એક એવું ગામ કે, જ્યાં 150 જાનૈયાઓ પથ્થર બની ગયા સાંજ પડતા એવી ઘટના ઘટે છે જે, કોઈપણ વ્યક્તિનું પ્રાણ પખેરું ઉડી જાય….
ભારતમાં એવા અનેક ગામડાઓ આવેલા છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આજે અમે આપને એક એવા ગામ વિષે જણાવીશું જે ખુબ જ ડરામણું છે. આ ગામ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલું છે. આ ગામમાં એક શ્રાપને કારણે 150 જાનૈયાઓ પથ્થર બની ગયા હતા. આ ઘટના બાદ ગામનું નામ બારતિયાભાંઠા પડી ગયું.
ગ્રામજનો દ્વારા ઘણી લોકવાયકાઓ વહે છે. બારતિયાભાંઠા બે શબ્દોના સંયોજનથી બનેલો છે, પહેલો – બારતિયા જેનો અર્થ થાય છે સ્ત્રી અને પુરુષનું મિલન અથવા લગ્ન અને બીજો – ભાંઠા તેનો અર્થ થાય છે આ ગામનું નામ જાનૈયાઓ જેવા પથ્થરના આકારને કારણે પડ્યું છે. પ્રાચીન સમયમાં ઋષિઓનો આશ્રમ હતો. એકવાર રાત્રિભોજન અને આરામ કરવા માટે આશ્રમની નજીક એક સરઘસ રોકાઈ ગયું.
જ્યારે જાનૈયાઓને ઋષિમુનિઓએ ભોજન માટે વિનંતી કરી ત્યારે તેમનું અપમાન કર્યું. તેનાથી ગુસ્સે થઈને ઋષિમુનિઓએ લગ્નના તમામ મહેમાનોને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો.આ સિવાય બીજી એ પણ લોકવાયકા રહેલ છે કે, ઠાકોરોની શોભાયાત્રા પરત ફરતી વખતે આરામ કરવા માટે અહીં રોકાઈ હતી.
કેટલીક ભૂલના પરિણામે દેવયોગ દ્વારા તમામ લોકો અને વસ્તુઓ પથ્થરની મૂર્તિઓમાં પરિવર્તિત થઈ ગયા હતા. તેથી આ જગ્યાનું નામ બારતી પથ્થરો અથવા બારતિયાભાંઠા પડ્યું. રાજકુમાર દાસ અને ગામના જાણકાર વડીલો આજે પણ આ પથ્થરોના અદ્ભુત કારનામાને ખૂબ જ ઉત્સાહથી વર્ણવે છે.પહેલા આ પથ્થરોમાંથી વિલાપનો અવાજ આવતો હતો.
આ ઉપરાંત સવાર-સાંજ તેમાંથી એક રહસ્યમય સુગંધ નીકળતી હતી. તેનો સ્ત્રોત આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તેના સાંકેતિક સ્વરૂપમાં આજે પણ ગ્રામજનો તેમના ગામના દેવતા ઠાકુરદેવની પૂજા કરે છે. ગ્રામજનોને કુદરતી આફતો અને રોગચાળાથી બચાવે છે. કહેવાય છે કે, જો કોઈ આ પથ્થરોને ઉપાડીને ઘરે લઈ જવાની કોશિશ કરે છે તો તેને કોઈ રોગ, ગાંડપણ, મૃત્યુના રૂપમાં તેનો ભોગ બનવું પડે છે..