Categories
India

ટીવી જગત તથા અનેક CID ફેન્સને રડાવી દે તેવી ખબર સાટીવી જગત તથા અનેક CID ફેન્સને રડાવી દે તેવી ખબર સામે આવી ! શોના આ દિગ્ગજ અભિનેતાનું થયું 57 વર્ષે નિધન…મે આવી ! શોના આ દિગ્ગજ અભિનેતાનું થયું 57 વર્ષે નિધન…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ જગત તથા ટીવી જગતમાંથી અનેક વખત ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, તમને ખબર જ હશે કે હાલના સમયમાં બૉલીવુડના અનેક એવા કલાકારો તથા અભિનેતાઓ હાલ આ દુનિયામાં રહયા નથી, જેમાં સુશાંત સિંહ રાજપૂત, ઋષિ કપૂર તથા શ્રીદેવી જેવા મહાન અભિનેતાઓ તો કેકે જેવા ગાયકો પણ હવે આ દુનિયામાં રહ્યા નથી.

એવામાં હાલ એક ટીવી જગતને લઈને ખુબ જ દુઃખદ ખબર સામે આવી છે, તમને ખબર હોય તો છેલ્લા થોડાક સમય પેહલા CID શો આવતો હતો જે લોકોને ખુબ જ વધારે પસંદ આવતો હતો અને તે સમયમાં તો આ શો ખુબ જ સુપરહિટ રહ્યો હતો કારણ કે દરેક ઘરમાં આ શોને ખુબ જ પસંદ કરવામાં આવતો, એવામાં આ શોની સફળતામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો આ શોના કલાકારો નો છે, આ શોના તમામ કલાકારોએ એટલી જોરદાર એક્ટિંગ કરી હતી કે હાલ દરેકના મનમાં હજુ આ શો ગુંજી રહ્યો છે.

એવામાં આ શોના જ કલાકારને લઈને એક હાલ દુઃખદ ઘટના સામે આવી છે, તમે જો સમાચાર પત્રો કે સોશિયલ મીડિયા પર ન્યુઝ વાંચતા હશો તો તમને ખબર જ હશે કે “CID” માં ફ્રેડ્રિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસને “તુંગા હોસ્પિટલ” ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, એવામાં ખબર સામે આવી છે કે કાલે રાત્રે એટલે કે 4 ડિસેમ્બરના રોજ તેઓનું નિધન થયું હતું, આ ખબર સામે આવતા જ હશે સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું જયારે આ શોની ટિમ તો ઘરે હાજર રહી હતી.

મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે દિનેશ ફડનીસ લીવર ડેમેજની બીમારીથી પરેશાન હતા જે વેન્ટિલેટર પર હતા પરંતુ હવે તેમના નિધનની ખબર સામે આવતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયા હતા. તમને જણાવી દઈએ કે દિનેશ ફડનીસના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો, એક દીકરી એમ કરીને બે સંતાનો છે જે હાલ પિતા વિહોણા બન્યા છે.

તેઓના મૃત્યુની ખબર તેમના જ સાથી કલાકાર એવા દયાનંદ શેટ્ટીએ મીડિયા સમક્ષ કરતા કહ્યું હતું “હા તેઓ નથી રહ્યા,તેઓનું નિધન લગભગ 12:08 વાગ્યાના સમયગાળામાં થયું હતું, હું તેમના આવાસ પર છું અને તેમનો દૌલત નગર શમશાન ઘાટ ર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Categories
India

નીતા અંબાણીએ પહેરેલી આ કાંડા ઘડિયારની કિંમત જાણશો તો માથું જ પકડી લેશો!! લાખો નહીં પણ કરોડોમાં કિંમત…

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખુબ જ વૈભવશાળી જીવન જિવે છે, હાલમાં જ તેમની પુત્રી ઈશા અંબાણીના જોડિયા બાળકો શ્રીકૃષ્ણા અને આદિયાના પ્રથમ જન્મદિવસની ઉજવણીમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, 18 નવેમ્બર 2023 ના રોજ ઈશા અંબાણીએ તેમના જોડિયા બાળકો આદિયા અને શ્રીકૃષ્ણા માટે એક શાનદાર બર્થડે બેશ હોસ્ટ કર્યો હતો.

તારાઓથી શણગારાયેલા આ ઉજવણીમાં ફિલ્મ ઉદ્યોગ અને વ્યવસાય જગતના જાણીતા ચહેરાઓ સામેલ હતા. આ પાર્ટી માટે નિતાએ પર્પલ કલરની લેસ ડ્રેસ પસંદ કરી હતી. નિતાએ તેમના લુકને ડાયમંડ બુટ્સ, ડેવી મેકઅપ, બન હેરડૂ, એક ઘડિયાળ અને હિલ્સ સાથે સ્ટાઇલ કર્યો હતો જેમાં તેઓ ખુબ જ સુંદર લાગતા હતા.

આ સુંદરતાથી વધુ નિતાની મોંઘી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ‘જેકબ એન્ડ કંપની’ બ્રાન્ડની હતી. સત્તાવાર વેબસા ઇટ અનુસાર, ઘડિયાળનું નામ ‘ફ્લેર્સ ડી જાર્ડિન પિંક સફાયર’ છે. તેમાં એક બટરફ્લાય ટુરબિલોન, ટાઇમ અને ઉપરની લેયર પર પિંક નિલમણિ, પતંગના આકારના ફૂલોનો સમાવેશ થાય છે. બીજી બાજુ, મધર-ઓફ-પર્લ બેસમાં પિંક નિલમણિનો સમાવેશ થાય છે.

નિતાની ઘડિયાળમાં 18 કેરેટ રોઝ ગોલ્ડન કેસ હતો, જે બેઝલ અને ઇન્ટરનલ રિંગ સેટથી સજાયેલ હતો. તમને જણાવી દઈએ કે આ ઘડિયાળની કિંમત 3 કરોડ રૂપિયા છે. ખરેખર ગીતાબેન રબારીની પર્સનલી વસ્તુઓની કિંમત કરોડોમાં જ હોય છે. હાલાં સોશિયલ મીડિયા પર આ તસ્વીરો વાયરલથઇ રહી છે.

Categories
Gujarat

અંબાલાલ પટેલની ફરી એક વખત મોટી આગાહી, આ તારીખથી ઠંડી વધશે તો આ મહિનામાં આ તારીખે ફરી માવઠું?? જાણો આગાહી

ભર શિયાળે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ખરેખર આ ખેડૂતો માટે ચિંતિત થવા જેવી વાત છે ત્યારે હાલમાં ફરી એકવાર  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આ વખતે ઠંડી કે વરસાદને લઈને નહી પણ એક એવી ખતરનાક આગાહી કરી છે કે સૌ કોઈ લોકો માટે સંકટ સમાન છે.

અંબાલાલ ની આગાહી પ્રમાણે 2 થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. તેમજ  આ ચક્રવાતના કારણે 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.

ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. સૌથી ખાસ વાત એ છે કે, ચક્રવાતના કારણે નીચે મુજબના નુકસાનની સંભાવના છે.

ભારે વરસાદના કારણે પૂર, ધોવાણ અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. વાવાઝોડાના કારણે વૃક્ષો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે.ઠંડા પવનોના કારણે ઠંડી અને શરદી-ઉધરસના રોગોનો ફેલાવો થઈ શકે છે.ચક્રવાતની આગાહીના આધારે સલામત સ્થળે શિફ્ટ થઈ જાવ.જો તમે ઘરે રહો છો તો તમારા ઘરને ચક્રવાતથી બચાવવા માટે તૈયાર કરો.

Categories
Viral video

દીકરીનો પિતા પ્રત્યેનો આવો પ્રેમ તમે કદી નહીં જોયો હોઈ ! પિતા સ્વર્ગવાસ પામતા દીકરીએ પિતાની તસ્વીર સાથે પડાવ્યા ફોટો..વિડીયો જોઈ ભાવુક

હાલ સોશિયલ મીડિયાના બે પહેલું થઇ ગયા છે, એક તો સારું તો બીજું ખુબ જ ખરાબ. જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો તમને ખબર જ હશે કે આ પ્લેટફોર્મના માધ્યમથી રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેમાંથી અમુકે ફની તો અમુક ખુબ જ ગુસ્સે કરી દેતા વિડીયો હોય છે, ફક્ત વિડીયો માટે જ નહીં પરંતુ રોજબરોજના સમાચારો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહેતા હોય છે જે સોશિયલ મીડિયાનો એક સારો ઉપયોગ ગણી શકાય.

પરંતુ હાલની જનરેશનના અનેક એવા યુવાઓ છે જે હાલ સોશિયલ મીડિયાનો ખરાબ રીતે ઉપયોગ કરી રહ્યા છે જયારે અમુક યુવા સોશિયલ મીડિયા યુઝરોતો ફેમસ થવા માટે નવા નવા કાંડ કરી બેઠતા હોય છે, એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ ભાવુક જ થઇ જશો, આ વીડિયોની અંદર એવું તો શું છે તો ચાલો જણાવીએ.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે દીકરીએ પોતાના મૃત પિતાના ફોટા સાથે સ્નેપચેટમાં કુતરા તથા બીજા અનેક ચશમા વાળા ફિલ્ટર લગાવીને ફોટો પડાવી રહ્યા છે, દીકરીની આવી હરકત જોઈને સોશિયલ મીડિયા યુઝરો ગુસ્સે ભરાયા હતા અને વીડિયોની નિંદા કરી હતી. જયારે અમુક યુઝરોએ દીકરીનો સાથ આપ્યો હતો ને કહ્યું હતું કે આમાં કાંઈ દીકરીએ ખોટું નથી.

હાલ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટર પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જો વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયો પર પાંચ હજાર જેટલી લાઈક આવી ચુકી છે જયારે આ વીડિયોના વ્યુવસ વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોના વ્યવસ પણ હજારોની સંખ્યામાં જ હશે.

 

Categories
Gujarat

દેવાયત ખવડે ખરીદેલ “Mercedes-Benz C-Class” ની કિંમત જાણી તમે માથું પકડી લેશો ! આટલા લાખો રૂપિયાની છે….જાણો કિંમત

આપણા ગુજરાત રાજ્યમાં અનેક એવા મોટા મોટા કલાકારો છે જે પોતાની કલાને લઈને આખા ગુજરાત રાજ્યમાં ખુબ મોટું એવું નામ કમાય ચુક્યા છે, આવા મોટા કલાકારોમાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખવડ જેવા અનેક કલાકારો આવે છે, આમ તો ગુજરાતમાં કલાકારોની કોઈ જ કમી નથી. એવામાં આવા કલાકારોને લઈને અનેક એવા સમાચારો સામે આવતા જ રહે છે.

આમ તો તમને જાણતા જ હશો કે આ મોટા કલાકારોની લાઇફસ્ટાઇલ ખુબ સારી તથા લકઝરીયસ હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે દેવાયતભાઈ ખવડ વિશે જણાવાના છીએ, દેવાયત ખવડ વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ પોતાના ડાયરાને લઈને ગુજરાત રાજ્યમાં ખુબ સારુઁ એવું નામ કમાય લીધું છે, જ્યા જ્યા પણ તેઓના પ્રોગ્રામ હોય છે ત્યાં ત્યાં લોકો ખુબ મોટી સંખ્યામાં હાજરી આપે છે.

એવામાં દેવાયત ખવડની જીવનશૈલી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ખુબ જ સારું લકઝરીયસ જીવન જીવી રહયા છે, તેમની પાસે હાલ અનેક કરો તથા મોટું ઘર પણ છે જેમાં તેઓ આલીશાન રીતે રહે છે. તમને ના ખબર હોય તો જણાવી દવ કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે હજુ થોડાક સમય પેહલા જ મર્સિડીઝ બેન્ઝ સી કલાસ લીધી હતી જે ખુબ જ આલીશાન તથા ખતરનાક દેખાવ વળી લાગી હતી.

હવે તમને ખબર જ હશે કે મર્સીડીઝ,BMW તથા ઓડી જેવી મોટી મોટી કંપનીની કારોની કિંમત ખુબ વધારે હોય છે એવામાં દેવાયત ખવડે ખરીદેલ આ કારની કિંમત વિશે જો વાત કરવામાં તેઓની આ કારની કિંમત અંદાજે 60 થી 66 લાખ સુધીની હોઈ શકે છે તેવું સામે આવ્યું છે, મિત્રો આ કારણો ચોક્કસ ભાવ તો અમે નથી જાણતા પરંતુ અમુક રિપોર્ટને આધારે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે.

Categories
Gujarat Religious

ગીર સોમનાથ જાવ તો હરસિધ્ધિ માતાના મંદિર તથા જગડુશા આશ્રમ જરૂરથી જજો ! ઇતિહાસ એટલો રોચક છે કે જાણી તમે કહેશો “જય હરસિદ્ધિ માતા…

શેઠ સગાડશાનું નામ તો તમે સાંભળ્યું જ હશે? જેને આતિથ્ય ભાવ ખાતર પોતાના દિકરાને ખાંડી ને અતિથિ ને જમાડ્યા હતા. આ અતિથિ એટલે જગતના નાથ ભગવાન નારાયણ! ખરેખર ધન્ય છે, તેમની ભક્તીને! આવા જ ભક્ત પહેલા શેઠ જગડુશા થઈ ગયા અને જેમને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે. આજે આપણે તેમની સાથે જોડાયેલ પૌરાણીક કથા વિશે વાત જાણીએ.

આ કથા વિશે અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ! ગીર સોમનાથ જિલ્લામાંનું ગામ જયાં વર્ષોથી જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. સૌથી નવાઈ ની વાત એ છે કે, અહીંયા ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે.આ ગેસ સળગે પણ છે. છતાં આ ગેસની જ્વાળા દઝાડતી નથી. અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે.

અહીંની જમીનમાં કુદરતી ગેસનો ભંડાર આવેલો છે. આ જગ્યા પર સેંકડો વર્ષોથી અહીંની જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. મહત્વની વાત એ છે કે,ગેસનો ઉપયોગ અહીં જગ્યા પૂરતો ચા બનાવવા તેમજ રસોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. શેઠ જગડુશા અને હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. નાનકડો આશ્રમ પણ છે. જ્યા સાધુ સંતો આવીને રોકાઈ શકે છે. ગેસથી પ્રજ્વલિત અખંડ જ્યોત પણ જોવા મળે છે. જેને હિમાલયમાં આવેલાં જવાલાજી સાથે સરખાવામાં આવે છે.
.
ગીર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની શેઠ જગડુશાએ કર્ણનો અવતાર હતા. મહાભારત કાળમાં કર્ણએ સોના ચાંદીનું મબલખ દાન કર્યું હતું. આથી જ કર્ણે દાનેશ્વરી તરીકે ઓળખ મેળવી. કર્ણ જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યારે સ્વર્ગમાં તેઓને ભોજન માટે સોનાની થાળીમાં હીરા અને ઝવેરાત પીરસવામાં આવ્યું ત્યારે કર્ણે કહ્યું..’આ કેમ જમી શકાય..?’ ત્યારે સ્વર્ગના દેવો દ્વારા કર્ણને કહેવામાં આવ્યું ‘આપે આપનાં જીવનકાળ દરમિયાન માત્ર સોના ચાંદી અને હીરા ઝવેરાતનું જ દાન કર્યું છે.

આપને અહીંયા પણ એ જ મળે.’ ‘હે અંગરાજ કર્ણ આપ ફરી વખત પૃથ્વી પર જાઓ અને અન્નનું દાન કરો.’ આથી બીજા જન્મમાં શેઠ જગડુશા સ્વરૂપે જન્મ્યા અને પુષ્કળ પ્રમાણમાં અનાજનું દાન કર્યું હતું.દરરોજ ગાય ધરાઈને પાછી આવે.’ તેવું વરદાન માગ્યું. માતાજીએ પ્રસન્ન થઈને આ વરદાન આપ્યું. ત્યારથી આજ દિવસ સુધી આ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી.આથી જ આ વિસ્તારને આજે પણ “લીલી નાઘેર” તરીકે ઓળખવામાં આવે છે.ખરેખર જીવનમાં આ સ્થાનની મુલાકાત અચૂક લેવી જોઈએ.

Categories
Gujarat

જામનગરમાં યુવક-યુવતીનો જન્મો જન્મ નો સાથ રહી ગયો ! યુવતીને શોક લાગતા મૃત્યુ થયું તો તેનો મંગેતર આઘાત સહન ન કરી શક્યો અને…

મિત્રો દિવાળી તથા બેસતા વર્ષના દિવસે ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી ગયા હતા, અમુક હાર્ટઅટેકની તો અમુક ઘટનાઓ દાઝવા કે આગ લાગવાની સામે આવી હતી એવામાં અમે એક ખુબ જ દુઃખદ ઘટના વિશે જણાવાના છીએ જેના વિશે જાણ્યા બાદ તમારી પણ આંખો માંથી આંસુ જ સરી પડશે.

આ પુરી ઘટના જામનગર જિલ્લામાંથી સામે આવી છે જ્યા બેસતા વર્ષના દિવસે યુવતીને વીજ કરન્ટ લાગ્યો હતો જેમાં સગાઈ થયેલ યુવતીનું કરુણ મૌત નીપજ્યું હતું એવામાં પોતાની મંગેતરની મૌતની ખબર યુવક સાંભળતા જ આઘાતમાં ચાલ્યો ગયો હતો જેને લઈને યુવકે પણ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, આ ઘટના સામે આવતાની સાથે જ પરિવારજનો પર તહેવારની ખુશીઓ પર દુઃખનું મોજું ફરી વળ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના જામનગર જિલ્લાના હાપાના યોગેશ્વર ધામમાં રહેતા વિક્રમ રાઠોડ(ઉ.વ.30) ની 8 માસ પેહલા જ હર્ષિતા ઠાકોર નામની યુવતી સાથે સગાઈ થઇ હતી,એવામાં બેસતા વર્ષના દિવસે જયારે હર્ષિતા ન્હાવા માટે પાણીગરમ કરવા માટે ગઈ હતી ત્યારે તે ગીઝરને અડી જતા હર્ષિતાને શોક લાગ્યો હતો , જે બાદ તરત જ હર્ષિતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યા ફરજબજાવતા તબીબોએ હર્ષિતાને મૃત જાહેર કરતા પરિવાર દુઃખમાં સરકી ગયો હતો જ્યારે મંગેતર વિક્રમને તો એટલો બધો આઘાત લાગ્યો હતો કે તેણે ઘરે જઈને ગળાફાંસો ખાય લીધો હતો, આથી એક જ સાથે બે બે લોકોનું તહેવારના સમયમાં નિધન થતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું,આ ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જે બાદ તેઓએ તપાસ હાથ ધરી હતી.

Categories
Viral video

“જય શ્રી રામ” ના નામથી કિર્તીદાને વિદેશી ધરા ગુંજવી!! સૌ કોઈ ઝુમી ઉઠ્યું જયારે ગાયું “મેરે ભારત કા બચ્ચાં બચ્ચાં…

કેનેડાની ધરતી પર ગાયેલું કિર્તીદાન ગઢવીનું “મેરે ભારત કા બચ્ચાં બચ્ચાં જય શ્રી રામ બોલેગા” ગીત વાયરલ થયુ છે. આ વિડીયો જોઈને તમે પણ પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઇ જશો. આ વિડીયો ખરેખર સૌ કોઈને પસંદ આવી રહ્યો છે. આપણે જાણીએ છે કે કિર્તીદાન ગઢવી ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે, સાથોસાથ હાલમાં દેશ વિદેશમાં પોતાની નામના મેળવી છે.

હાલમાં જ કેનેડામાં આયોજિત ભવ્ય ગરબા નાઇટસમાં લાખો લોકોને જય શ્રી રામના નામથી ધન્ય બનાવેલ. શ્રી રામ ભગવાન સનાતન ધર્મના ઇષ્ટ દેવ સમાન છે, આપણા સૌ માટે તેઓ મર્યાદા પુરષોત્તમ છે, આ વર્ષે જ અયોધ્યા નગરીમાં શ્રી રામ જન્મ ભૂમિ પર મંદિર બનશે ત્યારે ખરેખર સૌ ભારતીય માટે એક ગૌરવની વાત હશે.

જય શ્રી રામ ને સમર્પિત ગીત ગીત ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ ગીતના વાયરલ થવાથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યોને પ્રોત્સાહન મળ્યું છે. આ ગીત ભારતના બાળકોમાં આત્મવિશ્વાસ અને ભારત પ્રત્યેના પ્રેમને પણ વધારવામાં મદદ કરી રહ્યું છે.આ ગીતને ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોયું અને સાંભળ્યું છે. ઘણા લોકોએ આ ગીતને પસંદ કર્યું છે અને તેના વિશે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

આ ગીત એક સંદેશ આપે છે કે ભારતના બાળકો એક દિવસ વિશ્વને બદલી નાખશે. આ ગીત ભારતના ભવિષ્યને લઈને આશા અને આત્મવિશ્વાસ આપે છે.ખરેખર આ વિડીયો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

શું વાત છે!! આ વિદેશીને આપડા ગુજરાતનું ચવાણું એટલું બધું ભાવ્યું કે કરી દીધા આવા વખાણ.. જુઓ આ વિડીયો

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત Gujarat  આ વાત તો આપણે જાણીએ છે. હાલમાં જ એક એવો વિડીયોવાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમને સમજાઈ જશે. કે ગુજરાતીઓ Gujarati people કોઈપણ વિદેશીને ગુજરાતના રંગે રંગાવી જ દે છે, ખરેખર આપણા ગુજરાતી ભાઇબંધુઓ જે વિદેશમાં વસી રહ્યા છે તેમને આપણી પરંપરા અને સંસ્કૃતિનું સારું એવું જતન કરી રહ્યાં છે.

હાલાં એક વિડિઓ વાયરલ Viral video  થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને તમને એ તો સમજાય જશે કે આપણા ગુજરાતી કોઈને પણ એક જ ક્ષણમાં ગુજરાતી બનાવી શકે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં Train  એક વિદેશી આવે છે, કાદચ તે ટીસી માસ્ટર હોય શકે છે. આ વીડીયો તમે જોશો કે આ વિદેશી આપણું ગુજરાતી ચવાણું ખાય છે.

માત્ર ગુજરાતી ચવાણું ખાતો નથી પરંતુ સાથોસાથ તે ચવાણું બોલે છે અને આ સિવાય ત્યાં હાજર અન્ય ગુજરાતી વાનગી જેવી કે. થેપલા. ચકરી, ફાફડી ગાંઠીયાના નામ બોલે છે. Gujarati food આપણે ગુજરાતીઓ ગરબા, ખમણ, થેપલા અને ગાઠીયાના જબરા શોખીન રહ્યા અને આપણી કોઈપણ મુસાફરી થેપલા વિનાની અધૂરી છે.

આ વિડીયો જોઈને એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાતી એક સમયે વિદેશીઓને પણ અડધું ગુજરાતી શીખવી દે તો નવીન નહી. આપણા ગુજરાતી ભલે વિદેશમાં હોય પરંતુ તેઓ સાથોસાથ આપણું ગુજરાતીપણું લઈને જ જીવી રહ્યા છે અને વિદેશમાં પણ આપણી ગુજરાતી સંસ્કૃતિ  Gujarati culture અને વાનગીઓને સાથે લઈને જ જીવી રહ્યાં છે અને આ જ કારણે કેવું પડે કે જ્યાં જ્યાં વસે ગુજરાત.

 

View this post on Instagram

 

A post shared by Nirmal (@tamashaa_13)

Categories
Entertainment

મુકેશ અંબાણીના દીકરાએ પહેર્યું કોરોડ રૂપિયાનું પેન્થર બ્રોચ, કિંમત જાણીને આંખો ફાટી રહેશે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર હમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ  ઑક્ટોબર 31, 2023ના રોજ, ઈશા અંબાણીએ ‘Jio વર્લ્ડ પ્લાઝા’ના ભવ્ય લૉન્ચનું આયોજન કર્યું હતું, જે એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. આ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવારે ભાગ લીધો હતો અને પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.

અનંત અંબાણી જ તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. રાધિકા મીની બ્લેક ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવાર હમેશાં પોતાના વૈભવશાળી જીવનના લીધે ચર્ચામાં રહે છે.

આ પાર્ટીમાં પણ અનંત અંબાણીએ તેની મંગેતર રાધિકાને બન્ને એ બ્લેક ડ્રેસ નું મેચિંગ કર્યું હતું. અનંત એ  હીરાના બ્રોચ હતા જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.  અનંત અંબાણીના બ્રોચ લક્ઝરી બ્રાન્ડ ‘કાર્ટિઅર’નું છે.

અદભૂત બ્રોચમાં 6 નીલમણિ, 21 ઓનીક્સ સ્પોટ્સ અને 453 અનન્ય હીરા સાથે સફેદ સોનામાં પેન્થર છે. બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ પર 3.26 કેરેટના બ્રોચની કિંમત US$1,86,000 છે. જ્યારે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે છે, ત્યારે આ પેન્થર કાર્ટિયર બ્રોચની કિંમત અંદાજે 1 કરોડ 55 લાખ રૂપિયા છે.

અનંતેએ  સગાઈ કરી હતી, ત્યારે તે એક અનન્ય કસ્ટમાઈઝ્ડ પેન્થર બ્રોચ પહેરેલો જોવા મળ્યો હતો, જે તેને તેના મોટા ભાઈ આકાશ અંબાણીએ ભેટમાં આપ્યો હતો. પેન્થર આકારનું બ્રોચ 51 નીલમ અને 2 નીલમણિ સાથે 18K સફેદ સોનાના સેટમાં બનાવવામાં આવ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.