કુદરતી સૌંદર્યથી ભરપૂર એટલે હનુમાનગાળા પ્રવાસીઓનું માનીતું ધર્મસ્થળ.
એક મંદિર જે ખૂબ જ સુંદર સ્થળ છે (હનુમાનજી મંદિરનું મંદિર) જે મંદિર હનુમાનગાળા તરીકે ઓળખાય છે હનુમાનગાળા ખાંભા તાલુકાને અડીને છે અને તુલસી શ્યામ રેન્જની નીચે સરસ રીતે કુદરતી વાતાવરણમાં જગ્યા છે.
ખાંભા થી 18 કિલોમીટર જ્યારે અમરેલીથી 70 કિ.મી. અને સાવરકુંડલાથી 40 કિ.મી. દૂર આ ગીર જંગલો વચ્ચેનું એક કુદરતી સ્થળ છે. દરેક માટે આકર્ષક આકર્ષણ સાથે, તે શાંતિપૂર્ણ અને કુદરતી રીતે સમૃદ્ધ વનસ્પતિથી સુરક્ષિત છે. આ જંગલમાં પહોંચવા માટે, બાબરપરા ગામથી રસ્તે ચાલવું પડે મુકામ સુધી પહોંચવાનો કાચોમાર્ગ છે.જે બાબરપરા થી પાંચ કિ.મી અંદર આવેલ છે
આ સ્થાન કોઈ મોટું મંદિર અથવા વિશાળ આશ્રમ નથી, પરંતુ તે જાણીતું છે કે શ્રી હનુમાનજી મહારાજનું આ પ્રાચીન મંદિર પ્રાચીનકાળ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા અહી આવેલ અને પાંડવો દ્વારા આ હનુમાનજીની પથ્થરમાં મૂર્તિ કંડારી સ્થાપના કરેલ છે તેવી લોકવાયકા છે માટે આ સ્થાન આસ્થાનું પ્રતિક છે અહી શનિવાર તેમજ મંગળવારનું મહત્વ હોવાથી અનેક ભાવિક ભક્તો ઉમટી પડે છે.પોતાની આસ્થા મુજબ અહી પ્રસાદ બનાવી માનતા પૂર્ણ કરે છે.
ખાસ તો કોઈ પ્રકારની દુકાનો આવેલ નથી તેમજ પર્યાવરણને નુકશાન થાય તેવી વસ્તુનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આશ્રમ મધ્યમાં, લીલો જંગલોના વૃક્ષો વચ્ચે, વનદેવતામાં માનનારા લીલા ઘાસના મેદાનો વચ્ચે આવેલ છે આશ્રમથી આશરે એક કિલોમીટર જંગલમાં હનુમાનની પ્રતિમા સાથેનું મંદિર આવેલું છે.હનુમાનગાળા જંગલ વચ્ચેના લાંબા ગિરી માળખાં વચ્ચે, એટલે કે બે ટેકરીઓ વચ્ચેનું અંતર, વચ્ચેનો વિસ્તાર છે,જેને હનુમાન કાળ તરીકે ઓળખવામાં આવે છે.
હનુમાનજીનું સ્થાન પહાડો અને પહાડોની ટેકરીઓમાં આવેલું છે. મંદિરમાં હનુમાનની મૂર્તિ પથ્થર કોતરી સ્થાપિત કરેલ છે. દિવસ દરમિયાન વાંદરા અને મોર, હરણ, ચિકારા સહિતના અન્ય પ્રાણી પક્ષીઓ સામાન્ય રીતે જોવા મળે છે. અહીં, ગીરની સંપત્તિને અડચણરૂપ ન બનાવવા માટે રાત્રિ રોકાણ કરવું અશક્ય છે. સાંજ પછી વન વિસ્તારમાં રાખવું પણ ગુનો છે. વરસાદની સિઝનમાં ઘણા નાના મોટા ઝરણાં જોવા એક લ્હાવો છે