India

દહેજે વાળ્યો દાટ! પતિ દહેજ બાબતે આપતો હતો પત્ની ને ત્રાસ અંતે પત્ની થી સહન ન થયું અને એવું પગલું ભર્યું કે,

Spread the love

રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પારિવારિક ઝગડાઓ, ક્યારેક પૈસા ની લેતી દેતી બાબતે, તો ક્યારેક પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ક્યારેક હત્યા તો ક્યારેક આત્મહત્યા માં પરિણમતા હોય છે. એવી જ એક ઘટના દિલ્હીથી સામે આવે છે. જ્યાં એક પત્નીએ સાસરિયાવાળાના દહેજ ની બાબત થી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

મામલો દિલ્હીના ગોવિંદપુરી પોલીસ સ્ટેશનનો છે. જ્યાં હિમગીરી એપાર્ટમેન્ટમાં રહેતા અનુપમ ગુપ્તાના લગ્ન આ વર્ષે 30 જાન્યુઆરી 2022ના રોજ અલીગઢની યુવતી આરતી સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ આરતી તેના પતિના વર્તનથી નારાજ થવા લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરતીનો પતિ દહેજની માંગણી સાથે તેને વારંવાર મારતો હતો. આવી સ્થિતિમાં 25 સપ્ટેમ્બરના રોજ આરતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આત્મહત્યા કરતા પહેલા આરતીએ પોતાનો એક વીડિયો બનાવીને તેના મામાના સંબંધીઓને મોકલ્યો હતો. આવી સ્થિતિમાં આ વીડિયોને પુરાવા તરીકે લઈને અને મૃતક યુવતીના પિતાના નિવેદનને ધ્યાનમાં રાખીને પોલીસે કેસ નોંધીને આરોપી પતિ અનુપમની ધરપકડ કરી છે. તે જ સમયે, ગોવિંદપુરી પોલીસ સ્ટેશને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આરતીનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપી દીધો છે.

આરતીએ આત્મહત્યા કરતા પહેલા તેના પરિવારને એક વિડીયો મોકલ્યો હતો. જેમાં તેણે દહેજ બાબતની અને તેના પતિના વર્તનની વાત કરી હતી. અને પોતાની દુઃખ ભરી દાસ્તાન તેના પરિવારને જણાવી હતી. જ્યારે પરિવારને આ વિડીયો મળ્યો ત્યારે આરતી ના પરિવારે સાસરીયા વાળાને ફોન કર્યો અને ત્યારે ખ્યાલ આવી ગયો કે આરતી એ ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આમ આ મામલો આખો સામે આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *