Categories
Gujarat

ગુજરાતમાં મેઘો ગાંડોતુર!! ગુજરાત હવામાન વિભાગે કરી મોટી અગાહી, આ આ જિલ્લાઓમાં. રેડ એલર્ટ તો આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે…..

ગુજરાત ભરમાં વરસાદે હવે પોતાનું આગમન નોંધાવી દીધું છે ત્યારે રાજ્યમાં ફરીવાર તોફાની વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જ્યાં ઉતર – પૂર્વ માં અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન જોવા મળ્યુ છે. સાથે સાથે જ ઓફશોર ટ્રોફશોર પણ સક્રિય બન્યું છે. જેના લીધે આથી જ ઘણા રાજ્યોમાં ભરેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ના પૂર્વ પચ્ચીમ શિયર જોન પણ આગળ વધતું નજર આવી રહ્યું છે. જેના કારણે પણ વરસાદ નો બીજો રાઉન્ડ અતિભારે વરસાદ સાથે શરૂ થવા જય રહ્યો છે.

અને આ વરસાદ તોફાની બનવાની શક્યતા પણ જોવા મળી રહી છે. જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાસ્ટ્ર – કચ્છ ની દરિયાઈ પટ્ટી માં મેહુલિયાની જોરદાર પધરામણી થઈ શકે છે.આ સાથે જ હવામાન વિભાગ એ જુનાગઢ, ગીર સોમનાથ માં પણ રેડ અલર્ટ ની જાહેરાત કરી છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે 9 જુલાઇના રોજ સૌરાસ્ટ્ર અને કચ્છમાં વરસાદ થી રાહત જોવા મળી શકે છે. તો ત્યાં જ 10 જુલાઇ એ ઉતાર ગુજરાત માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ત્યાં જ ગુજરાત ના અમદાવાદ માં 3 દિવસ ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ ને લઈને હવામાન વિભાગ એ જણાવ્યુ છે કે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જ્યાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન ઘણા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું સર્જન પણ થઈ શકે છે. જુનાગઢ, અમરેલી , જામનગર, રાજકોટ , સુરેન્દ્રનગર અને જાફરાબાદ માં ભારે પવન ફૂકાશે.

ત્યાં જ સાબરમતી ના વિસ્તારોમાં વરસાદ વધારે થવાથી આ નદી બે કાંઠે વહેવા લાગશે એવી પણ શક્યતાઓ છે. ત્યાં જ નર્મદા નદીમાં પણ હળવા પૂર આવાની શક્યતા જણાય છે. ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં એકસાથે 12 થી 14 ઇંચ વરસાદ વરસી શકે છે. આ સાથે જ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હોવાથી માછીમારો ને સોમવાર 10 જુલાઇ સુધી દરિયો ખેડવા ના જવાની ચેતવણી આપવામાં આવેલ છે. આ સાથે જ દરિયાઈ વિસ્તારમાં 40 થી 45 કિમી જડપે પવન ફૂકાઈ શકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

Categories
Gujarat

ગુરુપૂર્ણિમા સ્પેશીયલ : ઘણા ઓછા લોકો જાણે છે બજરંગદાસબાપા વિશેની આ ખાસ વાત વિશે ! ખુબ રસપ્રદ છે ઈતિહાસ…આજના દિવસમાં જાણી તમે ધન્ય થઇ જશો

મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. બગદાણાનો ઇતિહાસ.ઇસ ૧૯૦૬ દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું.

બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો,

ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.

બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.

બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે.

ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે.અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે.

એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.

તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.

 

Categories
Gujarat

શું ‘બિપોરજોય’ નું સંકટ ટળી ગયું?? ગુજરાતમાં ક્યારે બેઠશે ચોમાસુ?? અંબાલાલે કરી આ તમામ બાબતને લઈને મોટી આગાહી…જાણો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજન્યની અંદર જો કોઈ વાત વિષે દહેશત ફેલાયેલી હોય તો તે છે બિપોરજોય વાવાઝોડાની. હાલ હવામાન વિભાગ દ્વારા તો જણાવી દેવામાં આવ્યું છે કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ ગતિમાન થશે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે. એવામાં આવી બાબતોને લઈને અંબાલાલે પણ ખુબ ચોંકાવી દેતી આગાહી કરી છે.

અંબાલાલે જણાવ્યું હતું કે ભલે વાવાઝોડું ઓમાન તરફ વળી જાય પરંતુ ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવાની અનેક સંભાવનાઓ રહેલી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડાને લીધે રાજ્યના અનેક વિસ્તારો જેવા કે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેશે, એટલું જ નહીં અંબાલાલે એમ પણ જણાવ્યું હતું કે આવનાર બે દિવસોમાં જ ચોમાસાનું આગમન પણ ગુજરાતમાં થઇ શકે છે.

ચોમાસાની સિઝનને લઈને અંબાલાલે જણાવ્યું હતું કે 18થી 19 જૂનની આસપાસ ગુજરાતની અંદર પ્રોપર ચોમાસુ બેઠી શકે છે, આ વખતની ચોમાસાની સીઝન સારી રહેશે તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ જણાવ્યું છે.બિપોરજોયનું વાવાઝોડાનું સંકટ આમ તો ટળિ ગયું છે પરંતુ ગુજરાત તથા મહારાષ્ટ્રના અનેક એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યા છે.

આવનાવર બે દિવસોમાં મહારાષ્ટ્રં તથા ગુજરાતના અનેક કાંઠાના વિસ્તારોમાં 50થી70કિમીની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, વાવાઝોડાની સંભવિત અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક ભાગો જેવા કે વલસાડ ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર જેવા અનેક શહેરોમાં સંભવિત વરસાદની આગાહી કરવામાં આવી છે.

Categories
Entertainment Gujarat

પ્રખ્યાત લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડે ખરીદી આ મોંઘીદાટ મર્સીડીઝ કાર ! જુઓ તેમની આ ખાસ તસવીરો

ગુજરાતના દેવાયત ખવડ વિશે તો તમે સૌ કોઈ જાણતા જ હશો. દેવાયત ખવડ ગુજરાતના એક પ્રખ્યાત લોકસાહિત્યકાર માનવામાં આવે છે. તેઓના પ્રોગ્રામ જ્યા પણ હોય છે ત્યાં લોકો ભારે સંખ્યામાં એકઠા થઇને તેઓના લોકસાહિત્ય ઉઠાવતા હોય છે. એવામાં તમને ખબર હશે કે હજી થોડા સમય પેહલા જ દેવાયત ખવડ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યા હતા.

એક વિવાદને લીધે દેવાયત ખવડને થોડા સમયનો ભોગવો પડ્યો હતો જે બાદ જામીન પર તેઓ છૂટી ગયા હતા. જામીન પર છૂટયા બાદ તેઓએ માતાજીના દર્શન કરી ફરી પોતાના પ્રોગ્રામો શરૂ કર્યા. લોકસાહિત્ય કાર દેવાયત ખવડની લાઇફસ્ટાઇલ વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ખુબ સુખી જીવન જીવે છે. આલીશાન ઘરમાં રહે છે તેમ જ તેમની પાસે અનેક સારી સારી કારો પણ રહેલી છે.

એવામાં હાલ પ્રખ્યાત લોકસાહિત્ય કાર દેવાયત ખવડે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો તથા વિડીયો શેર કર્યા હતા જેના માધ્યમથી તેઓ જણાવી રહ્યા હતા કે તેઓએ નવી કાર ખરીદી છે. તસવીરોમાં જોઈ શકો છો કે આ કાર કોઈ જેવી તેવી કાર નહીં પણ મર્સીડીઝ બેન્ઝ કાર છે જે ખુબ મોંઘી આવે છે. કલાકારે કાર ખરીદતા દરેક લોકોએ દેવાયત ખવડને શુભેછાઓ પાઠવી હતી.

વર્તમાન સમયમાં આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વધારે વાયરલ થઇ રહી છે અને લોકોને પણ ખુબ પસંદ આવી રહી છે. તમે જોઈ શકો છો કે કાળા રંગની આ કાર લુકમાં તો જોરદાર છે જ તે પરંતુ તેની સાથો સાથ અનેક ફીચર્સમાં પણ ખુબ અદભુત માનવામાં આવી રહી છે.

લોકસાહિત્યકાર દેવાયત ખવડે આ તસવીરો શેર કરીને કેપશનમાં માં સોનલ કૃપા તથા મોગલ કૃપા લખીને માના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. દેવાયત ખવડ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની અનેક એવી તસવીરો શેર કરતા જ રહે છે જે તેમના ચાહકોને ખુબ વધારે પસંદ પણ આવતી હોય છે.

Categories
Entertainment Gujarat

ડાયરા સમ્રાટ એવા કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પોહચ્યાં ઇન્ડોનેશિયા ! પોહચતા જ પોતાનો આ ખાસ વિડીયો શેર કર્યો…જુઓ વિડીયો

તમે ગુજરાતમાં રહેતા હોવ અને કિર્તીદાન ગઢવી વિશે ન જાણતા હોવ તેવું તો શક્ય બની જ શકે નહીં. લાડકી ગીત તથા તેવા અનેક ગીતોને લઈને લોકપ્રિય બનેલા કિર્તીદાન ગઢવીને હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ અનોખી ઓળખ પ્રાપ્ત થઇ છે. પોતાના ડાયરા અને ગીતોને લઈને કિર્તીદાન ગઢવીને લોકોએ ‘ડાયરા સમ્રાટ’ નું બિરુદ આપ્યું છે.

સૌરાષ્ટની શાન ગણાતા કિર્તીદાન ગઢવી અનેક વખત પોતાના અમુક વિડીયો તથા તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરતા જ હોય છે જેમાં તેના ચાહકો ખુબ વધારે તેઓની પર પ્રેમ વરસાવતા હોય છે. એવામાં હાલ ડાયરા સમ્રાટ કિર્તીદાને એક વિડીયો તથા અમુક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ડ દ્વારા શેર કરી છે

ઇન્સ્ટાગ્રામ પર કિર્તીદાન ગઢવીએ પોતાના સંતાન સાથેનો આ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે જણાવી દીધું હતું કે હાલ તેઓ ઇન્ડોનેશિયાના બાલીમાં ફરવા માટે ગયા છે. તસવીર તથા ફોટોમાં પણ જોઈ શકાય છે કે કિર્તીદાન પોતાની પત્ની તથા સંતાન સાથે જોવા મળી રહ્યા છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કિર્તીદાન ગઢવીના તમામ ચાહકોએ વિડીયો પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો અને અનેક એવી સારી સારી કમેન્ટ પણ મારી હતી. જેમાં અમુક યુઝરોએ તેઓના આ વેકેશનને લઈને શુભેછા પાઠવી હતી અને મજા કરવા કહ્યું હતું જ્યારે અનેક યુઝરોએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘જય માં મોગલ’કહ્યું હતું.

Categories
Gujarat

મેચ વિનર રવિન્દ્ર જાડેજાના પત્ની એવા રીવાબા જાડેજા ક્રિકેટ રમતા જોવા મળ્યા ! કેવા કેવા શોટ્સ લગાવ્યા…જુઓ વિડીયો

આ વર્ષની IPL તો તમે મિત્રો જોઈ જ હશે, ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ગાયન્ટ્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ચેન્નાઇની જીતના મુખ્ય હીરો ગુજરાતના રવિન્દ્ર જાડેજા રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલો પર દસ રન લગાવીને ચેન્નાઈને મેચ જીતવી દીધી હતી. હારની કગાર પર ઉભેલી ચેન્નાઇનો બેડો ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ઉઠાવ્યો હતો અને નૈયા પાર લગાવી હતી.

રવિન્દ્ર જાડેજાની આવી ઇનિંગ્સને ધ્યાનમાં રાખીને જ દેશના દરેક ખૂણા માંથી તેના ખુબ વધારે વખાણ કરવામાં આવી રહયા હતા જયારે ગુજરાતીઓ લોકોએ રવિન્દ્ર જાડેજા પર પોતાનો ગર્વ જતાવ્યો હતો. આઈપીએલ સાથે જોડાયેલ અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર હજી વાયરલ થઇ રહ્યા છે જેમાં રવિન્દ્ર જાડેજા સહિત રિવાબાનો વિડીયો પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાના પત્ની એવા રીવાબા જાડેજા ગુજરાતના એક એમ.એલ.એ છે, એવામાં તેઓ પણ આ ફાઇનલ મેચ જોવા માટે પોહચ્યાં હતા જ્યા તેઓએ પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કરીને જીતનું અભિનંદન પાઠવ્યું હતું, આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક લોકોએ સોશિયલ મીડિયા પર રીવાબાના ખુબ વધારે વખાણ કર્યા હતા. કારણ કે રાજા મહારાજાની પરંપરા હજી તેઓએ આજના યુગમાં જાળવી રાખી છે, જે ખરેખર વખાણલાયક વાત કહેવાય.

એવામાં હાલ રીવાબા જાડેજાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રીવાબા જાડેજા ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે અને લોકો પણ તેને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે.વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને તમામ લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maher (@m_a_h_e_r_b_o_y1)

Categories
Gujarat India

ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ખુબ વાયરલ !! એવું તો શું છે આ વીડિયોની અંદર ? જુઓ વિડીયો

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર જો કોઈ વાત ચર્ચામાં હોય તો તે બાગેશ્વર ધામની વાત છે, આખા દેશની અંદર આ બાબતે ભારે ચર્ચા પકડી છે. એટલું જ નહીં વર્તમાન સમયમાં આને લગતા અનેક એવા વિડીયો પણ હાલ સામે આવી રહયા છે. એવામાં આ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ખુબ ચર્ચામાં આવી રહ્યા છે. આ વાતને લઈને અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીમા શ્રધા ધરાવે છે.

હાલના સમયમાં તો ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં ફરી રહ્યા છે, એવામાં અનેક મહા શહેરોની તેઓએ મુલાકાત લીધી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પદડયા હતા, એટલું જ નહીં ગુજરાતના મોટા મોટા જાણીતા કલાકારો તથા રાજનેતાઓ પણ ઉપસ્થિત રહયા હતા. આથી જ સોશિયલ મીડિયા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

એવામાં આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતી બોલી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘બધા બેસી જાવ’ બસ આટલું સાંભળતા જ ગુજરાતના લોકો પણ ઉત્સાહમય બની જાય છે, એટલું જ નહીં આ બાદ તેઓ આ અંગે કહે છે કે મને પણ ગુજરાતી આવડે છે, કેવી આવડે છે તેવું તેમના ચાહકોને પૂછી રહ્યા છે.

આ વિડીયોને હાલના સમયમાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની આવી ગુજરાતી વાત સાંભળીને સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ચોકી ગયા હતા.આ વિડીયોને હાલ hindu_babbr_sher_bageshwar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે જરૂર જણાવજો.