Categories
Entertainment

47 વર્ષની ઉમરે આવી સુષ્મિતા સેન એ પોતાના લગ્નને લઈને કહ્યું કે હું તો લગ્ન કરવા માંગુ જ છું પરંતુ…..જાણો વિગતે

હાલમાં સુષ્મિતા સેન તેની વેબસિરીજ ‘ તાલી ‘ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી આવી છે. આ વેબસિરીજમાં અભિનેત્રી સુષ્મિતા સેન એ ટ્રાન્સજેંડર ગૌરી સાવંત નો કિરદાર નિભાવયો છે. ખાસ વાત એ છે કે અભિનેરી સુષ્મિતા સેન નું નામ ઘણા લોકો સાથે જોડવામાં આવ્યું પરંતુ અત્યાર સુધી તેમણે લગ્ન કર્યા નથી. જોકે હાલમાં જ જ્યારે અભિનેત્રીને અત્યાર સુધીમાં લગ્ન કરવાને લઈને સવાલ કરવામાં આવ્યા તો અભિનેત્રી એ એવો જવાબ આપ્યો કે જે હાલમાં વાઇરલ થઈ રહ્યો છે.

47 વર્ષની સુષ્મિતા સેન અત્યાર સુધી કૂવારી છે. જોકે આ અભિનેત્રી  ને બે દીકરીઓ છે જેમને તેઓએ દત્તક  લીધી છે. એવમાં જ્યારે હાલમાં અભિનેત્રી ને લગ્ન ના કરવાના વિષે સવાલો પુછવામાં આવ્યા તો અભિનેત્રી એ ઇન્ટરવ્યૂમાં એવી વાત કહી દીધી કે દરેક લોકોના તો મગજ જ ખુલ્લી ગ્યાં અને દરેક લોકોને મોટો જટ્કો લાગ્યો. જ્યારે અભિનેત્રીને પુછવામાં આવ્યું કે શું તેમની દીકરીઓને પિતાની કમી અનુભવાતી નથી?

તો આ સવાલના જવાબ પર અભિનેત્રીએ કહ્યું કે બિલકુલ નહીં. તેમણે પોતાની કોઈ જરૂર નથી. તમે તેને યાદ કરો જે તમારી પાસે હોય. જે તમારું હતું જ નહીં તેને કેમ યાદ કરી શકો. જ્યારે હું તેમણે કહું છું કે હું લગ્ન કરવા માંગુ છું તો તેમનું રીએકશન આવું હોય છે કે શું, પરંતુ કેમ ? આની સાથે જ અભિનેત્રીએ કહ્યું કે મે તેમને કહ્યું કે પરંતુ મારે પતિ જોઈએ છે અને તેનાથી તમારે કોઈ લેવાદેવા નથી.તો અમે તેને લઈને આવા ઘણીવાર મજાક કરતાં હોઈએ છીએ.

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન નું નામ બોલિવુડના ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ બ્રેકઅપ થયા બાદ પણ અભિનેત્રી સુષ્મિતા સેન ની મિત્રતા તેના એક્સ બોયફ્રેંડ રોહમન શોર્લ ની સાથે છે. અભિનેત્રી ઘણીવાર રોહમન સાથે સ્પોર્ટ્સ થતી જોવા મલી જાય છે. થોડા સમય પહેલા જ અભિનેત્રી સુષ્મિતા નું નામ લલિત મોદી ની સાથે જોડાયેલ જોવા મળ્યું હતું જેમાં બંને સબંધમાં હોવાનું ચર્ચાઓ જોવા મળી આવી હતી. તે સમયે સુષ્મિતા સેન અને લલિત મોદી ની કોજી રોમેન્ટીક ફોટોજ બહુ જ ચર્ચામાં રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

Categories
India

ફરી એક વખત બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર છવાય ગયા દુઃખના વાદળો ! આ દિગ્ગ્જ અભિનેતાએ કેન્સર સામે જીવનની જંગ હારી..ૐ શાંતિ

બોલિવૂડમાંથી એક પછી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી સુલોચના લાટકરના અવસાન  બાદ હવે પ્રખ્યાત બોલીવુડ સ્ટાર મંગલ ધિલ્લોને પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મંગલ ધિલ્લોને ફિલ્મોની સાથે સાથે ટીવીની દુનિયામાં પણ પોતાની અભિનયની કળા દેખાડી હતી. મંગલ ધિલ્લોનના નિધનના સમાચાર બાદ બોલિવૂડ આઘાતમાં જોવા મળી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગલ ધિલ્લોન લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. મંગલ ધિલ્લોનના નિધનના સમાચારથી તેમના ફેન્સ શોકમાં ગરકાવ થઇ ગયા છે. મંગલ ધિલ્લોનના અવસાન ના સમાચાર આવતા જ તેમના ઘણા સ્ટાર્સ શોક વ્યક્ત કરતા જોવા મળે છે.બોલિવૂડ અભિનેત્રી રેખાની ફિલ્મ ‘ ખૂન ભરી માંગ ‘માં જોવા મળેલા અભિનેતા મંગલ ધિલ્લોન હવે આ દુનિયામાં રહયા નથી.

મંગલ ધિલ્લોને 11 જૂને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મંગલ ધિલ્લોન લાંબા સમયથી કેન્સર ની બીમારી સામે લડી રહ્યા હતા. મંગલ ધિલ્લોનના નિધનના સમાચાર સામે આવ્યા બાદ ચાહકોની સાથે બોલિવૂડ અને પંજાબી સ્ટાર્સ પણ ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યા છે. મંગલ ધિલ્લોન સંબંધિત સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહી છે. મંગલ ધિલ્લોને ફિલ્મોની સાથે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

અભિનેતા યશપાલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા મંગલ ધિલ્લોનના મૃત્યુના સમાચાર આપ્યા છે. સ્ટાર્સ, નેતાઓ અને ચાહકો મંગલ ધિલ્લોનને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.મંગલ ધિલ્લોન એ ફિલ્મ  કહા હે કાનૂન, વિશ્વાત્મા, આપના દેશ પરાએ લોગ, જિંદગી એક દુવા અને ટ્રેન ટુ પાકિસ્તાન માં નજર આવ્યા હતા. એના સિવાય મંગલ ધીલ્લોન એ ઘણા ટીવી શો માં પણ કામ કર્યું હતું. મંગલ ધિલ્લોન ટીવી પરના સૌથી વધારે ચર્ચામાં રહેનાર શો ‘ બિનીયાદ ‘ માં પોતાની એક્ટિંગ નો જાળવો દેખાડ્યો હતો.

Categories
Entertainment

‘યે ઢાય કિલો કા હાથ..’ ડાયલોગના મહાનાયક એવા સન્ની દેઓલની પત્ની સુંદરતામાં ભલભલી અભિનેત્રી પછાડે એવી છે…જુઓ તસ્વીર

સની દેઓલ વિશે તો તમે દરેક વ્યક્તિ જાણતા જ હશો, ગદ્દર ફિલ્મમાં પાકિસ્તાનની અંદર હેન્ડપંપ ઉખાડનાર સની દેઓલને તેમની ફિટનેએસ અને તેમની એક્ટિંગથી ખુબ વધારે લોકચાહના મળવા પામી હતી. સની દેઓલે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક એવી સુપરહિટ ફિલ્મો કરી ચુકી છે જેને બોક્સઓફિસ પર પોતાનો રંગ જ જમાવી દીધો હતો. આવી ફિલ્મોમાં ગદ્દર, બોર્ડર,યમલા પગલાં દીવાના જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપણી નજરે પડે છે.

વર્તમાન સમયમાં સન્ની દેઓલ ગદ્દર 2 ફિલ્મમાં કામ કરી ચુક્યા છે અને હવે આ ફિલ્મ થોડા જ સમયમાં મોટા પડદા પર પણ બતાવામાં આવશે. પોતાની ઝુબાની ના સન્ની દેઓલના અનેક ડાયલોગો હજી લોકોના કાનોઆ ગુંજી રહયા છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સન્ની દેઓલના ફિલ્મી કરિયર કે તેમના કોઈ રેકોર્ડ વિશે નથી જણાવાના આજે અમે તેમના અંગત જીવન વિશે જણાવાના છીએ.

તમે સન્ની દેઓલના અંગત જીવન વિશે જાણતા હશો પરંતુ શું તમને ખબર છે સન્ની દેઓલની પત્ની કોણ છે તે કેટલી સુંદર લાગે છે?ના, ઘણા ઓછા લોકો હશે જે સન્ની દેઓલની પત્નીને ઓળખતા હશે તો ચાલો તમને તેમની પત્ની વિશે જણાવી દઈએ.તમને જણાવી દઈએ કે સની દેઓલે પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, એવામાં આટલી મોટી ફેમિલીમાં લગ્ન થયા હોવા છતાં પૂજા દેઓલ હમેશા લાઇમલાઈટમાં રહેવાનું પસંદ કરતી હતી નહી.

પૂજા દેઓલની સુંદરતા વિશે જો વાત કરવામાં આવે તો તે બૉલીવુડની ઘણી ખરી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં માત આપે છે.એવામાં પૂજા દેઓલ પોતાના દીકરાની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મના પ્રમોશનમાં કેમેરા સામે દેખાય હતી જે બાદ તેમના ઘણા બધા ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા જે સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ રહ્યા હતા.

Categories
Entertainment

આ મશહૂર અભિનેતાએ 60 વર્ષની વયે બીજી વખત લગ્ન કરી લીધા ! જુઓ કોણ છે આશિષ વિધાર્થીની પત્ની ને શું કરે છે? જુઓ લગ્નની તસ્વીર

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા અનોખા લગ્ન થઇ રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્ય થતું હોય છે, એવામાં બૉલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીને લઈને ખુબ મોટા સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે 60 વર્ષીય આશિષ વિધાર્થીએ બીજી વખત લગ્નના બંધનમાં બંધાયા હતા. આ યુવતી કોણ છે અને ક્યાંની છે તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.

તમને જણાવી દઈએ કે ગુરુવાર 25 મેંના રોજ આશિષે રૂપાલી બરુઆ જે મૂળ અસમની રહેવાસી છે તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.તમને ખબર જ હશે કે આશિષ ઘણા પુરસ્કાર વિજેતા છે. પરિવાર તથા મિત્રોની હાજરીમાં આશિષ વિધાર્થી મેજિસ્ટ્રેટ ઓફિસ પોહચ્યાં હતા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ચુપચાપ રીતે લગ્ન કરી લીધા હતા તેમ છતાં સૌ કોઈને આ લગ્ન અંગેની જાણ થઇ ગઈ હતી અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવી ગઈ હતી.

અમુક એહવાલો અનુસાર જાણવા મળ્યું છે કે આશિષ અને રૂપાલી થોડાક સમય પેહલા જ મળ્યા હતા જે બાદ તેઓને એકબીજા સાથે પ્રેમ થયો હતો અને પછી બંનેએ એક સાથે જીવન કાઢવાનું નક્કી કર્યું હતું અને કોર્ટ મેરેજ કરી લીધા હતા.આશિષે આ લગ્નને લઈને જણાવ્યું હતું કે જીવનના તેમના આ પડાવમાં તેમણે રૂપાલી સાથે લગ્ન કર્યા તે ખુબ અસાધારણ વાત છે.

આશિષ વિધાર્થીએ સામાન્ય કોર્ટ મેરેજ કરીને રાત્રે ગેટ તું ગેધર રાખ્યું હતું જેમાં અનેક લોકો તથા સગા સબંધી હાજર રહ્યા હતા. તમને ખબર જ હશે કે આશિષ વિધાર્થી બૉલીવુડ તથા હોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે અમુક ફિલ્મોમાં પોઝિટિવ તો અમુક ફિલ્મોમાં નેગેટિવ રોલ અદા કરીને લોકોનું દિલ જીત લીધું હતું.

અભિનેતાનો જન્મ 19 જૂન 1962માં દિલ્હીમાં થયો હતો જ્યા તેઓએ 1986ની અંદર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આશિષ વિધાર્થીએ અનેક હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે તેઓએ 11 અલગ અલગ ભાષાઓમાં લગભગ 300 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને ફિલ્મ જગતમાં પોતાનું ખુબ અનોખું યોગદાન આપેલ છે.