Gujarat

સૌના લોકચાહિતા ખજૂરભાઈએ પત્ની મીનાક્ષબે દવે સાથે આ બીચ પર હળવાશની પળો માણી!! મીનાક્ષીબેને આ ખાસ તસવીરો શેર કરીને લખ્યું કે… જુઓ તસ્વીર

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ખજુર ભાઈ એ પોતાના પત્ની મીનાક્ષી જાની સાથે ટવિનીંગ કર્યું હતું અને ફોટોશૂટ કરાવેલ. હાલમાં ફરી એકવાર ખજૂરભાઈ ની તસવીરો સામે આવી છે.આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈએ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવીછે . આ તસવીરો મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખરેખર આ તસવીરો સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

આ તસવીરો શેર કરતાની સાથે મીનાક્ષી દવે એ ખાસ વાત પણ કહી છે. તેમને સોશિયલ મીડિયાના પોસ્ટ શેર કરતી વખતે લખ્યું છે કે, कुछ बाते कैप्शन मैं बया नहीं होती तुम्हारा साथ ही काफ़ी हैं. ખરેખર આ વાત પરથી ચોક્કસ કહી શકાય કે ખજુર ભાઈ અને મીનાક્ષી જાનીનો પ્રેમ ખૂબ જ અતૂટ અને અતુલ્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લગ્ન બાદ ખજુર ભાઈ પોતાના પત્ની સાથે ક્યાંય પણ ફરવા નથી ગયા કારણ કે લગન બાદ તેઓ ઘર બનાવવાના કામે લાગી ગયા હતા.

મીનાક્ષી દવેએ ખજૂરભાઈને કહેલું કે તમે સૌથી પહેલા અધુરા જે ઘરો છે તે પૂર્ણ કરો.આ વાત ખજૂર ભાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. ખજૂરભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખુબ જ સરહાનિય છે કારણ કે ખજૂરભાઈએ નિઃસ્વાર્થ પણે લોકોની સેવા કરી રહ્યા છે.

ખજુરભાઈએ દરેક લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભર્યા છે, જેમના પાસે પોતાનું ઘરનું ઘર ન હતું! ખરેખર ખજૂરભાઈનું કાર્ય ઉત્તમ છે અને તેમનું અંગત જીવનપણ ખુબ જ સરળ અને પ્રેમાળ છે. કારણ કે હાલમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં જોઈ શકશો કે ખજૂરભાઈ એક લોકપ્રિય ચહેરો હોવા છતાં પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ પોતાની પત્ની સાથે દરિયા કિનારે હળવાશની પળો વિતાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *