Categories
India

સમાજ માટે દ્રષ્ટાંત ! વિધવા પુત્રવધુ ને દીકરી ની જેમ સાસુ એ બીજા લગ્ન કરાવી સાસરે વળાવી…

Spread the love

આપણા દેશ માં ઘણા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે, તે આપણા સમાજ માટે એક સુંદર ઉદાહરણ રૂપ સાબિત થાય છે. ભારત દેશ પહેલાથી જ ઘણા કુરિવાજો થી ઘેરાયેલો દેશ છે. હજુ પણ ઘણા એવા નાના ગામો છે. જ્યાં કુરિવાજો જોવા મળે છે. એમાં એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. એક માતા એ તેના પુત્ર નું નિધન થયા બાદ, પુત્ર ની વહુ ના લગ્ન બીજા એક છોકરા સાથે કરાવ્યા હતા.

વધુ વિગતે જાણવા મળ્યું કે, યમુના દેવી નામના બહેન ના પુત્ર ગજેન્દ્ર નું બે વર્ષ પહેલા હાર્ટ એટેક થી મૃત્યુ થયું હતું. ગજેન્દ્ર ના લગ્ન કૃતિલતા સાથે થયા હતા. બંને ને પાંચ વર્ષ નું બાળક છે. 32 વર્ષીય કૃતિલતા અને તેનો બાળક એકલા જ રહેતા હતા. એવામાં સાસુ એ તેની પુત્રવધુ ને બીજા લગ્ન કરવા માટે કહ્યું. કૃતિલતા પહેલાતો આ વાત સાંભળી ચોકી ઉઠી.

કૃતિલતા બીજા લગ્ન કરવા સંમત ના થઇ. પરંતુ, સાસુ યમુના દેવી એ તેને મનાવી લીધી. કૃતિલતા એ તો એકલા જ રહેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ સાસુ ની વાત થી તે મન મક્કમ રાખી ને સંમત થઇ. કૃતિલતા ના લગ્ન સાસુ એ 40 વર્ષીય દુર્ગેશસિન્હા સાથે કરાવ્યા. જાણવા મળ્યું કે, દુર્ગેશસિન્હા ની પત્ની પણ અઢી વર્ષ પહેલા કોઈ ગંભીર બીમારીથી મૃત્યુ પામી હતી.

દુર્ગેશસિન્હા ભીલાઈ ના રહેવાસી છે. અને તે ભીલાઈ ના સ્ટીલ પ્લાન્ટ માં કામ કરે છે. સાસુ એ પુત્રવધુ ને પોતાની દીકરી બનાવીને સાસરે વળાવી. બંને ના લગ્ન ધમતરીના રિસાઈ પર ના નાગેશ્વર મંદિર માં થયા. આ બાબતે વકીલ પાર્વતી બધવાણી એ જણાવ્યું કે, બને ના લગ્ન નાગેશ્વર મંદિર માં થયા છે. કૃતિલતા ના સાસરિયા વાળા એ જણાવ્યું કે, કૃતિલતા નાનપણ માં જ વિધવા થઇ ગઈ માટે તેને આગળ નું જીવન એકલા ના પસાર કરવું પડે તે માટે આ નિર્ણય કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *