મિત્રો આપણે થોડા સમયથી એક બાબત અંગે અવાર નવાર સંભાળી રહ્યા છે કે જ્યાં બે વિધર્મિ લોકો દ્વારા જેહાદ ના નામે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યનો આ બનાવ અમદાવાદ ના ધંધુકા માં સર્જાયો હતો. કે જ્યાં કિશન ભરવાડ નામના યુવકે ધાર્મિક પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી.
જો કે આ પોસ્ટ નો વિરોધ થતાં પોલીસે પણ આ બાબત ની નોંધ લીધી જે બાદ કિશન ભરવાડ દ્વારા પણ વિડીયો જાહેર કરીને આ બાબત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. જો કે કિશન ભરવાડ ની પોસ્ટ વિરુધ્ધ સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી અને તેના આધારે પગલા લીધા હોવા છતાં પણ આ સજા યોગ્ય નથી તેમ માની ને બે વિધર્મિ લોકો દ્વારા કિશન ભરવાડ નું તેમના જ ઘર પાસે ગોળી મારી ને હત્યા કરવામાં આવી હતી.
હવે આ બાબત ને લઈને પોલીસને નવી બાબતો જાણવા મળી છે. જણાવી દઈએ કે પોલીસ દ્વારા હાલમાં કિશન ભરવાડ ના મૃત્યુ કેસમાં બે આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ને દોશી માનવામાં આવ્યા છે અને તેમની પુછતાછ પણ કરવામાં આવી છે. જો કે તેમની પુછતાછ માં હવે કિશન ભરવાડ હત્યા મામલે દિલ્હી ના મોલાના અને પાકિસ્તાન નું કનેક્શન હોવાનું સામે આવ્યું છે તો ચાલો આપણે આ આખી બાબત જાણીએ.
મિત્રો જણાવી દઈએ કે કિશન ભરવાડ ને સજા આપવાના ઇરાદે આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણે અમદાવાદના મૌલાના ઐયુબની મદદ લીધી હતી જેમાં કિશન ની હત્યા માટે વાપરવામાં આવેલ બંધુક આ મોલાના પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું છે. આ બાબત અંગે બાતમી મળ્યા બાદ હવે પોલીસ દ્વારા અમદાવાદના મૌલાના ઐયુબની ધરપકડ કરવામા આવી છે.
જણાવી દઈએ કે આ તમામ લોકોની પૂછાતાછ માં આ લોકો દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું જણાવી દઈએ કે આ આખી ઘટના નો કર્તા મૌલાના કમર ગની ઉસ્માનીને જ માનવામાં આવે છે. જણાવી દઈએ કે મૌલાના કમર ગની ઉસ્માની પોતાના ધાર્મિક ભાસણો માં લોકોને ઉસ્કેરવાનુ કામ કરતો હતો. જણાવી દઈએ કે તેણે જ પોતાના ભાસણો માં માસૂમ લોકો ને ભડકાવ્વાનુ કામ કરતો અને ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારને માફ નહીં કરવા જણાવતો. આ ઉપરાંત મૌલાના કમર ગની ઉસ્માની ગુસ્તાખએ રસુલનું વાઝીબએ કત્લમાં માને છે.
જણાવી દઈએ કે આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ આજ મૌલાના કમર ગની ઉસ્માનીના સંપર્ક માં હતા. ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે આરોપી શબ્બીર ચોપડા મૌલાના કમર ગની ઉસ્માનીને મળવા માટે દિલ્હી પણ ગયો હતી જો કે તેમની મુલાકાત મુંબઇ માં થઈ હતી ત્યારે મૌલાના કમર ગની ઉસ્માનીએ શબ્બીર ચોપડાને જણાવ્યું હતું કે તે જે કરે છે એમાં કંઈ ખોટું નથી આ ઉપરાંત તેને લીગલ મદદ કરવાનું પણ જણાવ્યું હતું.
પુછતાછ માં વધુમાં એ પણ જાણવા મળ્યું કે કિશન ભરવાડ ની હત્યાનુ કાવતરું એ કોઈ પહેલી ઘટના નથી આ પહેલા પણ આરોપી શબ્બીર ચોપડા અને અમદાવાદના મૌલાના ઐયુબ સાથે મળીને તે બંને પોરબંદર ગયા હતા કે જ્યાં તેમણે સાજણ ઓડેદરા નામના યુવકની હત્યા કરવાનું તેમને કાવતરું રચ્યું હતું જો કે ત્યાં તેઓ સફળ થયાં નહીં.
જણાવી દઈએ કે કિશન ભરવાડ ની હત્યા ના મામલે જે રીતે એક પછી એક કડીઓ ખુલ્લી રહી છે તે આપણા માટે ઘણો ચિંતાનો વિષય છે. આવા અનેક માસૂમ યુવકો ને આવા મોલનાઓ જેહાદ ના નામે નિર્દોષ લોકોને મારવા માટે ઉસ્કેરિ રહ્યા છે. જો કે આવા સ્લીપર સેલમ અનેક યુવકો અને યુવતીઓની પણ સંડોવણી સામે આવી રહી છે.