ડાયરાના કલાકાર યોગેશ ગઢવી એ દિવ્યાંગ કમા વિષે આપ્યું મોટું નિવેદન કે સાંભળી ને તમે થઇ જશે ભાવુક જુઓ વિડીયો.
ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી એક દિવ્યાંગ વ્યક્તિ કમો પ્રખ્યાત થઇ ચુક્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ કમા નું જ નામ બોલાતું હોય છે. કમો કિર્તીદાનભાઈ ગઢવી ના એક કાર્યક્રમ થી પ્રખ્યાત થયો હતો. ત્યારથી કમો આખા ગુજરાત માં નામના કમાય ચુક્યો છે. કમા વિષે લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે કલાકારો કમા નો ઉપયોગ કરી રહ્યા છે.
એવામાં ડાયરાના પ્રખ્યાત કલાકાર યોગેશ ગઢવી એ એક ડાયરાના કાર્યક્રમ માં કમા વિષે એક નિવેદન આપ્યું છે જેમાં યોગેશ ગઢવી એ કમા વિષે કહ્યું કે, કમો તો એક દિવ્યાંગ બાળક છે તેને દુઃખી ના કરાય. તેની મન ની સ્થિતિ શું હોય તે આપણે જાણી ના શકીએ આથી તેને લેવાય નહીં. ત્યારબાદ યોગેશ ગઢવી એ કહ્યું કે હું તો યોગેશ ગઢવી છું હું તો 20-વર્ષ પહેલા નમો લઇ ને આવ્યો હતો.
આમ ડાયરા ના કલાકાર યોગેશ ગઢવી એ કમા વિષે આવી પ્રતિક્રિયાઓ આપી હતી. કમા ની વાત કરવામાં આવે તો કમો એક સામાન્ય પરિવાર નો વ્યક્તિ છે. તેના ગામનું નામ કોઠારીયા છે. અને ત્યાં આવેલ આશ્રમ માં તે સેવાનું કામ કરતો હતો. પરંતુ આજે કમો ગુજરાત અને વિદેશ માં પણ ખાસ પ્રખ્યાત થઇ ચુક્યો છે.
જયારે કિર્તીદાનભાઈ ગઢવી વિદેશ માં કાર્યક્રમો કરતા હોય ત્યારે કમા ને વિદેશ માંથી પણ લોકો રૂપિયા આપતા હોય છે. આમ આ કમો ગુજરાત માં રાતોરાત સેલિબ્રેટી બની ગયો હતો. કમા ને મળતા રૂપિયા તે તેના ગામમાં આવેલી ગૌશાળા માં દાન માં આપી દે છે. આમ દિવ્યાંગ હોવા છતાં પણ તેનામાં માનવતા ભરેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!