ઉતરાયણ ની ખુશીઓ માં શોક ! 14 વર્ષની બાળકીએ કર્યો આપઘાત જે બાદ માલુમ પડ્યું કે પિતાએ તેને…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવન ઘણું જ અનમોલ છે મનુષ્યએ કુદરત દ્વારા બનાવેલ સૌથી સુંદર રચના છે કુદરત દ્વારા મનુષ્યને અનેક પ્રકારની તાકાત આપવામાં આવી છે કે જેથી મનુષ્ય પોતાનું જીવન સરળતાથી જીવી શકે.
મિત્રો આપણે સૌ જોઈએ છીએ કે હાલના સમયમાં લોકોના સ્વભાવમાં ઘણો જ પરિવર્તન આવી ગયો એ આવો એવું લાગે છે. હાલમાં માનવી માં ઘીરજ ઘટી ગઈ હોઈ તેવું લાગે છે. જેના કારણે નાની નાની બાબતો માં ઘણી વખત માનવી એવા નિર્ણય લઈલે છે કે જેના કારણે તે વ્યક્તિ અને તેમના પરિવાર ને પણ માઠા પરિણામો સહન કરવા પડે છે.
મિત્રો આપણે અહીં એક એવા જ દુઃખદ બનાવ અંગે વાત કરવાની છે કે જ્યાં એક બાળકીએ નાની એવી બાબત માં પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ દુઃખદ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં સર્જાયો હતો. અહીં એક 14 વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઈ ને આત્મ હત્યા કરી છે. જો વાત આ આત્મ હત્યા પાછળ ના કારણ અંગે કરીએ તો રૂપેશ કુસવાહ કે જેઓ આ બાળકી ના પિતા છે. તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રી ને ઉતરાયણ નિમિતે મિત્રો સાથે બહાર ફરવા જવું હતું.
પરંતુ હાલમાં જ્યાં એક બાજુ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી બાજુ ઉતરાયણ હોવાથી પતંગની દોરાના કારણે પુત્રી સાથે કોઈ પણ પ્રકારની અનહોની ન થાય એ માટે પિતાએ પુત્રીને ઘરમાં જ રહેવા કહ્યું હતું. આ નાની એવી વાતથી પુત્રી નારાજ થઈ ગઈ અને તેણે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ ને આત્મ હત્યા કરી.