India

લ્યો બોલો ! આ વિદેશી સુંદરી ભારતીય બાબાના પ્રેમમાં ડૂબી ગઈ, ભારત આવી કર્યા લગ્ન પણ હવે…જાણો ક્યાંથી થઇ હતી પ્રેમની શરૂઆત

Spread the love

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં આ વિદેશી મહિલાએ ભારતીય બાબા સાથે હિન્દૂ રીતિરિવાજ અનુસાર કરી લીધા લગ્ન, મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો ઓસ્ટ્રેલિયાની એક મહિલા જેના છૂટાછેડા થઇ ગયા હતા તેને શ્રીનગરના પ્રસિદ્ધ સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ સાથે એક સન્યાસી યોગીરાજ સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ બાબા સાથે સાત ફેરા લઇને લગ્ન કર્યા. આ લગ્નને લઇને મંદિરમાં આવેલા શ્રદ્ધાળુઓ વચ્ચે પણ આકર્ષણ જન્માવ્યું હતું.

આ મંદિરના પૂજારી લક્ષ્મી પ્રસાદ પાંડે દ્વારા હિન્દૂ રીતિ રિવાજ સાથે બાબા અને આ ઓસ્ટ્રેલિયાની મહિલાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. સિદ્ધપીઠ ધારી દેવી મંદિરમાં લગ્ન કરવા માટે આવવાળી ઓસ્ટ્રેલિયન મહિલા 40 વર્ષીય જીલુંત બૂને મંદિરના પુજારીને જણાવ્યું કે તે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રીના અવસર ઉપર બદ્રીનાથ આવી હતી. ત્યાં તેની બાબા સિદ્ધનાથ મહારાજ બર્ફાનીદાસ સાથે મુલાકાત થઇ હતી.

આમ આ સાથે તે તેના પાંચ વર્ષના દીકરા સાથે અહીંયા આવી હતી. 6 નવેમ્બરથી તે બાબાના ધીંધીરાણ ચમોલી સ્થિત બંદ મહેશ્વર આશ્રમમાં રહેતી હતી, જ્યાં તે યોગ સાધના અને બ્રહ્મ વિધા સાધના કરી રહી હતી. તેના દીકરાએ બાબાને પિતા કહી દીધું હતું અને ત્યાંથી જ તેને બાબા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. તે 9 ડિસેમ્બરના રોજ સિદ્ધપીઠ ધારી દેવી મંદિર પહોંચ્યા અને અહીંયાના મંદિરના પુજારીઓ સાથે વાત કરી લગ્ન કર્યા. આમ લગ્ન પછીની વાત કરીએ તો આ ઓસ્ટ્રેલિયન મહિલા જુલિયાએ લગ્ન કર્યા બાદ તેનું નામ માતા ઋષિવન રાખ્યું છે. એમબીએનો અભ્યાસ કરી ચુકેલી આ મહિલાએ હિન્દૂ ધર્મમાં અથાગ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે પોતાના બંને બાળકોના નામ પણ વિદ્વાન અને વિશાલ રાખ્યા છે. જેમાંથી પાંચ વર્ષનો દીકરો વિદ્યાન તેના લગ્નના સમયે હાજર હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *