મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ઘણા મહત્વ ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે જીવન જરૂરી નાની વસ્તુથી લઈને તમામ વસ્તુઓ પૈસા વિના મેળવવી શક્ય નથી તેવામાં પૈસા ના આવાજ વધુ મુલ્ય ને કારણે ઘણી વખત વ્યક્તિ ના સંબંધ પર પણ અસર પડી જાય છે આપણે સૌ જાણીએ છીએ કે પૈસા આગળ સંબંધ કે માનવતા કોઈ પણ વસ્તુ મહત્વ ધરાવતી નથી જો તમારી પાસે પૈસા નથી તો તમે કોઈ કામના નથી એવું અમુક વ્યક્તિ વિચારે છે.
જોકે હાલમાં પૈસા ને લઈને આવીજ એક ઘણો જ કરુણ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પિતાએ માણસાઈ ની તમામ હદો પાર કરી છે અને પુત્રને એવી સજા આપી કે પુત્રનો જીવ જ નીકળી ગયો આ ઘટના બેંગ્લોર ના ચામરાજ પેટ ની છે કે જ્યાં એક વેપારી પિતાએ વેપારી પુત્રને મોત આપ્યું છે જો વાત હત્યારા પિતા અંગે કરીએ તો તેનું નામ સુરેન્દ્ર છે કેજે ૫૫ વર્ષનો છે જયારે વાત મૃતક યુવક અંગે કરીએ તોતે સુરેન્દ્ર ની ૨૫ વર્ષીય પુત્ર અર્પિત છે.
જણાવી દઈએ કે સુરેન્દ્ર ફેબ્રિકેશનનો વેપાર કરે છે જોકે છેલ્લા ઘણા સમયથી તેમનો પુત્ર અર્પિત તેમનો ધંધો ચલાવે છે થોડા સમય પહેલા વેપાર માં અર્પિતને ઘણું મોટું નુકશાન થયું હતું જેના કારણે સુરેન્દ્ર ઘણા નારાજ હતા જે બાદ પિતા પુત્ર વચ્ચે તકરાર શરુ થઇ જણાવી દઈએ કે જયારે સુરેન્દ્રએ પુત્ર અર્પિત પાસે પૈસા ને લઈને હિસાબ માંગ્યો ત્યારે અર્પિત ૧.૫ કરોડ રૂપિયા નો હિસાબ ના દઈ શક્યો.
જેના કારણે પિતા પુત્ર વચ્ચે આકરરો ઝઘડો થયો જે બાદ એક ઘરની બહાર જયારે અર્પિત નીકળ્યો ત્યારે સુરેન્દ્રે તેના પર થીનર છાટ્યું અને અર્પિત પર દીવાસળી નાખી તેને આગને હવાલે કર્યો શરીર પર આગ લાગતા અર્પિત પોતાને બચાવવા મહેનત કરવા લાગ્યો જે બાદ આસપાસ ના લોકોએ આગ ઓલવી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા જ્યાં સારવાર દરમિયાન અર્પિત નું મૃત્યુ થયું. આ ભયાનક દ્રશ્યો પાસેના સીસીટીવી માં કેદ થયા હતા.
https://twitter.com/KeypadGuerilla/status/1512014495069065219?s=20&t=mXZ-XIOKBh6uVIxmSj9fTw