રાજસ્થાન માં સર્જાયો મોટો અકસ્માત અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને અનેક લોકો થયા….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા અકસ્માતની સંખ્યા દેશ ના લગભગ બધા રાજ્યમાં જોવા મળે છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામે વાળાની ભૂલ ના કારણે બીજા વ્યક્તિ ને અક્સ્માત નો ભોગ બનવું પડે છે અને તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.
અકસ્માતનુ કારણ ગમ્મેતે હોઈ પરંતુ આવી ઘટના માં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આપણે અહીં તેવાજ એક દર્દનાક અકસ્માત અંગે અહીં વાત કરવાની છે. આ અકસ્માત માં 11 લોકો જીવતા બળી ગયા અને તેમનું ઘણું જ કરુણ મોત થયું. જ્યારે 22 લોકો ને ઘણી જ ગંભીર ઈજા પહોચી છે.
જો વાત આ અકસ્માત વિશે વિસ્તારથી કરીએ તો તમને જણાવી દઈએ કે આ અકસ્માત રાજસ્થાનના બાડમેર પાસે આવેલા બાડમેર જોધપુર હાઈવે પર સર્જાયો હતો. આ અકસ્માત બસ અને ટેન્કર અથડાતા સર્જાયો હતો.
જો વાત અકસ્માત ગ્રસ્ત બસ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે જે સમયે આ દુઃખદ બનાવ બન્યો, ત્યારે 25 લોકો આ બસ માં સવાર હતા. પરંતુ જેવી આ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ કે તરતજ આ બસમાં આગ લાગી ગઈ. આ આગ ના કારણે લોકો બસ માંજ ફસાઈ ગયા, અને લોકો બસની બારી તોડીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
જો વાત અકસ્માત સર્જાવ્વના કારણ અંગે કરીએ તો હાઈવે પર એક ટેન્કરે ખોટી દિશામા આગળ વધી રહયુ હતું જેના કારણે સામેથી આવી રહેલા બસ સાથે આ ટેન્કર નો અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત થતાં જ બસ માં આગ ભભુકિ ઉઠી. મળતી માહિતી અનુસાર આ અકસ્માત માં આગ લાગવાના કારણે 11 લોકો જીવતા સળગી ઉઠ્યા અને અકસ્માત બાદ 10 યાત્રિઓ ના શવ ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે એક વ્યક્તિ ને હોસ્પિટલ લઇ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું.
જો વાત આ અકસ્માત માં ઘાયલ લોકો અંગે કરીએ તો અકસ્માત માં 22 જેટલા લોકો ઘાયલ થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત ની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને અકસ્માત ના કારણે સર્જાયેલ ટ્રાફિક હળવો કરવાની સાથો સાથ બચાવ કામગીરી શરૂ કરી.