Gujarat

બનાસકાંઠા- ધોધમાર વરસાદ ના લીધે મકાન કડકભૂસ કરતા જમીનદોષ થતા ચાર લોકો દટાયા. એક યુવતી સાથે જે થયું તે…

Spread the love

ગુજરાતમાં ફરી વરસાદે જોર પકડેલું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બફારાનું પ્રમાણ વધારે હતું. ત્યારબાદ હવે ફરી પાછી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી પાણીથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદ ને કારણે ઘર પડી જવાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકી દટાઈ જવાથી એક બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. રાજસ્થાનમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે.

રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી પાણીએ ખૂબ જ નુકસાન કરી દીધેલું છે. વધુ વિગતે જાણીયે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા વડગામ તાલુકાના તેનીવાડા ગામે એક મકાન વરસાદી પાણીથી ધારાશાહી થતા તેમાં રહેતા લોકો નીચે દટાયા હતા. જાણવા મળ્યું કે આ મકાનની અંદર ચાર લોકો રહેતા હતા. ચાર લોકોનો આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો હતો. અને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવતી નું ગંભીર રીતે મૃત્યુ નીપજી ગયું હતું. જ્યારે એક બચી ગઈ હતી.

મકાન ધારાશાહી થતા જ આજુબાજુના ગામના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને લોકોને બહાર કાઢવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. દટાયેલા લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ આ દુઃખદ બનાવ બનતા આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી વરસાદી માહોલ ખૂબ જ જામી ચુકેલો છે. લોકોનું ઠેર ઠેર વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહેલું છે.

તેવામાં આ યુવતીનું મૃત્યુ નીપજી જતા પરિવારના લોકોમાં આભ ફાટ્યું હોય તેવી મુસીબત આવી પડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ગામી કલાકો ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે થઈ પડે શકે તેમ છે. ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં બનાસકાંઠા થી રાજસ્થાન તરફ જવાના રસ્તે પ્રવાસીઓ ને રસ્તામાં જ રાત વિતાવવા મજબૂર થઈ ગયા છે. કારણ કે ઠેર ઠેર નદી નાળા ઉફાન પર હોવાથી લોકોને રસ્તો ઓળંગવામાં મુશ્કેલી પડી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *