Categories
Gujarat National

યુનુસભાઈ પાડોશી ધર્મ નિભાવવા હિન્દૂ યુવતીને પોતાની દીકરી બનાવીને તેના લગ્ન કરાવ્યાં.

ખરેખર માનવતાથી મોટો ધર્મ કોઈ નથી! હિન્દૂ હોય કે મુસ્લિમ દરેક વ્યક્તિ જાતિ થી ભલે અલગ હોય પરતું આપણે સૌ લાગણીઓનાં તાંતણે બંધાયેલા હોય છે. આપણે અવારનવાર કોઈક હિન્દૂ અને મુસ્લિમની અનેક કરુણદાયક કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ છે. આપણાં હિન્દૂ ધર્મમાં કન્યાદાન એ સૌથી મોટું પુણ્ય છે, જ્યારે એક દીકરીનું કન્યાદાન કરવામાં આવે છે, ત્યારે એ સૌથી યાદગાર ક્ષણ હોય છે, અને એમા પણ આ અવસર દરેક લોકોને નથી મળતો જે ભાગ્યવાન હોય એમને જ મળે છે.

આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે પોતાની દીકરી ન હોવા છતાં પણ પોતાની દિકરી કરતા વધુ વ્હાલ વરસાવીને તેને સાસરે વડાવી હતી. અત્યાર સુધી આપણે પાલક માતાપિતાની અનેક સરહાનીય ઘટના સાંભળી જ હશે કારણ કે આજે દુનિયામાં માનવતા સૌથી ધર્મ બની ગયો છે જ્યાં પારકા લોકોને પોતાના સમજીને તેમને પ્રેમ અને લાગણીઓ આપવામાં આવે છે. Aવાત છે, સૌરાષ્ટ્રનાં અમરેલીની જ્યાં  બાબરા ગામના યુનુસભાઈ પોતાનાં હિન્દૂ પાડોશીની મદદને વારે આવ્યા અને તેમણે એવું કાર્ય કરી બતાવ્યું કે સૌ કોઈ તેમની વાહ વાહ કરી રહ્યા છે અને એટલા જ પ્રેરણાદાયી બન્યા છે.

યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહ્યું કે આ દીકરીને આપણે પાલક માં-બાપ બનીને તેમના હિન્દુ સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવીને વિદાઈ કરી હતી.અન્યથા જો કોઈ ઉચનીચ જેવી ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે તેમજ આપણે આપણી પોતાની જાતને જીવન ભર માફ નહિ કરી શકીએ. પોતાની ઘરવાળી ના આવા ઉમદા અને સારા વિચારથી યુનુસભાઈ ચુડેસરામાં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયો હતો. અને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવાનુ મન બનાવી લીધું અને ભાવનગરમાં દીકરીનું ઘર સંસાર માંળ્યું અને તેમને કહ્યું કે આ દીકરી મારી જ છે અને જીવનનાં અંત સુધી હું તેની દેખ રેખ રાખીશ અને આ વાત થી છોકરાવાળા. એ ઉદારતા દાખવી અને યુવતીને પોતાની પુત્રવધુ તરીકે સ્વીકારી.

Categories
Gujarat National

સલામ ! પટેલ દિકરી કામીની બહેન ના લીધે સાત લોકો ને નવુ જવન મળશે, બ્રેન ડેડ થતા અંગો નુ દાન કરાયુ

આજ ના સમય મા અનેક લોકો ને કોઈને કોઈ ખોડ ખાપણ હોય છે અને તેના લીધે જીવન મા ઘણી મુશ્કેલી ઓ નો સામનો પણ કરતા હોય છે ત્યારે દુનિયા મા એવા લોકો ની પણ કમી નથી કે જે અંગદાન કરી બીજા લોકો માટે ભગવાન નુ રુપ બનતા હોય છે. આવી જ એક ઘટના સુરત મા બની છે. જેના લીધે 7 લોકો ને નવુ જીવન મળશે.

ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતીવ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.૧૭ મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. અને વધુ સારવાર માટે સુરત ની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા. જયા તેમને ડોક્ટર ની ટીમ દ્વારા 5 જુન ના રોજ કામીની બહેન ને બ્રેન ડેડ જાહેર કરાયા હતા.

ડૉક્ટરે તેમને અંગદાન નુ મહત્વ સમજાવ્યું હતુ. અને કામિની બેન ના પરીવાર જનો દ્વારા આ માનવતા ભર્યો નિર્ણય લેવાયો હતો. કામિની પટેલના પતિ ભરતભાઈ અમેરિકાના ટાઇની સ્માઇલિંગ ફેસિસ ગ્રુપ સહિતની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેવો એ જણાવ્યું હતુ કે. “મારી પત્ની બ્રેઇન-ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તેનાં અંગોના દાન થકી ઑર્ગનની જરૂરિયાતવાળા દરદીઓને નવજીવન અપાશે. કામીની બહેન ના પાંચ મુખ્ય અંગ હદય,ફેફસાં,કિડની,લીવર અને ચક્ષુ દાન થી કોઈ ને નવુ જીવન મળશે અને આ તમામ અંગો થી કોઈ ના ચહેરા પર મુસ્કાન આવશે.

Categories
National

જીવનમાં કરવો પડશે ખુબજ મુશ્કેલીઓનો સામનો ઘરમાં ભૂલથી પણ ના લગાવો આ સ્થાન પર ઘડિયાળ

ઘડિયાળ નું કામ હોય છે યોગ્ય સમય બતાવવાનું. પરંતુ એ જ ઘડિયાળ જો ખોટી જગ્યા પર લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા દરેક ના ઘરમાં ઘડિયાળ હોય છે. પરંતુ લોકો લગભગ ઘડિયાળ ને ઘર ના કોઈ પણ દીવાલ પર લગાવી દે છે, પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ ઘડિયાળ ને વાસ્તુ ના હિસાબે જ લગાવવી જોઈએ. આજે અમે તમને જણાવી દઈએ વાસ્તુ ના હિસાબે ઘડિયાળ લગાવવા માટેની યોગ્ય રીત.

પેંડુલમ વાળી ઘડિયાળ લગાવવી : જો તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમ માં પેંડુલમ વાળી ઘડિયાળ લગાવવામાં આવે તો આ વાસ્તુ અનુસાર શુભ ગણાય છે. પેંડુલમ વાળી ઘડિયાળ દરેક કલાકે ટન ટન નો અવાજ કરે છે અને તમને સમય નો આભાસ કરાવે છે. આવી ઘડિયાળ લગાવવાથી ઘર માં બરકત બની રહેશે.

બંધ ઘડિયાળ ન રાખવી : ક્યારેય પણ બંધ ઘડિયાળ ને ઘર માં ન રાખવી જોઈએ. બંધ ઘડિયાળ ને રીપેર કરાવી લેવી અથવા તો બહાર ફેકી દેવી. કોઈ પણ બંધ ઘડિયાળ ને ઘર માં રાખવી એ અશુભ ગણાય છે. વાસ્તુ માં કહેવામાં આવ્યું છે કે રોકાઈ ગયેલો સમય તમારા જીવન ને પણ રોકી દે છે અને બધા કામ માં રુકાવટ ઉભી કરે છે. એટલા માટે તમારા ઘર માં પણ જો કોઈ બંધ ઘડિયાળ હોય તો તરત રીપેર કરાવી લેવી અથવા ફેકી દેવી.

દક્ષિણ દિશા માં ન લગાવવી જોઈએ ઘડિયાળ : દક્ષિણ દિશા માં ક્યારેય પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ, કારણકે શાસ્ત્રો અનુસાર ઘર ના દક્ષિણ માં કાળ નો વાસ હોય છે. વાસ્તુ નું માનવામાં આવે તો દક્ષિણ દિશા માં ઘડિયાળ લગાવવી અશુભ ગણાય છે, કારણકે દિશા માં મૃત પરીજનની ની તસ્વીર લગાવવામાં આવે છે.વાસ્તુ અનુસાર ઘડિયાળ લગાવવાથી યોગ્ય સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે એ ત્રણેય દિશા પોજીટીવ એનર્જી વાળી હોય છે.

ઘર ના દરવાજા પર ન લગાવવી ઘડિયાળ : વાસ્તુ અનુસાર ઘડિયાળ ને ઘરના કોઈ પણ દરવાજા પર ન લગાવવી જોઈએ એને અશુભ માને છે. દરવાજા પર ઘડિયાળ લગાવવા નો મતલબ ઘર માં તનાવ ને આમંત્રણ આપવો થાય છે. એનાથી ઘર માં ટેન્શન નો માહોલ બની રહેશે. એવું એટલા માટે થાય છે કારણકે દરવાજા થી પસાર થતા સમયે નકારાત્મક એનર્જી નો પ્રવાહ થાય છે.

ઘડિયાળ નો આકાર : વાસ્તુમાં ઘડિયાળ નો આકાર પણ ખુબ જ ધ્યાનમાં રખાય છે. જો તમારા ઘર માં ગોળ, ચોરસ, અંડાકાર, ૮ અથવા ૬ ભુજા ની આકાર વાળી ઘડિયાળ હોય તો શુભ માનવામાં આવે છે. ઘર માં ત્રિકોણ આકાર ની ઘડિયાળ ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર આ પ્રકાર ની ઘડિયાળ અશુભ ગણાય છે.

Categories
Gujarat National

બજરંગદાસ બાપા ના આ પરચાઓ પહેલા ક્યારે પણ નહી વાંચ્યા હોય! બોલો બાપા સીતારામ

બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં  ગમે જેટલાય ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષોને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે, કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા.કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રધા સાથે ભોજન લેવાથી તે મોંઘીઘાટ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે અને તેથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે તેવી માન્યતા રહેલી છે, અને કોઈ બીમારી પણ આવતી નથી.

બજરંગ દાસ બાપાનાં ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો. અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરીયા હમુમાંનજી મંદિરમાં થયો હતો. બાપના જન્મ સમયનો ઈતિહાસ પણ અદ્ભુત છે. 1906ની સાલમાંvઅધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. માતા શિવ કુંવરબા જ્યારે પોતાના પિયર જતા હતા તે વખતે તેઓ બળદગાડામાં બેસીને જતા હતા પરંતુ રસ્તામાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં પહોચતા જ તેમને પ્રસવ પીડા ઉપડી અને તેથી તેને આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝુપડીમાં લઇ ગયા, આજ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને ઝાલરોના અવાજ સંભળાવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જમણ થયો.

બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો, બાપામાં સેવા ભાવના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા. અને સાથે ખુબ જ પ્રભુ ભક્તિ પણ હતી.

બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.

બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ.

જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.

બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ.  જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

Categories
Gujarat National Sports

અષાઢી બીજ ના દિવસે જાણો રામદેવપીર નો આ ભવ્ય ઈતિહાસ

બીજ’ એટલે એવી વસ્તુ કે જેમાંથી અંકુર ફૂટે, જેમાંથી સર્જન થાય તેને ‘બીજ’ કહેવાય. રામદેવરાએ ‘બીજ’ નો મહીમા કહેતા કહ્યું હતું કે આ સૃષ્ટિના તમામ જીવોની ઉત્પત્તિ એક બીજમાંથી જ થાય છે. અર્થાત સૃષ્ટિના તમામ જીવો એક સમાન છે તેમાં કોઇ જાતના ભેદભાવ નથી . વિચારશીલ બુધ્ધિજીવી માણસોના મનમાં વિચાર આવ્યો કે, જે રામદેવરાએ જીવનભર ‘બીજ’ નો મહિમા ગાયો, એ જ રામદેવરા ‘બીજ’ વગર પ્રગટ કેવી રીતે થઇ શકે?

માનવીના મનમાં શંકા અને કુશંકા પેદા થતી જ રહે છે.- ઇંડા વગર કેવી રીતે મરઘી ? અને મરઘી વગર કેવી રીતે ઇંડું? સ્વામી શ્રી ગુરુ ગોકુલદાસે લખેલા “મેધવંશી ઇતિહાસ’ માં નજર કરીએ તો પોકરણગઢ રાજ્યની ગૌશાળામાં ‘સાયર જૈપાલ’ નામનો માણસ કામ કરતો હતો. આ સાયર જયપાલ મેઘવંશી (દલીત) સમાજના માણસ હતા અને પૂરા દિલથી પોકરણગઢની ગાયોને ચરાવતા હતા તથા તન અને મનથી ગાયોની સેવા કરતા હતા. અજમલજીને સાયર જૈપાલ પર ખૂબ વિશ્વાસ હતો. સાથે સાથે એક ભાઇ જેટલો પ્રેમ પણ હતો.

અજમલજીના પિતા ભક્ત રણમલજી પણ મેઘવંશી (દલિત) સમાજના ભક્ત પીવણ જીને પોતાના ભાઇ સમાન માનતા હતા , ૨Eામલજી અને અજમલજીના મેઘવંશી (દલિત) સમાજના માણસો સાથેના આ સંબંધો ઘણાને મંજૂર નહોતા. પરંતુ મોં ખોલીને કોઇ કશું બોલતા નહોતા. ઇતિહાસ સાક્ષી છે કે પીંગલગઢના રાજા પઢિયાર વિજયસિંહને અજમલજીના મધવંશી સાથેના વ્યવહારો મંજૂર નહોતા. પઢિયાર વિજયસિંહ અજમલજીને ‘તુવરા ભગતડા’ કહીને પોકરણગઢ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. પીંગલગઢનો પઢિયાર વિજયસિંહ અજમલજીની દિકરી સગુણાનો સગો જેઠ થતો હતો.

વિજયસિંહે અજમલજીની દિકરી સગુણાને પોકરણગઢ (પીયર) જવા પર પણ મનાઇ ફરમાવી હતી. પરંતુ અજમલજી તો નીજાનંદની મસ્તીમાં મસ્ત હતા. કોઇ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર સાયર જૈપાલના સુખ દુ:ખના ભાગીદાર થતા હતા. સાયર જૈપાલને પણ સંતાન હતું નહીં. લોકો સાયર જૈપાલને પણ વાંઝિયો કહેતા હતા. અજમલજી લોકોનું મહેણુ દૂર કરવા કાશીનાથ અને દ્વારકાધીશની જાત્રાએ જતા હતા. પરંતુ સાયર જયપાલ માટે આવી જાત્રા શક્ય નહોતી, કારણ તે સમયે યાત્રીઓ માટે ‘સેવા કેમ્પ નહોતા થતા.

વાહનવ્યવહારની પણ પૂર્તિ સગવડ નહોતી. એ સમયે જાત્રા કરવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડતો હતો. અને આ ખર્ચ કરવાની સાયર જૈપાલની આર્થિક શક્તિ નહોતી, અજમલજી દિકરાની પ્રાપ્તિ માટે જયારે જયારે જાત્રાએ જતા, ત્યારે ત્યારે સાયર જૈપાલ અજમલજીને એક ખોબો નૈવેધ (ચોખા) ભગવાનને ધરાવવા માટે આપતા. તથા પોતાનો સમર્પણ ભાવ ભગવાનને મોકલતા કહેતા કે-હે અન્નદાતા, મારા તરફથી ભગવાનને મારો પ્રેમભાવ અર્પણ કરજો. મારા માટે પણ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરજો.

અજમલજી દર વખતે સાયર જૈપાલનો પ્રેમભાવ ભગવાનને અર્પણ કરતા હતા. અજમલજીની છેલ્લી દ્વારકાધીશની જાત્રાના સમયે પણ સાયર જૈપાલ ખોબો નૈવેધ મોકલવાનું અને પ્રેમભાવ અર્પણ કરવાનું કહેવાનું ભુલ્યા નહોતા. પરમશક્તિ બધુ જ જાણે છે, તેને કંઇજ કહેવાની જરૂર પડતી નથી. પોતાના જન્મ સમયના સંકેતો અને નિશાનીઓ આપ્યા બાધ દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે–ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. દ્વારકાધીશની આ વાતનો મર્મ અજમલજી સમજયા કે નહીં તેની કોને ખબર ? પરંતુ, દુનિયા આખીને ખબર છે કે કાનુડાની બાળલીલા ભલે નંદબાબાના ઘરે થઈ, પણ જન્મ તો જેલમાં જ થયો હતો. દ્વારકાધીશને બત્રીસ જાતના ભોજનને બદલે મિત્ર સુદામાના તંદુર (ચોખાની કણકી) જ વધારે સ્વાદિષ્ટ લાગી હતી. બધા જાણે છે તેવી આ સત્ય હકીકત બધાને સમજાઇ ગઇ હોય તો રામદેવરાના જન્મની હકીકત પણે જોઇ લઇએ.

દ્વારકાધીશની જાત્રાએથી આવ્યા બાદ અજમલજીએ ભગવાનની પ્રસાદીના કાળી માળાના બે ફૂલો માંથી એક ફૂલ સાયર જૈપાલને આપ્યું હતું. સાયર જયપાલ શ્રધ્ધાં અને ભક્તિથી રોજ સવાર-સાંજ ફૂલની પૂજા કરતા હતા. તથા દિવસના બાકીના સમયે રાજ્યની ગાયો ચરાવવા જતા અને ગૌસેવા કરતા હતા. આ કામમાં સાયર જૈપાલના ધર્મપત્નિ પણ સાથ આપતા હતા. અજમલજી અને મીનળદેને ત્યાં વીરમદેવ નામના દિકરાના જન્મ થયા બાદ સાયર જૈપાલના ધર્મપત્નિ પણ ગર્ભવતી થયા હતા. વીરમદેવના જન્મ પછી એક વર્ષ બાદની વાત છે. ભક્ત સાયર દંપતી પોતાના નિત્યક્રમ મુજબ રાજયની ગાયો ચરાવવા વગડામાં ગયા હતા. આ સમયે વગડામાં સાયર જૈપાલના ધર્મપત્નિને પ્રસવ પીડા ઉપડી. ગાયોના ધણની વચ્ચે ગાયોના ચરાવનાર કાનુડાનો જન્મ થયો.

સાયર દંપતીએ વગડામાં પીલુડીના બે ઝાડની બે ડાળી પર લોખંડના કડા બાંધી, કપડાની ખોઇ બનાવી નવજાત બાળકને સુવડાવ્યો. રામદેવરાના આ જન્મની હકીકતની સત્યતા માટે રાજસ્થાનના મારવાડના રેગીસ્તાન જેવા બાડમેર વિસ્તારમાં ‘ઉડુકા હમીર’ નામના ગામમાં આજે પણ આ હકીકતની સાક્ષી જેવા લોખંડના બે કડા પીલુડીના ઝાડમાં જોવા મળે છે. સાંજના ગોધુલીના સમયે દંપતી પોતાના નવજાત બાળક સાથે ગાયો લઇ ગામમાં આવ્યા. સાયર દંપતીએ પોતાના નવજાત બાળક સાથે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો.

નવજાત બાળકના ઘરપ્રવેશ સાથે જ દ્વારકાધીશે કહેલા પોતાના જન્મના સંકેત મુજબ ઘરના વાસણો ખખડવા લાગ્યા. પૂજા સ્થળના શંખમાંથી આપમેળે મધુર ધ્વની થવા લાગ્યો. ની જે દ્વારકાધીશે પોતાના જન્મ સમયના સંકેતોની વાત અજમલજીને કહી હતી, સાયર જૈપાલને નહીં. અચાનક થઇ રહેલી આ અલૌકિક ઘટનાથી સાયર દંપતી ગભરાઇ ગયું. ભયાનક ભૈરવ રાક્ષસની આ કોઇ માયા કે કોપ હશે એવુ સમજી સાયર દંપતી ખૂબ ડરવા લાગ્યુ. કોઇ ઉપાય ના મળતા સોયર જેપાલ તરત ૭ એમ જ મલજી પાસે દોડી ગયા, પોતાના ઘરમાં ચીન કે બની રહેલી અલોકિક ઘટનાની અજમલજીને જાણ કરી.

અજમલજ અતિતમાં સરી ગયા, દરિયાના પેટાળમાં પરમશક્તિએ આપેલ વચન અને સંકેત યાદ માળ્યા. દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે-ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. અજમલજીને જ્ઞાન થયું કે કાળી માળનું એક ફૂલ સાયર જયપાલના ઘરે ખીલ્યું છે. અતિતની યાદમાંથી બહાર આવી આનંદવિભોર થયેલા અજમલજીએ સાયર જૈપાલને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું કે-હે ભક્તરાજ, તુ ગરીબ હોવા છતાં ભગવાનનો મહાન ભક્ત અને સેવક છે. તારા ઘરે આધ્યાત્મિક દૈવી શક્તિનો ચમત્કાર થયો છે. તુ નવજાત બાળકને મને સોંપી દે, રાજકુટુંબમાં તારા બાળકનો ઉછેર થશે અને મારા રાજયનો વારસદાર બનશે તથા તારા તમામ સંકટો દૂર થશે. અજમલજી શું કહી રહ્યા છે તે સાયર જૈપાલને કંઇજ સમજાયું નહીં.

પરંતુ સાયર જયપાલને પોતાની હેસીયત અને ગરીબાઇ જરૂર સમજાઇ. પોતાના દિકરાના સુખી ભવિષ્યના સપના જોતા સાયર દંપતીએ ખૂબજ મનોમંથન કરીને અજમલજીની વાતનો સ્વીકાર કર્યો. છતાં પણ સાયર જૈપાલે શંકા વ્યકત કરતા કહ્યું કે – અન્નદાતા, ભાવી દિવસોમાં લોકોને ખબર પડશે કે આ બાળકનો જન્મ મેધવંશમાં થયો છે. તો, સંકુચિત મનના માણસો અમારા આ દિકરાને આપના વારસદાર તરીકે માન્ય રાખશે ખરા?, જાતિવાદનો ભયંકર રાક્ષસ આપને અને અમારા આ બાળકને સુખ અને શાંતિથી જીવવા દે છે ખરો?… સમાજની વાસ્તવિકતાનો અજમલજીને પણ ખ્યાલ હતો જ. પરંતુ ભગવાન પર પૂરો ભરોસો હતો. ભગવાન ભરોસે અજમલજીએ એક યોજના બનાવી.

આ સારી યોજના સાયર જૈપાલને સમજાવી. માનવ સમાજની ભલાઇ માટે આ સારી યોજનાને હંમર માટે ગુપ્ત રાખવાનું અજમલજીએ સાયર જૈપાલ પાસે વચન માંગ્યું. રાજયનો પાલનહાર હાથ ફેલાવીને ઉભો હોય અને પોતાના ઉપર ઉપકાર કરનારને નિરાશ કરે તો ભક્તિની શક્તિને લાંછન લાગે. માનવ સમાજની ભલાઇ માટે સાયર જૈપાલે આપેલ બલીદાન સાયર જૈપાલના દિલમાંજ દફન થઇ ગયું. માનવ ધર્મના સુર્યોદય માટેનો પહેલો પહોર શરૂ થયો. રાજય અને રાજમહેલના તમામ લોકો આ પહેલા પહોરની મીઠી નીંદર માણી રહ્યા હતા.

ઈ.સ 1413 (વિ.સ 1469), ભાદરવા સુદ બિજ દિવસની વહેલી પરોઢે , અજમલજીએ જૈપાલન બતાવેલી ગુપ્ત યોજના મુજબ સાયર જૈપાલ બીલ્લી પગે ચુપચાપ રાજમહેલમાં દાખલ થયા. જે પારણામાં વીરમદેવ પોઢી રહ્યા હતા, એજ પારણામાં પોતાના નવજાત બાળકને પોઢાડી બીલી પગે ચુપચાપ પોતાના ઘરે પરત ફર્યા. ત્યારબાદ અજમલજીએ પોતાની ગુપ્ત યોજના મુજબ પારણાથી રાજમહેલના દરવાજા સુધી કંકુ પગલીઓ ચીતરી દિધી. સંકુચિત મનના ઢોંગી માણસોને ચમત્કારથી નમસ્કાર કરાવવાનો આજ એક ઉત્તમ રસ્તો હતો. સમય સમયનું કામ કરી ગયો. ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું.

ઇ.સ. ૧૪૧૩, (વિ.સ. ૧૪૬૯), ભાદરવા સુદ બીજના પરોઢે, પારણામાં પોઢેલી પરમ શક્તિએ બાળવીરમદેવને ચૂંટલી ખણી. ચૂંટલીના દર્દથી વીરમદેવ રડવા લાગ્યા. વીરમદેવના રડવાના અવાજથી માતા મીનળદે જાગી ગયા અને પારણા પાસે આવ્યા. પારણામાં બે બાળકને પોઢેલા જોઇ માતા મીનળદે નવાઇ પામ્યા. બીજુ બાળક કોનું હશે? અહીં કેવી રીતે આવી ગયુ હશે? શું આ ભૈરવ રાક્ષસની કોઇ માયા હશે? …વગેરે વગેરે વિચારો માતા મીનળદેને આવવા લાગ્યા. તાત્કાલિક દાસીને મોકલીને અજમલજીને બોલાવ્યા. બધુજ જાણતા અજમલજીએ અજાણ થઇને આ કોનું બાળક છે તેની પૂછપરછ કરાવી. થોડી વાર પછી, સમય જોઇને અજમલજીએ રાણી મીનળદેને દ્વારકાધીશનું પ્રાગ્રટ્ય થયાની વાત કરી. પારણાથી દરવાજા સુધી કુમ કુમ પગલીઓ પડેલી બતાવી. મીનળદેએ સોળ કંકુ પગલીના નિશાન જોયા.

દ્વારકાધીશની જાત્રા સફળ થયેલી માની. દ્વારકાધીશના પ્રાગટ્યના સંકેત મુજબ ઘરમાં પાણી ભરેલા વાસણો દૂધથી ઉભરાવવા લાગ્યા. ચૂલા ઉપર મૂકેલ દેગ (પાણી ભરવાનું વાસણ)માંથી ગરમ દૂધ ઉભરાતા, બાળ પરમશક્તિએ પારણામાંથી જ હાથ લંબાવ્યો. ઉકળતા દૂધની દેગ ચૂલા પરથી નીચે ઉતારી, માતાને પોતાના પ્રાગટ્યનો – સંકેત આપ્યો. માનવ ધર્મની રક્ષા માટે પોકરણગઢના વારસ બનીને કુમ કુમ પગલે પધારેલી પરમશક્તિને રાજા અને રાણીએ નમન કર્યા. બધું જ ભૂલી ને આ પરમશક્તિનો વીરમદેવના નાના ભાઇ રામદેવ તરીકે સૌએ સ્વીકાર કર્યો.