Gujarat

જીગ્નેશ કવિરાજે કહ્યું કે જયારે તે દેવાયત ખવડ ને જેલ માં મળવા ગયા હતા એ સમયે એવું થયું હતું કે જાણી તમે, જુઓ વિડીયો.

Spread the love

ગુજરાતમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેઓને થોડા મહિનાઓ પહેલા રાજકોટ શહેરના એક યુવાન મયુરસિંહ રાણા ઉપર જાન લેવા હુમલો કરવાની બાબતે દેવાયત ખવડને 72 દિવસ સુધી જેલવાસ ભોગવવામાં આવ્યો હતો. 72 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ દેવાયત ખવડને અમુક શરતોને આધીન જામીન મળી ગયા હતા.

ત્યારબાદ ભાવનગર જિલ્લાની અંદર આવેલા પાલીતાણા ની અંદર કમળાઈ માતાજીના મંદિર ખાતે દેવાયતભાઈ ખવડે જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ ડાયરો કર્યો હતો. જેમાં રાજભા ગઢવી, કિર્તીદાનભાઈ ગઢવી વગેરે જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દેવાયતભાઈ ખવડ એ કહ્યું હતું કે આખું ગુજરાત રાહ જોઈને બેસ્યું છે કે હું શું બોલીશ મિત્રો ત્યારે દેવાયતભાઈ ખવડે કહ્યું હતું કે હું કોઈ વાયડાઈ ની વાતો કરીશ નહિ માત્ર વ્યવહારની જ વાત કરીશ અને કહ્યું હતું કે ઝૂકેગા નહીં સાલા.

ફરી એકવાર ડાયરાના કલાકાર જીગ્નેશ કવિરાજ નો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં જીગ્નેશ કવિરાજ દ્વારા દેવાયતભાઈ ખવડ વિશે અમુક વાત કહેવામાં આવી હતી. જીગ્નેશ કવિરાજ દ્વારા ડાયરા દરમ્યાન કહેવામાં આવ્યું હતું કે દેવાયતભાઈ જ્યારે જેલમાં હતા ત્યારે આ સ્ટેજની સાક્ષી સાથે કહું છું કે મને અંદરથી બહુ દુઃખ લાગ્યું હતું જીગ્નેશ કવિરાજ કહે છે કે જ્યારે તેઓ દેવાયતભાઈ ખવડને જેલમાં મળવા ગયા હતા ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યા હતા.

અને તેઓ બીજી વખત દેવાયતભાઈ ને જેલમાં મળવા જઈ શક્યા ન હતા. તેઓ જણાવે છે કે દેવાયતભાઈ ખવડ તેના સગા ભાઈ કરતા પણ વધારે છે અને કહ્યું હતું કે દેવાયતભાઈ ખવડને વધાવો તાળીઓથી. આમ આ પરથી કહી શકાય કે જીગ્નેશ કવિરાજ અને દેવાયત ખવડ વચ્ચે ખૂબ જ ગાઢ મૈત્રીનો સંબંધ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *