Categories
Viral video

બાઘા બોય, ગોલી અને ડૉ હાથીએ લીધી મરીડા ધામની મુલાકાત, ચાહકોએ આ રીતે કર્યું સ્વાગત, જુઓ વિડીયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતના સૌથી લોકપ્રિય ટીવી શોમાંનો એક છે. આ શોના કલાકારો ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં, આ શોના ત્રણ કલાકારો, બાઘા, ગોલી અને ડૉ હાથી, રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી – મરીડા ધામ ખાતે પધાર્યા હતા.

તેઓએ માં મેલડી માતાજીના દર્શન કર્યા અને તેમની પૂજા-અર્ચના કરી. તેમણે સૌ ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી. રાત્રે, તેઓએ શરદ મહોત્સવમાં પણ હાજરી આપી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.આ ઘટનાથી તારાક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેઓના ચાહકો તેમને મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.

રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજી – મરીડા ધામ અતિ પાવનકારી અને દિવ્ય સ્થાન છે, જ્યાં લાખો ભાવિ ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. ધાર્મિકતા એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે બધાએ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો જોઈએ. ગુજરાતના અનેક પાવનકારી સ્થાનોમાં મરીડા ધામ પણ અતિ અલૌકિક છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે તેમજ લોકો સૌ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, તમે જોઈ શકશો કે તન્નમય વેકરીયા, ખુશ શાહ એ તમામ ચાહકોને ખુબ જ પ્રેમ આપ્યો હતો અને સૌ લોકોએ આ કલાકારનું પણ ભવયરીતે સ્વાગત કર્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ગુજરાતના ખ્યાતનામ સમાજ સેવક એવા પોપટભાઈ આહીરના લગ્ન થવા જઈ રહ્યા છે ! ફુલેકાની આ ખાસ તસ્વીરો આવી સામે..જુઓ તસ્વીર

દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળતા હોય છે જેમાં એક પાસે કરોડો રૂપિયા કે અરબોની સંપત્તિ હોવા છતાં તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ નથી કરતો હોતો જયારે બીજો પ્રકાર એવો વ્યક્તિનો હોય છે જેની પાસે ભલે કરોડોની સંપત્તિના હોય પણ તે બીજાની ખુશીમાં પોતાની ખુશીને શોધતો હોય છે.

એવામાં હાલ તો આપણે સૌ કોઈ ગુજરાતના અનેક સમાજસેવીઓ વિશે જાણતા જ હશું જેમાં પોપટભાઈ જેવા અનેક સમાજસેવીના નામ આપણા મોઢે વળગે છે.ઘણા ઓછા લોકો પોપટભાઈ આહીર વિશે જાણે છે.હાલ રાજ્યમાં પોપટભાઈ ફાઉન્ડેશન નામની સમાજસેવી સંસ્થા ચાલી રહી છે

હાલ પોપટભાઈની સફળતા એટલી છે કે દરેક લોકો તેમને ઓળખે છે, તમને જણાવી દઈએ કે પોપટભાઈનું નામ અસલી નામ રજનીભાઇ છે પરંતુ હાલ તેઓને બધા પોપટભાઈ તરીકે જ ઓળખે છે, આવું થવા પાછળ પણ એક ખુબ રસપ્રદ વાત જોડાયેલી છે. રજનીભાઇને નાનપણથી જ બોલબોલ કરવાની ખુબ આદત હતી આથી તેઓના કાકાએ તેમનું નામ પોપટ રાખ્યું અને ધીરે ધીરે જ લોકો રજનીભાઇ ભૂલીને તેઓને પોપટભાઈ તરીકે ઓળખવા લાગ્યા.

પોપટભાઈના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ ભાવનગરના અનાથાશ્રમમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.sc નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે બાદ તેઓએ સમાજસેવાનો મોરચો સંભાળીને જરૂરિયાતમંદ લોકોની મદદે આવી ચુક્યા હતા.. એવામાં તમને ખબર જ હશે કે પોપટભાઈ આહીરની સગાઈ થઇ ચુકી હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

જે બાદ લોકોએ પણ પોપટભાઈ આહીરને શુભેચ્છાઓ પાઠવી હતી અને પોતાના જીવનના નવા પહેલું તેઓ સારી રીતે જીવે તેવો આશીર્વાદ પણ આપ્યો હતો, એવામાં હાલ જો ખબરોની માનીએ તો પોપટભાઈ આહીર હવે લગ્નના બંધાવા જઈ રહ્યા છે કારણ કે તેમના ફુલેકા તથા લગ્નને લગતા અનેક એવા વિડીયો હાલના સમયમાં વાયરલ થઇ રહ્યા છે જેને જોયા બાળા લોકો પણ હરખાય જ ગયા છે.

આ તસવીરો વાયરલ થતા પોપટભાઈ આહિરના ચાહકોએ તેમને ઢગલા મોઢે શુભેચ્છા પાઠવી હતી, પોપટભાઈ આહીર હાલના સમયમાં તેઓના સેવાકાર્ય માટે ખુબ પ્રખ્યાત થઇ ચુક્યા છે આથી તેમના ચાહકો પણ ખુબ વધી રહ્યા છે.

Categories
Gujarat

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે માવઠું પડશે? અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો વિગતે….

હાલમાં ગુજરાતમાંડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. આ કારણ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં જ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

ચાલો ત્યારે જણાવીએ કે, આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેમજ. પવનની દિશા બદલાતા તપામાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાને કારણે 16મી ડિસેમ્બર પછી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. પરંતુ હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે.ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

માલિક હોય તો સવજીભાઈ ધોળકિયા જેવા, યાદ છે એ કિસ્સો જયારે સવજીભાઈએ પોતાના કર્મચારીઓને આપી હતી આ લકઝરિયસ દિવાળી ભેટ…

ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ફરી એકવાર દિવાળી બોનસને લઈને ગુજરાતના સુરતમાં સમાચારમાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સવજીભાઈ તેમના હીરા કામદારોને દિવાળી બોનસ તરીકે કાર આપી રહ્યા છે. તે પણ તેઓ માત્ર 100, 200 નહીં પરંતુ સંપૂર્ણ 600 કાર આપી રહ્યા છે.

સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા પોતાના કર્મચારીઓને કાર, ઘર અને ઘરેણાં ભેટમાં આપી ચૂક્યા છે. હરે ક્રિષ્ના ડાયમંડ એક્સપોર્ટ કંપનીના નામથી સુરત સહિત દેશ-વિદેશમાં હીરાનો ધંધો કરતા સવજીભાઈ ધોળકિયા આ વખતે તેમની કંપનીના હીરા કામદારોને કારની ચાવી ભેટ આપવાના છે.

સવજીભાઈ ધોળકિયાની હરે ક્રિષ્ના ડાયમંડ એક્સપોર્ટ કંપનીમાં 5500 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 6 હજાર કરોડ રૂપિયા છે. આ હીરા ઉદ્યોગપતિ પણ પોતાના અંદાજે 1200 કર્મચારીઓને કાર, ફ્લેટ અને જ્વેલરી ગિફ્ટ કરીને પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા. તે પછી 1700 કર્મચારીઓને કાર, મકાન અને ઘરેણાં ભેટમાં આપીને કર્મચારીઓ પ્રત્યે ઉદારતા દાખવનાર સવજીભાઈ ધોળકિયાની દેશભરમાં ચર્ચા રહેતા હોય છે.

સુરતના હીરાના વેપારી સવજીભાઈ ધોળકિયા તેમના કર્મચારીઓને આપેલી મોંઘી ભેટ દેશ કે દુનિયાની કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને તેમના માલિક કે બોસ દ્વારા ભાગ્યે જ આપવામાં આવી હશે. આવી સ્થિતિમાં સૌપ્રથમ પોતાની કંપનીના ત્રણ કર્મચારીઓને મર્સિડીઝ ગિફ્ટ કરીને અને આ વખતે દિવાળી પર પોતાના કર્મચારીઓને 600 કાર આપીને તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો તમે બોસ છો તો તમે એક બની શકો છો.

 

Categories
Gujarat

અમદાવાદ જાવ કે અમદાવાદ જ રહેતા હોવ તો એક વખત “લક્ષ્મી ગાંઠિયા રથ” ના ગાંઠિયા જરૂરથી ચાખજો ! દયાબેન-સુન્દરમમાં પણ છે દીવાના…

મિત્રો તમને ખબર જ હશે કે આપણા ગુજરાતી લોકો પેહલાથી જ ગઠિયાના રસિયા હોય છે, આપણા ગુજરાતી લોકો વહેલી સવારે નીકળી જાય છે અને બાદમાં આવતી વખતે ગાઠીયા ખાતા આવે છે તથા ઘરે પણ લેતા આવે છે. આથી જ આખા ગુજરાતની અંદર ગાંઠિયાનું વેચાણ ખુબ થઇ રહ્યું છે, જેમાંથી અમુક લોકો તો ખાસ કરીને ગાંઠિયા ખાવા માટે જ જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમદાવાદની એક એવી ગાંઠિયાની દુકાન વિશે કરવાના છીએ જે આખા અમદાવાદમાં ખુબ પ્રખ્યાત છે.

આ ગાંઠિયાની દુકાન બીજી કોઈ નહીં પરંતુ પ્રખ્યાત ગાંઠિયા રથ છે જેની શરૂઆત વર્ષ 1985 ની અંદર થઇ હતી, શરૂઆતમાં તો આ ગાંઠિયા રથની એક લારી હતી પરંતુ ધીરે ધીરે કરતા લોકપ્રિયતા એટલી બધી વધતી ગઈ કે હાલના સમયમાં ફક્ત અમદાવાદમાં જ 7 બ્રાન્ચ તથા બીજા શહેરમાં 2 એમ કુલ હાલ 9 બ્રાન્ચો ચાલી રહી છે, ગાંઠિયા રથના માલિકનું નામ વાલજીભાઇ છગનભાઇ ટાંક છે જે મૂળ ગોંડલના રહેવાસી છે.

તમને જાણતા નવાય લાગશે કે તેઓ છેલ્લા 37 વર્ષથી આ ગાંઠિયા રથ ચલાવે છે, શરૂમાં વાલજીભાઇ હાથેથી લોટ બાંધીને ગાંઠિયા બનાવતા હતા પરંતુ હાલ અનેક મશીનો આવી જતા ફટાફટ તથા ખુબ ઝડપી રીતે લોટ બંધાય જાય છે અને તરત જ ગાંઠિયા તૈયાર પણ થઇ જાય છે, અમદાવાદમાં ગાંઠિયા રથની આ ગાંઠિયાની દુકાન એટલી બધી પ્રખ્યાત છે કે વહેલી સવારથી જ લોકોની ગાંઠિયા ખાવા માટે ભારે ભીડ જામે છે અને લોકો ખુબ આનંદ સાથે ગાંઠિયાનો સ્વાદ માણે છે.

આ ગાંઠિયાની દુકાન એટલી બધી ફેમસ છે કે અનેક મોટા મોટા સેલિબ્રિટી તથા રાજકીય કાર્યકરો પણ ગાઠીયા ખાવા આવી ગયેલ છે, અહીં તારક મેહતા ફેમ દિશા વાકાણી, મયુર વાકાણી(સુંદર મામા),મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી,ગોવિંદા તથા રાજકીય નેતાઓમાં હર્ષ સંઘવી આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ અહીં ગાંઠિયા ખાવા આવી ચૂકેલ છે.

અમદવાદમાં આ વિસ્તારમાં આવેલ છે દુકાનો :
1.નહેરુનગર ચાર રસ્તા
2.આંબલી બોપલ ચાર રસ્તા
3.જેલ ભજીયા હાઉસ સામે,RTO સર્કલ
4.શિવસુંદરમ કોમ્પ્લેક્ષ,ગુરુકુળ રોડ
5.વાસણા બસ સ્ટેન્ડ પાસે
6.શ્રધાદીપ કોમ્પ્લેક્ષ,શાસ્ત્રીનગર
7.જજીસબંગલો રોડ

Categories
India

જીઓ વર્લ્ડ ઇવેન્ટમાં ઈશા અંબાણીએ પેહરેલ આ ડ્રેસની કિંમત જાણી તમારા હોશ જ ઉડી જશે… જાણો કેટલી કિંમત છે?

હાલમાં જ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી યુવા ઉદ્યોગપતિ ઈશા અંબાણીએ તાજેતરમાં જ ભારતનો સૌથી મોટો મોલ ‘Jio World Plaza’ લોન્ચ કર્યો છે.

આ તકે Jio વર્લ્ડ પ્લાઝાની લોન્ચિંગ ઇવેન્ટમાં પણ તે અદભૂત દેખાતી જોવા મળી હતી. જોકે, તેમના ડ્રેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. ખરેખર આ કિંમતમાં તો કોઈ વ્યક્તિના જીવનભરના સપના સાકાર થઈ જાય.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, Jio વર્લ્ડ પ્લાઝાની લૉન્ચ ઇવેન્ટમાં આખો અંબાણી પરિવાર અદભૂત અંદાજમાં જોવા મળ્યો હતો. જોકે, ઈશા અંબાણીના ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ખરેખર, ઈવેન્ટમાં તે બ્લેક સાટિન શર્ટ સાથે પેન્સિલ સ્કર્ટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આપણા સૌ માટે આ એક કીમતી અને બ્રાન્ડેડ કપડાં હશે પરંતુ તમને જણાવી દઈએ કે ઇશાની ‘Dior 2023-24 ફેશન વીક મીડિયમ લોંગ એમ્બેલીશ્ડ પેન્સિલ સ્કર્ટ’ની કિંમત 22,847 ડોલર એટલે કે 19 લાખ 24 હજાર રૂપિયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Gujarat

ગીતાબેન રબારી અમેરિકામાં પોહચ્યાં આ સ્થળની મુલાકાતે, ત્યાંની આ ખાસ તસવીરો આવી સામે… જુઓ તસ્વીર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ નોર્થ અમેરિકામાં આવેલા Illinois સિટીમાં બહાઈ મંદિરની મુલાકાત લીધી. આ મંદિર એક સુંદર અને શાંત સ્થળ છે જ્યાં વિવિધ ધર્મોના લોકો પ્રાર્થના અને ધ્યાન કરવા માટે આવે છે.

ગીતાબેને મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને તેમણે લખ્યું કે, “આ એક અદ્ભુત સ્થળ છે જે તમારા આત્માને શાંતિ અને સંતોષ આપે છે. હું આ સ્થળની મુલાકાત લેવા બદલ ખૂબ જ ખુશ છું.”

ગીતાબેનની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લોકો તેમની મુલાકાતની પ્રશંસા કરી રહ્યા છે અને તેમને આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે

આ મંદિર એક ઉદાહરણ છે કે કેવી રીતે વિવિધ ધર્મોના લોકો એકસાથે શાંતિ અને સહનશીલતામાં રહી શકે છે. ગીતાબેનની મુલાકાત એક સકારાત્મક સંદેશ છે કે આપણે બધા એક છીએ અને આપણે એકબીજાને સન્માન આપવો જોઈએ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
India

હનુમાનજી ના મંદિર મા ચમત્કાર થયો ???? હનુમાનજી ની આંખો માથી આસુંનો ની ધારાઓ વહી…જુઓ વિડીઓ

આમ જોવામાં આવે તો ભારત માં બહુ બધા અનોખા મંદિરો આવેલ છે પરંતુ ઘણા મંદિરો એવા હોય છે કે જેની ચર્ચા ત્યાં થતાં ચમત્કારો અને અવિશ્વાસનીય કારણો ના લીધે હોય છે. આ વાત દરેક લોકો સારી રીતે જાણે જ છે કે ભારતમાં ધર્મ અને આસ્થાનું લોકોના દિલોમાં એક અનોખુ મહત્વનુ સ્થાન છે. દુનિયાભરમા ઘણા નાના મોટા મંદિરો આવેલ છે. તમને દરેક કોઈના કોઈ ગલીની અંદર મંદિર જોવા મળી જ જશે.

આમ જોવામાં આવે તો ભારત માં બહુ બધા અનોખા મંદિરો આવેલ છે પરંતુ ઘણા મંદિરો એવા હોય છે કે જેની ચર્ચા ત્યાં થતાં ચમત્કારો અને અવિશ્વાસનીય કારણો ના લીધે હોય છે. આ વાત દરેક લોકો સારી રીતે જાણે જ છે કે ભારતમાં ધર્મ અને આસ્થાનું લોકોના દિલોમાં એક અનોખુ મહત્વનુ સ્થાન છે. દુનિયાભરમા ઘણા નાના મોટા મંદિરો આવેલ છે. તમને દરેક કોઈના કોઈ ગલીની અંદર મંદિર જોવા મળી જ જશે.

પછી શું હતું આટલું સાંભળતા જ મંદિરમાં ભક્તો ની ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે પવન પુત્ર હનુમાંજી દાદા ની આ પ્રતિમા પિલખુયા ના શ્રી ગુલરું બાબા મંદિર ની છે. આ મંદિર સમિતિ ના પદાધિકારીઓએ આ જણાવ્યું કે ગુરુવાર ની સાંજે પ્રભુ હનુમાન જી ની આંખો થી આંસુ નીકળવા લાગ્યા જેના બાદ આ ખબર પૂરા શહેરમાં આગની જેંમ ફેલાઈ ગઈ હતી અને જોતજોતામા જ ભગવાન હનુમાન જી ના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂર થી મંદિર માં પહોચવા લાગ્યા.

મંદિર માં ભક્તો ની ભીડ જામી ગઈ. એવું જાણવામાં આવી રહ્યું છે કે મંદિર માં આવતા ભક્તો ફૂલ અને માળાની સાથે સાથે પ્રસાદ પણ હનુમાન જી ની પ્રતિમા પર ચડાવા લાગ્યા હતા. ભક્તો દ્વારા દર્શન, પુજા, આરતી, પ્રસાદ ચડાવા અને ભોગ લગાવાનો ક્રમ અડધી રાત સુધી સતત ચાલતો હતો. લોકોનું એવું કહેવું છે કે ભગવાન ની આંખો થી નીકળતા આંસુ તેમણે જોયા છે.

ત્યાં જ ઘણા ભક્તો નો એવો પણ દાવો છે કે તેમણે ભગવાન ના આંસુ પણ લૂછયા હતા. જોકે અમે આની પુસ્તી કરતાં નથી. હાલમાં તો આ વિડીયો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ  રહ્યો છે. આ વિડીયો વાઇરલ થયા  બાદ ઘણા બધા ભક્તો આ મંદિર માં આવ્યા અને આ ચમત્કાર ના સાક્ષી બન્યા હતા. જોકે આ પહેલીવાર નથી કે આવી કોઈ ઘટના સામે આવી છે. ભારત માં એવા ઘણા મંદિરો આવેલ છે જ્યાં ભગવાન દ્વારા ચમત્કાર નો દાવો કરવામાં આવે છે.

Categories
Viral video

જુઓ તો ખરી ખજરૂભાઇ સાથે લોકોને કેટલો પ્રેમ હશે, ખજૂરભાઈનો વરઘોડો નીકળ્યો તો આ ભાઈ હિબકે ચડ્યા… જુઓ વિડીયો

હાલમાં જ ખજુર ભાઈ અને મીનાક્ષી  લગ્નના બંધને બંધાયા. સોશિયલ મીડિયામાં ખજુર ભાઈની તસવીરો ખૂબ જ વાયરલ થયેલી અને સૌ ચાહકો અને ગુજરાતી કલાકારો એ પણ ખજુર ભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.

ખજુર ભાઈના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલ તેમજ સાથોસાથ  યુટ્યુબ પર અનેક એવા વિડીયો પણ ખુબ વધારે વાયરલ થઇ રહયા છે જેમાં જોઈ શકાય છે કે ખજુરભાઈ એટલે નીતિન જાની ઘોડા પર સવાર થઇને પોતાનો વરઘોડો લઈને જઈ રહ્યા છે.

આપ સૌને જણાવી દઈએ કે, ખજુર ભાઈ એ ખૂબ જ સાદગી રીતે સામાન્ય વ્યક્તિની જેમ જ લગ્નના બંધને બંધાયા. ખરેખર ખજુર ભાઈ એ ખરા અર્થમાં એ સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ ખૂબ જ સરળ અને સાદગી ભર્યું વ્યક્તિત્વ ધરાવે છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, લોકો ખજુર ભાઈ ને ભગવાન સમાન ગણે છે, હાલમાં જ સોશીયલ મીડિયામાં એક ખૂબ જ હદય સ્પર્શી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો દ્વારા તમને પણ સમજાય જશે કે લોકોનો ખજુરભાઈ પ્રત્યે કેટલો પ્રેમ છે?

વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, ખજુર ભાઈની જાન જ્યારે નીકળી ત્યારે ઘણા લોકો ખજુર ભાઈને વરરાજાના રૂપમાં જોઇને તેમની આંખોમાં હરખના આંસુઓ આવી ગયાં. આ દ્રશ્ય જોઈને એવું લાગે કે, નગરમાં રામ ભગવાનની જાન નીકળી હોય ને, સૌની આંખો ભીંજાય જાય.વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે એક ભાઈ તો હીબકે ચડ્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

ખજુરભાઈ એ તો દિલ જીતી લીધું! સાવરકુંડલાના માતાજી ખજુર ભાઈને આશીર્વાદ આપવા પહોંચ્યા તો ખજુર ભાઈ એ આપ્યાં આટલા રૂપિયા….જુઓ વિડિયો

જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ખજુર ભાઈના લગ્નની જ બોલબાલા થઈ રહી છે. જ્યારથી ખજૂર ભાઈના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારથી અનેક વિડીયો તેમજ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, જેણે સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ખજુર ભાઈનું લક્ષ્ય માત્ર ને માત્ર માનવ સેવા છે અને અત્યાર સુધીમાં અનેક લોકોને ઘર બનાવી આપ્યા છે તેમજ સાથોસાથ અનેક જરૂરિયાતમંદ લોકો માટે  આર્થિક રીતે પણ મદદગાર થયા છે. તેઓ વડીલો માટે એક વૃદ્ધા આશ્રમ પણ બનાવી રહ્યા છે.

ખરેખર ખજુર ભાઈનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ અને સાદગી ભર્યું છે, ગુજરાતના લોકપ્રિય કલાકાર હોવા છતાં તેઓ સાદગીથી ભરપૂર જીવન જીવીને પોતાનો મોટાભાગનો સમય માનવ સેવામાં અર્પણ કરે છે. હાલમાં લગ્નમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે.

વાત જાણે એમ છે કે, જ્યારે સાવરકુંડલા ના રસ્તા પરથી ખજુર ભાઈની જાન નીકળી ત્યારે સાવરકુંડલાના કિન્નર સમાજના સૌ માતાજીનો ખજુર ભાઈને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.  વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે માતાજી ખજુર ભાઈને આશીર્વાદ આપે છે.

માતાજી કહે છે કે, ” માતાજી તમને સુખી રાખે,  સુખ, શાંતિ આપે, ધંધામાં ખૂબ આગળ વધો. ” સૌથી ખાસ વાત એ છે કે, ખજુર ભાઈ એ માતાજીઓને રાજી ખુશીથી ૧૫૦૦૦ રૂપિયા આપ્યાં. ખરેખર ખજુર ભાઈનું દિલ દરિયા જેવું છે, કે તેમના કિનારે કોઈપણ આવે તો દરિયાના મોજની જેમ દરેકના દિલને લાગણીથી ભીંજવી નાખે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.