India

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો!! ફક્ત દોઢ વર્ષના ફૂલ જેવા માસુમ સાથે એવુ થયું કે ઘટના જાણી હદય કંપી ઉઠશે…

Spread the love

કહેવાય છે ને કે ચા પીવાથી વ્યક્તિ ના સુષ્ક થઈ ગયેલ મગજ માં ફરી તાજગી આવી જાય છે. પરંતુ મધ્યપ્રદેશ ના ઇંદૌર થી એક બહુ જ આશ્ચર્યમાં મૂકનારો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં દોઢ વર્ષ  ના માસૂમ બાળકનું ચા ના કારણે દુખદ અવસાન થયું છે. બાળકની સ્વાસનળી માં ચા અટકી ગઈ હતી જેના કારણે તેના સ્વાસ બંધ થઈ ગ્યાં અને માસૂમ એ જીવ ગુમાવ્યો. પરિવારના લોકોએ જણાવ્યુ કે બાળકના સ્વાસ લેવાની નળીમાં ચા વઈ ગઈ હતી અને આથી માસુમનું અવસાન થયું.

આ ઘટના બનતા જ તેની માતાએ બહુ જ ઉતાવળ થી બાળકની છાતીમાં માલિશ કરવા લાગી અને ચીસો પાડવા લાગી આમ છ્તા બાળકનો જીવ બચાવી શક્યા નહીં. જોકે હે તો પોસ્ટમોટમ આવવાની જ રાહ છે.વાસ્તવમાં માહિતીમાં  જાણવામાં આવ્યું કે આ હેરાન કરનારી ઘટના સિમરોલ ના બાઈગામ ની છે જ્યાં રવિવાર ના રોજ માતા લતા એ દીકરા અને દીકરીને માટે ચા બનાવી હતી. જેવો દીકરા રાજ એ ચા પીવાનો ઘૂંટડો ભર્યો કે તેને ઉધરસ આવવા લાગી. આથી ગભરાઈને માતા લતાએ દીકરાની પીઠ પર હાથ ફેરવવા લાગી .

પરંતુ દીકરાએ તે સમયે જ તડપવાનું બંધ કરી દીધું આથી માતા ઉતાવળમાં જ બાળકને લઈને હોસ્પિટલ પહોચી , પરંતુ સ્થાનિક હોસ્પિટલ એ બાળકને ઇંદૌર રેફર કર્યો, આથી જેવા બાળક ને લઈને ઇંદૌર પહોચ્યા કે ત્યાના  ડોક્ટરો એ તરત જ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ સંપૂર્ણ ઘટનાની બહુ જ દુખદ વાત એ છે કે મહિલાનો પતિ રાજેશ પ્રજાપત જેલમાં બંધ છે. એવામાં તે પોતાના બાળકોની સાથે પિયરમાં રહેતી હતી. લતા ના ભાઈ મહેશ એ આ ઘટના અંગે જણાવ્યુ કે બહેન એ રોજની જેમ જ ચા બનાવી હતી. કોને ખબર હતી કે આજની ચા મારા ભાણિયાનો જીવ લઈ લેશે.

આગળ વધુમાં લતા ના ભાઈ એ જણાવ્યુ કે બહેન લતા ના લગ્ન કરનાવદ જિલ્લા ના દેવાસ માં રહેતા રાજેશ પ્રજાપત સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ બે મહિના પહેલા જ જીજા પોતાની માતા સાથે મારપીટ કર્યાના આરોપમાં જેલ માં સજા ભોગવી રહ્યા છે. જીજા ની વિરુધ્ધ તેની માતા ગંગાભાઈ એ થાણા માં ફરિયાદ નોંધાવી હતી. અને ધરપકડ થયા બાદ કોર્ટ એ તેમણે 2 મહિના પહેલા જ જેલમાં મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *