India

સુરત મા 19 વર્ષિય યુવાને આપઘાત કરી જીવન ટુકાવી લીધુ ! આપઘાત કરવાનું કારણ જાણી આંચકો લાગશે

Spread the love

અત્યારે નાનાં ગામડાઓથી લઈને શહેરોમાં પણ આત્મહત્યા કરતાના અવનવા બનાવો સામે આવતા હોય છે જેમાં કોઈ વ્યાજ ખોરોના ત્રાસ થી તો ઘણા પત્નીના ત્રાસથી આત્મહત્યા નું પગલું ભરીને મોતને વ્હાલ કરતાં જોવા મલી આવે છે. ઘણીવાર લોકોના આત્મહત્યા કરવાનું કારણ સામે આવી જતું હોય છે તો ઘણીવાર આ આત્મહત્યા એક રાજ બનીને જ રહી જાય છે. હવે તો જુવાનિયાઓમાં પણ આત્મહત્યા કરવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળ્યું છે.

ત્યારે હાલમાં એક 19 વર્ષના યુવાને આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવી રહ્યો છે જ્યાં પ્રેમ લગ્નના ચોથા મહિનામાં જ એક વિધવા માતાના દીકરા અને એક માસૂમ બહેન ના ભાઈ એ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર જોવા મલી આવ્યો છે અને પરિવાર શોકમાં ગરકાવ થયેલો જોવા મલી આવ્યો છે.આ ઘટના બનતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટના પાંડેસરા માં બની છે જ્યાં પતિના આત્મહત્યા કરવા પાછળ પતિ પત્ની ના જગડા થયાનું કારણ જાણવા મળી આવ્યું છે.

માહિતીમાં જાણવામાં આવ્યું કે પાંડેસરા ની કર્મયોગી સોસાયટી માં રહેતા અભય વિજય શ્રીવાસ્તવ કે જે 19 વર્ષનું ઉમર ધરાવતા હતા અને તેઓ પોતાની બહેન વિજયા અને વિધવા માતા અને પત્ની પિયા સાથે રહેતા હતા. પાડોશીઓ દ્વારા જ્યારે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે આવીને ઘરનો દરવાજો તોડીને અભયના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને ત્યાર પછી તેના પરિવાર અને પત્નીને જાણ કરવામાં આવી હતી.

પતિના આમ અવસાન થવાથી મૃતક અભય ની પત્ની પ્રિયા એ કહ્યું કે હું કામ પર હતી અને જ્યારે ઘરે આવીને જોયું તો અભય એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. શું નાનકડી વાતનો જગડો અભયના આત્મહત્યા કરવા પાછળનું કારણ હોય શકે ? ત્યાં જ મૃતક અભય ની બહેન વિજયાએ જણાવ્યુ કે અમારા ઘરનો આધાર સહારો છીનવાઇ ગયો છે.ઘરના એકના એક ચિરાગનું આમ અવસાન થતાં પરિવાર શોક મગ્ન જોવા મલી આવ્યું છે. હાલમાં તો આ ઘટના અંગે પોલીસ વધુમાં તપાસ હાથ કરીને આગળ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *