Categories
Viral video

કપિરાજ અને શ્વાનની આવી મિત્રતા કદી નહિ જોઈ હોઈ, વિડીયો એવો કે જોઈને તમે હસી હસી ગોટા વળી જશો… જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર એક રમુજી વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં તમે જોઈ શકશો કે એક કપિરાજ શ્વાનને પોતાની સવારી બનાવી છે. કપિરાજ શ્વાનની પીઠ પર બેઠેલા જોઈને તમે કપિરાજની આન, બાન અને શાન તમેં જોઈ શકશો. કપિરાજે ખરેખર શ્વાન પર બેસીને શાહી સવારીનો આનંદ માણે છે. આ જગતના દરેક જીવ અને માનવી ગમે તે પરિસ્થિતિ મોજની ખોજ કરી લે.

તમે આગળ વિડીયોમાં જોઈ શકશો કે, આખરે, કપિરાજ શ્વાનની પીઠ પરથી નીચે પડી જાય છે. પરંતુ કપિરાજ હારવાનું માનતા નથી અને તે શ્વાન ફરીથી ની પાછળ દોડે છે અને તેની પુંછડી ખેંચીને શ્વાન સામે લડે છે. છેવટે, વાંદરો ફરીથી શ્વાનની પીઠ પર બેસી જાય છે.

આ વિડિયો ખૂબ જ રમુજી છે. કપિરાજની હિંમત અને શ્વાનની શાંતિ જોઈને તમને હસવું આવી જશે. વધુમાં, એ કે, આ કપિરાજએ શોર્ટ પહેર્યું છે, જે આ વિડિયોને વધુ રમુજી બનાવે છે. ખરેખર આવા વિડીયો જોઈને તે રડતો માણસ પણ હસવા લાગે.

આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડિયોએ બતાવ્યું છે કે પ્રાણીઓ પણ એકબીજા સાથે રમી શકે છે અને મજા કરી શકે છે. આ વિડીયો જોઈને તમે પણ તમારી પ્રતિક્રિયાઓ જરૂરથી આપજો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ગુજરાતમાં માવઠાનો માર પડશે! અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, ખેડૂતો માટે ચિંતાનો વિષય…જાણો વિગતે

હાલમાં શિયાળાની ઋતુમાં અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, ચાલી અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે? આપણે જાણીએ છે કે, હાલમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. આ કારણે રોગચાળા નું પ્રમાણ વધે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા. 14થી 18 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેમજ ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. આ બાદ ગુજરાત તરફ વાદળો આવશે.

અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર આવતા ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હાલમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

મોરબીના આ પરિવારે ખુબ સુંદર કંકોત્રી બનાવડાવી હતી ! જે લગ્ન બાદ આવી રીતે ઉપયોગ મા લઈ શકાશે

હાલ લગ્નગાળાએ આખા ભારત દેશમાં ભારે રંગ રાખ્યો છે ત્યારે હાલ ના સમય મા લગ્ન ને લઈ ને વિવિધતા જોવા મળી રહી છે જેમા ખાસ કરી ને કંકોત્રી પાછળ લાખો રુપીયા ખર્ચી નાખવામા આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ રાજકોટ ના એક પરિવારે એક એવી કંકોત્રી તૈયાર બનાવડાવી હતી કે લગ્ન બાદ પણ એ કંકોત્રી નો ઉપયોગ થય શકે અને એમા થી છોડ ઉગી નીકળે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે મોરબીના એક પરિવારની કંકોત્રી વિશે જણાવાના છીએ જેની કંકોત્રી ભરતગૂથણથી તૈયાર થઇ હતી, મોરબી ના પરિવારે બનાવડાવેલી આ કંકોત્રી એક દમ હટકે કંકોત્રી હતી જે કોઈ કાગળ થી નહી પરંતુ મનમોહક ભરતગુથણ થી બનાવેલી હતી. જેમા ગણેશજી પણ છે જો વાત કરવામા આવે આ પરીવાર ની તો મિયાત્રા પરીવાર ની આ લગ્ન કંકોત્રી હતી. મોરબી ના ભાજપ અગ્રણી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રાના પરિવારના કશ્યપના ભારતી સાથે લગ્ન પ્રસંગની અનોખી કંકોત્રી બનાવી હતી.

આ કંકોત્રી બનાવડાવા માટે નો મુખ્ય હેતુ એ છે કે હાલ ના સમય ભરતગુથણ ની કલા ને જાણે અને હાલ જે આ કલા લુપ્ત થવાના આરે છે તેને ફરી પ્રોત્સાહન મળે તે માટે એક પ્રયાસ કર્યો હતો. કચ્છ, જસદણ સહિતના હેંડીક્રાફ્ટ ઉધોગને વિકસાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ટુ વોકલ અભિયાનને સાર્થક કરવા 500 જેટલી હેન્ડલુમ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી ની કિંમત 350 થી માંડી ને 400 સુધી થઈ છે.

સામાન્ય રીતે આપણે જોતા હોય એ છીએ કે લગ્ન બાદ કંકોત્રી ફેકી દેતા હોય તો ઘણા પસ્તી મા આપી દેતા હોય છે ત્યારે આ કંકોત્રી નો લગ્ન બાદ થેલી સ્વરુપ મા ઉપયોગ કરી શકાશે અને સાથે પ્લાસ્ટીક ની બેગ ની જગ્યા એ આ કંકોત્રી ઉપયોગ કરી શકાશે. આ કંકોત્રી ભરતગુથણ ની કલા નો ઉત્તમ નમુનો છે અને સાથે ઉપયોગી છે ખરખેર દરેક લોકો આવુ કરવા લાગે તો કાઈક અલગ જ દૂનીયાનુ સર્જન થશે.

Categories
Gujarat

ગુજરાતે ગુમાવ્યું અમૂલ્ય રત્ન! મણિયારા માણીગરના ગાયક કલાકાર મુળુભાઈ બારોટે દુનિયામાંથી વિદાય, જાણો તેમના જીવનની વાત…

આજનો દિવસ મહેર સમાજ માટે દુઃખદાયી બન્યો છે, વાત જાણે એમ છે કે, લોક સંગીત અને મણિયારાનો એક સુરજ આજ આથમી ગયો.. સાત સુર જગત સાચા પણ અમારા પોરબંદરનો એક સુર આજે દુનિયા મેલીને વયો ગયો.. મુરૂબાપા બારોટ કે કદાચ જેના તોલે કોઈ દી કોઈ નહી આવે.. એવો એક સુર સંગીતનો સિતારો…

એવો એક મોજીલો માણસ આજે આ દુનીયા મેલીને વયો ગયો.. જેને મેઘાણી સાહેબ ની જેમ આ લોકસંગીત ને જીવતું રાખવામાં પોતાનું લોહી હોમી દીધુંતું…આ લોક ગાયક કલાકાર ટેલિ મુળુભાઈ બારોટ. તેમની વિદાયથી તેમની ખોટ સદાય વર્તાશે. મણિયારો તો હજીય ગવાશે પણ ઇ પગ હવે નહી ઉપડે જે તમારા એક પડકારે ઉપાડતા.

ચાલો અમે આપને મુળુભાઈના જીવન વિષે વધુ વિગતવાર જણાવીએ. મણીયારા માણીગરથી ગુજરાતભરમાં લોકપ્રિય થયેલ મુળુભાઈ પોરબંદરના વતની હતા મુળુભાઈ બારોટ યુવા વયથી જ પોરબંદરના વિશ્વ વિખ્યાત મણીયારો રાસ મંડળ સાથે ગાયક તરીકે જોડાયેલા હતા પરંતુ તેમના નિધનથી લોકોમાં ભારે શોક છવાઈ ગયો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તેઓ ઘણા સમયથી બીમાર હતા.

સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવનાર મુળુભા આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં આકરી સંગીત સાધનાથી ગાયકી ક્ષેત્રે એક આગવી ઓળખ બનાવી હતી.મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ સાંજે મુરુભાઈ બારોટની અંતિમયાત્રા નીકળશે. વિગતો મુજબ DJ અને મણીયારા રાસ સાથે મુરુભાઈની અંતિમયાત્રા નીકળશે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે, ભગવાન તેમની દિવ્ય આત્માંને પરમ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે .

Categories
Gujarat

સુરત શહેરના મહેમાન બન્યા કિંજલ દવે! સોશિયલ મીડિયામાં શેર કરી આ ખાસ તસવીરો, સુંદરતા જોઈને તમારું મન મોહી જશે…જુઓ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એ સોશિયલ મીડિયામાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિંજલ દવેએ ઓરેન્જ કલરની ખૂબ જ સુંદર ચોલી પહેરી છે. સાદગીથી ભરપૂર આ લુક તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિંજલ દવે ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ દેખાઈ રહી છે. તેમની આ તસવીરોને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

કિંજલ દવેના આ લુકમાં તેમના ચહેરા પર એક ખુશીનો ભાવ જોવા મળે છે. તેમના આ લુકને પૂર્ણ કરવા માટે તેમણે સિમ્પલ જેવલરી પહેરી છે. તેમના વાળ ખુલ્લા રાખ્યા છે.

કિંજલ દવેએ સુરતમાં આયોજિત લાઈવ કોન્સર્ટ માટે આ નવા મુખમાં જોવા મળ્યા હતા. તેમના આ લુકને તેમના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમના ચાહકો તેમને આ લુકમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.કિંજલ દવે એક ખૂબ જ પ્રતિભાશાળી ગાયિકા છે. તેમણે ઘણી સુંદર ગુજરાતી ગીતો ગાયાં છે. તેમના ગીતો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના ચાહકો તેમના ગીતો અને તેમના લુકને ખૂબ જ પસંદ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

આ ગુજરાતી કલાકારે પારલે બિસ્કિટ અને પાણી ખાઈને જીવન પસાર કરેલું! જાણો કોણ છે આ…

ગુજરાતની ધરામાં અનેક ગુજરાતી કલાકારો છે, ત્યારે દરેક કલાકારોના જીવનમાં તેમની સફળતા પાછળ સંઘર્ષ ભરેલી કહાની રહેલી છે. આજે આપણે એક એવા કલાકાર વિશે જાણીશું જેને પોતાના જીવનમાં ખૂબ જ ખરાબ સમય જોયેલ પરંતુ પોતાની આવડત અને મહેનત થકી જીવનમાં ખૂબ જ સફળતા મેળવેલ. ખરેખર આ સફળતાની કહાની તમારા હદયને સ્પર્શી જશે.

અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ગાયક કલાકાર વિવેક સાંચલ વિશે, જેમને પોતાના જીવનમાં આજે ખૂબ જ સફળ બનીને ગુજરાતનાં લોકપ્રીય ગાયક કલાકાર બની ગયા છે. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે. ચાલો જાણીએ કે કોણ છે વિવેક સાંચલ અને કંઈ રીતે તેમને જીવનમાં સફળતા મેળવી. તમેં અત્યાર સુધી કીર્તિદાન ગઢવી થી લઈને ગીતા રબારી અને કિંજલ દવેની સફળતાની કહાની જાણી હશે પણ વિવેક સાંચલા જેવું જીવન ભાગ્ય જ કોઈ કલાકાર એ વેઠયું હશે.

વિવેક સાંચાલાને સંગીતનો વારસો જન્મથી જ મળ્યો છે, તેમના પડદાદા થી લઈને તેમના દાદા અને પિતા પણ સંગીત સાથે જોડાયેલા હતા. વિવેક એ પોતાના દાદા પાસેથી સંગીતની કલા શીખેલ અને આજે એક ઉમદા કલાકાર છે. તેમના અંગત જીવન પર એક નજર કરીએ તો વિવેક મૂળ જામગર શહેરનાં છે તેમજ તેઓ હાલ સુરતમાં રહે છે. તેમનો જન્મ જામનગર પાસે આવેલ હળીયાણા ગામમ થયેલ. વિવેક તેમના દાદા દાદી પાસે જ રહેતા હતા.

ત્યાર થી તેમને સંગીતની તાલીમ લીધેલ. વિવેક દરજી જ્ઞાતિમાંથી આવે છે અને તેમના પરિવારમાં સંગીતનો વારસો હોવાથી બાળપણ થી સંગીત સાથે જોડાયેલ.વિવેક પહેલીવાર ગામના હનુમાન મંદીરે ચાલીસ ગાઈને સંગીતની સફર શરૂ કરેલી અને ત્યારબાદ સંપૂર્ણ તાલીમ મળી અને ત્યારબાદ તેમને જીવનમાં ખૂબ જ સફળતા મેળવેલ. તેમને પોતાના જીવનમાં એવા દિવસો જોયેલા કે, ફક્ત પારલે બીસ્કીટ અને પાણી ખાઈને સુઈ જતા હતા. ત્યારે ખરેખર એ તો સાબિત થાય કે જીવનમાં જો અઢળક મહેનત કરવામાં આવે તો જરૂર થી સફળતા મળે છે.

વિવેક નાના નાનાં પ્રોગામમાં ગાવાની શરૂઆત કરી અને પછી લોકોને તેમનો સ્વર ખૂબ જ પસંદ આવ્યો. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને અલ્પાબેન પટેલ સાથેની તેમની જુગલબંધી લોકોને ખૂબ જ પસંદ આવી અને તેમના બંને એ સાથે ગાયેલું સોંગ ખૂબ જ વાયરલ થયેલું.

આ સોંગ હતું, 3 ઇડિયટ્સ ફિલ્મનું સોંગ ” બહેતી હવા સો વોહ ખ્વાબ ” તેમના સ્વરે લોકોને બહુ જ ગમ્યું. આ સોંગના લીધે તેમને ખૂબ જ લોક ચાહના મેળવી અને ગુજરાત ભરમાં એક લોકપ્રિય ચાહક તરીકે નામના મેળવી. આજે વિવેક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટા અને યુટ્યૂબમાં તેમનો ચાહકગણ ખૂબ જ વધારે છે.

Categories
Gujarat

તમે વિચાર્યુ પણ નહી હોય મુકેશ અંબાણી આવો પણ બીઝનેસ કરે છે ?? જામનગર માથી કેરી…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મુકેશભાઈ અંબાણી એ હાલમાં જ ચેરમેન પદે થી રાજીનામુ આપીને પોતાનો વ્યવસાય મોટા દીકરાને આપ્યો છે. હાલમાં મુકેશ ભાઈ હવે નિવૃત તરીકે જીવન પસાર કરશે પરંતું આપણે જાણીએ છે કે અંબાણી પરિવાર પાસે અનેક બિઝનેસ સંકળાયેલ છે. ત્યારે આજે અમે આપને એક એવા મુકેશભાઈ જામનગર શહેરમાં એક એવો બિઝનેસ કરે છે, કે જાણીને તમે પણ ચોંકી જશો.

તમને જો કોઈ કહે તો, મુકેશ અંબાણીકેરી વેચે છે તો તમને કેવું લાગે ? આશ્ચય પામી જશોને…? ચાલો અમે તમને જણાવીએ કે શા માટે અંબાણી પરિવાર કેરી નો બિઝનેસ કરે છે. જામનગર શહેરમાં રિલાયન્સ કંપનીમાં ધીરુભાઇ અંબાણીના નામ પરથી “ધીરુભાઇ અંબાણી લાખીબાગ અમરાઇ” નામનો બગીચો આવેલ છે. રિલાયન્સનો આ આંબાનો બગીચો નામ 16 મી સદીમાં મોગલ બાદશાહ અકબર દ્વારા બાંધવામાં આવેલા કેરીના બાગથી પ્રેરિત હતું,

રિલાયન્સ દર વર્ષે ઉનાળામાં કેરીમાંથી કરોડ રૂપિયાની કમાણી કરે છે અને આ કેરી દેશ વિદેશમાં આયાત કરવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન કંપની વિશાળ છે પરંતુ તેનાથી વિશાળ તેનું ટાઉનશીપ પણ છે જ્યાં કર્મચારીઓ રહે છે. અહીંયા ફરવા લાયક ગાર્ડન છે તેંમજ અહીંયા વિશાળ કેરીનો બાગ આવેલ છે જેમાંથી કરોડ રૂપીયાનીકમાણી કરે છે.


પર્યાવરણનાં સંરક્ષણ માટે એક અનોખું પગલું ભર્યું, જેના કારણે કંપનીને પણ ઘણો ફાયદો થયો. વર્ષ 1997 માં,જામનગરમાં તેની રિફાઇનરીમાં ભારે પ્રદૂષણ અંગે કંપની ચિંતિત હતી. એટલું જ નહીં, કંપનીને ઘણી વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ચેતવણીઓ પણ મળી રહી હતી. આવી સ્થિતિમાં રિલાયન્સ ગ્રૂપને લાગ્યું કે આ સમસ્યાનું સમાધાન લાવવા કેટલાક પગલાં લેવાની જરૂર છે.

ત્યારે જ રિલાયન્સે પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે રિફાઇનરી નજીક કેરીનો બાગ લગાવવાનું વિચાર્યું હતું. રિલાયન્સની જામનગર રિફાઇનરી પાસે આવેલી ઉજ્જડ જમીનને ત્યારબાદ ગ્રીન બેલ્ટમાં ફેરવવામાં આવી હતી.200 થી વધુ જાતોના કેરીની આશરે 1.3 લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ બગીચામાં 200 થી વધુ વેરાયટીને દોઢલાખથી વધુ કેરીના વૃક્ષ છે.

જેમાં કેસર,અલ્ફોન્સો, રત્ના, સિંધુ, નીલમ અને આમ્રપાલી જેવી ઘણી વેરાયટી જોવા મળે છે. આ સિવાય ઘણી વિદેશી  વેરાયટીની કેરીના વૃક્ષો પણ છે. રિલાયન્સ કંપની જામનગરના ફાર્મ ત્યાના ફળોનું માર્કેટિંગ કરે છે કંપનીની એ કેરીની ખાસ બ્રાંડ છે જેને RIL Mango તરીકે ઓળખવામાં આવે છે.

Categories
Gujarat

સૌથી સસ્તું શાકપુરી તથા છોલે પુલાવ ખાવા હોય તો વસ્ત્રાપુરની આ દુકાને જજો ! સ્વાદ એટલો જોરદાર કે સૌને દાઢે વળગ્યો…

આપણું ગુજરાત એટલે રંગીલું ગુજરાત આપણે અહીં અનેક જોવાલાયક તથા ફરવાલાયક સ્થળો તો છે જ તે સાથો સાથ ખાવાની વસ્તુઓ પણ આપણા રાજ્યની અંદર મળી જતી હોય છે, આપણા રાજ્યમાં એવું નથી કે આપણે અહીં ફક્ત ગુજરાતી તથા કાઠિયાવાડી જ ફૂડ મળી રહે છે, કેમ કે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણે ત્યાં ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન એવું તમામ પ્રકારનું ફૂડ આપણને શહેરો શહેરોમાં મળી જ જતું હોય છે.

દરેક રાજ્યની પ્રખ્યાત વાનગી આપણા રાજ્યના દરેક શહેરમાંથી આપણને મળી રહેતી હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદની એક ખુબ જ પ્રખ્યાત દુકાન વિશે વાત કરવાના છીએ જે

જોગમાયા પરોઠા હાઉસની ફેમસ દહીં તિખારી અમદાવાદમાં વહેચાતા છોલે પુલાવ તથા શાક પુરી વિશે વાત કરવાના છીએ આમ તો તમને ખબર જ હશે કે દરેક જગ્યાએ છોલે પુલાવ તથા શાકપુરી મળી જ રહેતી હોય પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે એક એવી દુકાન વિશે વાત કરવાના છીએ જ્યા સાવ ઓછી કિંમતે ભરપેટ તમને છોલે પુલાવ તથા શાકપુરીની મજા માણવા મળી જશે.

ટેસ્ટ પણ અહીંનો એટલો લાજવાબ હોય છે ખાનાર સૌ કોઈના દાઢે આ છોલે તથા શાકપુરીનો અનેરો સ્વાદ માણવા માટે અહીંથી મળી જશે, આ દુકાને છોલે પુલાવ તથા શાકપુરી ખાવા માટે લોકોની ભારે ભીડ એકથી થઇ જતી હોય છે,નીચે જણાવ્યા સરનામા મુજબ તમે જો અમદાવાદમાં રહેતા હોવ તો મુલાકાત કરી શકો છો.

Categories
Viral video

કીર્તિ પટેલના પિતાનો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ…રણછોડ ભગતની આ વાત સાંભળીને સૌ કોઈ કરી રહ્યા છે વખાણ! જુઓ વિડિયો

હાલમાં જ સોશીયલ મિડિયા પર કીર્તિ પટેલના પોતાનો.વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કીર્તિ પટેલના પિતાએ ખૂબ જ સરસ વાત કરી છે. આ વાતના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે તેમજ જ્યાં જુઓ ત્યાં માત્ર આ વિડીયો વિશે ચર્ચાઓ થઈ રહી છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કીર્તિ પટેલ એ લખ્યું કે ” રણછોડ ભગત એટલે મારા પપ્પા. રણછોડ ભગતે વિડિયો સૌને સત સંગ વિશે માહિતગાર કર્યા છે. આ વિડીયો ખરેખર તમારા હદયને સ્પર્શી જશે તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ વીડિયોમાં જે સત સંગ નો અર્થ સમજાવવામાં આવ્યો છે તે ખૂબ જ સરળ અને સચોટ છે.

કિર્તી પટેલના પિતા કહે છે કે, સત સંગ વિશે કહે છે જે સત્ય ને કઈ રીતે પારખવું તેમજ ઈશ્વર ક્યાં છે ? આ તમામ પ્રશ્નો જવાબ તમને રણછોડ ભગત પાસેથી જાણવા મળશે. તેમને જે જ્ઞાન આપ્યું છે તેમને શબ્દોમાં વર્ણન કરવું  શક્ય ન બની શકે તે માટે નીચે આપેલ વિડીયો દ્વારા તમે રણછોડ ભગતની સંપૂર્ણ વાત સાંભળી શકશો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

સોમનાથ જતા તો હશો પણ આ મંદિરનો ખાસ ઇતિહાસ તમે જાણતા જ નહીં હોવ, પેહલા આવું દેખાતું મંદિર… જુઓ તસ્વીર

સોમનાથનું મંદિર વિનાશ પર સર્જનનું પ્રતિક છે. આજે અમે આપને સોમનાથ મંદિર વિશે ની ખાસ વાત જણાવીશું જેના વિશે તમે જાણતા પણ નહીં હોય.તમને જાણીને નવાઈ લાગશે કે , સોમનાથનું પહેલું મંદિર આશરે 2000 વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં હતું.

સૌથી ખાસ વાત એ છે કે, ઈ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરના નિર્માણ પહેલાં સ્થાને બીજુ મંદિર બનાવ્યું હતું.

ઇતિહાસ પ્રમાણે કહેવાય છે કે, માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર 13 માળ ઊંચું હતું જેના દ્વાર હીરાજડિત હતા. તેની ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ધારી તે તરફ વહાણો હંકારતા અને સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય અનેકવાર થતું રહ્યું.

સૌથી રસપ્રદ વાત એ છે કે, મુસ્લીમ શાશક મહેમુદ ગઝનવી, સુલતાન મુઝ્ઝફરખાન ઉપરાંત ઔરંગઝેબ વિગેરે દ્વારા છ વખત આક્રમણ કરવામાં આવ્યું હતું અને સોમનાથના મંદિરનો નાશ કરેલ પરંતુ સૌરાષ્ટ્ર એ ધરતી છે, જ્યાં વિનાશ પણ સર્જન નું રૂપ લે છે.

ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી અને સાતમી વખત મૂળ જગ્યા પર મંદિરનું નિર્માણ થયું. 11મે 1951ના દિવસે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ દિવસ અતિ ભવ્ય અને દિવ્ય હતો, તે દિવસથી આજ દિવસ સુધી સોમનાથનું મંદિર અડીખમ ઉભું છે.

મંદિરની ખાસ વાત જાણીએ તો આ સોમનાથ મહાદેવની સ્થાપના ચંદ્ર દેવે કરી તેમજ સોમનાથ ની સમીપે આવેલ ત્રિવેણી સંગમ પાસે શ્રી કૃષ્ણ ભગવાને વૈકુંઠ ધામ ગમન કર્યું. શેષનાગ અવતાર બલરામજી એ પણ અહીંથી વૈકુંઠ ધામ તરફ ગમન કર્યું અને સોમનાથ પરશુરામ ભગવાનની તપોભૂમિ છે તેમજ સોમનાથ મંદિરમાં બાણ સ્તંભ આવેલ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.