખુબ ફાયદો પોહચાડે છે.

સવારનો નાસ્તો હોય કે સાંજની ચા બંનેમાં મગ દાળની આ ચટપટી ટીક્કીને ખુબ પસંદ કરવામાં આવે છે, જો આ વાનગીને સાદા મગથી બનાવામાં આવે તો ટીક્કી વધુ સ્વાદિષ્ટ રેહશે, એટલું જ નહી આ ટીક્કીને તમે લીલી ચટણી સાથે ખાય શકો છો જેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે. મિત્રો તમે ચિલ્લા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે પરંતુ આ મગ દાળના ચિલ્લાની તો વાત જ કઈક અલગ છે. આ ચિલ્લાને ખુબ સરળતાથી બનાવી શકાય છે અને શરરી માટે ખુબ ફાયદાકારક પણ માનવામાં આવે છે.

વર્તમાન સમયમાં ગળું ખાવું કોને નથી ગમતું, જો આ વાનગીએ મીઠાની સાથો સાથ હેલ્ધી પણ હોય તો કેટલી મજા આવે છે. એવી જ રીતે મગની ડાળમાંથી હલવો બનાવામાં આવે છે જે ખુબ સ્વાદિષ્ટ હોય છે અને શરીરને ઉપયોગ પણ કરે છે. મિત્રો તમે ઘણા પ્રકારના ઢોસાનો સ્વાદ લીધો હશે પણ શું તમે કોઈ વાર મગની દાળના ઢોસા ખાધા છે? જો નો ખાધા હોય તો જરૂર ટ્રાય કરજો કારણ કે આ ઢોસાએ ખબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ માટે ઉપયોગી છે.

Categories
Helth

શું તમે દાઢી-મૂછના સફેદ વાળથી પરેશાન છો? તો આ ૫ ઘરેલું ઉપાયો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જાણો કેવી રીતે

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયના લોકોએ પોતાના ખાન-પાનથી લઈને પોતાના સ્વાસ્થની ખુબ કાળજી રાખતા હોય છે, એટલું જ નહી તે તેના ચેહરાના દેખાવને પણ એટલું જ મહત્વ આપતા હોય છે. આપણે ઘણા લોકોને જોયા હશે જેને પોતાની નિશ્ચિત ઉમર પેહલા દાઢી-મુચ પર સફેદ વાળ આવી જતા હોય છે, કયો વ્યક્તિએ પોતાના ચેહરાના દેખાવને સારો નથી રાખવા માંગતો. પોતાનો ચેહરો સુંદર રાખવા માટે ઘણા બધા ઉપાયો શોધવામાં આવે છે.

નવી આધુનિક ટેકનોલોજીને લીધે આ સમસ્યા માટે પણ એક ઉપાય શોધવામાં આવ્યો છે, આ સફેદ વાળને કાળા કરવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણી ચામડીને ખુબ નુકશાન કરે છે, એટલા માટે જ અમે આ પોસ્ટના માધ્યમથી અમે તમને એવા ઘરેલું ઉપાયો જણાવા જઈ રહ્યા છીએ કે જેના ઉપયોગ દ્વારા તમે પોતાના દાઢી-મુછના વાળ પણ કાળા કરી શકશો અને તમારી ચામડીને કોઈ નુકશાન પણ નહી પોહચે. તો ચાલો તમને આ ઉપાયો વિશે સંપૂર્ણ માહિતગાર કરી દઈએ.

વગર કોઈ ચામડીને નુકશાન કે સાઈડ ઈફેક્ટની અસર વિના જો તમે દાઢી-મુચના વાળને કાળા કરવા માંગો છો તો આ ઉપાય ધ્યાનથી સમજો. સૌ પ્રથમ એક ફુદીનાના પાનની એક પેસ્ટ બનાવી અને તેમાં ડુંગળીનો રસ નાખીને સપૂર્ણ રીતે પોતાની દાઢી-મુછ પર લગાવી દેવું. આવ કરતાની થોડા દિવસો પછી જ તમને અસ દેખાવા લાગશે, આ ઉપાયએ સૌથી સરળ ઉપાય છે.

કાળા વાળ કરવાનો બીજો ઉપાય એ છે કે તમે ગાયના દૂધ માંથી બનેલ માખણને પોતાની દાઢી પર દરરોજ માલીશ કરવામાં આવે તો તમે તમારા વાળને સપૂર્ણ કાળા કરી શકશો, તમે રોજ સવારે વેહલા કે સાંજે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.જાણવામાં પણ આવ્યું છે કે આ ઉપાય દ્વારા સરળતાથી દાઢી-મુછને કાળી કરી શકાય છે.

કાચા પોપૈયાને પણ કાળા વાળ કરવાનો મહત્વ ઉપાય માનવામાં આવે છે, આ ઉપાયમાં સૌ પ્રથમ પોપૈયાને પીસીને સારી એવી પેસ્ટ બનાવી લેવી પછી તેણે એક કટોરામાં લેવી ત્યારબાદ તેમાં ૧ ચમચી હળદળ અને એક ચમચી એલોવીરા જેલ નાખવું આ પેસ્ટને ખુબ સારી રીતે મિક્સ કરીને દાઢી-મુછ પર લગાવી દેવું. ત્યારપછીના થોડા દિવસોમાં જ તમને આ ઉપાયની અસર જોવા મળશે.

કેહવામાં આવે છે કે રસોઈમાં ઉપયોગમાં લેવાતું દહી અને નારિયળ તેલને ઘોળીને જો દાઢી પર લગાવામાં આવે તો સફેદ વાળ કાળા થઈ શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આમળાને પ્રોટીન માટેનો એક મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે, આ આમળા પણ કળા વાળ કરવા માટે કારગત સાબિત થાય છે. જો પેહલા સૌ પ્રથમ આમળાને પીસી લેવા અને તેની પેસ્ટને લોખંડના વાસણમાં પૂરી રાત રાખવા, સવારે જાગીને આ પેસ્ટને દાઢી-મુછ પર લગાવાથી કાળા વાળ કરવા શક્ય બને છે.