Categories
India

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની દરેક અભિનેતાની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા જયારે આ કલાકારનું નિધન થયું ! અનુપમ ખેર સાથે હતો ખાસ સબંધ..

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી અનેક દુઃખદ ઘટના આવી રહી છે, જેના પગલે બોલીવુડમાં શોકમય વાતાવરણ ફેલાય ગયું છે.એવામાં તમને ખબર જ હશે કે બોલીવુડના અભિનેતા અને ફિલ્મ ડિરેકટર સતીશ કૌશિકનું નિધન થઈ ગયું હતું, બોલિવૂડ એક્ટર અનુપમ ખેરના એક ટ્વિટથી સિનેમા ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો.

સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થયું હતું, જેની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અનુપમ ખેરે કરી હતી. તેમના મિત્રને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે લખ્યું હતું કે, ‘હું જાણું છું કે મૃત્યુ એ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતા મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. સતીશ, તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે. ઓમ શાંતિ!’

કહેવાય છેને મોત ક્યારેય પણ આવી શકે છે. ગઇ કાલે મુત્યુ પહેલા હોલીની તસવીરો શેર કરી હતી, તસવીરો શેર કરતા એમને લખ્યું છે કે, Colourful Happy Funholiparty wishing Happy Holi to everyone. આ તસવીરો તેમના જીવનની અંતિમ પળો બનીને રહી ગઈ.

અભિનેતાની સાથે સતીશ કૌશિકે પણ દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો હતો. તેણે વર્ષ 1993માં ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજાનું નિર્દેશન કર્યું હતું. તેણે 10 થી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિક એક અદ્ભુત કોમિક અભિનેતા હતા. જોકે તેમની ઓળખ માત્ર કોમેડી માટે જ નહોતી. તેણે દરેક શૈલીની ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની કુશળતા સાબિત કરી છે.

એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી. આ પછી તેણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ખરેખર આ એક ખૂબ જ દુઃખદાયી ઘટના છે, કારણ કે સતીશ કૌશિકે યાદગાર ફિલ્મો આપી છે તેમજ તેમના અભિનય દ્વારા અનેક ફિલ્મોને યાદગાર બનાવી છે. ખરેખર આ ઘટનાથી બૉલીવુડ આખું શોકમગ્ન બની ગયું છે. હાલમાં તમામ કલાકારોએ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Categories
Entertainment

ત્રણ દશકો સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરનારી રાખી 76 વર્ષની ઉમરે પણ પહેલા જેવી જ ખૂબસૂરત દેખાઈ છે…. જુવો તસ્વીરો

બૉલીવુડ ની જાણીતી એવી અભિનેત્રી રાખી આજે 76 વર્ષની ઉમરની થઈ ગઈ છે. રાખીનું સાચું નામ રાખી મજૂમદાર છે જેનો જ્ન્મ 15 ઓગસ્ટ 1947 ના રોજ પચ્ચીમ બંગાળ ના નાદિયાં જિલ્લાના રાણાઘાત માં થયો હતો. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત  વર્ષ 1967 માં પ્રદર્શિત બાંગ્લા ફિલ્મ વધુવરણ થી કરી હતી. આ વચ્ચે તેમની મુલાકાત નિર્માતા અને નિર્દેશક સુનિલ દત્ત સાથે થઈ હતી જેમને તેમની પ્રતિભાને ઓળખી અને પોતાની નવી ફિલ્મ રેશ્મા અને શેરા માં કામ કરવાનો પ્રસતાવ આપ્યો, જેનો રાખીએ સહર્ષ સાથે સ્વીકાર કર્યો હતો.

જોકે ફિલ્મ ના નિર્માણ માં મોડુ થવાના કારણે રાખી ની ફિલ્મ ‘ જીવન મૃત્યુ ‘ પહેલા પર્દર્શિત થઈ ગઈ. આ ફિલ્મમાં તેમના હીરો ધર્મેન્દ્ર હતા. આ ફિલ્મ ફિલ્મી પડદે સુપરહિટ સાબિત થઈ હતી, રાખીના સિનેમા કરિયર ની વધુ એક સુપરહિટ ફિલ્મ ‘ શરમીલી’ વર્ષ 1971 માં રિલિજ થઈ હતી આ ફિલ્મમાં તેમણે જુડવા બહેનોની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1976 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ તપસ્યા’ રાખીના કરિયરની મહત્વપૂર્ણ ફિલ્મો માની એક છે.અભિનય માં એકરૂપતા થી બચવા માટે અને સ્વયં ના ચરિત્ર અભિનેતા ના રૂપમાં સ્થાપીત કરવા માટે રાખીએ સ્વયં ને વિભિન્ન ભૂમિકામાં રજૂ કરી હતી.

આ ક્રમમાં 1980માં રિલિજ થયેલ પ્રકાશ મહેરા ની સુપરહિટ ફિલ્મ ‘ લાવારિસ’ માં અને રમેશ સિપ્પી ની ફિલ્મ ‘ શક્તિ ‘ માં તે ફિલ્મ અભિનેતા અમિતાબ બચ્ચન ની માતાની ભૂમિકા ભજવતા પણ અટકાઈ નહોતી. જોકે આની પહેલા રાખી એ અમિતાબ બચ્ચન ની સાથે ઘણી ફિલ્મો માં નાયિકા ની ભૂમિકા પણ નિભાવી હતી. ફિલ્મ ‘ લાવારિસ ‘ માં તેમના પર બનાવેલ ‘ મેરે અંગને મે રૂમહારા ક્યાં કામ હે ‘ ગીત બહુ જ પ્રખ્યાત છે. 90 ના દશક માં રાખીએ ઘણી ફિલ્મોમાં માતાનો કિરદાર નિભાવીને પરદા પર સાર્થક કર્યું છે.

આ ફિલ્મોમાં રામ લખન, જીવન સંઘર્સ, પ્રતિકાર, સૌગંધ, ખલનાયક, અનાડી, બાજીગર, કરણ અર્જુન, સોલ્જર જેવી ફિલ્મો ખાસ કરીને ઉલ્લેખનીય છે. ફિલ્મ રામ લખન માં રાખીના અશક્ત અભિનય માટે સર્વશ્રેષ્ટ સહાયક અભિનેત્રી નો પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવી હતી. રાખીએ પોતાના ફિલ્મી કરિયર માં ત્રણ વાર ફિલ્મ ફેયર પુરસ્કાર થી સન્માનીત થઈ ચૂકી છે. તેમણે સૌથી પહેલા ફિલ્મ ‘ દાગ ‘ની માટે સર્વશ્રેસ્ટ સહાયક અભિનેત્રી નો પુરસ્કાર મળ્યો હતો.આના પછી 1976 માં ફિલ્મ ‘ તપસ્યા’ ની માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને વર્ષ 1989 માં રામ લખન ફિલ્મ ની માટે સર્વશ્રેસ્થ સહાયક અભિનેત્રી નો ફિલ્મ ફેયર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વર્ષ 2003 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ શુભ મુહૂર્ત ‘ માટે રાખી ને સર્વશ્રેસ્ઠ સહાયક અભિનેત્રી ના રાસ્ત્રીય પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી હતી.ફિલ્મ શેત્ર માં રાખીને મહત્વપૂર્ણ યોગદાન ને જોતા ભારત સરકાર એ તેમને વર્ષ 2003 માં પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કિશોરાવસ્થામાં જ બંગાળી ફિલ્મોના નિર્દેશક અજય વિશ્વાસ સાથે લગ્ન થઇ ગયા હતા પરંતુ આ લગ્ન સફળ રહ્યા નહિ. આના પછી રાખીએ ગીતકાર ગુલશન સાથે લગ્ન કર્યા. રાખીએ પોતાના ત્રણ દશક લાંબા સિનેમા કરિયરમાં લગભગ 90 ફિલ્મો માં કામ કર્યું છે. હાલમાં રાખી ફિલ્મોમાં સક્રિય નથી.