Categories
Gujarat

સાકરતુલા અને રજતતુલા અનેક વખત જોઈ હશે પરંતુ આ વસ્તુની તુલા પહેલા નહી જોઈ હોય ! પાટણ ના રોટલીયા હનુમાનજી

લોકો ને માતાજી મા અને દેવી દેવતાઓ મા અનેરો વિશ્વાસ અને શ્રધ્ધા હોય જે જ્યારે અનેક વખત આવી શ્રધ્ધા સાથે ખાસ પ્રકાર નઈ માનતા રાખવામા આવતી હોય છે. અને કામ થાય ત્યાર આ માનતા અલગ અલગ પ્રકાર પુરી કરવામા આવતી હોય છે ત્યારે ઘણી વખત તુલા કરવાની માનતા પણ કરવામા આવતી હોય છે. તુલા મા જેટલો વજન કોઈ વ્યકિત કે બાળક નો થતો હોય છે તેટલા વજન ની વસ્તુ ને સામે જોખવા મા આવતી હોય છે.

આ જોખાયેલી વસ્તુઓ ને દેવી દેવતા ને ધરવા મા આવતી હોય છે ત્યારે સામાન્ય રીતે આપણે જોતા હોય છીએ કે ખજુર, સાકર જેવી ચિજ વસ્તુઓ ની તુલા કરાતી હોય છે પરંતુ તાજેતર મા પાટણ મા અનોખી રોટલા રોટલી ની તુલા કરવામા આવી હતી અને તુલા થઈ ગયા બાદ અબોલ પશુઓ ને ખવડાવવા મા આવી હતી.

જો આ અંગે વિગતે વાત કરીએ તો ગુજકો માસોલના ડિરેકટર તરીકે ચૂંટાયેલા સ્નેહલભાઈ પટેલની રોટલો, રોટલીની તુલાનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગ જયા યોજાયો ત્યા હનુમાનજી નુ મંદિર છે જે રોટલીયા હનુમાનજી તરીકે જાણીતું છે. સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના સ્નેહલભાઇ પટેલ દ્વારા પાટણ શહેરમાં રોટલીયા હનુમાન મંદિર બનાવ્યું હતું.

આ મંદિર ની ખાસ વાત કરીએ તો અબોલ પશુ પક્ષી ને ધ્યાન મા રાખીને આ મંદિર બનાવવા મા આવ્યુ છે આ મંદિર મા કોઈ પ્રસાદ ચઢાતો કે નથી એક રૂપિયાની દાન દક્ષિણા લેવાતી. પરંતુ માત્ર ને માત્ર ચડાવા સ્વરુપે રોટલા રોટલી જ લેવામા આવે છે જે અબોલ પશુઓ માટે વપરાઇ છે. આ મંદીર બનાવવા નો મુળ હેતુ અબોલ પશુઓ ની આતરડી ઠારવા નો છે.

Categories
Gujarat

કચ્છ બાજુ જાવ તો ” કડિયા ધ્રો” ની મુલાકાત લેવાનું ના ભુલતા ! વિશ્વ ના 52 ફરવાલાયક સ્થળો મા છે સામેલ…

હાલમાં ચોમાસાની ઋતુમાં ચારોતરફ લીલીછમ હરિયાળી છવાઇ જાય છે, ત્યારે આજે અમે આપને એક એવા સ્થાની મુલાકાત કરાવીશું જે ખૂબ જ અદભુત અને અનોખું છે. આ સ્થાન લીલુંછમ તો નથી પરંતુ સૂકું હોવા છતાં અવિસ્મમણીય છે.

આપણે જાણીએ છે કે, ગુજરાતનો રણ પ્રદેશ એટલે કચ્છ. આમ પણ કચ્છ એટલે મેરુ, મહેરામણ અને મરુ ભૂમિનો પ્રદેશ અને એટલે જ અહીં કુદરતી મહેર તથા કહેર બાદ પણ ભૌગોલિક રચના નેકારણે કચ્છડો બારે માસ બોલાય છે.

આજે અમે આપને એક એવા જ સ્થાની મુલાકાત કરાવીશું
ભુજ થી 5 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલું કડિયા ધ્રો કુદરતની ક્લાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ સમું એક છે. આંખોને અકલ્પનીય તૃપ્તિ આપતું સ્થળ એટલે કડિયા ધ્રોધ.ખાસ તો હાલમાં ચોમાસાની સીઝનમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે, જેથી વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધરૂપી વહી નીકળે છે, જેને લઈ અદભુત દૃશ્યો સર્જાય છે.

આ ધોધની સુંદરતાને લીધે સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા પ્રથમ વખત આ સ્થળને વિશ્વ ફલક પર મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2021માં અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા એને વિશ્વનાં 52 ફરવાલાયક સ્થળોની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું હતું. અહીં ફરવા આવતા લોકો પ્રકૃતિપ્રેમીઓને સ્થાનિક લોકો પૂરતું માર્ગદર્શન પૂરું પાડી મદદરૂપ બનતા રહે છે.

ખાસ વાત એ છે કે, નખત્રાણા તાલુકામાં આવતા કડિયા ધ્રો સેંકડો વર્ષો દરમિયાન હવામાનના પ્રતાપે આકાર પામ્યો છે. ધ્રો એટલે મગરો માટેનું ઘર, જ્યાં તળિયા વગરની જમીન પર કોતરોમાં બારેમાસ પાણી જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે.

એ દરમિયાન એમાં વસવાટ કરતા મગરો અન્ય નદી-નાળાં તરફ પ્રયાણ કરી જાય છે. અહીં ગુજરાતી, હિન્દી ફિલ્મોના શૂટ પણ થઈ ચૂક્યા છે. આ કડિયા ધ્રો કચ્છના પર્યટનસ્થળમાં અદકેરું સ્થાન ધરાવે છે.

Categories
Viral video

બુલડોઝર માં બેસી દુલ્હન ને લેવા પહોંચ્યા સિવિલ એન્જીનીયર ! આ પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો, થયું એવું કે…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અવનવા વિડિઓ રોજબરોજ વાયરલ થયા કરે છે. ખાસ તો લગ્ન ના વિડીયો ખુબ જ જોવા મળે છે. લગ્ન ના વિડીયો એટલા બધા વાયરલ થતા હોય છે કે જાણે લગ્ન ના વિડીયો નું ઘોડાપુર આવ્યું હોય. અને લગ્ન ના વિડીયો હોય છે પણ ખુબ જ ફની. એવામાં એક મધ્યપ્રદેશ માં રહેતા એક સિવિલ એન્જીનીયર યુવક ના લગ્ન માં તે યુવકે પોતાની જાન બુલડોઝર માં કાઢી ને યાદગાર બનાવી.

મધ્યપ્રદેશ ના બેતુબ જીલા ના એક સિવિલ એન્જીનીયર જે હાલ માં મોટી મોટી બિલ્ડીંગ બનાવે છે. અંકુશ જયસ્વાલ નામના એન્જીનીયરે પોતાના લગ્ન માં બુલડોઝર માં પોતાની જાન જોડી હતી. મધ્યપ્રદેશ ના બેતુબ જિલ્લા ના ભૈંસદેહી ગામમાં રહેતા અંકુશે જણાવ્યું કે, ” હું વ્યવસાયે સિવિલ એન્જીનીયર છું એટલે આખો દિવસ મારે બુલડોઝર સહિત ના ઘણા બધા મશીનો સાથે રહી ને કામ કરવાનુઁ હોય છે. એવામાં મેં મનમા વિચાર કર્યો કે મારા વ્યવસાય સાથે સંકળાયેલા બુલડોઝર માં હું જાન કાઢું. તેથી મેં બુલઝોડાર માં મારી જાન કાઢી.”

તેણે જણાવ્યું કે ઝાલર ગામ થી નીકળેલી જાન કેરાપાણી ગામમાં સ્થિત શ્રી હનુમાનજી ના મંદિરે રાતવાસો કર્યા બાદ બુધવારે સવારે કેસરબાગ માં લગ્ન કર્યા હતા. બુલડોઝર ને ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. જેમાં વરરાજા સાથે તેના પરિવાર ના સભ્યો બેઠા હતા. વરરાજા ના પરિવાર ના અન્ય સભ્યો વાજતેગાજતે ડીજે ના તાલે નાચતા નાચતા લગ્ન માં સહભાગી થયા હતા. જુઓ વિડીયો.

આ અદભુત નજારો જોવા લોકો ની ભારે સંખ્યા માં ભીડ ઉમટી પડી હતી. અને ઠેર ઠેર બસ આની જ ચર્ચા થવા પામી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ. લોકો આ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. અને આ વરરાજા પ્રત્યે હાસ્યાસ્પદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ઈમોજી પણ શેર કરી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Viral video

અનંત અંબાણીનો સ્પીચ આપતો આ વિડીયો થયો વાઇરલ ! પોતાના દાદાની કર્મ ભૂમિ ચોરવાડ પહોંચી કહ્યું “હું તમારા…જુઓ વિડીયો

ચોરવાડ ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ છે. પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેમણે ચોરવાડની ધરતી પરથી જ પ્રયાણ કર્યું. ચોરવાડ ધીરુભાઈ અંબાણીના જીવનનું સાક્ષી રહ્યું છે, તેમની સફળતાના બીજ ચોરવાડમાં જ રોપાયા છે. હાલમાં જ ચોરવાડ ખાતે ” અનંત અને રાધિકાના પ્રિવેડિંગ સેલિબ્રેશન અંતગર્ત ભોજન સમારંભ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ” આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી અને બ્રીજદાન ગઢવી સહીત લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે ખાસ હાજરી આપી હતી.

આ પ્રસંગની શોભા વધારવા માટે અનંત અને રાધિકા મર્ચન્ટ કોકિલાબહેન સાથે ચોરવાડ ગામ પહોંચ્યા હતા. ભોજન સમારંભમાં પધારેલ સૌ ગામજનોને અનંત અંબાણીએ કહ્યું હતું કે, ચોરવાડી માતાજી સૌનું ભલું કરે, તમે બધા જમીને જજો અને મને અને રાધિકાને આશીર્વાદ આપજો તેમજ પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને યાદ કરતાં જ તેમણે કહ્યું કે, હું મારા દાદી અને દાદાના ગામડામાં આવ્યો છું. મારો વિચાર છે કે આ ગામમાંથી ૧૦ ધીરુભાઈ ઊભા થાય, ચોરવાડના બાળકો આ કરી શકે છે.

ખરેખર આ વાત એક ગૌરવશાળી કહેવાય કે ચોરવાડ જેવા નાના એવા ગામડામાંથી ધીરુભાઈએ ભારતની સૌથી મોટી રિફાઇનરી કંપનીની શરૂઆત કરી તેમજ એશિયાના ધનિક વ્યક્તિઓમાં સ્થાન મેળવ્યું.અનંત અંબાણી એ આ જ કારણે ગામના લોકોને કહ્યું કે, ૧૦ વર્ષમાં ૧૦ ધીરુભાઈ ઊભા થવા જોઈએ જે ચોરવાડને ગૌરવ અપાવે.

તમને જણાવી દઈએ કે, ચોરવાડ ખાતે આજે પણ ધીરુભાઈ અંબાણીનું ઘર આવેલું છે, જેનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીનું આ ઘર ” ધીરુભાઈલનો ડેલો ” જે પ્રવાસીઓમાં ચોરવાડ હોલીડે કેમ્પ તરીકે પ્રખ્યાત છે કારણ કે ચોરવાડમાં મનમોહક દરિયા કિનારો પણ છે. આજે વિશ્વ ફલકે ચોરવાડનું નામ રોશન થયું છે તેનું એક માત્ર કારણ ધીરુભાઈ અંબાણી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India

ગિનીઝ બુકમાં રેકોર્ડ બનાવનાર ખુબજ ઉપયોગી છે દુનિયાની આ નાની ગાય ! આ ગાયના દૂધ માંથી બને છે….જાણો વિગતે

મિત્રો, આપણા દેશમાં ગાયનું વિશેષ મહત્વ રહ્યું છે, આર્થિક મહત્વ હોય કે પૌરાણિક અને ધાર્મિક મહત્વ હોય, ગાયને દરેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તેમની ઘણી જાતિઓ ભારતમાં જોવા મળે છે, પરંતુ આજે અમે તમને જે ગાયની જાતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ ખાસ છે અને તેણે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

આ ગાયનું નામ ‘માનિક્યમ ગાય’ છે, જે કેરળમાં જોવા મળતી વેચુર પશુઓની ગાય છે. તમને જણાવી દઈએ કે આ દુનિયાની સૌથી નાની ગાય છે અને તેની ઉંમર 6 વર્ષ છે. સામાન્ય રીતે ગાયોની ઊંચાઈ 4.7 થી 5 ફૂટ હોય છે, પરંતુ આ ગાયની ઊંચાઈ માત્ર 1.75 ફૂટ અને તેનું વજન માત્ર 40 કિલો છે. 2 વર્ષમાં પણ તેમાં કોઈ ખાસ શારીરિક ફેરફાર થયો નથી અને તેની ઊંચાઈ પણ વધી નથી. જો કે મણિકાયમ તેની પ્રજાતિમાં સૌથી નાની ગાય છે, તેમ છતાં વેચુર જાતિની અન્ય ગાયો પણ સામાન્ય ગાયો કરતા ઘણી નાની છે. મણિકયમને ઉછેરવામાં બકરી કરતાં ઓછો ખર્ચ થાય છે. આ ગાય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.

વેચુર ગાયોની શારીરિક રચના સામાન્ય ગાયો કરતા કંઈક અલગ છે. આ જાતિની કેટલીક ગાયોને ખૂબ જ નાના શિંગડા હોય છે. તેમની લંબાઈ 124 સેમી અને ઉંચાઈ 85 સેમી છે અને તેમનું વજન 130 કિગ્રા છે, તેથી આ લાક્ષણિકતાઓને કારણે, વેચુર ગાયને ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી નાની ગાય તરીકે નોંધવામાં આવી છે. આ જાતિની ગાયો કેરળના કોટ્ટાયમ જિલ્લાના વાયકોમ વિસ્તારમાં વિકસિત થઈ છે. તેમના સંવર્ધન વિસ્તારો કેરળના અલપ્પુઝા/કન્નુર, કોટ્ટાયમ અને કાસરગોડ જિલ્લાઓ છે.


આ જાતિની ગાયો પર રોગોની બહુ ઓછી અસર થાય છે અને આ ગાયોના દૂધમાં પણ સૌથી વધુ ઔષધીય ગુણો હોય છે. આ વિશેષતાઓ હોવા છતાં, તેને ઉછેરવું મુશ્કેલ નથી કારણ કે તે ખૂબ જ ઓછા ખર્ચે ઉછેર કરી શકાય છે, બકરીને પાળવામાં જેટલો ખર્ચ થાય છે, તે જ ખર્ચે તમે ગાયને પણ પાળી શકો છો. તે હળવા લાલ, કાળા અને સફેદ રંગોના મિશ્રણ તરફ આકર્ષિત લાગે છે. આ ગાયોનું માથું લાંબુ અને સાંકડું, પૂંછડી લાંબી અને કાન સામાન્ય પણ સુંદર હોય છે. આ ગાયોના શિંગડા પાતળા, નાના અને નીચેની તરફ વળાંકવાળા હોય છે.

વેચુર ઢોર ગરમ અને ભેજવાળી બંને આબોહવા માટે યોગ્ય છે. આ જાતિની ગાયોને દૂધ અને ખાતર માટે ઉછેરવામાં આવે છે. આ ગાયોની રોગ પ્રતિકારક ક્ષમતા અને વિવિધ પ્રકારના હવામાનને સહન કરવાની ક્ષમતા પણ ઘણી સારી છે. એટલું જ નહીં, તેમની ત્વચામાંથી નીકળતું પ્રવાહી જંતુઓને દૂર રાખે છે. આટલા બધા ગુણો હોવા છતાં, હવે વેચુર પ્રજાતિની માત્ર 100 શુદ્ધ જાતિઓ બાકી છે, તેથી કેરળ કૃષિ યુનિવર્સિટીએ આ જાતિને સાચવી રાખી છે. જો કે વેચુર ગાય વધુ દૂધ આપતી નથી, પરંતુ તે અન્ય નાની દૂધ આપતી જાતિઓ કરતાં વધુ દૂધ આપે છે.

કેરળમાં પરંપરાગત રીતે વેચુર ગાયના દૂધનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે, કારણ કે આ ગાયોના દૂધમાં ઔષધીય ગુણો હોય છે. આ ગાયો દરરોજ 2 થી 3 લીટર દૂધ આપે છે. અન્ય ક્રોસ બ્રીડ્સની સરખામણીમાં, વેચુર જાતિની ગાયોને ખૂબ ઓછા ખર્ચે ઉછેરવામાં આવે છે, કારણ કે તેમને ખૂબ ઓછા ચારા પર ખવડાવવામાં આવે છે. આ ગાયોના દૂધમાં ફેટ 4.7-5.8 ટકા હોય છે, ચરબી ઓછી હોવાને કારણે તેમનું દૂધ સરળતાથી સુપાચ્ય હોય છે. પ્રથમ વાછરડા સમયે, આ ગાયોની ઉંમર ત્રણ વર્ષની હોય છે અને આંતર વાછરડાનો સમયગાળો 14 મહિનાનો હોય છે. આ ગાયો તેમના નાના કદના કારણે સરળતાથી ઉછેરવામાં આવે છે અને ઓછા ખર્ચે ઉછેર કરી શકાય છે, પરંતુ તેઓ ઓછું દૂધ આપે છે, તેથી લોકો દૂધના વ્યવસાય માટે ભાગ્યે જ તેનું પાલન કરે છે.

Categories
Gujarat

અનંત અને રાધિકાના પ્રિવેડિંગમાં શ્લોક મહેતાએ પહેરી હતી આટલા કરોડની ઘડિયાર ! કિંમત જાણી હોશ ઉડી જશે…જાણો વિગતે

હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા ભવ્ય પ્રિ વેડિંગ સલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં નીતા અંબાણી સૌથી વધુમાં ચર્ચામાં આવ્યા હતા મોંઘીદાટ જવેલરી અને સાડીના કારણે. હાલમાં ફરી એકવાર તેમની મોટી વહુ શ્લોકા પણ ડ્રેસ અને ઘડીયાળના કારણે ચર્ચામાં આવી છે. આ ખબર હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, ખરેખર આ જોઈને તમને ચોક્કસ સમજાય જશે કે અંબાણી પરિવાર કેવુંવૈભવશાળી જીવન જીવે છે,

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે, અને તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં યોજાયેલી ત્રણ દિવસીય પ્રી-વેડિંગ પાર્ટીમાં અંબાણી પરિવારના દરેક સભ્યનો શાનદાર લુક જોવા મળ્યો. શ્લોકા મહેતા પણ આ દરેક ઇવેન્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. પાર્ટીના ત્રીજા દિવસે શ્લોકાએ ગ્રીન કલરની મિડી ડ્રેસ પહેરી હતી, જેમાં જાળીદાર પેટર્ન અને હાથથી બનાવેલા ફૂલોની સજાવટ હતી. તેમણે આ ડ્રેસને ગ્રીન કલરની ફ્લેયર્ડ પેન્ટ સાથે ટીમઅપ કર્યો હતો. આ કસ્ટમ-મેડ ડ્રેસ ‘ઓસ્કાર ડી લા રેન્ટા’ બ્રાન્ડનો હતો, જેની કિંમત $15,990 એટલે કે અંદાજે ₹13,24,788)હતી.


આ શાહી લુકને વધુ સુંદર બનાવવા માટે શ્લોકાએ ક્લાસી પેરેટ ગ્રીન કલરની ઘડિયાળ પહેરી હતી, જેનો ડાયલ વાસ્તવિક ગુલાબની પાંખડીઓથી બનેલો હતો. ઘડિયાળના ડાયલ પર તોતાની આકૃતિ હતી, જેમાં કિંમતી રત્નો અને ફૂલોની સજાવટનો સમાવેશ થાય છે. ડાયલની અંદર તોતાની આંખ પર એક નાનું પન્ના ઉકેરાયેલું છે, જ્યારે ડાયલની પૃષ્ઠભૂમિમાં ચમકદાર સફેદ હીરા ગોઠવવામાં આવ્યા છે, જે તેને શાહી દેખાવ આપે છે. શ્લોકાની આ રિસ્ટ વોચ ‘કાર્ટિયર’ બ્રાન્ડની હતી. એક ફેશન ડિકોડિંગ પેજ મુજબ, આ ઘડિયાળની કિંમત ₹93,60,000 છે. ખરેખર આ જોઈને એટલું ચોક્કસ સમજાય કે મોટી વહુ પણ કિંમતી અને અમૂલ્ય ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

જમાલ કુડુના મ્યુઝિક પર ‘કમા’ એ કર્યો એવો ડાન્સ કે ! સ્ટેજ પરજ બોટલ લઇ…જુઓ વિડીયો

આજે અત્યારે મોટા સેલીબ્રિટી થી પણ વધારે સુપ્રસિદ્ધ બન્યો છે આ કમો આમ તો નાનપણ થી જ પૂજ્ય મોરારી બાપુ શ્રી રામા મંડળ મા ખુજ રસ ધરાવતો આ કમો અને આ કમા ની આજે દેશ વિદેશ ના લોકો ઓળખવા લાગ્યા છે. કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે.

આમ કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે હાલમાંજ કમાનો એક વિડિઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે. વાઇરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર કમા ભાઈ એનિમલ ફિલ્મના જમાલ કુડુના મ્યુઝિક ઉપર ખુભજ જોરદાર એક્પ્રેશન આપી નાચતા જોવા મળી રહયા હોઈ છે તેમજ ત્યાં રહેલા લોકો પણ કમાના આ ડાન્સ જોઈને ખુબજ ઉત્સાહમાં પણ આવી જતા હોઈ છે.

વિડીયો માં આગળ જોવા મળે છે અચાનકજ એક ભાઈ પાણીની બોટલ લઈને આવે છે અને જેમ એનિમલ ફિલ્મમાં બોબી દેઓલ ડાન્સ કરતો જહોઈ છે તેવીજ રીતે આ જમાલ કુડુ સોન્ગ પર કમાએ પોતાના માથા પર બોટલ રાખી ડનસ કરવા લાગે છે. આમ કમા ભાઈ નો ડનસ હોઈ અને કોઈ જોવા નો આવે તેવું બનેજ નહિ.

તેમજ કમા ભાઈ નો આ ડાન્સનો લોકો વિડીયો પણ બનાવવા લાગતા હોઈ છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. કમાનો આ અનોખો અને ફિલ્મ એનિમલ ના સોન્ગ જમાલ કુડુ ના મ્યુઝિક ઉપર તેમને આ ડાન્સ કરી લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર લોકોને ખુબજ પસંદ પણ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alpa Parmar (@alpa_parmar__6419)

Categories
Gujarat

ગુજરાત ના આ નાના એવા ગામ થી હતા સ્વ સુપર સ્ટાર નરેશ કનોડિયા ! જુઓ પરીવાર સાથે ની ખાસ તસવીરો…

ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ આજે તેમનો દીકરો હિતુ કનોડિયા તેમનો ફિલ્મનો વારસો સંભાળી રહ્યા છે. આજે આપણે નરેશ કનોડિયા જીવન વિશે તેમજ પરિવાર વિશે જાણીશું. જુુનિયર જોનીના નામે લોકપ્રિય બનેલ નરેશ કનોડિયા એક સમયે માત્ર બેન્ડ પાર્ટીમાં ગીતો ગાતા હતા તેઓ એ ગુજરાતી સિનેમામાં પોતાની ઓળખ કંઈ રીતે બનાવી છે.

Screenshot 2023 02 23 07 29 53 563 com.google.android.googlequicksearchbox

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ.એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે તેમનું અવસાન કોવિડ-૧૯ના કારણે થયું. ગુજરાતી સિનેમાનમાં મહેશ અને નરેશનું યોગદાન અમૂલ્ય છે. નરેશ અને મહેશ “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા હતા. નરેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યનાં કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો

Screenshot 2023 02 23 07 31 33 020 com.google.android.googlequicksearchbox

નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી.તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરનાનાનાના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.

Screenshot 2023 02 23 07 30 56 795 com.google.android.googlequicksearchbox

નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

Screenshot 2023 02 23 07 31 33 020 com.google.android.googlequicksearchbox

તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્રત્રિવેદી, અસરાની, કિરણ કુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં. તેઓ જીવ્યા ત્યાં સુધી ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા અને તેમને માત્ર અભિનય ક્ષેત્ર જ નહીં પણ રાજકીય ક્ષેત્ર મહત્વનું યોગદાન આપ્યું છે.

07 24 33 nareshkanodia hbd 6 d

ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યું. જીવનવૃત્તાંત સૌના હ્રદયમાં હંમેશ: મહેશ-નરેશ તરીકે ૨૦૧૧માં પ્રકાશિત થયું હતું. તેમના મુત્યુ પછી નરેશ અને તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાને મરણોતર પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો. નરેશ કનોડિયા એ 90 દશક થી લઈને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ રાજ કર્યું. એક સમયે ગુજરાતી સિનેમામેં પોતાના થકી સફળતા શિખરે પોહચાડ્યું હતું.

07 24 01 nareshkanodia hbd 1 d

નરેશ કનોડિયાના પરિવારમાં હવે માત્ર પાંચ લોકો જ રહ્યા છે, જેમાં નરેશ કનોડિયામાં પત્ની અને તેમનો મોટો પુત્ર તેમજ હિતુ કનોડિયા અને મોના કનોડિયા અને તેમનો દીકરો રાજવીરનો સમાવેશ થાય છે. કનોડિયા પરિવાર એ બોલીવુડના કપૂર પરિવાર જેવુ જ છે, જેમની ઢોલિવુડમાં મહત્વનો ફાળો છે.

Categories
Viral video

બોલતો પોપટ જોયો હશે પણ આવો પોપટ ક્યારેય નહીં જોયો હોઈ! ચીસો પાડીને કહ્યું ‘મમ્મી…. જુઓ આ અદભુત વિડીયો

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ વિશ્વાસ નહિ કરો. આ વાઇરલ વિડિઓમાં એક પોપટ માણસની જેમ વાત કર્તા મહિલાને કહે છે કે ” મમ્મી ચા આપી દયો.. સાંભળી તમેં પણ રહી જશો દંગ અને ઉડી જશે તમારા પણ હોશ. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.

વાત કરીએ તો વિડિઓમાં તમે જોઈ શકો છો કે વાયરલ વીડિયોમાં એક પોપટ એક મહિલા સાથે હિન્દીમાં વાત કરી રહ્યો છે. લાલ રંગના પોપટનો અવાજ સાંભળીને ઇન્ટરનેટ યુઝર્સ ખૂબ ખુશ થઈ ગયા. આ નવો વીડિયો જોયા પછી નેટીઝન્સે પણ ખૂબ જ રમુજી પ્રતિક્રિયાઓ આપી, કારણ કે પોપટ અસ્ખલિત હિન્દી બોલી રહ્યો છે અને ચાની માંગ કરી રહ્યો છે. જેમ તમે જાણો છો કે પોપટ માનવ વાણીનું અનુકરણ કરવામાં સક્ષમ છે. પોપટનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટકોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. પરંતુ આ કોઇ સામાન્ય વાત કરતો પોપટ નથી, કારણ કે આ પક્ષી માત્ર વસ્તુઓનું પુનરાવર્તન જ નથી કરતું પણ તેમની સાથે વાત પણ કરે છે.

ભારતમાં ઘણા પરિવારો વિદેશી પોપટ ઉછેરવાનું પસંદ કરે છે. વીડિયોમાં આપણે આવા જ એક પોપટને જોઈ રહ્યા છીએ એક બકબક કરતી પ્રજાતિ. તેમજ વીડિયોમાં પોપટને એક નાનકડા ખાટલા પર બેસીને તેના અવાજમાં ‘મમ્મી’ કહીને બૂમો પાડતા જોઈ શકાય છે. સુંદર પોપટ અન્ય ભારતીય બાળકોની જેમ મમ્મી કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. સ્ત્રી પણ પાછળથી પક્ષીને જવાબ આપતી સાંભળી શકાય છે, ‘હા બેટા’. પછી પોપટ તેની સાથે બે મિનિટથી વધુ સમય સુધી હિન્દીમાં વાત કરે છે.

આમ આ વીડિયો થોડા દિવસો પહેલા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો હતો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “જ્યારે કોઈ વ્યક્તિ આટલી આત્મીયતાથી વાતચીત કરે છે ત્યારે વાત કરવાની એક અલગ જ મજા હોય છે. આ સુંદર અને નિર્દોષ વાર્તાલાપ સાંભળીને હું ઇચ્છું છું કે આપણે બધા જીવો સાથે આ રીતે વાત કરી શકીએ. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ગુજરાતનું ગૌરવ છે મોઢેરાનું સૂર્યમંદિર ! 1000 વર્ષો પેહલા બનાવ્યું હતું હજી છે એવુંને એવું જ…જુઓ આ ખાસ તસવીરો

મિત્રો વાત કરવામાં આવે તો મોઢેરાનું આ સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. તેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઇ.સ. ૧૦૨૬-૧૦૨૭ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા જાળવવામાં આવતું સ્મારક છે. મંદિર સંકુલમાં ત્રણ ઘટકો છે: ગૃહમંડપ, તીર્થમંડપ; સભામંડપ, સભામંડપ અને કુંડ, જળાશય. મુખ્ય મંડપમાં જટિલ રીતે થાંભલાઓ કોતરેલા છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે.

સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો.

સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ અનેક લોકો આવે છે.

આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.