Categories
India

ટેલિવિઝન જગતમાં છવાય ગયું શોકનું મોજું ! આ દિગ્ગ્જ કલાકારનું 79 વર્ષની વયે નિધન થતા સૌ કોઈ ભાવુક….ૐ શાંતિ

મશહૂર ફિલ્મ નિર્દેશક બીઆર ચોપરા ના ફેમસ ટીવી શો ‘ મહાભારત ‘ ના ‘ શકુની મામા ની ભૂમિકા નિભાવા માટે જાણીતા દિગ્ગજ અભિનેતા ગૂફી પેંટલ નું આજ એટલે કે 5 મેં 2023 ના રોજ સવારે 79 વર્ષની આયુ માં અવસાન થઇ ગયું છે. તેમના પરિવારના લોકોએ આ અંગે જાણ કરી છે.કે ઉંમરથી સબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ના કારણે મુંબઈ માં તેમનું અવસાન થયું છે. ગૂફી પેંટલ ના ભત્રીજા હિતેન પેંટલ એ સમાચાર એજન્સી પીટીઆઈ ને જણાવ્યું કે દુર્ભાગ્ય થી તેઓ હવે રહયા નથી.

હોસ્પિટલ માં સવારે લગભગ 9 વાગે તેમનું અવસાન થઇ ગયું છે. ઊંઘમાં જ તેમનું અવસાન થઇ ગયું છે તેઓ 79 વર્ષના હતા. ઇન્ડિયન એક્સપ્રેસ ના અનુસાર અભિનેતા ના પરિવારના એ એક બયાન માં કહ્યું હતું કે બહુ જ દુઃખની સાથે અમે અમારા પિતા મિસ્ટર ગૂફી પેંટલ નું અવસાન થવાની ઘોષણા કરી છે. આજે સવારે પરિવાર ની વચ્ચે તેમનું અવસાન થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવા આવ્યા હતા અને તેમની હાલત ગંભીર છે.

હિતેન એ પહેલા પીટીઆઈ ને જણાવ્યું હતું કે તેમના કાકા ઉંમરથી સબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ને કારણે બહુ જ સમય થી બીમાર હતા. તેમને કહ્યું કે તેમને બ્લડપ્રેશર અને હાર્ટની સમસ્યા છે. આ બધું બહુ જ સમયથી ચાલી રહ્યું હતું. હવે હાલત ગંભીર થઇ ગઈ છે.આથી અમે તેમને નિગરાની માટે હોસ્પિટલ લઇ ગયા. તેઓ 7-8 દિવસથી હોસ્પિટલ માં છે, શરૂઆતમાં તેમની ગંભીર હતી પરંતુ હવે તેમની હાલત સ્થિર છે. ગૂફી ના પરિવાર માં તેમનો દિકરો, વહુ અને પૌત્ર છે.

અંતિમ સંસ્કાર આજે સાંજે લગભગ 4 વાગે ઉપનગરીય અંધેરી ના એક સમશાન ઘટમાં કરવામાં આવશે. ગૂફી ટીવી શોઝ અને ફિલ્મો બંનેમાં નજર આવી ચુક્યા છે. તેઓએ બહાદુર શાહ જફર, મહાભારત, કાનૂન, ૐ નમઃ શિવાય, CID , કોઈ હે, દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, રાધાકૃષ્ણ અને જય કનૈયા લાલ કી જેવા શો માં જોવામાં આવ્યા છે. તેઓએ 1975 માં આવેલી ફિલ્મ ‘ રફૂ ચક્કર’ થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. જેના બાદ અભિનેતા દિલ્લગી,દેશ પરદેશ અને સુહાગ જેવી ફિલ્મો માં જોવા મળ્યા છે.

Categories
Entertainment

ટેલિવિઝન જગતની આ અભિનેત્રીઓ ભલે સિરિયલમાં માતા બની ગઈ હોઈ પણ અસલ જીવનમાં છે હજી કુંવારી !! નામ જાણી આંચકો લાગી જશે….

બોલિવૂડ સિવાય ટીવીની દુનિયામાં એવી ઘણી મહાન અભિનેત્રીઓ છે જેઓ તેમના શાનદાર અભિનય માટે જાણીતી છે. આ અભિનેત્રીઓ ટીવી સિરિયલોમાં પુત્રવધૂની ભૂમિકા ભજવે છે, પરંતુ અંગત જીવનમાં તે હજુ પણ કુંવારી છે. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને નાના પડદા પર વહુ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેઓએ તેમના અંગત જીવનમાં હજુ સુધી લગ્ન કર્યા નથી.

પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન ટીવીની સૌથી પ્રખ્યાત સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ દ્વારા ઘરે ઘરે જાણીતી છે. હિના 31 વર્ષની છે પરંતુ આજ સુધી તેણે લગ્ન માટે કોઈ યોજના બનાવી નથી. હિના હજુ પણ કુંવારી છે અને તે અભિનય જગતમાં ઘણું નામ કમાઈ રહી છે. તેણીને પ્રખ્યાત સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ માં કોમોલિકાની ભૂમિકા માટે ‘ઇન્ડિયન ટેલી એવોર્ડ’ પણ મળ્યો છે.

‘નાગિન -2’, ‘કુબુલ હૈ’ જેવી ઘણી સિરિયલોમાં ચમકી ચૂકેલી અભિનેત્રી સુરભી જ્યોતિએ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. સુરભી જ્યોતિની ઉંમર 30 વર્ષથી વધુ છે પરંતુ આજ સુધી તેણે લગ્ન વિશે કશું વિચાર્યું નથી. સુરભીએ ઘણી સિરિયલોમાં પરિણીત મહિલાની ભૂમિકા ભજવી છે.

નાના પડદાની પ્રખ્યાત સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ દ્વારા ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય હજુ પણ કુંવારી છે. દેવોલીના નાના પડદા પર ‘ગોપી બહુ’ની ભૂમિકા માટે પ્રખ્યાત છે.

ટીવીની પ્રખ્યાત સિરિયલ ‘કહાની ઘર ઘર કી’માં પુત્રવધૂનું પાત્ર ભજવનાર સાક્ષી તંવર હજુ પણ કુંવારી છે. સાક્ષીએ દિત્યા નામની પુત્રીને દત્તક લીધી છે.

પ્રખ્યાત સિરિયલો ‘બાલિકા વધૂ’ અને ‘સસુરાલ સિમર કા’માં જોવા મળેલી અભિનેત્રી અવિકા ગૌરની ઉંમર 25 વર્ષથી વધુ છે. તેણીએ સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં પુત્રવધૂની ભૂમિકા ભજવી છે, જેણે તેને ઘણી ઓળખ આપી હતી, જોકે તે તેના અંગત જીવનમાં હજુ પણ કુંવારી છે.

‘યે રિશ્તા ક્યા કહેલાતા’માં’ નાયરા’ના પાત્ર સાથે ટીવી જગતમાં ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી શિવાંગી જોશીએ પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. સિરિયલમાં નાયરા અને કાર્તિકની જોડીને લોકોએ પસંદ કરી છે. જોકે વાસ્તવિક જીવનમાં શિવાંગીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

પ્રખ્યાત શો ‘કુમકુમ ભાગ્ય’ દ્વારા પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી શ્રીતિ ઝા હજુ કુંવારી છે. શ્રીતિ ઝા લગભગ 33 વર્ષની છે પરંતુ તેની પાસે લગ્ન માટે કોઈ ખાસ યોજના નથી. સિરીયલ કુમકુમ ભાગ્યમાં, શ્રીતિએ પ્રજ્ઞાની ભૂમિકા ભજવી છે અને તેનો અભિનય પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

Categories
Entertainment India

‘અનુપમા’ ફેમ એવી રૂપાલી ગાંગુલી પોતાના એક એપિસોડ માટેના એટલી ફીસ વસુલે છે કે આંકડો જાણી તમને આંચકો જ લાગી જશે….જાણો

ટીવી જગતનો સૌથી પોપ્યુલર શો માનવામા આવતા ‘અનુપમાં’ શોને હાલના સમયમાં ખુબ વધારે લોકો પ્રેમ આપી રહ્યા છે. રોજ શો શરૂ થાય તેની સાથે જ લોકો ટીવી સામે બેઠી જતા હોય છે જયારે અનેક લોકો ફોન દ્વારા તેના આ શોના અનેક એવા એપીસોડો નિહાળી લેતા હોય છે. આ શોની ફેમ રૂપાલી ગાંગુલીએ પણ પોતાના અનુપામાંના પોતાના આ પાત્રથી લોકોના દિલોમાં અલગ રીતે જ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

રૂપાલી ગાંગુલીને વર્તમાન સમયમાં ઘરે ઘરે લોકો ઓળખી રહ્યા છે,આ અભિનેત્રીની એટલી બધી પ્રખ્યાત થઇ ચુકી છે કે હવે તે રોજબરોજના જીવનમાં બહાર નીકળે છે તો પણ તેઓને લોકો અનુપમા કહીને બોલાવતા હોય છે. પરંતુ શું તમે અનુપામાં વિશેની આ વાતને જાણો છો? તમને ખબર છે અનુપમા એક એપિસોડના કેટલા રૂપિયા વસુલે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આ વાતને જાણતા હશે.તો ચાલો તમને જણાવી દઈએ.

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી હાલના સમયની સૌથી વધારે ફીસ લેતી ટીવી અભિનેત્રી બની ચુકી છે,આથી જ તે કમાઈના મામલામાં બીજી અનેક અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે. તમને જાણતા આંચકો લાગશે કે અનુપમા શોના એક એપિસોડ કરવા બદલ રૂપાલી ગાંગુલી 3 લાખ રૂપિયા જેટલી તગડી ફીસની વસુલાત કરી રહી છે. ખરેખર આ આંકડો ખુબ જ મોટો છે, એક એપિસોડના એટલા બધા એટલે હવે તમે તેની મહિનાની આવક તો આંકી જ શકશો.

જયારે શોની શરૂઆત થઇ હતી ત્યારે રૂપાલી ગાંગુલી એક એપિસોડના ફક્ત દોઢ લાખ રૂપિયા ફી વસુલતી હતી પરંતુ બાદમાં શોની લોકપ્રિયતા અને પ્રખ્યાતતા જોઈને તેણે પોતાની ફિસમાં વધારો કર્યો હતો અને 3 લાખસુધીની કરી દીધી હતી.રૂપાલી ગાંગુલીનો આ પેહલો શો નથી આની પેહલા પણ આવા અનેક હિટ શો રૂપાલી ગાંગુલી આપી ચુકી છે જે ખુબ હિટ રહયા હોવાની સાથો સાથ લોકોને પણ ખુબ વધારે નજરે પડ્યા હતા.