Entertainment

28-જુલાઈ ના રોજ દયાબહેન ની થઇ શકે છે ધમાકેદાર એન્ટ્રી ! આ દિવસ છે શો માટે ખાસ..જાણો શું છે 28-જુલાઈ…

Spread the love

પ્રસિદ્ધ કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઘણા સમય થી એકપછી એક પાત્ર શો માં થી એક્ઝિટ લઇ રહ્યા છે. એવામાં હાલ માં એક ખાસ વાત જાણવા મળી છે. તારક મહેતા સિરિયલ ના ચાહકો ઘણા સમય થી દયા બહેન ની રાહ જોઈ બેસેલા છે. એવામાં ઘણા સમાચારો સામે આવ્યા જ કરે છે કે, દયાબહેન ના પાત્ર માટે ખુદ દિશા વાકાણી જ આવી શકે છે. કાંતો એવા સમાચાર મળે કે કોઈ અન્ય કલાકાર દયાબહેન ના પાત્ર માટે આવી શકે છે. એવામાં હાલ ફરી એક ચર્ચા નો વિષય જોવા મળે છે. જેમાં…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની વાપસી થઈ રહી નથી. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે આ પાત્ર માટે નવા ચહેરાની શોધ ચાલી રહી છે, પરંતુ તે ચહેરો કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે. સવાલ એ પણ છે કે શું આ પાત્ર માટે ચહેરો ફાઈનલ થઈ ગયો છે કે પછી બધું હવામાં ચાલી રહ્યું છે. આ પ્રશ્નોના જવાબ ફક્ત નિર્માતાઓ જ આપી શકે છે. હવે અહેવાલ છે કે 28 જુલાઈના એપિસોડમાં શોમાં દયાબેનની એન્ટ્રી થઈ શકે છે. શા માટે 28-જુલાઈ ના રોજ દયાબહેન આવી શકે છે?

તો 28 જુલાઈનો એપિસોડ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 14 વર્ષ પહેલા 28 જુલાઈના રોજ શરૂ થયો હતો. આ દિવસે પ્રથમ એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો, તેથી આ દિવસ શો માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ દિવસે શોમાં દયાબેનની વાપસી થઈ શકે છે. થોડા સમય પહેલા નિર્માતા અસિત મોદીએ પણ કહ્યું હતું કે હવે તેઓ આ પાત્રને પરત લાવવાના છે.

આમ આ પરથી કહી શકાય છે કે, કદાચ 28-જુલાઈ ના રોજ દયાબહેન શો માં પાછા ફરી શકે છે. તારક મહેતા માં હાલમાં જ નટુકાકા ના પાત્ર માટે ગુજરાતી કલાકાર એંટ્રી લઇ ચુક્યા છે. અને તેના અગાઉ મહેતા સાહેબ પણ આ શો છોડીને ચાલ્યા ગયા છે. ઘણા સમાચારો માં જાણવા મળ્યું કે, ટપુ નું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ હવે શો છોડી શકે છે. દયાબહેન ના શો માં પાછા અવવાના સમાચાર સાંભળી ને તેના ચાહકો માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *