Entertainment

બૉલીવુડ જગતમાં છવાય ગયો સન્નાટો!! આ દિગ્ગજનું નિધન થતા સૌ કોઈ શોકમગ્ન બન્યું… ૐ શાંતિ

Spread the love

બૉલીવુડ જગતમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક સમયથી અનેક એવી દુઃખદ ખબરો સામે આવી રહી છે, સુશાંત સિંહ રાજપૂત, કેકે જેવા અનેક એવા મોટા મોટા કલાકારો હાલ આ દુનિયામાં હવે નથી રહયા, એવામાં અનેક એવી દિગ્ગ્જ અભિનેતા કે કોઈ દિગ્દર્શકના મૃત્યુની ઘટનાઓ હાલ સામે આવતી જ રહી છે, એવામાં ફરી એક વખત બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર ગમનો માહોલ છવાય ગયો છે કારણ કે બૉલીવુડના એક મશહૂર આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન થયું છે.

તમને જણાવી દઈએ કે બુધવાર સવારના રોજ જ તેઓએ ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી, આ ઘટના સામે આવતા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તો શોકનું મોજું ફરી વળ્યું છે જયારે અનેક એવા મેગા સ્ટારોએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ મોટા આર્ટ ડાયરેક્ટરે આત્મહત્યા કરી લેતા પોલીસે હાલ આ ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. જાણવા મળેલ છે કે નીતિન દેસાઈએ કર્જતમાં પોતાના ડી સ્ટુડિયોની અંદરથી જ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

હાલ પૂરતું તેઓના મૃત્યુ અંગેના કોઈ કારણો તો સામે આવ્યા નથી પરંતુ અમુક ખાસ હેવાલો અનુસાર જાણવા મળેલ છે કે નીતિન દેસાઈએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો નીતિન દેસાઈએ આજ રોજ સવારના 4:30 કલાકે પોતાના જ સ્ટુડિયોની અંદર ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કરી લીધું હતું, તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગઈકાલે રાતે તેઓ 10 વાગે પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા જે બાદ આજે સવારે મોડે સુધી બહાર ન આવતા તેઓના બોડીગાર્ડએ દરવાજો ખખડાવ્યો હતો.

દરવાજો ન ખુલતા બારીમાંથી જોવામાં આવ્યું તો ઘરની અંદર નીતિન દેસાઈનો શબ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો જે બાદ આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી આ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આત્મહત્યાનું શું કારણ સામે આવ્યું ?
હાલ પૂરતી તો પુરી હકીકત પોલીસને પણ જાણવા નથી મળી પરંતુ કર્જતના MLA Mahesh Baldi એ જણાવ્યું હતું કે તેઓ આર્થિક તંગીથી જજુમી રહ્યા હતા આથી જ તેઓને આત્મહત્યા કરવાનો પણ વારો આવ્યો હતો, MLA એ જણાવ્યું કે નીતિન દેસાઈ તેમના જ વિધાનસભા શેત્રમાં આવતા હતા, આત્મહત્યા કરવાનું આજ કારણ છે તે અંગેની હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે.

આ બ્લોકબસ્ટર ફિલ્મના સેટ તૈયાર કરેલ છે :

નીતિન દેસાઈ વિશે વાત કરવામાં આવે તો તેઓએ પોતાના કરિયરની શરૂઆત 1989માં આર્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી,જેઆ તેઓએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોના સેટો પણ તૈયાર કર્યા હતા, આ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે વાત કરીએ તો તેઓએ પ્યાર તો હોનાહી થા, હમ દિલ દે ચુકે સનમ, મિશન કશ્મીર.દેવદાસ,લગાન, બાજીરાવ મસ્તાની બિગ બોસ જેવા અનેક મોટા મોટા શોના પણ સેટ ડિઝાઇન કર્યા હતા, જે બાદ તેઓએ વર્ષ 2005ની અંદર મુંબઈના કર્જતમાં 52 એકરમાં એનડી સ્ટુડિયોનું પણ નિર્માણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *