Entertainment

લગ્ન પહેલાં પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા મહાકાલના દર્શન કરવા માટે બહુજ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા આ સમયે ‘ આમ આદમી પાર્ટી ‘ ના નેતા રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન ને લઈને ચર્ચામાં જોવા મળી આવી છે. આ વચ્ચે જ હાલમાં અભિનેત્રી પોતાના મંગેતર રાઘવ સાથે મધ્યપ્રદેશ ના ઉજ્જૈન માં આવેલ ‘ મહાકાલેશ્વર મંદિર ‘ માં મહાકાલ ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર માનવામાં આવે તો પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બર 2023 ના રોજ લગ્ન ના બંધનમાં બંધાવા જય રહ્યા છે. એવામાં પોતાના લગ્ન પહેલા આ કપલ ઉજ્જૈન માં આવેલ મહાકાલ ના મંદિર માં પગે લાગયા અને ઈશ્વરના આશીર્વાદ લીધા હતા.

પવિત્ર મંદિર માં પ્રાથના કરતા બંને ની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહયા છે. સામે આવી રહેલ તસ્વીરોમાં જોઈ શકાય છે કે રાઘવ અને પરિણીતી એ મંદિર માં પૂજા અર્ચના કરી હતી અને થોડી વાર માટે નંદી હોલમાં પણ બેઠા હતા. આ દરમિયાન રાઘવ અને પરિણીતી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા હતા. જ્યાં રાઘવ ચઢ્ઢાએ પીળા રંગની ધોતી સાથે લાલ રંગનો દુપટ્ટો પહેર્યો હતો. બીજી તરફ ‘બ્રાઇડ ટુ બી’ પરિણીતી સફેદ બ્લાઉઝ સાથે પીચ કલરની સાડીમાં સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ દરમિયાન બંને મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. આ પહેલા પરિણીતીએ ‘બ્રાઈડલ એશિયા’ મેગેઝિન સાથે વાત કરતા પ્રેમ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું કે તે તેના માતા-પિતાના પ્રેમથી પ્રેરિત છે તેણે કહ્યું હતું કે મારા પ્રત્યેનો પ્રેમ એટલે અતૂટ વફાદારી, કપરા સમયમાં એકબીજાની પડખે ઊભા રહેવું અને સૌથી અગત્યનું છે તમારી જાત બનવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે મારા માટે વાસ્તવિક લાગણીઓ મહત્વપૂર્ણ છે, ઉન્મત્ત હાવભાવ નથી. હું હંમેશા એવી વ્યક્તિ ઇચ્છતી હતી જે મારી સાથે વાસ્તવિક બની શકે.

તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીના ‘કપૂરથલા હાઉસ’માં શાનદાર રીતે સગાઈ કરી હતી, જેમાં રાજનીતિના ક્ષેત્રથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુધીની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપલ શિયાળામાં લગ્ન કરવા જઈ રહ્યું છે. જે બાદ પરિણીતી અને રાઘવ પણ રાજસ્થાનમાં લગ્ન સ્થળ શોધતા જોવા મળ્યા હતા.

જો લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો રાઘવ અને પરિણીતી 25 સપ્ટેમ્બર 2023ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. એવા અહેવાલો છે કે તેની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાની જેમ પરિણીતી પણ રાજસ્થાનમાં શાહી લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, પરિણીતી અને રાઘવે તેમના લગ્નની તારીખ ફાઈનલ કરી લીધી છે અને આગામી મહિને તેઓ લગ્ન કરશે. લગ્ન બાદ આ કપલ ગુરુગ્રામમાં ભવ્ય રિસેપ્શન પણ યોજશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *