ઝડપ નો મજા મોત ની સજા ! એવો અકસ્માત થયો કે…
મિત્રો આમણે અવાર નવાર અનેક અકસ્માત વિશે જોયું અને સાંભળીયુ હશે આવા અકસ્માત કોઈ પણ એક અથવા બંને વ્યક્તિઓ ની ભૂલ અથવા ગેર સમજ ને લઇ થઇ શકે છે તેવામાં તેમને આર્થિક નુકસાન તો જાય છે પરંતુ ઘણી વાર તેમના જીવ પણ ગુમાવી બેસે છે પરંતુ શું અકસ્માત માં બને પક્ષકારો ની ભૂલ હોઈ જ છે તો તમને જણાવી દઈએ કે ઘણા અકસ્માતો એવા પણ હોઈ છે જેમાં સામે વાળાની ભૂલ ને કારણે વ્યક્તિ ને પોતાનો જીવ ગુમાવવો પડે છે.
આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરીશુ. આ અકસ્માતમાં એક જ પરિવાર ના પતિ પત્ની અને તેમના સંતાન એમ પરિવાર ના 3 લોકો એ જીવ ગુમાવિયો છે પોતાની બાઈક પર આ પરિવાર ના લોકો જઈ રહિયા હતા તેવામાં સામેથી ફુલ સ્પીડમાં આવતી એક ખાનગી બસે આ બાઇકને ટક્કર મારી જેને કારણે બાઈક ચાલક અને તેમના પત્ની અને સંતાનનું મૃત્યુ થયું.
સમગ્ર ઘટના કંઈક આવી છે. આ અકસ્માત ઉત્તર પ્રદેશ ના હરદોઈ જિલ્લાના પિહાની માર્ગ ના હરિયાળી બજાર પાસે થયો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃત્યુ પામનાર પતિ પત્ની અને બાળક ના શરીર રસ્તા સાથે ચોંટી ગયા હતા અહીં એક તેજ રફ્તાર ખાનગી બસે એક બાઈક ને જોરદાર ટક્કર મારી છે જેમાં પતિ પત્ની સહીત તેમના બાળક નું ઘટના સ્થળે જ મોત થયું છે.
મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર વ્યક્તિઓ ગોકુળ પોલીસ સ્ટેશન ના ક્ષેત્ર ના બિનહા ગામ ના રહેવાસી છે જેમાં રાજીવ ઉ.વ 32 વર્ષ તેમની પત્ની દેવી ઉ.વ 30 વર્ષ અને તેમના બે વર્ષ ના નૈતિક નું મૃત્યુ થયું છે તેઓ શાહજહાંપુર થી હરદોઈ જઈ રહિયા હતા. તે સમયે તેમનો અકસ્માત સર્જાયો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!