કટિહારી પાસે ટ્રેન નીચે આવતા બે યુવકો નું મોત નીપજ્યું ! બંને યુવકો ને….
આપડે અનેક વાર ટ્રેન પાસે અકસ્માત અંગે માહિતી મેળવી હશે. આ અકસ્માત માં લોકો પોતાનો જીવ ગુમાવે છે જેને કારણે આસપાસ ના વિસ્તાર માં માતમ છવાઈ જાય છે. આવો અકસ્માત જેતે વ્યક્તિ ની ભૂલ કે બેદરકારી ને કારણે થતો જોવા મળે છે, આપડે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં બે વ્યક્તિ ટ્રેનના પાટા પાસે શૌચ કરવા જાતા હતા તે સમયે ટ્રેન આવી જાતા તે બંને ના મોત થયા છે.
તો ચાલો સમગ્ર ઘટના વિશે વિસ્તાર થી જાણીએ આ અકસ્માત કટિહાર બરૌની પાસે મંગળવારે થયો હતો મળતી માહીતી અનુસાર સવાર ના 4 વાગ્યા ની આસપાસ મજદીયા ઢાલા પાસેના કટિહારી થી નવગછિયા તરફ જતી ટ્રેન થી આ અકસ્માત સર્જાયો હતો કે જ્યાં બે વ્યક્તિ મુકેશ કુમાર મંડલ અને તનુકી મંડલ નામના મલિનીય ગામના બે વ્યક્તિ ટ્રેન નીચે આવી કપાઈ ને મોત પામ્યા છે.
આ ઘટના બાબતે તેમના પરિવાર ના સભ્યો એ જણાવ્યુ કે તે બંને વ્યક્તિ વહેલી સવારે ટ્રેન ના પાટા પાસે શૌચ માટે ગયા હતા ત્યાર બાદ ઘણો સમય થઇ ગયા છતાં તેઓ જયારે પરત ન આવ્યા ત્યારે તેમના પરિવાર દ્વારા તાપસ હાથ ધરવામાં આવી તેઓએ આસ પાસ તેમની તાપસ કરી ત્યારે ટ્રેનના પાટા પાસે ગાઈ અને ભેંશ ચરાવતા ગોવાળીયા એ બે વ્યક્તિના મોત અંગે જાણકારી આપી.
આ બંને ના મોત અંગે માહિતી મળતા તેમના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા. ત્યાર બાદ તેમણે આ બનાવ અંગે પોલીસ ને જાણકારી આપી પોલીસ દ્વારા તમામ તાપસ બાદ તમણે બોડી તેમના પરિવાર ને સોપી દિધી જોકે આ ઘટના બાદ તેમના આસ પાસ ના વિસ્તાર માં શોક નો માહોલ છવાઈ ગયો છે.
અહીં અગાઉ પણ એક રોડ અકસ્માત થયો હતો. આ અકસ્માત કોઢા પોલીસ સ્ટેશન પાસેના વિસ્તાર પાસે થયો હતો જ્યાં પેટ્રોલ પંપ પાસે એક ગાડી અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો ના મૃત્યુ થયા હતા. અહીં સવારે 5 વાગ્યા પાસે એક ગાડી કે જેની અંદર 4 લોકો હતા તેમાંથી જે વ્યક્તિ ગાડી ચલાવિ રહિયો હતો તેમને ઊંઘ આવતા પાસે ઉભેલા ખટારા સાથે ગાડી અથડાઈ ગઈ અને આ અકસ્માત સર્જાયો.