Gujarat

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોટાદના સાળગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે આવ્યા હતા અને દાદાના દર્શન કર્યા હતા તેમજ મારૂતિ યજ્ઞ મા ભાગ લીધો હતો અને સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય અને ગુજરાત કોરોના મુકત બને તેવી દાદાને પાર્થના કરી હતી

Spread the love

બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા ના સાળગપુર ખાતે સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે તયા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાળગપુર આવ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. સાળગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિ યજ્ઞમાં વિજય રૂપાણી એ હાજરી આપી હતી અને યજ્ઞની પૂરણાહુતી મા બેસી આરતી ઉતારી હતી જયારે હનુમાનજી મંદિર ના કોઠારી સહિતના સંતો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ નુ સનમાન કર્યુ હતું.

મુખ્યમંત્રી ના સાળગપુર હનુમાનજી મંદિરે પ્રવાસ દરમિયાન ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જયારે ૫ વર્ષ ના બાળક આર્યન ભગત જેણે સાળગપુર હનુમાનજી મંદિરના ઈતિહાસ વિષે મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો

આવતીકાલથી અષાઢ માસની શરૂઆત થાય છે ત્યારે આજના પવિત્ર દિવસે કષ્ટભંજન દાદાના દર્શન તેમજ મારૂતિ યજ્ઞ ની પૂરણાહુતી મા આહુતિ આપી પાર્થના કરી કે સમગ ગુજરાત કોરોના મુકત બને તેમજ સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય જેથી ખેડુતો સમરુધ બને તેમજ રાજયના તમામ લોકો સુખી સમરુધી બને તેમાટે દાદા પાસે પાર્થના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *