Categories
Gujarat India Religious Viral video

લગ્ન બાદ તરત જ લોકોની સેવા એ જુટ્યા ખજૂરભાઈ, પોતાની પત્ની મીનાક્ષી દવે વિશેની પણ આ સુંદર વાત કહી કે જાણી તમે યુગલની “વાહ વાહ કરશો..

લગ્ન બાદ તરત જ લોકોની સેવા એ જુટ્યા ખજૂરભાઈ, પોતાની પત્ની મીનાક્ષી દવે વિશેની પણ આ સુંદર વાત કહી કે જાણી તમે યુગલની “વાહ વાહ કરશો.હાલમાં સોશિયલ મીડિયામાં ખજૂર ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં ખજૂર ભાઈએ પોતાની પત્ની મીનાક્ષીની એવી વાત કહી છે કે આ જાણીને દરેક યુગલે આ વાત ખાસ યાદ રાખવી જોઈએ.

કોઈ જાણીએ છીએ કે ખજૂર ભાઈ ના લગ્ન હાલમાં જ થયા છે અને લગ્ન થઈ ગયા બાદ ઘણા યુગલો હનીમૂન માટે બહાર ફરવા જતા હોય છે પરંતુ ખજૂર ભાઈ બહાર ફરવા જવાને બદલે હવે ફરીથી પોતાના જે અધુરા કામ છે તે કરવા માટે કામે લાગી જશે કારણ કે આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈ અત્યાર સુધીમાં અને જરૂરિયાતમંદ લોકોને ઘર બનાવી આપ્યા છે ત્યારે ફરી તે લગ્ન બાદ ઘર બનાવવા માટે કામે લાગી જશે.

ગુજરાતી સમાચારના માધ્યમ દ્વારા ખજૂર ભાઈએ એક સુંદર વાત કહી છે. તમે જોઈ શકશો કે ખજૂર ભાઈ કહે છે કે મેં મારી ઘરવાળીને પૂછ્યું કે આપણે ક્યાંય બહાર ફરવા જવું હોય તો તું મને કહેજે પરંતુ મારી પત્ની એટલી અન્ડરસ્ટેન્ડિંગ છે કે તેને મને કહ્યું કે તમે પહેલા જે ઘર બાકી છે તે બનાવો અને ત્યારબાદ તમને સમય મળે તો આપણે ફરવા જઈશું.

ખજૂર ભાઈ કહે છે કે આ અન્ડરસ્ટેન્ડિંગ હોવી ખૂબ જ જરૂરી છે. લગ્નના કારણે આદીવાસી વિસ્તારમાં ઘણા ઘરો બનાવવાના હજી બાકી છે તેથી તે ઘરે બનાવીશું. ખરેખર ખજુર ભાઈ અને તેમના પત્ની એ સૌનું દિલ જીતી લીધું.

Categories
Religious Gujarat Sports

ગુજરાતના સૌથી નાની ઉંમરના IPS સફીન હશને અંબાજી મંદિરમાં દર્શન કર્યા, જુઓ આ ખાસ તસવીરો આવી સામે

હાલમાં જ ગુજરાતના સૌથી યુવા IPS સફિન હસન અંબાજી દર્શને પહોંચ્યા, આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે આઈ.પી.એસ અધિકારી સફીન હસનએ માં અંબાજીના આશીર્વાદ લીધા અને એવી પ્રાર્થના કરીકે તમારું પણ દિલ ખુશ થઇ જશે અને તેમે પણ તેમના વખાણ કરશો.

ગુજરાતના સૌથી યુવા IPS ઓફિસર સફિન હસન આજે શનિવારે શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ એવા અંબાજી માતાના દર્શને પહોંચ્યા હતા. આંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું વિશ્વવિખ્યાત યાત્રાધામ છે.દેશના 51 શક્તિપીઠોમાં આંબાજી મંદિર આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે. મંદિરમાં 358 નાના-મોટા સોનાના કળશ છે, જેના કારણે આ મંદિરને સોનાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનેક નેતાઓ, કલાકારો અને VIP વ્યક્તિઓ અંબાજી મંદિરના દર્શન કરે છે, ત્યારે આજે બનાસકાંઠાના પૌત્ર અને દેશના સૌથી યુવા IPS સફિન હસન અંબાજી મંદિરે પહોંચ્યા હતાતેમનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે દેશના વિકાસ માટે અંબાજી માતાની આરાધના કરી હતી.

iPS ઓફિસર સફિન હસન માં અંબાજી ના દર્શન કરીને ભારતના વિકાસની પ્રાર્થના કરી હતી. ખરેખર સફીન હાસન સૌ યુવાનો માટે પણ ખુબ જ પ્રેરણા સમાન છે. સૌથી ખાસ વાત એ કે સફીન હસન પોતાની કામગીરીના લીધે પ્રખાયત થયેલ. હાલમાં પણ તેમની લોકપ્રિયતા અતૂટ છે અને યુવાનો માટે તે પ્રેરણામૂર્તિ સમાન છે.

Categories
Religious Gujarat India

રાજકોટ ના જાણીતા સામાજિક કાર્યકર્તા દિશાંક કાનાબાર ની ભત્રીજીએ, એવી રીતે જન્મદિવસની ઉજવણી કરી સૌ કોઈ વખા કરી રહ્યા છે, ભેટમાં શ્રી રામ ભગવાન.

રાજકોટના જાણીતા સામાજિક કાર્યકર્તા દિશાંક કાનાબાર ની ભત્રીજી એ ઉજવ્યો પ્રેરણાદાયી જન્મદિવસ. આ જન્મદિવસ સૌ માટે ખરેખર પ્રેરણાસ્ત્રોત સમાન છે કારણ કે આજના સમયમાં સૌ કોઈ લોકો પોતાના જન્મદિવસને ઉજવવા માટે વેસ્ટર્ન ક્લચર અપનાવે છે તેમજ ખાલીખોટા ખર્ચાઓ કરતા હોય છે, આપણે જાણીએ છે કે લોકો રસ્તાઓ વચ્ચે કેક કટીંગ કરે છે તેમજ ફટાકડા ફોડવા, જેવી અનેક પ્રવુતિઓ કરતા હોય છે.

જન્મદિવસની ઉજવણી કરવી તે દરેકની પસંદગી હોય છે પરંતુ અવની તુષારભાઈ કાનાબારે પોતાના જન્મદિવસની ઉજવણી એવી રીતે કરી કે સૌ હિન્દૂ લોકોનું દિલ તો જીતી લીધું પરંતુ સાથોસાથ સૌકોઈને એક પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. વાત જાણે એમ છે કે, અવનીએ પોતાના જન્મદિવસે શાળામાં સૌને કંકુ અને અક્ષત સાથે શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવ્યું છે.

જન્મદિવસે લોકો ચોકલેટ અને ગિફ્ટ તો સૌ કોઈ ભેટમાં આપે છે પરંતુ અવનીએ શ્રી રામ ભગવાનના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ટેકનોલોજી ના માધ્યમથી જોડાવ તે માટે આપને નિમંત્રણ આપ્યુ અને સાથોસાથ કંકુ તથા અક્ષત પણ ભેટ સ્વરૂપે આપ્યા છે.

કારણ કે , રર જાન્યુઆરી 2024 માં અતિ શુભ ચોઘડિયે શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા થશે, ત્યારે કંકુ અને અક્ષતથી આપ ગૌરવ સાથે તમારા ઘરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામની પૂજા અર્ચન કરીને દિવ્ય ક્ષણની અનુભૂતિ થઇ શકે.

અવનીએ આ રીતે જન્મદિવસ એટલા માટે ઉજવ્યો કારણ કે, આજ કાલ જન્મદિવસ ઉજવવાની પરંપરા ઉતરોતર વધતી જતી જોવા મળે છે મારોએમાં કશો વિરોધ નથી પરંતુ કઈક એવી ભાવના સાથે ઉજવણી કરીએ કે જેમાંથી સમાજમાં લોકો પ્રેરણા લઈ શકે કારણકે પરમાત્મા એ આપેલા આ પંચભૌતિક દેહનો એક દિવસ નાશ થવાનો છે એ નક્કી છે તો આ દેહ માંથી પ્રાણ જાઈ તે પહેલા એવું કરીએ કે જે જીવનનું અમૂલ્ય સંભારણું બની રહે.

Categories
Religious Gujarat

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરે કરી શ્રી રામ મંદીરના ધ્વજદંડ ની પૂજા વિધિ, જુઓ વિડિયો

કરોડો હિન્દુઓનું સપનું ૨૨ જાન્યુઆરીએ પૂરું થશે, જ્યારે શ્રી રામ ભગવાન ભવ્ય મંદીરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થશે. આ મંદિરના ધ્વજદંડની પૂજા વિધિ અમદાવાદમાં ગોત્તા ખાતે સાધુ સંતોની હાજરીમાં કરવામાં આવી હતી. આ તકે ગુજરાતના લોકપ્રિય ગાયક અને સાહિત્યકાર માયભાઈ આહીર તેમજ કિર્તીદાન ગઢવી એ પણ પૂજા વિધિનો લાભ લીધો હતો અને આ ખાસ વિડીયો તેમને સોશિયલ મીડિયામાં શેર કર્યો.

આ ધ્વજદંડ સંપૂર્ણ પીતળમાંથી બનાવવામાં આવ્યો છે. મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો અને તેની લંબાઈ 44 ફૂટની છે. આ ધ્વજદંડ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા બનાવવામાં આવ્યો છે.આ ધ્વજદંડ મંદીરના શિખર પર લાગશે અને તેના પર સનાતન ધર્મનો ધજા ફરકશે, જે વિશ્વમાં એક નવી ચેતના ને ઉજાગર કરશે અને યુગો પછી એક એવી શ્રણ આવી રહી છે, જ્યારે શ્રી રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ બિરાજમાન થશે.

ધ્વજદંડની પૂજા વિધિ એ શ્રી રામ મંદિરના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો. આ પૂજા વિધિથી દેશભરના હિન્દુઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.ધ્વજદંડ એ એક ધાર્મિક પ્રતિક છે. શ્રી રામ મંદિર એ હિન્દુઓનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે.આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતાજીને બિરાજમાન કરવામાં આવશે. આથી ધ્વજદંડની પૂજા વિધિ એ શ્રી રામ મંદિરના નિર્માણમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો.આશા છે કે આ પૂજા વિધિથી દેશભરના હિન્દુઓમાં ભક્તિની ભાવના વધશે.

Categories
Religious

ઊંચા કોટડામાં હાજરા હજુર બિરાજમાન છે આ માતાજી!મંદિર એટલું સુંદર કે સાવ નજીક જ પડે છે દરિયો, ઇતિહાસ છે ખુબ અનેરો…

ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના મહુવા તાલુકામાં આવેલું ઊંચા કોટડા ધામ ચામુંડા માતાજીનું એક પૌરાણિક સ્થળ છે. આ ધામ દરિયાકિનારાની ભેખડો પર આવેલું છે. ઊંચા કોટડા ધામ ભક્તો માટે એક પ્રખ્યાત યાત્રાધામ છે. આ મંદિરો સાથે એક પૌરાણિક કથા જોડાયેલ છે, ચાલો અમે આપને આ દિવ્ય ઇતિહાસ વિષે જણાવીએ.

ચોટીલામાં બિરાજમાન ચાંમુડાની જેમ જ ઊંચા કોટડામાં બિરાજમાન ચામુંડામાંનો પણ અનેરો મહિમા છે, આ મંદિર સાથે કાળિયાભીલનો ઇતિહાસ જોડાયેલ છે. પૌરાણિક કથા અનુઅસાર મારવાડમાં એક વખત દુષ્કાળ પડ્યો ત્યારે ભક્ત જસા ભીલે માતાજીને પ્રાર્થના કરી, માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તારી પત્નીને ઢોર લઈને કાઠિયાવાડ જાવ અને તારી આ કાળી ગાય જ્યાં પગનો ઈશારો કરશે ત્યાં જ નિવાસ કરજે, ત્યાં મારો વાસ હશે.

જસા ભીલના ઘરે માતાજીના આશીર્વાદથી પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ. જેનું નામ કાળિયો ભીલ રાખવામાં આવ્યું હતું. કુળદેવી ચામુંડા માતાજી પોતે આવીને કાળિયા ભીલને લઈ જાય છે. અને હમીરને આહીરની આંગણે ઉછેર થાય છે..કહેવાય છે કે, વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતું તેવી માન્યતા છે.

કાળીયા ભીલ દરિયામા વહાણ લુંટતો. વહાણ લુંટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો. આજ ની તારીખેમાં ઉંચા કોટડામાં કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ખરેખર ઉંચા કોટડાના ચામુંડાની કૃપા દ્રષ્ટિ આજે પણ આ પાવન સ્થાન પર છે, તેમજ આજના યુગમાં પણ અનેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Categories
Religious

કાનાબાર પરિવારે લગ્નની કંકોત્રી એવી છપાવી કે, સૌ હિન્દૂઓને ગર્વ થાય, કંકોત્રી જોઈને તમેં પણ વખાણ કરશો….. જુઓ કેટલી ખાસ છે

લગ્ન પ્રસંગની શરૂઆત કંકોત્રી દ્વારા થાય છે, જેથી કંકોત્રી એ લગ્નની શોભાવૃદ્ધિ અને પ્રતીક છે. આજના સમયમાં સૌ કોઈ લોકો અનોખા પ્રકારની લગ્નની કંકોત્રીઓ છપાવતા હોય છે, ત્યારે હાલમાં જ કાનાબાર પરિવારે એક ખુબજ અનોખી કંકોત્રી છપાવી હતી. આ કંકોત્રીએ સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. ખરેખર આજના સમયમાં આવો વિચાર આવો એ પણ ખુબ જ મોટી વાત છે. કાનાબાર પરિવારે સાદગીની સાથે સાથ એક ખુબ જ સુંદર વાત કંકોત્રીમાં રજૂ કરીને આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવી દીધા છે.

કાનાબાર પરિવાર દ્વારા જાણવા મળ્યું કે, 7 ડિસેમ્બરના રોજ દિશાંક કાનાબાર અને પૂજાબેન વાઘમોરે લગ્નના બંધને બંધાયા હતા. આ બંને નવ યુગલ દંપતીએ પોતાના લગ્નને ખુબ જ યાદગાર બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, દિશાંકે નેચરોપેથી અને માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો છે. અને તેઓ એમફિલમાં ગોલ્ડ મેડાલીસ્ટ હોવાની સાથે-સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવાનોમાં આવેલ સામાજિક પરિવર્તન વિષય ઉપર PhDનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે પોતાના જ્ઞાન અને પરિવાર તરફથી મળેલ સંસ્કારોને કારણે તેમને પોતાના લગ્નમાં એક ખુબ જ ઉમદા વિચાર આવ્યો.

દિશાંકએ પોતાના લગ્નની એક ખુબ જ ખાસ કંકોત્રી છપાવી જેણે સૌ કોઈ હિન્દૂઓનું હ્નદય જીતી લીધું. આપણે જાણીએ છે કે, અનેક વર્ષો પછી દરેક હિન્દૂઓનું રામ મંદિરનું સ્વપ્ન સાકાર થશે. આ દિવસ એટલે 22 જાન્યુઆરી 2024. આ દિવસે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ પોતાની જન્મભૂમિ પર શ્રી રામ લલ્લા તરીકે બિરાજમાન થશે, આ દિવ્ય અને ભવ્ય ક્ષણના આપણે સૌ સાક્ષી બનીશું કારણ કે અનેક વર્ષો પછી અયોધ્યા નગરીમાં શ્રી રામ ભગવાન સાક્ષાત સ્વરૂપે પોતાની જન્મ ભૂમિ પર બિરાજમાન થશે, ભારત દેશમાં આ દિવસ દિવાળીથી પણ વિશેષ અને યાદગાર બની રહેશે.

દિશાંક એ પોતાના લગ્નને યાદગાર બનાવવા અને સૌ કોઈ હિન્દૂઓને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનાવવા માટે પોતાની લગ્નની કંકોત્રીમાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રતિષ્ઠાની તારીખ, સમય અને મંદિરનો ફોટો દર્શાવ્યો છે. અને આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌને જોડાવવાનું નિમંત્રણ પાઠવ્યું છે અને લખ્યું છે કે, ” કરોડો લોકોની સદીઓની તપસ્યાનો અંત…. ઈશ્વરે આપણને આપેલ આ અમૂલ્ય અવસરના સાક્ષી બનવાનો લાભ લેવાનુ ન ચૂકીએ.તેમજ કંકોત્રીનાં પ્રથમ પેઇજથી લઈને અંત સુધીના તમામ પેઈજ પર ભગવાન શ્રીરામનું નામ લખ્યું છે.

દિશાંક એ પોતાના લગ્નમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું સૌને આમત્રંણ તો પાઠવ્યું પણ સાથોસાથ પોતાના લગ્નના માં સૌ મહેમાનોને ચકલીના માળા ભેટમાં આપ્યા તેમજ રિસ્પેશનમાં શ્રી રામ ભગવાનના ગીતો વગાડવામાં આવશે તેમજ તેનાથી વિશેષ નવ દંપતીએ સૌ કોઈ મહેમાનો પાસે જઈને આશીર્વાદ લેશે કારણ કે મોટાભાગે રિસ્પેશનમાં વડીલો સ્ટેજ પર આવતા હોય છે આશીર્વાદ આપવા પરંતુ દિશાંક અને પૂજાએ પોતાના રિસેપ્શનમાં નવી પહેલ કરીને સૌ કોઈને એક સકારાત્મક અને નવીત્તમ પ્રેરણા આપવા માંગે છે,

Categories
Religious

ગીતાબેન બન્યાં મીરા! કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ એવું ફોટોશૂટ કરાવ્યું કે તસવીરો જોઈને તને કહેશો ” રાધે રાધે “

ગુજરાતના લોકપ્રિય અભિનેત્રી ગીતાબેન રબારીએ તાજેતરમાં એક ખૂબ જ આકર્ષક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેણીએ કૃષ્ણ ભગવાનની આઇકોનિક સ્ટાઇલમાં બાંસુરી વગાડતાં ફોટો શૂટ કરાવ્યુ છે. આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે અને લોકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ ફોટોશૂટમાં ગીતાબેન રબારીએ સફેદ રંગની સાડી પહેરી છે. તેમના વાળ ખુલ્લા છે અને તેમના ચહેરા પર આશા અને પ્રેમનો અભિવ્યક્તિ છે. તેમણે બાંસુરીને એક આદર્શ રીતે વગાડી છે. આ તસવીરોમાં તેઓ કૃષ્ણ ભગવાનની આસ્થા અને પૂજાના ભાવને ખૂબ જ સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે.

ગીતાબેન રબારી ગુજરાતના લોકપ્રિય ગાયિકા છે તેમણે અનેક ગુજરાતી ગીતોની ભેટ આપી છે, તેમના ચાહકો તેમના નવા ફોટોશૂટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેમને આશા છે કે ગીતાબેન રબારી ભવિષ્યમાં પણ આવા જ સુંદર ફોટોશૂટ કરાવશે.

આ ફોટોશૂટનો મહત્વ એ છે કે તે ગુજરાતી સંસ્કૃતિ અને ધર્મને પ્રોત્સાહન આપે છે. આ ફોટોશૂટમાં ગીતાબેન રબારીએ કૃષ્ણ ભગવાનની આસ્થા અને પૂજાના ભાવને ખૂબ જ સુંદર રીતે પ્રતિબિંબિત કર્યો છે. આ ફોટોશૂટ ગુજરાતી સંસ્કૃતિ અને ધર્મના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ પગલાં છે.

Categories
India Religious

પશુ-માનવ વચ્ચેનો આવો પ્રેમ તમે ક્યારેય નહીં જોયો હોઈ!! પોતાની ભેંસનું નિધન થયું તો પશુપાલકે કર્યું આવું વખાણલાયક કાર્ય.. જુઓ તસ્વીર

આપણે જાણીએ છે કે ઘણા એવા લોકો પણ આ દુનિયામાં છે જેમને પોતાના પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે અતિ લગાવ હોય છે. હાલમાં જ આવો જીવદયા નો એક ઉત્તમ દાખલો બન્યો. વાત જાણે એમ છે કે, હરિયાણાના ચરખી દાદરીમાં એક ભેંસના મૃત્યુ પછી એવું કાર્ય કરવામાં આવ્યું કે જગત આખું જોતું રહી ગયું.

વાત જાણે એમ છે કે, 24 વર્ષથી એક ખેડૂત પરિવારની ત્રણ પેઢીઓને સમૃદ્ધ બનાવી હતી, તેને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ભેંસનું નામ લાડલી હતું અને સૌથી ખાસ વાત એ કે લાડલીના મુત્યુ બાદ જમણવાર પણ રાખવામાં આવેલ.આ દરમિયાન સંબંધીઓ સિવાય ગ્રામજનોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું અને તમામ લોકો હાજર હતા.

ત્રણ પેઢીઓએ 28 વર્ષ પહેલા આવેલી આ ભેંસનું દૂધ પીધું અને તેમાંથી જન્મેલા બાળકોને ઉછેરતાં તેણે અઢળક કમાણી પણ કરી. આ ભેંસાણ માલિક કહ્યું કે અમે ભેંસને “લાડલી” કહીને બોલાવતા હતા અને તેને પોતાના પરિવારનો સભ્ય માનતા હતા. ખેડૂત સુખબીરે જણાવ્યું કે ભેંસના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં દેશી ઘીથી બનેલો ખોરાક બનાવવામાં આવ્યો હતો.

જેમાં ચોખા, લાડુ, વગેરેનો સમાવેશ થતો હતો. જલેબી, ગુલાબ જામુન, સબઝી અને પુરી સામેલ હતી. લગ્નની જેમ ગોલ-ગપ્પા પણ પીરસવામાં આવ્યા હતા.ખેડૂતના જણાવ્યા મુજબ ભેંસના અંતિમ સંસ્કારમાં લગભગ ચારસો સંબંધીઓ જોડાયા હતા.

Categories
Religious Gujarat

ગુજરાતના એક પરિવારે એટલી સુંદર કંકોત્રી બનાવડાવી કે જોઈ તમે વખાણ કરી થાકી જશો!! વિડીયો જોઈ તમે પણ કેશો “કંકોત્રી હોય તો આવી…

આજકાલ લગ્નની સીઝનમાં એક અનોખો કાનકત્રીનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે એક છોકરાને માટીમાંથી ચકલીનું માળો બનાવતા જોઈ શકો છો. આ છોકરાએ એક ખૂબ જ સારી વાત પણ કહી હતી કે જો તમે આ રીતે કાનકત્રી બનાવો તો તમારા પૈસા બગડશે નહીં અને તે ચકલીઓ માટે રહેવાનું ઘર બની જશે. ખરેખર આ કંકોત્રી આજના સમયમાં દરેક વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે.

આ પ્રકારની કંકોત્રી છપાવવાથી લગ્નનું આંમત્રણ તો પાઠવી શકાય છે પરંતુ સાથોસાથ જીવદયાનું પણ એક સત્કાર્ય થાય છે. આજના સમયમાં ચકલીની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે, ત્યારે ચકલીઓને રહેવા માટે માળો આવશ્ય છે. આ કંકોત્રીની બનાવટ એ રીતે હોય છે કે, સરળતાથી ચકલી માટે રહેવાનું ઘર તૈયાર થઇ જાય છે.

આ ઘરને તમેં એવી જગ્યા એ રાખો જ્યાં ચકલીઓની અવર જ્વર હોય અને થોડા દિવસમાં ચકલી પોતાનો માળો આ ઘરમાં બાંધશે. આ પદ્ધતિ અપનાવીને તમે તમારા લગ્નની કંકોત્રી રિસાયકલ કરી શકો છો અને ચકલીઓ માટે એક સુંદર ઘર બનાવી શકો છો. આનાથી તમે પર્યાવરણની સંરક્ષણમાં પણ યોગદાન આપી રહ્યા છો.

આ વિડિયો જોયા પછી લોકોએ તેને ખૂબ જ સારી પહેલ ગણાવી છે. તમે પણ આ વિડિયો જોઈને આ પ્રયોગ કરી શકો છો. તમારા લગ્નની કાંકોત્રીને ચકલીનું માળો બનાવીને એક પુણ્યના કાર્યમાં સહભાગી થશો કારણ કે માત્ર દેખાવો કરવા માટે લાખો રૂપિયા ખર્ચવાને બદલે આ પ્રકારની કંકોત્રી દ્વારા તમારા લગ્ન પ્રસંગ સદાય યાદ રહેશે.

Categories
Gujarat Religious

પરિવારે ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજીને અર્પણ કર્યો આ ખાસ હીરા જડીટ મુંકુટ!! કુલ આટલા સોનાથી બનેલ છે…

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં ભક્તો દ્વારા દાદાને અનેક ભેટો અર્પણ કરવામાં આવી રહી છે. આજે સુરતના ભંડારી પરિવારે 1 કિલો સોનાના મુગટ અને કુંડળ દાદાને અર્પણ કર્યા હતા.

આ મુગટ અને કુંડળની ડિઝાઈન ખૂબ જ સુંદર અને અલગ છે. મુગટમાં ગદા, બે મોર, મોરપીંછ અને ફ્લાવરની આકૃતિ કરવામાં આવેલી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણાની કારીગરી કરવામાં આવેલી છે. આ સોનાના બનેલા મુગટ અને કુંડળમાં 7000થી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં 1 મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.

ભંડારી પરિવારના વડા ગંગાધરભાઈ ભંડારીએ જણાવ્યું કે, “અમે દાદાના શતામૃત મહોત્સવમાં ભાગ લેવા માંગતા હતા. આથી અમે આ મુગટ અને કુંડળ બનાવડાવ્યા હતા. અમે આશા રાખીએ છીએ કે દાદા આ ભેટને સ્વીકારશે અને આપણા પર આશીર્વાદ વરસાવશે.”

સાળંગપુર ધામના સંતોએ ભંડારી પરિવારના આ દાનને પ્રશંસાની વર્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, “ભંડારી પરિવારનું આ દાન દાદા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દાનથી દાદાની શક્તિ વધશે અને તેઓ આપણા પર વધુ આશીર્વાદ વરસાવશે.”

આ મુગટ અને કુંડળનું દાન એક પ્રેરણાદાયી કાર્ય છે. આ દાનથી દાદાની શક્તિ વધશે અને તેઓ આપણા પર વધુ આશીર્વાદ વરસાવશે.