Gujarat

કમો કમા ની રીતે! કમા નું હજારો રૂપિયા આપી સ્વાગત થાય છે આ રૂપિયા કમો જ્યાં વાપરે છે તે જાણી ને દિવ્યાંગ કમા પર થશે ગર્વ..

Spread the love

આપણા ગુજરાતમાં લોક ડાયરાઓનું ખૂબ જ મહત્વ છે આપણા ગુજરાતના લોક કલાકારો એટલે કે ડાયરા ના કલાકારો જ્યારે ડાયરાના પ્રોગ્રામ કરે છે ત્યારે લાખોની સંખ્યામાં મેદના ઉમટી પડતી હોય છે અને લાખોની સંખ્યામાં લોકો ડાયરા કલાકારોને માણતા હોય છે. અને લાખો રૂપિયા ડાયરાના કલાકારો પર ઉડાવતા હોય છે. આપણા ગુજરાતમાં ઘણા બધા ડાયરાના કલાકારો છે જેમાંના એક છે કિર્તીદાન ભાઈ ગઢવી. આજે કિર્તીદાન ભાઈ ગઢવી ની સાથે સાથે એક દિવ્યાંગ વ્યક્તિનું નામ પણ જોડાઈ ગયેલું છે. તેની દિવ્યાંગ વ્યક્તિને તમે લોકો જાણતા જ હશો. તેનું નામ છે કમાભાઈ.

એક દિવસ કિર્તીદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આ કમા નામનો વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ નિહાળતો હતો અને અચાનક કિર્તીદાન ભાઈએ એવું ગીત લલકારયુ કે કમો ઉભો થઈને કીર્તીદાનભાઈ ગઢવી ની સામે આવીને ડાન્સ કરવા લાગ્યો હતો કિર્તીદાનભાઈ ની સામે તે ગીત ઉપર ગીતને માન આપીને ડાન્સ કરતો હતો ત્યારથી આ કમાન નામનો વ્યક્તિ ગુજરાતના હર ઘરમાં જાણીતો થઈ ગયો છે.

પહેલીવાર જ્યારે કિર્તીદાનભાઈ ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000 ની નોટ પણ આપી હતી ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછ્યું હતું. ત્યારે લોકોએ કહ્યું હતું કમો ત્યારથી આ કમાભાઈ જાણીતા બની ગયા છે. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે. જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈ નું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર ચાર બોડીગાર્ડ રાખે છે.

ખાસ વાત તો એ છે કે કમાભાઈ દિવ્યાંગ હોવા છતાં પણ તેને ડાયરા પ્રત્યે રુચિ ખૂબ જ વધારે જોવા મળે છે. અને કિર્તીદાન ભાઈ ગઢવી ને પોતાના પ્રિય કલાકાર માને છે. આ કમાભાઈ ક્યાં રહે છે શું તમે જાણો છો? તો આ કમાભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના બાજુના ગામ કોઠારીયા ના રહેવાસી છે. જ્યારે કમાભાઈ ડાયરામાં એન્ટ્રી પાડે છે ત્યારે તેને લોકો તરફથી હજારો રૂપિયા આપવામાં આવે છે અને જાણે કે કોઈ મોટો સેલિબ્રિટી આવ્યો હોય તેવી રીતના તેનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. અને કારમાં તેની એન્ટ્રી પાડવામાં આવે છે.

કમાભાઇની એન્ટ્રી થતા લોકો હજારો રૂપિયા તેમની ઉપર ઉડાવી દે છે. અને તેને મોટી મોટી રકમો આપીને તેનું સન્માન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં પણ તેનામાં માનવતા કુટી કુટી ને ભરી છે કમાભાઈ જ્યારે ડાયરામાં આવે છે ત્યારે લોકો તરફથી તેને રૂપિયા મળે છે તે પોતે દાનમાં આપી દે છે એટલે કે કમાભાઈ ના ગામ કોઠારીયા ગામની અંદર એક ગૌશાળા છે તેમાં કમાભાઈને મળતા બધા જ પૈસા ગાય માતાને સેવામાં દાન કરી આપે છે. આમ દિવ્યાંગ હોવાની સાથે તે માનવતાવાદી માણસ પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *