સાવકી માતા એ દોઢ વર્ષ ના બાળકને મોત ને ઘાટ ઉતારી દીધો. પત્ની ને મૂકી સાળી સાથે લગ્ન કર્યા, સાળી મૃત્ય પામી તો..
ગુજરાત માંથી રોજબરોજ હત્યા થવાના કેસો સામે આવતા રહે છે. લોકો ને જીવન માં ક્યારેક એવી પરિસ્થિતિ સામે આવે છે કે, તે એકબીજા ની હત્યા કરી નાખતા હોય છે. એવો જ એક કેસ હાલ સુરત ના પાંડેસરા વિસ્ત્તાર માંથી સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતા એ તેના બાળક ની કરુંણ રીતે હત્યા કરી નાખી છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, સુરત ના પાંડેસરા ના હરિઓમનગર માં રહેતા અરુણ ભોલા ના ના લગ્ન વર્ષ 2013 માં મમતા સાથે થયા હતા.
બને ને 8-વર્ષ નો પુત્ર હતો. તે પત્ની સાથે ઓરિસા માં રહેતો હતો. તે બને જયારે ઓરિસા માં રહેતા હતા. ત્યારે પતિ તેની સાળી ને લઈને સુરત રેવા આવી ગયો હતો. આ સમયે તેની પત્ની પોતાના વતન માં રહેતી હતી. ત્યારબાદ અરુણે તેની સાળી સાથે લગ્ન કર્યા અને બને ને ત્રણ વર્ષ ની દીકરી અને દોઢ વર્ષ નો દીકરો હતો. પરંતુ થયું એવું કે સાળી નું થોડા સમય પહેલા મૃત્યુ થઇ ગયું. આથી અરુણ તેના બે બાળકો ને લઇ ને પાછો વતન આવી ગયો.
વતન આવ્યા બાદ સાળી ના પુત્રો ની જવાબદારી તેની બહેન એટલે કે અરુણ ની પ્રથમ પત્ની ને રાખવી પડતી હતી. પરંતુ દોઢ વર્ષ ના બાળક ને એક બીમારી હતી. જેમાં આ બાળક જયારે જમે ત્યારપછી તે અવારનવાર ટોયલેટ જતો હતો. આથી અરુણ ની પત્ની કંટાળી ગઈ હતી. અને થયું એવું કે, તેણે તે દોઢ વર્ષ ના બાળક નું માથું જમીન સાથે પટકાવી પટકાવી ને તેનું મૃત્યુ નિપજાવી દીધું હતું.
આ ઘટના ને અકસ્માત ગણી ને પરિવાર ના લોકો એ બાળક ની લાશ ને દફન કરી દીધી. વરસાદ ના કારણે લાશ બહાર આવતા આ મામલો પોલીસ સામે આવ્યો. આથી બાળક ની લાશ નું પી.એમ. કરાવવામાં આવ્યું. જેમાં ખ્યાલ આવ્યો કે, બાળક નું ખૂન કરવામાં આવ્યું છે. આથી પોલીસે વધુ તપાસ કરતા આ મામલો બહાર આવ્યો હતો. અને પત્ની ની સામે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!