Categories
National Religious

જુગાડુ વ્યક્તિએ આવી રીતે ગાડી માંથી હેલીકૉપટર બનાવ્યું ! સસ્તામાં હેલીકૉપટર સફર આ હેલીકૉપટર હવામાં..જુઓ તસવીરો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના લોકોનો દિમાગ ઘણો તેજ છે. આપણા દેશના લોકો ઘણા બુદ્ધિશાળી છે માટે ઘણી મોટી અને મુશ્કેલ લગતી બાબતોને આપણા દેશના લોકો આરામથી કરી શકે છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસ પાસ ની વસ્તુઓ માર્યાદિત છે જયારે વ્યક્તિની જરૂરિયાત ઘણી જ વધુ છે. માટે જ વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અમુક વચ્ચેના રસ્તા અપનાવે છે. જેને આપણી ભાષામાં જુગાડ તરીકે ઓળખાઈ છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક કર્યો કરતા હોઈ છે. લગ્નની વિધિથી લઈને લગ્ન સંપન્ન થાય તે માટે અનેક યોજનાઓ ઘડતા હોઇ છે. જેમાં વર અને કન્યા ના આગમનથી લઈને ડાન્સ લગ્નની થીમ વગેરે ને લઇને વ્યક્તિ ઘણો વિચાર કરતો હોઈ છે કારણકે તેની ઈચ્છા પોતાના લગ્નને યાદગાર અને અનોખા બનવવાની હોઈ છે. તેવામાં સૌથી વધુ લોકોનું ધ્યાન વર અને કન્યાની એન્ટ્રી પર હોઈ છે.

આપણે સૌ સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીએ જ છીએ તેમાં આપણે સૌ વર અને કન્યાની અલગ અલગ એન્ટ્રીના વિડિઓ પણ જોયા છે કે જ્યાં અમુક લોકો મોંઘી ગાડીઓમાં આવે છે. તો અમુક લોકો હાથી ઘોડા લઈને આવે તેવામાં અમુક પૈસાદાર લોકો લગ્ન માટે હેલીકૉપટર પણ લાવે છે. આપણે અહીં એક આવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના જુગાડ થી એક નેનો ગાડીને હેલીકૉપટર માં ફેરવી નાખી અને હવે તેઓ આ ગાડી વાળું હેલીકૉપટર લગનમાં ભાડે પણ આપે છે.

તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે વાત કરીએ. જણાવી દઈએ કે આ વ્યક્તિ નું નામ ગુડ્ડુ શર્મા છે. અને તેઓ બિહારના બગાહા વિસ્તારના રહેવાસી છે. તેમણે એક નેનો ગાડી પર આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવાને સેન્સર ની મદદથી આ હેલીકૉપટર બનાવ્યું છે, અને હવે તેઓ લગ્નમાં વર અને કન્યા ની એન્ટ્રી માટે 15 હજાર રૂપિયાના ભાડે આ ગાડી આપે છે કે જેમાં બેઠીને લોકો હેલીકૉપટર જેવો આનંદ લઇ શકે જણાવી દઈએ કે તેમનો આ વિચાર હાલમાં અનેક લોકોને ગમ્યો છે અને ઘણા લોકોએ આ હેલીકૉપટર માટે બુકીંગ પણ કરાવી લીધું છે.

Categories
India Religious

લગ્નની વિધિમા જ કન્યા ને થઈ પ્રસૂતિ પીડા અને આપ્યો બાળકી ને જન્મ જે બાદ વર અને તેના પરિવારે જાણો આખી ઘટના..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં માતા પિતા બનવાનું સુખ ઘણું ખુશીઓ આપનાર હોઈ છે. લગ્ન બાદ દરેક દંપતિ ની ઇચ્છા સારા માતા પિતા બનવાની હોય છે. દરેક માતા પિતા ઇચ્છે છે કે પોતાના સંતાનને સારું જીવન મળે. જો કે લગ્ન પહેલા માતા પિતા બનવાનો બનાવ સામે આવે તો? આપણા સમાજ માં આ બાબત ને સારી દ્રષ્ટિએ જોવામાં આવતી નથી.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમાં લગ્નને લઈને અનેક વિધિઓ પણ હોઈ છે જોકે આપણા દેશમાં ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં લગ્નને લઈને ઘણી વિચિત્ર પ્રથાઓ છે. જેના વિશે આપણે કદાચ જાણતા પણ નહીં હોઈએ આપણે અહીં એક આવા જ લગ્નના અંગે વાત કરવાની છે કે જ્યાં એક યુવતિ પોતાના લગ્નમાં જ માતા બની તો શું છે. આ આખી ઘટના તેના વિશે માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે આ ઘટના છત્તીસગઢ રાજ્યના કોંડાગાંવ જિલ્લાના બરારાજપુર માં આવેલા બાંસકોટ ની છે કે જ્યાં એક કન્યા ને પોતાની જ લગ્નની વિધિમા પ્રસૂતિ પીડા થઈ અને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા યુવતીએ બાળકી ને જન્મ આપ્યો છે. મિત્રો જો વાત આ લગ્ન અંગે કરીએ તો અહીં ચંદન નેતામ નામના યુવક ના લગ્ન ઓરિસ્સાના રહેવાસી શિવ બટ્ટી સાથે થઈ રહ્યા હતા. તેવામાં જ્યારે તેમની હલ્દી ની વિધિ શરૂ હતી ત્યારે શિવ બટ્ટી ને પેટમાં દુખાવો શરૂ થયો. જે બાદ તેમને હોસ્પીટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમણે બાળકી ને જન્મ આપ્યો.

જો વાત આ બનાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વિસ્તાર માં રહેતા લોકોમાં લગ્નને લઈને એક રિવાજ છે કે જેને પૈઠુ પ્રથા કહેવાય છે. જેમાં કન્યા લગ્ન પહેલા જ પોતાની પસંદના છોકરાના ઘરે જાય છે અને ત્યાં રહેવા લાગે છે. જો કે આ બાબત ને લઈને કન્યા ના પરિવારના સભ્યોને પણ કોઈ વાંધો હોતો નથી ત્યારબાદ વર-કન્યા પક્ષના લોકો યોગ્ય સમય જોઈને બંને ના લગ્ન કરાવી દે છે. શહેર માં આપ્રથા ને લોકો લિવ ઇન રિલેશનશિપ તરીકે ઓળખે છે.

આજ પ્રાથના કારણે કન્યા શિવબત્તી માંડવી ઓડિશાના નવરંગપુર જિલ્લાના કિંદગીડીહીમાં ઓગસ્ટ 2021માં કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉજવવામાં આવી હતી. જે બાદ પરિવાર ના લોકો દ્વારા યોગ્ય સમય જોઈને તેમના લગ્ન કરવાનું નક્કી થયું. હાલમાં કન્યાએ બાળકી ને જન્મ આપ્યો છે જેના કારણે પરિવાર માં લગ્ન અને બાળકી ના જન્મને લઈને હરખ નો માહોલ છે.

Categories
Religious

આ સંત 550 વર્ષો થી તપસ્યા કરી રહ્યા છે વધે છે નખ અને વાળ

ગામના વડીલોએ આ મમી વિશે કહેવું છે કે 15 મી સદીમાં અહીંના ગામમાં એક સંત તપસ્યા કરી રહ્યા હતા. આ તેની મમી છે. પૌરાણિક કથાઓમાં આપણે ઘણીવાર સાંભળ્યું છે કે રુષિ -મુનિઓ કોઈ દેવતાને પ્રસન્ન કરવા માટે સેંકડો વર્ષોથી તપસ્યા કરતા હતા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવોએ પણ તેમને વરદાન આપ્યું. અમે ફક્ત આ વિશે સાંભળ્યું છે.

પણ હવે વારો આવી ગયો છે એક એવા સંતને જોવાનો જે એક કે બે નહીં પણ 550 વર્ષોથી ધ્યાન કરી રહ્યા છે હા તિબેટથી લગભગ 2 કિલોમીટર દૂર લાહુલ સ્પીતીના ગિયુ નામના ગામમાં એક સંતની મમી મળી આવી છે આશ્ચર્યજનક બાબત એ છે કે તેમના વાળ અને નખ આજે પણ વધી રહ્યા છે. એટલા માટે નિષ્ણાતો તેમને મમી માનવાથી દૂર રહ્યા છે.

અહીં ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ આ મમીની સ્થાપના ગામમાં એક સ્તૂપમાં કરવામાં આવી હતી તેને કાટમાળમાંથી કાઢયા બાદ, આ મમીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે આ મમી લગભગ 545 વર્ષ જૂની છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે કોઈ પણ કોટિંગ વગર અને જમીનમાં દટાયેલા હોવા છતાં, તેમાં કોઈ ખામી રહી નથી. ગામના વડીલોએ આ મમી વિશે કહેવું છે કે 15 મી સદીમાં અહીંના ગામમાં એક સંત તપસ્યા કરી રહ્યા હતા.

તે જ સમયે, ગામમાં વીંછીનો પ્રકોપ થયો.ગામને આ ક્રોધથી બચાવવા માટે, સંતે ધ્યાન કરવાનું શરૂ કર્યું. જોકે કેટલાક લોકો કહે છે કે આ જીવંત મમી બૌદ્ધ સાધુ સાંગલા તેનજિંગની છે.

તિબેટથી ભારત આવ્યા પછી, તે આ ગામમાં આવ્યો અને ધ્યાનમાં બેસી ગયો અને ફરીથી ઉઠ્યો નહીં. આ મમીના વાળ અને નખ જ વધી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ ગામના લોકો પણ કહે છે કે એક વખત મમીના માથા પર કુદકાને કારણે લોહી પણ નીકળ્યું હતું. તે ઈજાના નિશાન આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ મમીને ગ્રામજનોની ધરોહર માનીને આ ગામમાં જ તેને પુન સ્થાપિત કરવામાં આવી છે. મમીને કાચની કેબિનમાં રાખવામાં આવી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India National Religious

ભગવાન રામ ના ભક્તો માટે ખુશ ખબર હવે આ ટ્રેન તમને કરાવશે ભગવાન રામ સાથે જોડાયેલા તમામ સ્થળો ના દર્શન….

ભગવાન શ્રીરામ ! મિત્રો આપણે સૌ ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ તરીકે ઓળખીએ છીએ.કારણ કે તેઓ એક આદર્શ સંતાન, આદર્શ પતિ ઉપરાંત એક આદર્શ પિતા ની સાથો સાથ એક આદર્શ રાજા પણ હતા. આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ ઘણા સમય લોકોના જીવન પ્રભાવિત કરતું રહ્યું છે.

અહીં ભગવાન પ્રભુ શ્રીરામ લોકોને સાચી રીતે જીવન જીવવાનો ઉપદેશક આપ્યો છે. તેવામાં શરૂઆતથી લઈને હાલની તારીખ સુધી પણ લોકોમાં રામાયણ, ઉપરાંત ભગવાન શ્રીરામ અને તેમની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ, વાર્તાઓ અને સ્થળો વિશે જાણકારી મેળવવા અંગે રૂચી રહેલી છે. લોકોની આવી જ ઈચ્છાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને ભારતીય રેલ દ્વારા ઘણું પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે.

જેના અંતર્ગત સરકાર અને રેલવે વિભાગ દ્વારા ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત શ્રદ્ધાળુઓને કરાવવા માટે એક વિશિષ્ટ ટ્રેનની શરૂઆત કરી છે. અને આ ટ્રેનને રામાયણ એક્સપ્રેસ એવું નામ આપવામાં આવ્યું છે. તો ચાલ આપણે આજે આ ટ્રેન વિશે વિસ્તારથી માહિતી મળવીએ અને જો તમે પણ ભગવાન શ્રીરામના સંપર્ક માં આવેલા તમામ સ્થળોની મુલાકાત લેવા માગતા હો તો આ અહેવાલ તમારા માટે છે.

તમને જણાવી દઈએ કે ભારત સરકાર અને ભારતીય રેલ્વે દ્વારા ભગવાન રામ સાથે સંકળાયેલા તમામ તીર્થ સ્થાનોની મુલાકાત લેવા માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે, આ ટ્રેન 7 નવેમ્બરના રોજ પહેલી વાર રવાના થવાની છે. આ ટ્રેન નો ઉપદેશ ભગવાન રામ સાથે જોડાયેલા તમામ ધાર્મિક સ્થળો ના દર્શન ભાવિકો ને કરાવવાનો છે. આ ટ્રેન વિશેની તમામ માહિતીઓ IRCTC દ્વારા જાહેર કરવામાં આવી હતી.

જો વાત આ ટ્રેન અને તેમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ટ્રેન માં સુપર ડીલક્સ એસી જોવા મળશે. આ ટ્રેન માં 2 ક્લાસ એસી કોચ છે. આ ક્લાસ ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ એમ છે. જો વાત લોકો ની સુરક્ષા અંગે કરીએ તો આ ટ્રેનમાં દરેક વ્યક્તિ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ઉપરાંત દરેક કોચમાં એક ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો વાત જમવાની સુવિધા વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં બે ડાઇનિંગ કોચ પણ છે, આવા ડાઇનિંગ કોચમાં એક અતિઆધુનિક કિચન પણ છે. આ ટ્રેન ને જોતાં એવું લાગે છે કે તે આધુનિક સમયની હરતી ફરતી હોટેલ હોઈ. તમને આ ટ્રેનમાં અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

જો વાત આ ટ્રેન ની ટીકીટ ની કિંમત અને તેના પ્રવાસ અંગેના સ્થળો વિશે કરીએ તો તમને જણાવી દઇએ કે આ ટ્રેન દિલ્હી સફદરજંગ થી અયોધ્યા જઈને તેના પછી સીતામઢી અને ચિત્રકૂટ, ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ પણ મુસાફરી કરશે, આવા સ્થળો કે જેની સાથે ભગવાન રામનો સંપર્ક હતો.

જો વાત આ પ્રવાસ ના સમય ગળા અંગે કરીએ તો આ ટ્રેનમાં મુસાફરીનો સમય 17 દિવસનો છે. આ દિવસોમાં ટ્રેન ભગવાન રામ સાથે જોડાયેલા મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. આ ટ્રેનનો હેતુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને જણાવ્યા અનુસાર આ ટ્રેન 7 નવેમ્બરે પોતાની યાત્રા શરૂ કરશે.

તેના પછી બીજી ચાર ટ્રેનો પણ આ યાત્રા માટે રવાના થશે. આ યાત્રા માટે ના ખર્ચની જાહેરાત કરતા IRCTCએ આ યાત્રા માટે એક પેકેજ તૈયાર કર્યું છે. જે અંગે ની વિગતો આ પ્રમાણે છે જો તમારે સેકન્ડ AC કોચ માં સફર કરવો હોઈ તો તેનું ભાડું દરેક વ્યક્તિ માટે 82,950 રૂપિયા છે. જ્યારે જો તમારે ફર્સ્ટ AC કોચ માં સફર માં કરવો હોઈ તો તેનું ભાડું 1,02,095 રૂપિયા છે. આ ભાડાની રકમ માં 17 દિવસ માટે વ્યક્તિની હોટલમાં રહેવાથી લઈને ભોજનની અંગેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Categories
Religious

સાઈબાબા ની મૂર્તિ અંગેના આ રહસ્યો તમે નહિ જાણતા હોવ આ મૂર્તિ…..

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશના લોકો ઘણા શ્રધાવાન છે આપણા દેશમાં અનેક ધર્મ અને પંથ ના માનવા વાળા લોકો રહે છે. આવા દરેક લોકો એક યા બીજી રીતે ભગવાન ની પૂજા કરે છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ દરેક ભગવાનના રૂપજ જુદા જુદા છે પરંતુ સમગ્ર સંસાર ને ચલાવનાર પરમ શક્તિ એક જ છે કે જેને લોકો અલગ અલગ રૂપમાં પૂજે છે.

આપણા દેશ માં ઘણા એવા મહાપુરુષો અને ઘણા સાધુઓ થઇ ગયા કે જેઓ વખતો વખત લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવતા હતા. વળી આપણા દેશમાં અનેક એવા સ્થળો છે જે ઘણા રહસ્યમઇ છે આવા સ્થળો અને આવા જુના સ્થાપત્યો અંગેના રહસ્યો નો ઉકેલ આજના આધુનિક વિજ્ઞાન પાસે પણ નથી. આપણે અહીં એક એવાજ ચમત્કાર વિશે વાત કરવાની છે.

આપડે અહીં શિરડીના સાઈબાબા ની મૂર્તિ વિશે વાત કરવાની છે અને તેની સાથે જોડાયેલ અમુક રહસ્ય વિશે આજે આપણે જાણીશું. જો વાત સાઈબાબાની કરીએ તો તેમનો જન્મ 28 સપ્ટેમ્બરે 1835 માં મહારાષ્ટ્ર ના પથરી ગામમાં થયો હોવાનું મનાઈ છે જોકે તેમના માતા પિતા વિશે કોઈ પાક્કી માહિતી નથી. તેમની સૌપ્રથમ માહિતી સાઈ ચરિત પુસ્તક માંથી મળે છે. તેઓ જયારે 16 વર્ષના હતા ત્યારે તેઓ શિરડી ગામે પહોંચ્યા હતા.

તેમણે અહીં ઘણીજ કઠિન તપસ્યા કરી હતી. લોકો તેમની તપસ્યાથી ઘણા પ્રભાવિત થતા કારણકે તેમણે આજ સુધી આટલી નાની ઉમરની વ્યક્તિને તપસ્યા કરતા જોયા નથી. તેમના થી પ્રભાવિત થઈને લોકો દૂર દૂર થી તેમની પાસે આવતા. પરંતુ તેઓ પોતાની તપસ્યમાં આટલા લિન હતા કે તેમને તડકો, ઠંડી, ગરમી, વરસાદ વગેરે કઈ પણ અંગે જ્ઞાત રહેતું નહિ.

તેમણે તેમના જીવન માં અનેક ચમત્કાર ને લગતા કર્યો કર્યા. તેઓ લોકો ને અવાર નવાર અનેક ધાર્મિક અનેક આદ્યાત્મિક બાબતો અંગે સમજાવતા હતા તેઓ સાચા અર્થમાં ધર્મને જાણનાર હતા. તેમણે “સબકા માલિક એક” નું સ્લોગન પણ આપ્યું હતું. તેમનાથી પ્રભાવિત થઇ અનેક લોકો તેમને માનવા અને પૂજવા લાગ્યા તેમના ભક્તોમાં હિન્દૂ અને મુસ્લિમ બંને લોકોનો સમાવેશ થાઈ છે જો કે સાઈબાબા પોતે હિન્દૂ હતા કે મુસ્લિમ તેની પણ માહિતી કોઈ પાસે નથી.

જો વાત તેમના ભક્તો અને મંદિર વિશે કરીએ તો સાઈબાબા ના ભકતો સમગ્ર વિશ્વ માં છે અને તેમના મંદિર દેશ ઉપરાંત દુનિયા માં ઘણા સ્થળોએ છે. લોકો તેમને પોતાના ગુરુ માને છે. અને આજના સમય માં પણ લોકો ગુરુવાર ના દિવસે તેમની વિષેશ પૂજા કરે છે. તમને જણાવી દઈએ કે સાંઈબાબા ની સૌ પ્રથમ મૂર્તિ શિરડીમાં બની હતી.

તે પહેલા લોકો તેમની છબી મૂકીને તેમની પૂજા કરતા હતા જો કે તેમની આવી પૂજા 1954 સુધી થતી ત્યાર બાદ તેમની આરસવાળી અને આસનવાળી મૂર્તિ તેમના સમાધિ સ્થળ પાસે સૌપ્રથમ વાર બનાવવામાં આવી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ એક દિવસ અચાનક મુંબઈ બંદરે ઇટાલી માર્બલ આવ્યું આ માર્બલ ક્યાંથી આવ્યું અને કોણે અને શામાટે મોકલ્યું તેની કોઈને જાણ નથી.

માર્બલ આવ્યા બાદ સાઈબાબા ની મૂર્તિ બનાવવાની જવાબદારી વસંત તાલીમ નામના મૂર્તિકાર ને આપવામાં આવી. મનાઈ છે કે મૂર્તિ બનાવતા પહેલા તેમણે બાબા ને પ્રાર્થના કરતા કહ્યું કે તમે જેવા દેખાવ છો તેવી જ હું મૂર્તિ બનાવી શકું. ત્યાર બાદ સાઈબાબા જાતે આ મૂર્તિકાર ને દર્શન આપવા આવ્યા જેના પછી આવી મનોહર મૂર્તિનું નિર્માણ થયું.

સાઈબાબા ને સૌ કોઈ માને છે સૌ કોઈ તેમની પૂજા કરે છે બાબા પોતના ભક્તોને હંમેશા મદદ કરે છે જ્યારે પણ પોતાનો ભક્ત માર્ગ ભટકી જાય છે ત્યારે બાબા પોતાના ભક્તને માર્ગ બતાવવા જરૂર આવે છે. માટેજ લોકો તેમને સાચા અર્થમાં ગુરુ માને છે સાઈબાબા કોઈ કલ્પના નથી પરંતુ વાસ્તવિકતા છે તેઓ એક યા બીજી રીતે લોકો ને સાચો માર્ગ બતાવતા આવ્યા છે.

Categories
Gujarat Religious

પાવાગઢ મા મંદિર ના પરિસર મા જોવા મળ્યો અદ્ભુત નજારો! જોવો શુ થયુ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ માતાના પૂજાના મહત્વના દિવસો ચાલી રહ્યોછે એટલે કે નવરાત્રી ચાલી રહી છે આપડે સૌ જાણીએ છીએ કે નવરાત્રી માતા ના ભક્તો માટે ઘણીજ મહત્વની ગણાય છે. આમતો માતાજીની પૂજા માટે કોઈ સમય ના હોઈ પરંતુ માન્યતા અનુસાર નવરાત્રી માં માતાજી પોતે તેમના ભક્તો ને આશીર્વાદ દેવા આવે છે. જોકે માતાજી ના આશીર્વાદ હંમેશા તેમના સંતાનો ઉપર રહેજ છે.

આપણને ખબરજ છે નવરાત્રી ના દિવસોમાં માતાજીના ભક્તો અનેક રીતે માતાજીને પ્રસન્ન કરવા માટે જપ અને તપ કરે છે. વળી અમુક માતાજી ના ભક્તો આ દિવસો દરમિયાન ગરબા ગાઈ અને રાસ રમી માતાજીને પ્રસન્ન કરવાના પ્રયતન કરે છે. લોકો માંને છેકે નવરાત્રી દરમિયાન માતાજી પોતે પણ પોતાના ભક્તો સાથે ગરબે રમવા આવે છે. ઘણા સમયથી કોરોના ને કારણે આવા ગરબા નું આયોજન બંધ હતું.

કોરોના માં ઘણા મંદિરો કે જ્યાં ભક્તોની મોટી ભીડ લાગે છે તેને લોકોની સુરક્ષા ના કારણે થોડા સમય માટે ભક્તોના દર્શન અર્થે બંધ રાખવામાં આવિયા હતા. પરંતુ હાલ કોરોના હળવો પડતા આ તમામ મંદિરો ફરીવાર ભકતો ના દર્શન માટે ખુલ્લા મુકાયા છે. નવરાત્રી હોઈ અને લોકો કાળકામાં ના દર્શન નો કરે તે શક્ય નથી તેથી ભક્તો ની આસ્થા ને ધ્યાન માં રાખી પાવાગઢ મંદિર ના સંચાલકોએ ભક્તો માટે મંદિર માં દર્શન કરવાની વ્યસ્થા કરી છે.

જોકે કોરોનાના કારણે હાલ પાવાગઢ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જાહેર જનતાને માતાજીના દર્શન થાઈ તે માટેની વ્યસ્થા કરવામાં આવી છે. ત્યારે ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ માંથી અનેક લોકો માતા ના દર્શન માટે પાવાગઢ આવે છે. ત્યારે અહીં લોકોની નજરે એક ખુબજ આશ્ચરીય થાઈ તેવો બનાવ સામે આવીયો છે.

અહીંના મંદિર પરિસર માં એક મહિલા પોતાની જીભ પર તલવાર ફેરવતી હતી અને હાથ માં તલવાર લઇ ને ધુણતી પણ હતી. લોકો ના જાણાવીયા પ્રમાણે તે મહિલા માધ્ય પ્રદેશ થી માતાજી ના દર્શન માટે આવી છે. અને મંદિર પરિસરમાં પગ મુકતાજ તેનામાં માતાજી આવિયા જેને કારણે તે આ પ્રકારે વર્તન કરતા હતા. લોકો એ જણાવ્યુ કે તેઓએ બધાને સુખી રહેવાના આશીર્વાદ પણ આપ્યા છે.